Sad
سورة ص
اِذۡ دَخَلُوۡا عَلٰی دَاوٗدَ فَفَزِعَ مِنۡہُمۡ قَالُوۡا لَا تَخَفۡ ۚ خَصۡمٰنِ بَغٰی بَعۡضُنَا عَلٰی بَعۡضٍ فَاحۡکُمۡ بَیۡنَنَا بِالۡحَقِّ وَ لَا تُشۡطِطۡ وَ اہۡدِنَاۤ اِلٰی سَوَآءِ الصِّرَاطِ ﴿۲۲﴾
(૨૨) જયારે તેઓ દાવૂદ પાસે હાજર થયા ત્યારે તેઓથી ખૌફઝદા (ભયભિત) થયા. (જેથી) તેમણે કહ્યું કે (અય દાવૂદ!) ડર નહી; અમે બંને પક્ષકારો છીએ, અમારામાંથી એકે બીજા ઉપર ઝુલ્મ કર્યો છે, અત્યારે તું અમારી વચ્ચે હક સાથે ફેંસલો કર, અને (તેમ કરવામાં) કોઇ પ્રકારની નાઇન્સાફી ન કર, અને અમને સીધા રસ્તાની હિદાયત કર.
قَالَ لَقَدۡ ظَلَمَکَ بِسُؤَالِ نَعۡجَتِکَ اِلٰی نِعَاجِہٖ ؕ وَ اِنَّ کَثِیۡرًا مِّنَ الۡخُلَطَآءِ لَیَبۡغِیۡ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ قَلِیۡلٌ مَّا ہُمۡ ؕ وَ ظَنَّ دَاوٗدُ اَنَّمَا فَتَنّٰہُ فَاسۡتَغۡفَرَ رَبَّہٗ وَ خَرَّ رَاکِعًا وَّ اَنَابَ ﴿ٛ۲۴﴾
(૨૪) (દાવૂદે) કહ્યું તેણે પોતાની ઘેંટીઓ ઉપરાંત તારી ઘેંટી માંગીને તારા પર ઝુલ્મ કર્યો છે, અને ઘણાં ભાગીદારો એક બીજા ઉપર ઝુલ્મ કરે છે, સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા પરંતુ તેઓ ઘણાં ઓછા છે અને દાવૂદે જાણ્યુ કે અમોએ તેની અજમાઇશ કરી છે તેથી તેણે પોતાના પરવરદિગાર પાસે માફી માંગી અને સિજદામાં પડી ગયા, અને તોબા કરી.
یٰدَاوٗدُ اِنَّا جَعَلۡنٰکَ خَلِیۡفَۃً فِی الۡاَرۡضِ فَاحۡکُمۡ بَیۡنَ النَّاسِ بِالۡحَقِّ وَ لَا تَتَّبِعِ الۡہَوٰی فَیُضِلَّکَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ اِنَّ الَّذِیۡنَ یَضِلُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ لَہُمۡ عَذَابٌ شَدِیۡدٌۢ بِمَا نَسُوۡا یَوۡمَ الۡحِسَابِ ﴿٪۲۶﴾
(૨૬) અય દાવૂદ અમોએ તને ઝમીનમાં અમારો ખલીફા બનાવ્યો, તેથી લોકો વચ્ચે ઇન્સાફથી ફેસલો કરો, અને (અયોગ્ય) ઇચ્છાની પૈરવી ન કરો, કે તને રાહે ખુદાથી ગુમરાહ કરી નાખે હકીકતમાં હિસાબનો દિવસ ભૂલવાને કારણે અલ્લાહના રસ્તેથી ગુમરાહ થનાર માટે સખ્ત અઝાબ છે.
وَ مَا خَلَقۡنَا السَّمَآءَ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا بَاطِلًا ؕ ذٰلِکَ ظَنُّ الَّذِیۡنَ کَفَرُوۡا ۚ فَوَیۡلٌ لِّلَّذِیۡنَ کَفَرُوۡا مِنَ النَّارِ ﴿ؕ۲۷﴾
(૨૭) અને અમે આસમાન તથા ઝમીન અને તે બંને વચ્ચે જે કાંઇ છે તેને બેકાર નથી પેદા કર્યા, આ ફકત નાસ્તિકોનુ ગુમાન છે. અફસોસ નાસ્તિકો ઉપર આગ માટે.