Al-Mumenoon
سورة المؤمنون
ثُمَّ خَلَقۡنَا النُّطۡفَۃَ عَلَقَۃً فَخَلَقۡنَا الۡعَلَقَۃَ مُضۡغَۃً فَخَلَقۡنَا الۡمُضۡغَۃَ عِظٰمًا فَکَسَوۡنَا الۡعِظٰمَ لَحۡمًا ٭ ثُمَّ اَنۡشَاۡنٰہُ خَلۡقًا اٰخَرَ ؕ فَتَبٰرَکَ اللّٰہُ اَحۡسَنُ الۡخٰلِقِیۡنَ ﴿ؕ۱۴﴾
(૧૪) પછી નુત્ફાને થીજી ગયેલા લોહીનું સ્વરૂપ આપ્યુ પછી તે થીજી ગયેલ લોહીને ચવાઇ ગયેલા ગોશ્તમાં ફેરવ્યુ પછી તે ગોશ્તમાંથી હાડકાંઓ બનાવ્યા પછી હાડકાંઓ ઉપર ગોશ્ત ચઢાવ્યું, પછી અમોએ તેનુ એક નવીન સર્જન કર્યુ માટે કેટલો બરકતવાળો તથા બહેતરીન ખલ્ક કરવાવાળો છે અલ્લાહ!
وَ اِنَّ لَکُمۡ فِی الۡاَنۡعَامِ لَعِبۡرَۃً ؕ نُسۡقِیۡکُمۡ مِّمَّا فِیۡ بُطُوۡنِہَا وَ لَکُمۡ فِیۡہَا مَنَافِعُ کَثِیۡرَۃٌ وَّ مِنۡہَا تَاۡکُلُوۡنَ ﴿ۙ۲۱﴾
(૨૧) અને બેશક તે જાનવરોમાં તમારા માટે એક ઇબ્રત છે; જે કંઇ તેની અંદર (દૂધ) છે તેમાંથી તમને પાઇએ છીએ અને તેમાં તમારા માટે (બીજા પણ) ઘણા ફાયદાઓ છે, અને તેમાંથી તમે (ગોશ્ત) ખાવ છો:
وَ لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰی قَوۡمِہٖ فَقَالَ یٰقَوۡمِ اعۡبُدُوا اللّٰہَ مَا لَکُمۡ مِّنۡ اِلٰہٍ غَیۡرُہٗ ؕ اَفَلَا تَتَّقُوۡنَ ﴿۲۳﴾
(૨૩) અને ખરેખર અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યા, પછી તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઇ માઅબૂદ નથી; તો શું તમે (બીજાની ઇબાદતથી) પરહેઝ નહી કરો?
فَقَالَ الۡمَلَؤُا الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ قَوۡمِہٖ مَا ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۙ یُرِیۡدُ اَنۡ یَّتَفَضَّلَ عَلَیۡکُمۡ ؕ وَ لَوۡ شَآءَ اللّٰہُ لَاَنۡزَلَ مَلٰٓئِکَۃً ۚۖ مَّا سَمِعۡنَا بِہٰذَا فِیۡۤ اٰبَآئِنَا الۡاَوَّلِیۡنَ ﴿ۚ۲۴﴾
(૨૪) ત્યારે તેની કોમના નાસ્તિક સરદારોએ કહ્યું કે આ (નૂહ) તમારા જેવો જ ઇન્સાન છે, જે ચાહે છે કે તમારા ઉપર ફઝીલત મેળવે અને જો અલ્લાહ ચાહતે તો ફરિશ્તાઓને મોકલેત, આપણા બાપદાદાઓ પાસેથી આવુ કયારેય સાંભળ્યુ નથી.
فَاَوۡحَیۡنَاۤ اِلَیۡہِ اَنِ اصۡنَعِ الۡفُلۡکَ بِاَعۡیُنِنَا وَ وَحۡیِنَا فَاِذَا جَآءَ اَمۡرُنَا وَ فَارَ التَّنُّوۡرُ ۙ فَاسۡلُکۡ فِیۡہَا مِنۡ کُلٍّ زَوۡجَیۡنِ اثۡنَیۡنِ وَ اَہۡلَکَ اِلَّا مَنۡ سَبَقَ عَلَیۡہِ الۡقَوۡلُ مِنۡہُمۡ ۚ وَ لَا تُخَاطِبۡنِیۡ فِی الَّذِیۡنَ ظَلَمُوۡا ۚ اِنَّہُمۡ مُّغۡرَقُوۡنَ ﴿۲۷﴾
(૨૭) જેથી અમોએ તેના તરફ વહી કરી કે તું અમારી નજર સામે અને અમારી વહી મુજબ કશ્તી બનાવ પછી જયારે અમારો હુકમ આવે અને (પાણી) તંદૂર(માંથી) ઊભરાવા લાગે ત્યારે દરેક (જાનવરમાંથી એક-એક) જોડા અને તારા ખાનદાનને સાથે લઇ લેજે સિવાય કે જે(ની હલાકત)નો વાયદો અગાઉ આપી દીધો છે અને ઝાલિમો બાબતે મારી સાથે વાત ન કરજે, બેશક તેઓ ડુબી જવાના છે.
وَ قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِہِ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِلِقَآءِ الۡاٰخِرَۃِ وَ اَتۡرَفۡنٰہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۙ مَا ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۙ یَاۡکُلُ مِمَّا تَاۡکُلُوۡنَ مِنۡہُ وَ یَشۡرَبُ مِمَّا تَشۡرَبُوۡنَ ﴿۪ۙ۳۳﴾
(૩૩) અને તેની કોમના નાસ્તિક સરદારો જેઓ આખેરતની મુલાકાતનો ઇન્કાર કરતા હતા જેઓને અમે દુનિયાની ઝિંદગીમાં સુખી બનાવ્યા હતા, તેઓ કહ્યુ કે આ તમારા જેવો જ બશર (માણસ) છે, જે તમે ખાવ છો તેમાંથી ખાઇ છે અને તમે જે કાંઇ પીવો છો તેમાંથી પીવે છે.
ثُمَّ اَرۡسَلۡنَا رُسُلَنَا تَتۡرَا ؕ کُلَّمَا جَآءَ اُمَّۃً رَّسُوۡلُہَا کَذَّبُوۡہُ فَاَتۡبَعۡنَا بَعۡضَہُمۡ بَعۡضًا وَّ جَعَلۡنٰہُمۡ اَحَادِیۡثَ ۚ فَبُعۡدًا لِّقَوۡمٍ لَّا یُؤۡمِنُوۡنَ ﴿۴۴﴾
(૪૪) પછી અમો અમારા રસૂલોને એક પછી એક મોકલ્યા, અને જયારે પણ રસૂલ તેમની ઉમ્મત પાસે આવ્યા ત્યારે તેઓએ તેને જૂઠલાવ્યો, પછી અમોએ પણ તેમનો (નાસ્તિકોનો) એક પછી એક નાશ કરી નાખ્યો અને તેઓને કહાનીનુ સ્વરૂપ આપી દીધુ, જે લોકો ઇમાન નથી લાવતા તેઓ માટે (અલ્લાહની રહેમતથી) દૂરી છે.
وَ لَوِ اتَّبَعَ الۡحَقُّ اَہۡوَآءَہُمۡ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَ الۡاَرۡضُ وَ مَنۡ فِیۡہِنَّ ؕ بَلۡ اَتَیۡنٰہُمۡ بِذِکۡرِہِمۡ فَہُمۡ عَنۡ ذِکۡرِہِمۡ مُّعۡرِضُوۡنَ ﴿ؕ۷۱﴾
(૭૧) અને જો હક તેમની મરજીની તાબેદારી કરી લેતે તો આસમાનો તથા ઝમીન અને જે કોઇ તેની દરમ્યાન છે તે બધા બરબાદ થઇ જતે! બલ્કે અમોએ તેમને તેઓ(ના ફાયદા માટે)ની જ યાદી આપી છે અને તેઓ પોતાની જ યાદીથી મોઢું ફેરવી લીધું!
مَا اتَّخَذَ اللّٰہُ مِنۡ وَّلَدٍ وَّ مَا کَانَ مَعَہٗ مِنۡ اِلٰہٍ اِذًا لَّذَہَبَ کُلُّ اِلٰہٍۭ بِمَا خَلَقَ وَ لَعَلَا بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ ؕ سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یَصِفُوۡنَ ﴿ۙ۹۱﴾
(૯૧) બેશક અલ્લાહે કોઇને પોતાના ફરઝંદ તરીકે પસંદ નથી કર્યો અને ન તેની સાથે બીજો માઅબૂદ છે, જો એવું હોતે તો દરેક માઅબૂદ પોતાની મખ્લૂકને (પોતાની તદબીર હેઠળ) લઇ લેતે અને દરેક બીજા ઉપર બરતરી મેળવવા ચાહેત, જે કાંઇ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે!
لَعَلِّیۡۤ اَعۡمَلُ صَالِحًا فِیۡمَا تَرَکۡتُ کَلَّا ؕ اِنَّہَا کَلِمَۃٌ ہُوَ قَآئِلُہَا ؕ وَ مِنۡ وَّرَآئِہِمۡ بَرۡزَخٌ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۱۰۰﴾
(૧૦૦) કે કદાચ હું હવે મારા મૂકી દીધેલા (કામો)માંથી કોઇ સારૂં કામ કરૂં, કદી નહિં! આ માત્ર એક વાત છે જે તે કહે છે: તેઓની પાછળ ફરીથી ઊઠાડવાના દિવસ સુધી બરઝખ છે.
اِنَّہٗ کَانَ فَرِیۡقٌ مِّنۡ عِبَادِیۡ یَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغۡفِرۡ لَنَا وَ ارۡحَمۡنَا وَ اَنۡتَ خَیۡرُ الرّٰحِمِیۡنَ ﴿۱۰۹﴾ۚۖ
(૧૦૯) બેશક મારા બંદાઓમાંથી એક સમૂહ એવો હતો કે જે કહેતો હતો કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા, માટે તું અમને માફ કર, અને અમારા પર રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છો.
وَ مَنۡ یَّدۡعُ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ ۙ لَا بُرۡہَانَ لَہٗ بِہٖ ۙ فَاِنَّمَا حِسَابُہٗ عِنۡدَ رَبِّہٖ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الۡکٰفِرُوۡنَ ﴿۱۱۷﴾
(૧૧૭) અને જે કોઇ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારશે કે જેની તેઓ પાસે કોઇ દલીલ નહી હોય, તેનો હિસાબ અલ્લાહ પાસે હશે; બેશક નાસ્તિકો કામ્યાબ નહિં થાય!