Ash-Shura
سورة الشورى
تَکَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرۡنَ مِنۡ فَوۡقِہِنَّ وَ الۡمَلٰٓئِکَۃُ یُسَبِّحُوۡنَ بِحَمۡدِ رَبِّہِمۡ وَ یَسۡتَغۡفِرُوۡنَ لِمَنۡ فِی الۡاَرۡضِ ؕ اَلَاۤ اِنَّ اللّٰہَ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۵﴾
(૫) નજીક છે કે (નાસ્તિકોની જૂઠી નિસ્બતોને કારણે) આસમાનો ઉપરથી ફાટી જાય, અને ફરિશ્તાઓ તેના પરવરદિગારની હમ્દ અને તસ્બીહ કરી રહ્યા છે, તથા જેઓ ઝમીનમાં છે તેમના માટે સતત ઇસ્તગફાર કરે છે. જાણી લો કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَ کَذٰلِکَ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ قُرۡاٰنًا عَرَبِیًّا لِّتُنۡذِرَ اُمَّ الۡقُرٰی وَ مَنۡ حَوۡلَہَا وَ تُنۡذِرَ یَوۡمَ الۡجَمۡعِ لَا رَیۡبَ فِیۡہِ ؕ فَرِیۡقٌ فِی الۡجَنَّۃِ وَ فَرِیۡقٌ فِی السَّعِیۡرِ ﴿۷﴾
(૭) અને અમોએ આ જ રીતે તારી તરફ કુરઆન અરબી (સ્પષ્ટ) વહી કર્યુ, જેથી તમે મક્કા તથા તેના આસપાસ રહેવાવાળાઓને ચેતવો, અને સૌના ભેગા થવાના દિવસથી ચેતવો કે જેમાં કોઇ શક નથી; (તે દિવસે) એક સમૂહ જન્નતમાં છે અને એક જહન્નમમાં છે.
وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَعَلَہُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ لٰکِنۡ یُّدۡخِلُ مَنۡ یَّشَآءُ فِیۡ رَحۡمَتِہٖ ؕ وَ الظّٰلِمُوۡنَ مَا لَہُمۡ مِّنۡ وَّلِیٍّ وَّ لَا نَصِیۡرٍ ﴿۸﴾
(૮) અને અગર ખુદા ચાહત તો સૌને એક ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે પોતાની મહેરબાનીમાં દાખલ કરે છે; અને ઝાલિમોનો ન કોઇ વલી છે અને ન મદદગાર.
وَ مَا اخۡتَلَفۡتُمۡ فِیۡہِ مِنۡ شَیۡءٍ فَحُکۡمُہٗۤ اِلَی اللّٰہِ ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبِّیۡ عَلَیۡہِ تَوَکَّلۡتُ ٭ۖ وَ اِلَیۡہِ اُنِیۡبُ ﴿۱۰﴾
(૧૦) અને જે કોઇ બાબતમાં તમે ઇખ્તેલાફ કરો (કહે કે) તેના ફેંસલાનો હક અલ્લાહ પાસે છે; એ જ અલ્લાહ મારો પરવરદિગાર છે અને તેના ઉપર જ હું આધાર રાખું છું, અને તેની જ તરફ હું રજૂ થાઉં છું.
فَاطِرُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ جَعَلَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا وَّ مِنَ الۡاَنۡعَامِ اَزۡوَاجًا ۚ یَذۡرَؤُکُمۡ فِیۡہِ ؕ لَیۡسَ کَمِثۡلِہٖ شَیۡءٌ ۚ وَ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ ﴿۱۱﴾
(૧૧) તે આસમાનો અને ઝમીનનો પેદા કરનાર છે, તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા, અને જાનવરોમાંથી જોડા બનાવ્યા (આ રીતે) તમને દુનિયામાં ફેલાવે છે. તેના જેવી કોઇ ચીઝ નથી અને તે (સૌને) સાંભળનાર અને (દરેક વસ્તુનો) જોનાર છે.
شَرَعَ لَکُمۡ مِّنَ الدِّیۡنِ مَا وَصّٰی بِہٖ نُوۡحًا وَّ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ وَ مَا وَصَّیۡنَا بِہٖۤ اِبۡرٰہِیۡمَ وَ مُوۡسٰی وَ عِیۡسٰۤی اَنۡ اَقِیۡمُوا الدِّیۡنَ وَ لَا تَتَفَرَّقُوۡا فِیۡہِ ؕ کَبُرَ عَلَی الۡمُشۡرِکِیۡنَ مَا تَدۡعُوۡہُمۡ اِلَیۡہِ ؕ اَللّٰہُ یَجۡتَبِیۡۤ اِلَیۡہِ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡۤ اِلَیۡہِ مَنۡ یُّنِیۡبُ ﴿۱۳﴾
(૧૩) તેણે તમારા માટે નૂહનો સિફારિશ કરેલ દીન નક્કી કર્યો કે જેની વહી તમને કરી અને જેની ઇબ્રાહીમ તથા મૂસા તથા ઇસાને સિફારિશ કરી કે દીનને કાયમ કરો અને તેમાં ભાગલા ન પાડો, મુશરિકો ઉપર આ બાબત ભારે છે જેના તરફ તેઓને તું દાવત આપે છો. અલ્લાહ જેને ચાહે છે ચૂંટે છે અને જે તેની તરફ રજૂ થાય છે તેની હિદાયત કરે છે.
وَ مَا تَفَرَّقُوۡۤا اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡعِلۡمُ بَغۡیًۢا بَیۡنَہُمۡ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی لَّقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّ الَّذِیۡنَ اُوۡرِثُوا الۡکِتٰبَ مِنۡۢ بَعۡدِہِمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۱۴﴾
(૧૪) અને તેઓ એક બીજાથી ભાગલાઓમાં વહેંચાય ન ગયા સિવાય કે ઇલ્મ આવ્યા પછી આ પણ આપસમાં એકબીજા પર ઝુલ્મના કારણે હતું અને અગર પરવરદિગાર તરફથી (મોહલતનુ) ફરમાન જારી ન થયુ હોત તો તેઓ દરમ્યાન ફેંસલો થઇ જાત અને બેશક જેઓ તેમના પછી કિતાબના વારસદાર થયા તેઓ તેના બારામાં બદગુમાની ભરેલી શંકામાં પડેલા છે.
فَلِذٰلِکَ فَادۡعُ ۚ وَ اسۡتَقِمۡ کَمَاۤ اُمِرۡتَ ۚ وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَہُمۡ ۚ وَ قُلۡ اٰمَنۡتُ بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنۡ کِتٰبٍ ۚ وَ اُمِرۡتُ لِاَعۡدِلَ بَیۡنَکُمۡ ؕ اَللّٰہُ رَبُّنَا وَ رَبُّکُمۡ ؕ لَنَاۤ اَعۡمَالُنَا وَ لَکُمۡ اَعۡمَالُکُمۡ ؕ لَا حُجَّۃَ بَیۡنَنَا وَ بَیۡنَکُمۡ ؕ اَللّٰہُ یَجۡمَعُ بَیۡنَنَا ۚ وَ اِلَیۡہِ الۡمَصِیۡرُ ﴿ؕ۱۵﴾
(૧૫) તેથી તું તેના તરફ દાવત દે, અને એ રીતે મક્કમતાથી કામ લે જે રીતે તને હુકમ આપવામાં આવ્યો છે, અને તેમની ખ્વાહીશાતોની તાબેદારી ન કર અને કહે મારૂં ઇમાન દરેક તે કિતાબ પર છે, જેને અલ્લાહે નાઝિલ કરેલ છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે તમારા વચ્ચે ઇન્સાફ કરૂં; અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, અમારા આમાલનુ પરિણામ અમારા માટે છે અને તમારા આમાલનુ પરિણામ તમારા માટે છે. અમારી અને તમારી વચ્ચે કોઇ બહેસ નથી, અલ્લાહ આપણને સૌને ભેગા કરશે, અને તેની જ તરફ પાછું ફરવાનું છે.
وَ الَّذِیۡنَ یُحَآجُّوۡنَ فِی اللّٰہِ مِنۡۢ بَعۡدِ مَا اسۡتُجِیۡبَ لَہٗ حُجَّتُہُمۡ دَاحِضَۃٌ عِنۡدَ رَبِّہِمۡ وَ عَلَیۡہِمۡ غَضَبٌ وَّ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌ ﴿۱۶﴾
(૧૬) અને જેઓ અલ્લાહને માન્ય રાખ્યા બાદ તેના બારામાં વાદ-વિવાદ કરે છે તેમની દલીલ અલ્લાહ પાસે રદબાતલ છે, અને તેમના ઉપર ગઝબ છે, અને તેમના માટે સખ્ત અઝાબ છે.
یَسۡتَعۡجِلُ بِہَا الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِہَا ۚ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا مُشۡفِقُوۡنَ مِنۡہَا ۙ وَ یَعۡلَمُوۡنَ اَنَّہَا الۡحَقُّ ؕ اَلَاۤ اِنَّ الَّذِیۡنَ یُمَارُوۡنَ فِی السَّاعَۃِ لَفِیۡ ضَلٰلٍۭ بَعِیۡدٍ ﴿۱۸﴾
(૧૮) તેના પર ઇમાન ન લાવનારાઓ ઊતાવળ કરે છે, પરંતુ ઇમાનવાળાઓ તેનાથી ડરતા રહે છે, અને જાણે છે કે તે હક છે; જાણી લો કે જેઓ (કયામતની) ઘડીના બારામાં શક કરે છે તેઓ ગુમરાહીમાં ખૂબ દૂર છે.
مَنۡ کَانَ یُرِیۡدُ حَرۡثَ الۡاٰخِرَۃِ نَزِدۡ لَہٗ فِیۡ حَرۡثِہٖ ۚ وَ مَنۡ کَانَ یُرِیۡدُ حَرۡثَ الدُّنۡیَا نُؤۡتِہٖ مِنۡہَا وَ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ نَّصِیۡبٍ ﴿۲۰﴾
(૨૦) જે આખેરતની ખેતી ચાહે છે અમે તેના માટે ખેતીમાં વધારો આપીએ છીએ, તથા જે દુનિયાની ખેતીનો તલબગાર છે તેને અમે તેમાંથી થોડુક આપીએ છીએ અને આખેરતમાં તેનો કંઇપણ હિસ્સો નથી.
اَمۡ لَہُمۡ شُرَکٰٓؤُا شَرَعُوۡا لَہُمۡ مِّنَ الدِّیۡنِ مَا لَمۡ یَاۡذَنۡۢ بِہِ اللّٰہُ ؕ وَ لَوۡ لَا کَلِمَۃُ الۡفَصۡلِ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّ الظّٰلِمِیۡنَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۲۱﴾
(૨૧) શું તેઓના એવા શરીકો છે કે જેમણે અલ્લાહની રજા વગર દીનની શરીઅત નક્કી કરી લીધેલ છે?! અને અગર ફેસલા(ની મોહલત)નો વાયદો ન થયો હોત તો તેમના વચ્ચે ફેસલો થઇ જાત; અને બેશક ઝાલિમો માટે દર્દનાક અઝાબ છે.
تَرَی الظّٰلِمِیۡنَ مُشۡفِقِیۡنَ مِمَّا کَسَبُوۡا وَ ہُوَ وَاقِعٌۢ بِہِمۡ ؕ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیۡ رَوۡضٰتِ الۡجَنّٰتِ ۚ لَہُمۡ مَّا یَشَآءُوۡنَ عِنۡدَ رَبِّہِمۡ ؕ ذٰلِکَ ہُوَ الۡفَضۡلُ الۡکَبِیۡرُ ﴿۲۲﴾
(૨૨) તું નિહાળીશ કે ઝાલિમો પોતાના આમાલ(ના અંજામ)થી ડરે છે, પરંતુ તે (અંજામ) તેઓને ઘેરી લેશે! અને જેઓ ઇમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા, તેઓ જન્નતના બગીચાઓમાં છે, અને જે કંઇ ચાહશે તેમના માટે પરવરદિગારની પાસે છે; અને તે પરવરદિગારનો મોટો ફઝલ છે.
ذٰلِکَ الَّذِیۡ یُبَشِّرُ اللّٰہُ عِبَادَہُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ قُلۡ لَّاۤ اَسۡـَٔلُکُمۡ عَلَیۡہِ اَجۡرًا اِلَّا الۡمَوَدَّۃَ فِی الۡقُرۡبٰی ؕ وَ مَنۡ یَّقۡتَرِفۡ حَسَنَۃً نَّزِدۡ لَہٗ فِیۡہَا حُسۡنًا ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ شَکُوۡرٌ ﴿۲۳﴾
(૨૩) આ તે છે કે જેની ખુશખબરી પરવરદિગાર -તેના ઇમાન લાવેલા નેક આમાલ કરનાર- બંદાઓને આપે છે, કહે કે હું તમારાથી આ (રિસાલત)ના બદલે કંઇપણ અજ્ર માંગતો નથી સિવાય કે મારા કરાબતદારો (નજીકના સગાવ્હાલાઓ) સાથે મોહબ્બત રાખો, અને જે કોઇ નેકી કરશે, અમે તેની નેકીમાં વધારો કરશું; બેશક અલ્લાહ માફ કરનાર અને કદર કરનાર છે.
اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا ۚ فَاِنۡ یَّشَاِ اللّٰہُ یَخۡتِمۡ عَلٰی قَلۡبِکَ ؕ وَ یَمۡحُ اللّٰہُ الۡبَاطِلَ وَ یُحِقُّ الۡحَقَّ بِکَلِمٰتِہٖ ؕ اِنَّہٗ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۲۴﴾
(૨૪) શું તેઓ એમ કહે છે કે તે (પયગંબર) અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે?! જો અલ્લાહ ચાહે તો તારા દિલ પર મહોર મારી દે; અને અલ્લાહ બાતિલને નાબૂદ કરે છે અને હકને પોતાના કલેમાત થકી કાયમ કરે છે; બેશક તે દિલોના રાઝનો જાણનાર છે.
وَ لَوۡ بَسَطَ اللّٰہُ الرِّزۡقَ لِعِبَادِہٖ لَبَغَوۡا فِی الۡاَرۡضِ وَ لٰکِنۡ یُّنَزِّلُ بِقَدَرٍ مَّا یَشَآءُ ؕ اِنَّہٗ بِعِبَادِہٖ خَبِیۡرٌۢ بَصِیۡرٌ ﴿۲۷﴾
(૨૭) અને અગર અલ્લાહ તેના બંદાઓની રોઝી વિશાળ કરી દેતે તો તેઓ ઝમીનમાં જરૂર બગાવત કરતા, પરંતુ તે તેની ઇચ્છા / મસ્લેહત પ્રમાણે પ્રમાણસર નાઝિલ કરે છે, બેશક તે પોતાના બંદાઓને જાણનાર અને જોનાર છે.
فَمَاۤ اُوۡتِیۡتُمۡ مِّنۡ شَیۡءٍ فَمَتَاعُ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ مَا عِنۡدَ اللّٰہِ خَیۡرٌ وَّ اَبۡقٰی لِلَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَلٰی رَبِّہِمۡ یَتَوَکَّلُوۡنَ ﴿ۚ۳۶﴾
(૩૬) અને તમને જે કાંઇ પણ આપવામાં આવ્યું છે તે દુન્યાવી ઝિંદગીનો સામાન છે, અને જે કાંઇ અલ્લાહ પાસે છે તે એ લોકો માટે બહેતર અને બાકી રહેનાર છે જેઓ ઇમાન લાવ્યા અને પોતાના પરવરદિગાર ઉપર આધાર રાખે છે.
وَ الَّذِیۡنَ اسۡتَجَابُوۡا لِرَبِّہِمۡ وَ اَقَامُوا الصَّلٰوۃَ ۪ وَ اَمۡرُہُمۡ شُوۡرٰی بَیۡنَہُمۡ ۪ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿ۚ۳۸﴾
(૩૮) અને જેઓ પોતાના પરવરદિગારની દાવત કબૂલ કરે છે તથા નમાઝ કાયમ કરે છે, તથા તેઓના કામો સલાહ-મશવેરાથી થાય છે, અને અમોએ તેમને જે રીઝ્ક આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરે છે.
وَ مَنۡ یُّضۡلِلِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ وَّلِیٍّ مِّنۡۢ بَعۡدِہٖ ؕ وَ تَرَی الظّٰلِمِیۡنَ لَمَّا رَاَوُا الۡعَذَابَ یَقُوۡلُوۡنَ ہَلۡ اِلٰی مَرَدٍّ مِّنۡ سَبِیۡلٍ ﴿ۚ۴۴﴾
(૪૪) અને જેને અલ્લાહ (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે તે પછી તેના માટે કોઇ વલી નથી અને તમે જોશો કે જ્યારે ઝાલિમો અઝાબ જોશે ત્યારે કહેશે કે શું પાછા ફરવા માટે કોઇ રસ્તો છે ?
وَ تَرٰىہُمۡ یُعۡرَضُوۡنَ عَلَیۡہَا خٰشِعِیۡنَ مِنَ الذُّلِّ یَنۡظُرُوۡنَ مِنۡ طَرۡفٍ خَفِیٍّ ؕ وَ قَالَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ الۡخٰسِرِیۡنَ الَّذِیۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَہُمۡ وَ اَہۡلِیۡہِمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اَلَاۤ اِنَّ الظّٰلِمِیۡنَ فِیۡ عَذَابٍ مُّقِیۡمٍ ﴿۴۵﴾
(૪૫) અને તું તેઓને જોઇશ કે તેઓને આગ સામે રજૂ કરવામાં આવશે એવી હાલતમાં કે નામોશીને લીધે તેમના માથા નમેલા છે, અને તેઓ ત્રાંસી આંખોથી જોવે છે, અને ઇમાનવાળાઓ કહેશે, હકીકતમાં નુકસાન ઉપાડનાર તેઓ જ છે કે જેઓ અને જેઓના ઘરવાળાઓ કયામતના દિવસે નુકસાન ઉપાડે, જાણી લો કે ઝાલિમો હંમેશા અઝાબમાં રહેશે.
اِسۡتَجِیۡبُوۡا لِرَبِّکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا مَرَدَّ لَہٗ مِنَ اللّٰہِ ؕ مَا لَکُمۡ مِّنۡ مَّلۡجَاٍ یَّوۡمَئِذٍ وَّ مَا لَکُمۡ مِّنۡ نَّکِیۡرٍ ﴿۴۷﴾
(૪૭) તમે લોકો તમારા પરવરદિગારની દાવતને કબૂલ કરો તે પહેલા કે તે દિવસ આવી જાય જે અલ્લાહ તરફથી પાછો ફરનાર નથી, અને તે દિવસે તમારા માટે ન કોઇ પનાહગાહ છે અને ન બચાવનાર છે.
فَاِنۡ اَعۡرَضُوۡا فَمَاۤ اَرۡسَلۡنٰکَ عَلَیۡہِمۡ حَفِیۡظًا ؕ اِنۡ عَلَیۡکَ اِلَّا الۡبَلٰغُ ؕ وَ اِنَّاۤ اِذَاۤ اَذَقۡنَا الۡاِنۡسَانَ مِنَّا رَحۡمَۃً فَرِحَ بِہَا ۚ وَ اِنۡ تُصِبۡہُمۡ سَیِّئَۃٌۢ بِمَا قَدَّمَتۡ اَیۡدِیۡہِمۡ فَاِنَّ الۡاِنۡسَانَ کَفُوۡرٌ ﴿۴۸﴾
(૪૮) અને જો તેઓ મોઢુ ફેરવે તો (દુ:ખી ન થા કારણકે) અમોએ તને તેમની દેખરેખ માટે નથી મોકલ્યો, તમારી જવાબદારી ફકત પયગામ પહોંચાડવાની છે, અને અમે જયારે ઇન્સાનને અમારી રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થઇ જાય છે અને તેનાથી જો તેના આમાલના લીધે તેના સુધી કોઇ બલા પહોંચે (તો નાશુક્રી કરે છે) કારણકે ઇન્સાન ખૂબ જ નાશુક્રો છે.
وَ مَا کَانَ لِبَشَرٍ اَنۡ یُّکَلِّمَہُ اللّٰہُ اِلَّا وَحۡیًا اَوۡ مِنۡ وَّرَآیِٔ حِجَابٍ اَوۡ یُرۡسِلَ رَسُوۡلًا فَیُوۡحِیَ بِاِذۡنِہٖ مَا یَشَآءُ ؕ اِنَّہٗ عَلِیٌّ حَکِیۡمٌ ﴿۵۱﴾
(૫૧) અને કોઇ ઇન્સાન માટે એ સઝાવાર નથી કે અલ્લાહ તેની સાથે વાત કરે, સિવાય કે વહી થકી અથવા પડદા પાછળથી અથવા રસૂલ (ફરિશ્તા)ને મોકલે છે અને જે ચાહે તે વહી કરે છે કારણકે તે બુલંદ મરતબા અને હિકમતવાળો છે.
وَ کَذٰلِکَ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ رُوۡحًا مِّنۡ اَمۡرِنَا ؕ مَا کُنۡتَ تَدۡرِیۡ مَا الۡکِتٰبُ وَ لَا الۡاِیۡمَانُ وَ لٰکِنۡ جَعَلۡنٰہُ نُوۡرًا نَّہۡدِیۡ بِہٖ مَنۡ نَّشَآءُ مِنۡ عِبَادِنَا ؕ وَ اِنَّکَ لَتَہۡدِیۡۤ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿ۙ۵۲﴾
(૫૨) અને એ જ રીતે અમોએ તારી તરફ વહી કરી, આની પહેલા તને ખબર ન હતી કે કિતાબ શું છે અને ઇમાન કોને કહેવાય, પરંતુ અમોએ તે (કુરઆન)ને એક નૂર બનાવ્યું કે જેના થકી અમારા બંદાઓમાંથી જેની ચાહીએ તેની હિદાયત કરીએ છીએ; અને બેશક તું સીધા રસ્તાની હિદાયત કરે છો.