As-Sajda
سورة السجدة
اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ۚ بَلۡ ہُوَ الۡحَقُّ مِنۡ رَّبِّکَ لِتُنۡذِرَ قَوۡمًا مَّاۤ اَتٰہُمۡ مِّنۡ نَّذِیۡرٍ مِّنۡ قَبۡلِکَ لَعَلَّہُمۡ یَہۡتَدُوۡنَ ﴿۳﴾
(૩) શું તેઓ એમ કહે છે આ તેને ઉપજાવી કાઢયું છે ? પરંતુ તે તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તું કોમને ડરાવે કે જેમની પાસે તારી અગાઉ કોઇ ડરાવનાર આવ્યો નથી. કદાચને તેઓ હિદાયત મેળવી લે.
اَللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ؕ مَا لَکُمۡ مِّنۡ دُوۡنِہٖ مِنۡ وَّلِیٍّ وَّ لَا شَفِیۡعٍ ؕ اَفَلَا تَتَذَکَّرُوۡنَ ﴿۴﴾
(૪) અલ્લાહ એ જ છે કે જેણે આસમાનો તથા ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પેદા કર્યુ, અને પછી (સત્તાના) અર્શ પર બિરાજમાન થયો. તેના સિવાય ન કોઇ તમારો વલી છે અને ન શફાઅત કરનાર, શું તમે નસીહત હાંસિલ નથી કરતા?!
وَ لَوۡ تَرٰۤی اِذِ الۡمُجۡرِمُوۡنَ نَاکِسُوۡا رُءُوۡسِہِمۡ عِنۡدَ رَبِّہِمۡ ؕ رَبَّنَاۤ اَبۡصَرۡنَا وَ سَمِعۡنَا فَارۡجِعۡنَا نَعۡمَلۡ صَالِحًا اِنَّا مُوۡقِنُوۡنَ ﴿۱۲﴾
(૧૨) અને અગર તુ જો કે જયારે ગુનેહગારો રબની હજૂરમાં સર જૂકાવી ઊભા હશે; અય અમારા રબ અમે જોયુ અને સાંભળ્યુ, માટે તું અમને પાછા મોકલ જેથી અમે નેક આમાલ કરીએ બેશક અમે યકીન રાખનારાઓ છીએ.
فَذُوۡقُوۡا بِمَا نَسِیۡتُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا ۚ اِنَّا نَسِیۡنٰکُمۡ وَ ذُوۡقُوۡا عَذَابَ الۡخُلۡدِ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۴﴾
(૧૪) અને (તેઓને કહેશે) તમે આજના દિવસની તમારી મુલાકાતને ભૂલાવી દેવાની મજા ચાખો અમે તમને ભૂલી ગયા, અને જે કાર્યો તમે કર્યા હતા તેના બદલામાં હંમેશના અઝાબની મજા ચાખો.
اِنَّمَا یُؤۡمِنُ بِاٰیٰتِنَا الَّذِیۡنَ اِذَا ذُکِّرُوۡا بِہَا خَرُّوۡا سُجَّدًا وَّ سَبَّحُوۡا بِحَمۡدِ رَبِّہِمۡ وَ ہُمۡ لَا یَسۡتَکۡبِرُوۡنَ ﴿ٛ۱۵﴾
(૧૫) માત્ર તેઓ જ અમારી આયતો પર ઇમાન લાવે છે જ્યારે તેમણે આયતો યાદ અપાવવામાં આવે ત્યારે સિજદામાં પડી જાય છે, તથા પોતાના પરવરદિગારનો હમ્દ અને તસ્બીહ કરે છે, અને તકબ્બૂર કરતા નથી.
تَتَجَافٰی جُنُوۡبُہُمۡ عَنِ الۡمَضَاجِعِ یَدۡعُوۡنَ رَبَّہُمۡ خَوۡفًا وَّ طَمَعًا ۫ وَّ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿۱۶﴾
(૧૬) તેમના પડખાં પથારીઓથી દૂર થાય છે, (સૂતા નથી) અને પોતાના પરવરદિગારને ડર અને ઉમ્મીદની હાલતમાં પોકારતા રહે છે; તેમજ અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેમાંથી ઇન્ફાક કરતા રહે છે.
وَ اَمَّا الَّذِیۡنَ فَسَقُوۡا فَمَاۡوٰىہُمُ النَّارُ ؕ کُلَّمَاۤ اَرَادُوۡۤا اَنۡ یَّخۡرُجُوۡا مِنۡہَاۤ اُعِیۡدُوۡا فِیۡہَا وَ قِیۡلَ لَہُمۡ ذُوۡقُوۡا عَذَابَ النَّارِ الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿۲۰﴾
(૨૦) અને જેઓએ નાફરમાની કરી બસ તેમનું ઠેકાણું જહન્નમ છે કે જયારે તેમાંથી નિકળવા ચાહશે ત્યારે તેમાં પલટાવામાં આવશે, તથા કહેવામાં આવશે આગની સજાની મજા ચાખો જેને તમે જૂઠલાવતા હતા.
اَوَ لَمۡ یَہۡدِ لَہُمۡ کَمۡ اَہۡلَکۡنَا مِنۡ قَبۡلِہِمۡ مِّنَ الۡقُرُوۡنِ یَمۡشُوۡنَ فِیۡ مَسٰکِنِہِمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ ؕ اَفَلَا یَسۡمَعُوۡنَ ﴿۲۶﴾
(૨૬) શું તેમની હિદાયત માટે એ કાફી નથી કે અમોએ તેમની પહેલા ઘણી કોમોને હલાક કરી નાખી? કે તેઓ તેમના (વિરાન) રહેઠાણોમાં હરેફરે છે, અને તેમાં નિશાનીઓ છે, શું તેઓ સાંભળતા નથી ?
اَوَ لَمۡ یَرَوۡا اَنَّا نَسُوۡقُ الۡمَآءَ اِلَی الۡاَرۡضِ الۡجُرُزِ فَنُخۡرِجُ بِہٖ زَرۡعًا تَاۡکُلُ مِنۡہُ اَنۡعَامُہُمۡ وَ اَنۡفُسُہُمۡ ؕ اَفَلَا یُبۡصِرُوۡنَ ﴿ؓ۲۷﴾
(૨૭) શું તેઓ નથી જોતા કે અમે પાણીને ઉજ્જડ ઝમીન સુધી પહોંચાડીએ છીએ અને તેના વડે ખેતી પૈદા કરીએ છીએ, જેને તેઓ તથા તેઓના જાનવરો ખાય છે, શું તેઓ જોતા નથી?