અલ-કુરઆન

53

An-Najm

سورة النجم


وَ النَّجۡمِ اِذَا ہَوٰی ۙ﴿۱﴾

(૧) કસમ છે સિતારાની જ્યારે તે ઉતરે છે:

مَا ضَلَّ صَاحِبُکُمۡ وَ مَا غَوٰی ۚ﴿۲﴾

(૨) ન તમારો સાથી ગુમરાહ થયો છે અને ન તેને મકસદ ગુમ કર્યો છે.

وَ مَا یَنۡطِقُ عَنِ الۡہَوٰی ؕ﴿۳﴾

(૩) અને તે પોતાની ખ્વાહિશથી કાંઇ કલામ કરતો નથી.

اِنۡ ہُوَ اِلَّا وَحۡیٌ یُّوۡحٰی ۙ﴿۴﴾

(૪) તે(નો કલામ) નાઝિલ થયેલ વહી સિવાય કંઇ નથી.

عَلَّمَہٗ شَدِیۡدُ الۡقُوٰی ۙ﴿۵﴾

(૫) તેને ખૂબજ તાકતવરે તાલીમ આપી છે:

ذُوۡ مِرَّۃٍ ؕ فَاسۡتَوٰی ۙ﴿۶﴾

(૬) તે કે જે ખૂબ તાકતવર છે; જેણે કાબૂ હાંસિલ કર્યો...

وَ ہُوَ بِالۡاُفُقِ الۡاَعۡلٰی ؕ﴿۷﴾

(૭) એવી હાલતમાં કે તે સૌથી બુલંદ ઉફુક પર હતો!

ثُمَّ دَنَا فَتَدَلّٰی ۙ﴿۸﴾

(૮) પછી તે નજીક આવ્યો, અને વધારે નઝદીક થયો:

فَکَانَ قَابَ قَوۡسَیۡنِ اَوۡ اَدۡنٰی ۚ﴿۹﴾

(૯) ત્યાં સુધી કે બે કમાન અથવા તેનાથી ઓછું અંતર હતુ.

10

فَاَوۡحٰۤی اِلٰی عَبۡدِہٖ مَاۤ اَوۡحٰی ﴿ؕ۱۰﴾

(૧૦) પછી પોતાના બંદાને વહી કરી જે કાંઇ વહી કરવાની હતી.

11

مَا کَذَبَ الۡفُؤَادُ مَا رَاٰی ﴿۱۱﴾

(૧૧) દિલે તે વાતને જૂઠલાવી નહિં જેને આંખોએ નિહાળી.

12

اَفَتُمٰرُوۡنَہٗ عَلٰی مَا یَرٰی ﴿۱۲﴾

(૧૨) શું તમે તેની સાથે એ બાબતે વાદ વિવાદ કરો છો જેને તે એ જોયેલ છે ?!

13

وَ لَقَدۡ رَاٰہُ نَزۡلَۃً اُخۡرٰی ﴿ۙ۱۳﴾

(૧૩) અને તેણે તેને બીજી વાર જોયો:

14

عِنۡدَ سِدۡرَۃِ الۡمُنۡتَہٰی ﴿۱۴﴾

(૧૪) સિદ્રતુલ મુન્તહા પાસે.

15

عِنۡدَہَا جَنَّۃُ الۡمَاۡوٰی ﴿ؕ۱۵﴾

(૧૫) કે જ્યાં જન્નતુલ માવા છે.

16

اِذۡ یَغۡشَی السِّدۡرَۃَ مَا یَغۡشٰی ﴿ۙ۱۶﴾

(૧૬) જયારે સિદરતુલ મુન્તહા પર કાંઇક છવાઇ ગયેલ હતું :

17

مَا زَاغَ الۡبَصَرُ وَ مَا طَغٰی ﴿۱۷﴾

(૧૭) તે વખતે તેની આંખે ન ચૂક કરી, અને ન હદથી આગળ વધી.

18

لَقَدۡ رَاٰی مِنۡ اٰیٰتِ رَبِّہِ الۡکُبۡرٰی ﴿۱۸﴾

(૧૮) ખરેખર તેણે તેના પરવરદિગારની અમુક મોટી નિશાનીઓ નિહાળી.

19

اَفَرَءَیۡتُمُ اللّٰتَ وَ الۡعُزّٰی ﴿ۙ۱۹﴾

(૧૯) તમે મને લાત અને ઉઝ્ઝા વિશે જણાવો.

20

وَ مَنٰوۃَ الثَّالِثَۃَ الۡاُخۡرٰی ﴿۲۰﴾

(૨૦) અને મનાત જે તેઓમાંનો ત્રીજો છે.

21

اَلَکُمُ الذَّکَرُ وَ لَہُ الۡاُنۡثٰی ﴿۲۱﴾

(૨૧) શું તમારા માટે ફરઝંદ છે અને તેના માટે દુખ્તર?

22

تِلۡکَ اِذًا قِسۡمَۃٌ ضِیۡزٰی ﴿۲۲﴾

(૨૨) (જો એમ હોય તો) આ વહેંચણી તદ્દન અન્યાયી છે!

23

اِنۡ ہِیَ اِلَّاۤ اَسۡمَآءٌ سَمَّیۡتُمُوۡہَاۤ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ مَّاۤ اَنۡزَلَ اللّٰہُ بِہَا مِنۡ سُلۡطٰنٍ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ مَا تَہۡوَی الۡاَنۡفُسُ ۚ وَ لَقَدۡ جَآءَہُمۡ مِّنۡ رَّبِّہِمُ الۡہُدٰی ﴿ؕ۲۳﴾

(૨૩) આ બધા તે નામો છે જે તમોએ અને તમારા બાપદાદાઓએ નક્કી કર્યા છે, અલ્લાહે તેમના માટે કંઇ દલીલ નાઝિલ નથી કરેલ, હકીકતમાં તેઓ પોતાના ગુમાન અને ખ્વાહિશાત (મનમાની)ની પેરવી કરે છે એવી હાલતમાં કે તેમના પરવરદિગાર તરફથી હિદાયત આવી ચૂકી છે.

24

اَمۡ لِلۡاِنۡسَانِ مَا تَمَنّٰی ﴿۫ۖ۲۴﴾

(૨૪) અથવા ઇન્સાન જે કાંઇ ચાહે તે હાંસિલ કરે છે?!

25

فَلِلّٰہِ الۡاٰخِرَۃُ وَ الۡاُوۡلٰی ﴿٪۲۵﴾

(૨૫) એવી હાલતમાં કે દુનિયા અને આખેરત અલ્લાહ માટે જ છે.

26

وَ کَمۡ مِّنۡ مَّلَکٍ فِی السَّمٰوٰتِ لَا تُغۡنِیۡ شَفَاعَتُہُمۡ شَیۡئًا اِلَّا مِنۡۢ بَعۡدِ اَنۡ یَّاۡذَنَ اللّٰہُ لِمَنۡ یَّشَآءُ وَ یَرۡضٰی ﴿۲۶﴾

(૨૬) અને આસમાનોમાં કેટલા એવા ફરિશ્તા છે કે જેમની શફાઅત કોઇને પણ કામ નથી આવતી, સિવાય એ પછી કે અલ્લાહ જેના માટે ચાહે અને જેનાથી રાજી હોય અને (શફાઅતની) રજા આપે.

27

اِنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ لَیُسَمُّوۡنَ الۡمَلٰٓئِکَۃَ تَسۡمِیَۃَ الۡاُنۡثٰی ﴿۲۷﴾

(૨૭) બેશક જેઓને આખેરત પર ઇમાન નથી તેઓ ફરિશ્તાઓના (અલ્લાહની) દુખ્તરો (જેવા) નામ રાખે છે.

28

وَ مَا لَہُمۡ بِہٖ مِنۡ عِلۡمٍ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ ۚ وَ اِنَّ الظَّنَّ لَا یُغۡنِیۡ مِنَ الۡحَقِّ شَیۡئًا ﴿ۚ۲۸﴾

(૨૮) તેમની પાસે આ સંબંધે કંઇ ઇલ્મ નથી તેઓ ફકત ગુમાનની પૈરવી કરે છે હરગિઝ ગુમાન હકથી બેનિયાઝ કરતુ નથી. (ગુમાન હક સુધી પહોંચાડતુ નથી)

29

فَاَعۡرِضۡ عَنۡ مَّنۡ تَوَلّٰی ۬ۙ عَنۡ ذِکۡرِنَا وَ لَمۡ یُرِدۡ اِلَّا الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ؕ۲۹﴾

(૨૯) માટે જે કોઇ અમારી યાદથી મોઢું ફેરવે છે અને દુનિયાના જીવન સિવાય બીજુ કાંઇ નથી ચાહતા, તું તેનાથી મોઢુ ફેરવી લે!

30

ذٰلِکَ مَبۡلَغُہُمۡ مِّنَ الۡعِلۡمِ ؕ اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ ۙ وَ ہُوَ اَعۡلَمُ بِمَنِ اہۡتَدٰی ﴿۳۰﴾

(૩૦) તેમના ઇલ્મની પહોંચ એટલી જ છે, અને બેશક તારો પરવરદિગાર -તેના રસ્તાથી ભટકી ગયેલાને અને હિદાયત પામેલાને- સારી રીતે જાણે છે.

31

وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۙ لِیَجۡزِیَ الَّذِیۡنَ اَسَآءُوۡا بِمَا عَمِلُوۡا وَ یَجۡزِیَ الَّذِیۡنَ اَحۡسَنُوۡا بِالۡحُسۡنٰی ﴿ۚ۳۱﴾

(૩૧) અને ઝમીન અને આસમાનોમાં જે કાંઇ છે તે અલ્લાહ માટે છે જેથી ખરાબ અમલ કરવાવાળાઓને તેની સજા આપે અને સારા અમલ કરવાવાળાઓને તેનો નેક બદલો આપે!

32

اَلَّذِیۡنَ یَجۡتَنِبُوۡنَ کَبٰٓئِرَ الۡاِثۡمِ وَ الۡفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ اِنَّ رَبَّکَ وَاسِعُ الۡمَغۡفِرَۃِ ؕ ہُوَ اَعۡلَمُ بِکُمۡ اِذۡ اَنۡشَاَکُمۡ مِّنَ الۡاَرۡضِ وَ اِذۡ اَنۡتُمۡ اَجِنَّۃٌ فِیۡ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ ۚ فَلَا تُزَکُّوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ہُوَ اَعۡلَمُ بِمَنِ اتَّقٰی ٪﴿۳۲﴾

(૩૨) બેશક તારો પરવરદિગાર (તેઓ પ્રત્યે) વિશાળ મગફેરતવાળો છે કે જેઓ ગુનાહે કબીરા અને બેશરમીની વાતોથી બચતા રહે છે સિવાય કે અમુક નાની ભૂલો; તે તમને એ સમયથી જાણે છે જયારે તેણે તમને ઝમીનમાંથી પેદા કર્યા ત્યારે તમે માના પેટમાં (રહેમમાં) જનીન સ્વરૂપે હતા, માટે પોતાની જાતને વધારે પાકીઝા ન સમજો; તે પરહેઝગારોને સારી રીતે ઓળખે છે.

33

اَفَرَءَیۡتَ الَّذِیۡ تَوَلّٰی ﴿ۙ۳۳﴾

(૩૩) શું તું એ તેને જોયો કે જેણે (હકથી) મોઢું ફેરવી લીધું ?!

34

وَ اَعۡطٰی قَلِیۡلًا وَّ اَکۡدٰی ﴿۳۴﴾

(૩૪) અલ્લાહની રાહમાં થોડી એવી ખૈરાત કરી અને (વધારે આપવાથી) અટકી ગયા!

35

اَعِنۡدَہٗ عِلۡمُ الۡغَیۡبِ فَہُوَ یَرٰی ﴿۳۵﴾

(૩૫) શું તેની પાસે ગેબનું ઇલ્મ છે અને તે (હકીકતને) જોવે છે?!

36

اَمۡ لَمۡ یُنَبَّاۡ بِمَا فِیۡ صُحُفِ مُوۡسٰی ﴿ۙ۳۶﴾

(૩૬) અથવા મૂસાના સહીફાઓમાં જે કાંઇ છે તેની તેને ખબર નથી પડી?

37

وَ اِبۡرٰہِیۡمَ الَّذِیۡ وَفّٰۤی ﴿ۙ۳۷﴾

(૩૭) અને ઇબ્રાહીમના સહીફાઓમાં કે જેણે પોતાની જવાબદારી પૂરી અદા કરી:

38

اَلَّا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ﴿ۙ۳۸﴾

(૩૮) કોઇ પણ ઇન્સાન બીજા(ના ગુનાહ)નો ભાર ઊંચકશે નહિ:

39

وَ اَنۡ لَّیۡسَ لِلۡاِنۡسَانِ اِلَّا مَا سَعٰی ﴿ۙ۳۹﴾

(૩૯) અને ઇન્સાન માટે (કંઇપણ ફાયદો) તેની કોશિશ સિવાય (હાંસિલ થતો) નથી:

40

وَ اَنَّ سَعۡیَہٗ سَوۡفَ یُرٰی ﴿۪۴۰﴾

(૪૦) અને નજીકમાં જ તેની કોશિશો(નો ફાયદો/નતીજો) દેખાશે:

41

ثُمَّ یُجۡزٰىہُ الۡجَزَآءَ الۡاَوۡفٰی ﴿ۙ۴۱﴾

(૪૧) પછી તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે:

42

وَ اَنَّ اِلٰی رَبِّکَ الۡمُنۡتَہٰی ﴿ۙ۴۲﴾

(૪૨) કે દરેક (મામલા)નો અંત તેના રબ તરફ છે.

43

وَ اَنَّہٗ ہُوَ اَضۡحَکَ وَ اَبۡکٰی ﴿ۙ۴۳﴾

(૪૩) અને એ જ હસાવે છે તથા રડાવે છે:

44

وَ اَنَّہٗ ہُوَ اَمَاتَ وَ اَحۡیَا ﴿ۙ۴۴﴾

(૪૪) અને તે છે કે મોત અને જીવન આપે છે:

45

وَ اَنَّہٗ خَلَقَ الزَّوۡجَیۡنِ الذَّکَرَ وَ الۡاُنۡثٰی ﴿ۙ۴۵﴾

(૪૫) અને તે જ છે કે જેને બે પ્રકારની મખ્લૂકના જોડા પેદા કર્યા નર અને માદા..

46

مِنۡ نُّطۡفَۃٍ اِذَا تُمۡنٰی ﴿۪۴۶﴾

(૪૬) નુત્ફામાંથી કે જ્યારે (રહેમમાં) નાખવામાં આવે છે.

47

وَ اَنَّ عَلَیۡہِ النَّشۡاَۃَ الۡاُخۡرٰی ﴿ۙ۴۷﴾

(૪૭) અને બીજું (એટલે આખેરતનુ) જીવન પણ તેના ઝિમ્મે છે:

48

وَ اَنَّہٗ ہُوَ اَغۡنٰی وَ اَقۡنٰی ﴿ۙ۴۸﴾

(૪૮) અને તે જ છે જેણે બેનિયાઝ બનાવ્યા અને બાકી રહેનાર દોલત (મૂડી) અતા કરી;

49

وَ اَنَّہٗ ہُوَ رَبُّ الشِّعۡرٰی ﴿ۙ۴۹﴾

(૪૯) અને તે જ છે સિતારાએ શેઅરાનો (એક તારો જે પૂરનૂર અને સાબિત છે) પરવરદિગાર:

50

وَ اَنَّہٗۤ اَہۡلَکَ عَادَۨ ا الۡاُوۡلٰی ﴿ۙ۵۰﴾

(૫૦) અને તે જ છે જેણે અગાઉ આદની કોમને હલાક કરી:

51

وَ ثَمُوۡدَا۠ فَمَاۤ اَبۡقٰی ﴿ۙ۵۱﴾

(૫૧) અને સમૂદના લોકોને પણ (એવી રીતે હલાક કર્યા) કે કોઇને બાકી ન રાખ્યા :

52

وَ قَوۡمَ نُوۡحٍ مِّنۡ قَبۡلُ ؕ اِنَّہُمۡ کَانُوۡا ہُمۡ اَظۡلَمَ وَ اَطۡغٰی ﴿ؕ۵۲﴾

(૫૨) અને એવી જ રીતે તે પહેલાં નૂહની કોમને પણ કારણકે તેઓ વધારે ઝાલિમ અને સરકશ હતા:

53

وَ الۡمُؤۡتَفِکَۃَ اَہۡوٰی ﴿ۙ۵۳﴾

(૫૩) અને તેણે (કોમે લૂતની) ઊંધી વળી ગયેલી વસ્તીઓને કચડી નાખી:

54

فَغَشّٰہَا مَا غَشّٰی ﴿ۚ۵۴﴾

(૫૪) પછી તેણે તે (વસ્તી)ને સખ્ત અઝાબથી ઢાંકી દીધી.

55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکَ تَتَمَارٰی ﴿۵۵﴾

(૫૫) માટે તું તારા પરવરદિગારની કંઇ નેઅમત પર શક કરે છે?!

56

ہٰذَا نَذِیۡرٌ مِّنَ النُّذُرِ الۡاُوۡلٰی ﴿۵۶﴾

(૫૬) બેશક આ પયગંબર અગાઉના ડરાવનારાઓમાંથી એક ડરાવનાર છે.

57

اَزِفَتِ الۡاٰزِفَۃُ ﴿ۚ۵۷﴾

(૫૭) જે (કયામત) નજદીક થવી જોઇએ તે નજદીક થયેલ છે.

58

لَیۡسَ لَہَا مِنۡ دُوۡنِ اللّٰہِ کَاشِفَۃٌ ﴿ؕ۵۸﴾

(૫૮) અલ્લાહના સિવાય કોઇ તેની સખતીને ટાળી નહીં શકે.

59

اَفَمِنۡ ہٰذَا الۡحَدِیۡثِ تَعۡجَبُوۡنَ ﴿ۙ۵۹﴾

(૫૯) શું તમો આ વાતથી નવાઇ પામો છો,

60

وَ تَضۡحَکُوۡنَ وَ لَا تَبۡکُوۡنَ ﴿ۙ۶۰﴾

(૬૦) અને પછી હસો છો અને રડતા નથી,

61

وَ اَنۡتُمۡ سٰمِدُوۡنَ ﴿۶۱﴾

(૬૧) અને તમે બિલ્કુલ ગાફિલ છો?!

62

فَاسۡجُدُوۡا لِلّٰہِ وَ اعۡبُدُوۡا ﴿٪ٛ۶۲﴾

(૬૨) માટે અલ્લાહને સજદો કરો અને તેની ઇબાદત કરો!