An-Nahl
سورة النحل
یُنَزِّلُ الۡمَلٰٓئِکَۃَ بِالرُّوۡحِ مِنۡ اَمۡرِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖۤ اَنۡ اَنۡذِرُوۡۤا اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّاۤ اَنَا فَاتَّقُوۡنِ ﴿۲﴾
(૨) ફરિશ્તાઓને રૂહ સાથે તેના હુકમથી પોતાના બંદાઓમાંથી જેના ઉપર ચાહે તેના ઉપર નાઝિલ કરે છે કે લોકોને ચેતવણી આપો કે મારા સિવાય બીજો કોઇ માઅબૂદ નથી, માટે મારાથી / મારી નાફરમાનીથી બચતા રહો.
یُنۡۢبِتُ لَکُمۡ بِہِ الزَّرۡعَ وَ الزَّیۡتُوۡنَ وَ النَّخِیۡلَ وَ الۡاَعۡنَابَ وَ مِنۡ کُلِّ الثَّمَرٰتِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۱۱﴾
(૧૧) (વળી) એના (પાણી) વડે તે તમારા માટે ખેતી ઉગાડે છે, અને ઝયતુન તથા ખજૂરના વૃક્ષો અને દ્રાક્ષ તથા દરેક પ્રકારના ફળો પણ; બેશક વિચાર કરનારાઓ માટે તેમાં નિશાની મોજૂદ છે.
وَ سَخَّرَ لَکُمُ الَّیۡلَ وَ النَّہَارَ ۙ وَ الشَّمۡسَ وَ الۡقَمَرَ ؕ وَ النُّجُوۡمُ مُسَخَّرٰتٌۢ بِاَمۡرِہٖ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿ۙ۱۲﴾
(૧૨) અને તેણે રાત તથા દિવસને તથા સૂરજ તથા ચાંદને તમારા તાબે કરી દીધાં; અને સિતારાઓને પણ તેના જ હુકમથી તમારા તાબે કરી દેવામાં આવ્યા; બેશક તેમાં વિચાર કરનારાઓ માટે નિશાનીઓ છે:
وَ ہُوَ الَّذِیۡ سَخَّرَ الۡبَحۡرَ لِتَاۡکُلُوۡا مِنۡہُ لَحۡمًا طَرِیًّا وَّ تَسۡتَخۡرِجُوۡا مِنۡہُ حِلۡیَۃً تَلۡبَسُوۡنَہَا ۚ وَ تَرَی الۡفُلۡکَ مَوَاخِرَ فِیۡہِ وَ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۱۴﴾
(૧૪) અને તેણે જ સમુદ્રને તમારા તાબે કરી દીધો કે જેથી તેમાંથી તાજુ ગોશ્ત ખાઓ, તેમજ પહેરવા માટે ઘરેણા કાઢો, તમે તેમાં પાણીને ચીરીને પસાર થતી કશ્તીઓને જોવ છો કે (જેના થકી) તેના ફઝલ (રોઝી)ને શોધો, અને કદાચને તમે શુક્રગુઝાર બનો.
لِیَحۡمِلُوۡۤا اَوۡزَارَہُمۡ کَامِلَۃً یَّوۡمَ الۡقِیٰمَۃِ ۙ وَ مِنۡ اَوۡزَارِ الَّذِیۡنَ یُضِلُّوۡنَہُمۡ بِغَیۡرِ عِلۡمٍ ؕ اَلَا سَآءَ مَا یَزِرُوۡنَ ﴿٪۲۵﴾
(૨૫) જેથી કયામતના દિવસે તેઓ પોતાનો પૂરેપૂરો બોજો ઊંચકે અને તેમનો બોજો પણ કે જેમને તેઓ ઇલ્મ વગર ગુમરાહ કરે છે. જાણી લો કે કેટલો ખરાબ ભાર છે જે તેઓ ઊંચકશે!
قَدۡ مَکَرَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَاَتَی اللّٰہُ بُنۡیَانَہُمۡ مِّنَ الۡقَوَاعِدِ فَخَرَّ عَلَیۡہِمُ السَّقۡفُ مِنۡ فَوۡقِہِمۡ وَ اَتٰىہُمُ الۡعَذَابُ مِنۡ حَیۡثُ لَا یَشۡعُرُوۡنَ ﴿۲۶﴾
(૨૬) બેશક તેમની અગાઉના લોકો પણ ચાલ ચાલતા હતા, પછી અલ્લાહે તેમને જડમૂળમાંથી ઉખેડી નાખ્યા, જેથી તેઓ ઉપર છત તૂટી પડી અને તેમના ઉપર એવી જગ્યાથી અઝાબ આવ્યો કે જેનું તેઓને ગુમાન ન હતુ.
ثُمَّ یَوۡمَ الۡقِیٰمَۃِ یُخۡزِیۡہِمۡ وَ یَقُوۡلُ اَیۡنَ شُرَکَآءِیَ الَّذِیۡنَ کُنۡتُمۡ تُشَآقُّوۡنَ فِیۡہِمۡ ؕ قَالَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ اِنَّ الۡخِزۡیَ الۡیَوۡمَ وَ السُّوۡٓءَ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿ۙ۲۷﴾
(૨૭) પછી કયામતના દિવસે તે (અલ્લાહ) તેઓને ઝલીલ કરશે અને કહેશે: મારા તે ભાગીદારો કયાં છે કે જેમના માટે તમોએ (મોઅમીનોથી) દુશ્મની કરતા હતા, જેમને ઇલ્મ આપવામાં આવ્યુ હશે તેઓ કહેશે: બેશક આજના દિવસે ઝિલ્લત તથા બદબખ્તી ઇન્કાર કરનારાઓ ઉપર છે:
الَّذِیۡنَ تَتَوَفّٰىہُمُ الۡمَلٰٓئِکَۃُ ظَالِمِیۡۤ اَنۡفُسِہِمۡ ۪ فَاَلۡقَوُا السَّلَمَ مَا کُنَّا نَعۡمَلُ مِنۡ سُوۡٓءٍ ؕ بَلٰۤی اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۲۸﴾
(૨૮) ફરિશ્તાઓ રૂહ કબ્ઝ કરશે ત્યારે પોતાના ઉપર ઝુલ્મ કરનારાઓ તસ્લીમ થઇને (કહેશે) અમો કોઇ બૂરાઇ કરતા ન હતા. (ફરિશ્તાઓ કહેશે) હા, બેશક તમે જે કાંઇ કરતા હતા અલ્લાહ જાણે છે.
وَ قِیۡلَ لِلَّذِیۡنَ اتَّقَوۡا مَاذَاۤ اَنۡزَلَ رَبُّکُمۡ ؕ قَالُوۡا خَیۡرًا ؕ لِلَّذِیۡنَ اَحۡسَنُوۡا فِیۡ ہٰذِہِ الدُّنۡیَا حَسَنَۃٌ ؕ وَ لَدَارُ الۡاٰخِرَۃِ خَیۡرٌ ؕ وَ لَنِعۡمَ دَارُ الۡمُتَّقِیۡنَ ﴿ۙ۳۰﴾
(૩૦) અને જેઓ પરહેઝગાર છે તેમને કહેવામાં આવશે કે તમારા પરવરદિગારે શું નાઝિલ કર્યુ ? ત્યારે તેઓ કહેશે કે ભલાઇ; જેઓ નેકી કરી, તેમના માટે આ દુનિયામાં ભલાઇ છે; અને ખરેજ આખેરતનું ઘર બહેતર છે; અને કેવુ બહેતર ઘર છે પરહેઝગારો માટે!
جَنّٰتُ عَدۡنٍ یَّدۡخُلُوۡنَہَا تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ لَہُمۡ فِیۡہَا مَا یَشَآءُوۡنَ ؕ کَذٰلِکَ یَجۡزِی اللّٰہُ الۡمُتَّقِیۡنَ ﴿ۙ۳۱﴾
(૩૧) હંમેશાની જન્નતો જેમાં તેઓ દાખલ થશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તેમાં તેઓ જે કાંઇ તમન્ના કરે તે તેમના માટે (મોજૂદ) છે; પરહેઝગારોને અલ્લાહ આ રીતે જઝા આપે છે.
ہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِیَہُمُ الۡمَلٰٓئِکَۃُ اَوۡ یَاۡتِیَ اَمۡرُ رَبِّکَ ؕ کَذٰلِکَ فَعَلَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ وَ مَا ظَلَمَہُمُ اللّٰہُ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۳۳﴾
(૩૩) શું તેઓ તેની રાહ જૂએ છે કે ફરિશ્તાઓ તેમની પાસે આવે અથવા તારા પરવરદિગારનો હુકમ આવી પહોંચે જેવી રીતે તેઓની અગાઉના લોકોએ પણ કર્યુ; અને અલ્લાહે તેમની સાથે ઝુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતેજ પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.
وَ قَالَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا لَوۡ شَآءَ اللّٰہُ مَا عَبَدۡنَا مِنۡ دُوۡنِہٖ مِنۡ شَیۡءٍ نَّحۡنُ وَ لَاۤ اٰبَآؤُنَا وَ لَا حَرَّمۡنَا مِنۡ دُوۡنِہٖ مِنۡ شَیۡءٍ ؕ کَذٰلِکَ فَعَلَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ۚ فَہَلۡ عَلَی الرُّسُلِ اِلَّا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۳۵﴾
(૩૫) અને જે લોકો શિર્ક કરે છે તેઓ કહે છે કે અગર અલ્લાહ ચાહતે તો અમે અને અમારા બાપદાદાઓ તેના સિવાય બીજાની ઇબાદત કરતે નહિ, અને ન તેના હુકમ વિના અમે કોઇ વસ્તુને હરામ ઠરાવતે; એવું જ તેઆની અગાઉના લોકોએ કર્યુ, પરંતુ શું રસૂલોને માથે ખુલ્લો પયગામ પહોંચાડી દેવા સિવાય બીજુ કાંઇ છે ?
وَ لَقَدۡ بَعَثۡنَا فِیۡ کُلِّ اُمَّۃٍ رَّسُوۡلًا اَنِ اعۡبُدُوا اللّٰہَ وَ اجۡتَنِبُوا الطَّاغُوۡتَ ۚ فَمِنۡہُمۡ مَّنۡ ہَدَی اللّٰہُ وَ مِنۡہُمۡ مَّنۡ حَقَّتۡ عَلَیۡہِ الضَّلٰلَۃُ ؕ فَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَانۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُکَذِّبِیۡنَ ﴿۳۶﴾
(૩૬) અને ખરેજ અમોએ દરેક ઉમ્મતમાં રસૂલ મોકલ્યા જેથી અલ્લાહની ઇબાદત કરો અને તાગૂતો (જૂઠા માઅબૂદો)થી પરહેઝ કરો. પછી તેઓમાંથી અમુક લોકોની અલ્લાહે હિદાયત કરી અને અમુક લોકોની ગુમરાહી સાબિત થઇ ગઇ; માટે તમે ઝમીનમાં હરો ફરો, પછી જૂઓ કે જૂઠલાવનારા-ઓનું પરિણામ કેવું હતું ?
وَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ ۙ لَا یَبۡعَثُ اللّٰہُ مَنۡ یَّمُوۡتُ ؕ بَلٰی وَعۡدًا عَلَیۡہِ حَقًّا وَّ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿ۙ۳۸﴾
(૩૮) અને તેઓ (નાસ્તિકો) અલ્લાહની સખત કસમ ખાઇ છે કે જે મરી જશે તેને અલ્લાહ ઉઠાવશે નહિ; હા, તે (અલ્લાહ)નો સાચો-પાકો વાયદો છે. પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:
وَ الَّذِیۡنَ ہَاجَرُوۡا فِی اللّٰہِ مِنۡۢ بَعۡدِ مَا ظُلِمُوۡا لَـنُبَوِّئَنَّہُمۡ فِی الدُّنۡیَا حَسَنَۃً ؕ وَ لَاَجۡرُ الۡاٰخِرَۃِ اَکۡبَرُ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿ۙ۴۱﴾
(૪૧) અને જેઓ પર ઝુલ્મ થયા બાદ અલ્લાહની રાહમાં હિજરત કરી તેમને અમે દુનિયામાં ખરેખર સારૂં (સ્થાન) આપીશું; અને આખેરતનો બદલો ઘણો મોટો હશે, અગર તેઓ જાણતા હોત;
بِالۡبَیِّنٰتِ وَ الزُّبُرِ ؕ وَ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ الذِّکۡرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیۡہِمۡ وَ لَعَلَّہُمۡ یَتَفَکَّرُوۡنَ ﴿۴۴﴾
(૪૪) અને અમે (અગાઉ) રોશન દલીલો અને કિતાબો (મોકલાવી) અને તારા પર ઝિક્રને નાઝિલ કર્યુ. એ માટે કે તેઓ તરફ જે નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો માટે વાઝેહ કરી દે, કદાચને તેઓ મનન કરે.
اَفَاَمِنَ الَّذِیۡنَ مَکَرُوا السَّیِّاٰتِ اَنۡ یَّخۡسِفَ اللّٰہُ بِہِمُ الۡاَرۡضَ اَوۡ یَاۡتِیَہُمُ الۡعَذَابُ مِنۡ حَیۡثُ لَا یَشۡعُرُوۡنَ ﴿ۙ۴۵﴾
(૪૫) જેઓ બૂરી ચાલ ચાલે છે તેઓ શું એ વાતથી સલામત છે કે અલ્લાહ તેમને ઝમીનમાં સમાવી દે અથવા તેઓ ઉપર એવી જગ્યાએથી અઝાબ આવી પડે કે જ્યાંથી તેઓને ગુમાન ન હોય.
یَتَوَارٰی مِنَ الۡقَوۡمِ مِنۡ سُوۡٓءِ مَا بُشِّرَ بِہٖ ؕ اَیُمۡسِکُہٗ عَلٰی ہُوۡنٍ اَمۡ یَدُسُّہٗ فِی التُّرَابِ ؕ اَلَا سَآءَ مَا یَحۡکُمُوۡنَ ﴿۵۹﴾
(૫૯) (અને) જે વાતની ખુશખબરી તેને આપવામાં આવી હતી તેને બૂરી ખબર માનીને લોકોથી સંતાતો ફરે છે (અને વિચારે છે) કે ઝિલ્લત સાથે તેણીને રહેવા દેવી કે જીવતી જ માટીમાં દફનાવી દેવી? જાણી લો કે તે ખરાબ ફેસલો કરે છે.
وَ لَوۡ یُؤَاخِذُ اللّٰہُ النَّاسَ بِظُلۡمِہِمۡ مَّا تَرَکَ عَلَیۡہَا مِنۡ دَآبَّۃٍ وَّ لٰکِنۡ یُّؤَخِّرُہُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ۚ فَاِذَا جَآءَ اَجَلُہُمۡ لَا یَسۡتَاۡخِرُوۡنَ سَاعَۃً وَّ لَا یَسۡتَقۡدِمُوۡنَ ﴿۶۱﴾
(૬૧) અને અગર અલ્લાહ લોકોના ઝુલ્મના કારણે તેમને પકડેત તો આ (ઝમીન)ના ઉપર કોઇ (જીવ)ને પણ છોડતે નહિં, પરંતુ તે એક નક્કી કરેલ સમય સુધી તેમનાથી (અઝાબ) મુલતવી રાખેલ છે, પછી જયારે તેમનો સમય આવી જશે ત્યારે તેઓ તેમાં ન ઘડીભર મોડુ કરશે અને ન ઘડીભર વહેલુ કરશે.
وَ یَجۡعَلُوۡنَ لِلّٰہِ مَا یَکۡرَہُوۡنَ وَ تَصِفُ اَلۡسِنَتُہُمُ الۡکَذِبَ اَنَّ لَہُمُ الۡحُسۡنٰی ؕ لَا جَرَمَ اَنَّ لَہُمُ النَّارَ وَ اَنَّہُمۡ مُّفۡرَطُوۡنَ ﴿۶۲﴾
(૬૨) અને તેઓ અલ્લાહ તરફ એવી નિસ્બત આપે છે કે જે તેઓ ખુદ પોતાના માટે પસંદ કરતા નથી, અને તેમની ઝબાનો જૂઠું બોલે છે કે તેઓનો અંજામ સારો છે આ જ કારણે તેમના માટે (જહન્નમની) આગ છે, અને તેઓને પહેલા (જહન્નમમાં) મોકલવામાં આવશે.
تَاللّٰہِ لَقَدۡ اَرۡسَلۡنَاۤ اِلٰۤی اُمَمٍ مِّنۡ قَبۡلِکَ فَزَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ فَہُوَ وَلِیُّہُمُ الۡیَوۡمَ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۶۳﴾
(૬૩) અલ્લાહની કસમ! ખરેજ અમોએ તારી અગાઉની ઉમ્મતો તરફ રસૂલો મોકલ્યા હતા, પરંતુ શૈતાને તેઓના (નાસ્તિકોના) કરતૂતોને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, માટે આજે એ તેમનો વલી છે, અને તેમના માટે દર્દનાક અઝાબ છે.
وَ مَاۤ اَنۡزَلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ اِلَّا لِتُبَیِّنَ لَہُمُ الَّذِی اخۡتَلَفُوۡا فِیۡہِ ۙ وَ ہُدًی وَّ رَحۡمَۃً لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۶۴﴾
(૬૪) અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ નથી કરી સિવાય કે જે બાબતોમાં તેઓ ઇખ્તેલાફ કર્યો, તેને તું વાઝેહ કરી દે, અને જે લોકો ઇમાન રાખે છે તેમના માટે હિદાયત અને રહેમત(નું કારણ બને) છે.
وَ اِنَّ لَکُمۡ فِی الۡاَنۡعَامِ لَعِبۡرَۃً ؕ نُسۡقِیۡکُمۡ مِّمَّا فِیۡ بُطُوۡنِہٖ مِنۡۢ بَیۡنِ فَرۡثٍ وَّ دَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشّٰرِبِیۡنَ ﴿۶۶﴾
(૬૬) અને બેશક તમારા માટે ચોપગાં જાનવરોમાં ઇબ્રત છે, અમે તેમના પેટમાં હજમ થયેલ ખોરાક અને લોહીની વચ્ચેથી ચોખ્ખું દૂધ તમને પાઇએ છીએ જે પીનારાઓ માટે મનગમતુ છે.
ثُمَّ کُلِیۡ مِنۡ کُلِّ الثَّمَرٰتِ فَاسۡلُکِیۡ سُبُلَ رَبِّکِ ذُلُلًا ؕ یَخۡرُجُ مِنۡۢ بُطُوۡنِہَا شَرَابٌ مُّخۡتَلِفٌ اَلۡوَانُہٗ فِیۡہِ شِفَآءٌ لِّلنَّاسِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۶۹﴾
(૬૯) પછી દરેક ફળોમાંથી તું ખા અને તારા પરવરદિગારના રસ્તાઓ પર તવાઝો (નમ્રતા) સાથે ચાલ, તે (માખી)ઓના પેટમાંથી એવુ પીણું નીકળે છે જે જુદા જુદા રંગનું હોય છે, જેમાં ઇન્સાનો માટે શફા છે; બેશક જેઓ ચિંતન-મનન કરે છે તેઓ માટે એમાં એક નિશાની છે.
وَ اللّٰہُ خَلَقَکُمۡ ثُمَّ یَتَوَفّٰىکُمۡ ۟ۙ وَ مِنۡکُمۡ مَّنۡ یُّرَدُّ اِلٰۤی اَرۡذَلِ الۡعُمُرِ لِکَیۡ لَا یَعۡلَمَ بَعۡدَ عِلۡمٍ شَیۡئًا ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌ قَدِیۡرٌ ﴿٪۷۰﴾
(૭૦) અને અલ્લાહે તમને પૈદા કર્યા છે, પછી તે જ તમને મોત આપશે, અને તમારામાંના અમુકને જીવનના સૌથી ખરાબ ભાગમાં પહોંચાડે છે, જેથી જાણકારી પછી પણ નથી જાણતો (ભૂલી જાય છે) બેશક અલ્લાહ જાણવાવાળો કુદરતવાળો છે.
وَ اللّٰہُ فَضَّلَ بَعۡضَکُمۡ عَلٰی بَعۡضٍ فِی الرِّزۡقِ ۚ فَمَا الَّذِیۡنَ فُضِّلُوۡا بِرَآدِّیۡ رِزۡقِہِمۡ عَلٰی مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ فَہُمۡ فِیۡہِ سَوَآءٌ ؕ اَفَبِنِعۡمَۃِ اللّٰہِ یَجۡحَدُوۡنَ ﴿۷۱﴾
(૭૧) અને અલ્લાહે રોઝીમાં તમારામાંથી અમુકને અમુક પર ફઝીલત આપી છે, પછી તેઓ કે જેમને ફઝીલત આપવામાં આવી છે તેઓ પોતાની રોઝી પોતાના ગુલામોને આપતા નથી કે તેઓ તે (રોઝી)માં સરખા થઇ જાય; શું તેઓ અલ્લાહની નેઅમતનો ઇન્કાર કરે છે ?
وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّنۡ اَنۡفُسِکُمۡ اَزۡوَاجًا وَّ جَعَلَ لَکُمۡ مِّنۡ اَزۡوَاجِکُمۡ بَنِیۡنَ وَ حَفَدَۃً وَّ رَزَقَکُمۡ مِّنَ الطَّیِّبٰتِ ؕ اَفَبِالۡبَاطِلِ یُؤۡمِنُوۡنَ وَ بِنِعۡمَتِ اللّٰہِ ہُمۡ یَکۡفُرُوۡنَ ﴿ۙ۷۲﴾
(૭૨) અને અલ્લાહે તમારા પોતાના નફસોમાંથી તમારા માટે જીવનસાથીઓ બનાવ્યા, તથા તમારા જીવનસાથીઓમાંથી તમારા માટે પુત્રો અને પોત્રાઓ અતા કર્યો, અને પાકીઝા રિઝક આપ્યું; (તો પણ) શું તેઓ બાતિલ પર ઇમાન લાવશે? અને અલ્લાહની નેઅમતની નાશુક્રી કરશે?
ضَرَبَ اللّٰہُ مَثَلًا عَبۡدًا مَّمۡلُوۡکًا لَّا یَقۡدِرُ عَلٰی شَیۡءٍ وَّ مَنۡ رَّزَقۡنٰہُ مِنَّا رِزۡقًا حَسَنًا فَہُوَ یُنۡفِقُ مِنۡہُ سِرًّا وَّ جَہۡرًا ؕ ہَلۡ یَسۡتَوٗنَ ؕ اَلۡحَمۡدُ لِلّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۷۵﴾
(૭૫) અલ્લાહ એક એવા ગુલામનો દાખલો આપે છે કે જે પોતે બીજાની મિલકતમાં હોય અને તે કાંઇપણ સત્તા રાખતો ન હોય; અને તે (આઝાદ ઇન્સાન)નો (દાખલો) કે જેને અમોએ અમારી પાસેથી ઉમદા રોઝી આપી હોય જેથી તે તેમાંથી જાહેર અને છુપી રીતે સખાવત કરતો હોય; શું તેઓ બન્ને સમાન છે? તારીફ ફકત અલ્લાહ માટે જ છે; પરંતુ તેઓમાંથી ઘણાખરા જાણતા નથી.
وَ ضَرَبَ اللّٰہُ مَثَلًا رَّجُلَیۡنِ اَحَدُہُمَاۤ اَبۡکَمُ لَا یَقۡدِرُ عَلٰی شَیۡءٍ وَّ ہُوَ کَلٌّ عَلٰی مَوۡلٰىہُ ۙ اَیۡنَمَا یُوَجِّہۡہُّ لَایَاۡتِ بِخَیۡرٍ ؕ ہَلۡ یَسۡتَوِیۡ ہُوَ ۙ وَ مَنۡ یَّاۡمُرُ بِالۡعَدۡلِ ۙ وَ ہُوَ عَلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿٪۷۶﴾
(૭૬) અને અલ્લાહ બે માણસોનો દાખલો આપે છે, તેમાંનો એક મૂંગો હોય કે જે કોઇ કામ નથી કરી શકતો, અને પોતાના માલિક પર બોજારૂપ છે, જ્યાંપણ મોકલવામાં આવે કાંઇપણ ભલાઇ સાથે પાછો આવતો નથી, જયારે બીજો માણસ જે કાંઇ હુકમ કરે તે ઇન્સાફ સાથે હોય, અને સીધા રસ્તા પર હોય, શું આ બંને માણસો એક સરખા છે?
وَ لِلّٰہِ غَیۡبُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَاۤ اَمۡرُ السَّاعَۃِ اِلَّا کَلَمۡحِ الۡبَصَرِ اَوۡ ہُوَ اَقۡرَبُ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۷۷﴾
(૭૭) અને ઝમીન તથા આસમાનોની છૂપી વાતો અલ્લાહ માટે છે અને કયામતની બાબત આંખના પલકારા સમાન અથવા તેનાથી પણ વધારે નજીક છે કારણકે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે.
وَ اللّٰہُ اَخۡرَجَکُمۡ مِّنۡۢ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ لَا تَعۡلَمُوۡنَ شَیۡئًا ۙ وَّ جَعَلَ لَکُمُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ الۡاَفۡـِٕدَۃَ ۙ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۷۸﴾
(૭૮) અને અલ્લાહે તમને તમારી વાલેદાઓના પેટમાંથી બહાર કાઢયા ત્યારે તમે કાંઇ જ જાણતા ન હતા, અને તેણે તમને કાન, આંખ અને દિલ આપ્યા કે કદાચને તમે શુક્ર કરો.
اَلَمۡ یَرَوۡا اِلَی الطَّیۡرِ مُسَخَّرٰتٍ فِیۡ جَوِّ السَّمَآءِ ؕ مَا یُمۡسِکُہُنَّ اِلَّا اللّٰہُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۷۹﴾
(૭૯) શું તેઓ પરિન્દાઓ તરફ જોતા નથી કે જે આસમાનની હવામાં તાબે થયેલ છે? તેમને અલ્લાહ સિવાય અન્ય કોઇ ટકાવી રાખતો નથી; બેશક ઇમાન લાવનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.
وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّنۡۢ بُیُوۡتِکُمۡ سَکَنًا وَّ جَعَلَ لَکُمۡ مِّنۡ جُلُوۡدِ الۡاَنۡعَامِ بُیُوۡتًا تَسۡتَخِفُّوۡنَہَا یَوۡمَ ظَعۡنِکُمۡ وَ یَوۡمَ اِقَامَتِکُمۡ ۙ وَ مِنۡ اَصۡوَافِہَا وَ اَوۡبَارِہَا وَ اَشۡعَارِہَاۤ اَثَاثًا وَّ مَتَاعًا اِلٰی حِیۡنٍ ﴿۸۰﴾
(૮૦) અલ્લાહે તમારા ઘરોને તમારા માટે રાહતનું કારણ બનાવ્યું છે અને ચામડાઓના ખૈમા બનાવ્યા જેથી મુસાફરીમાં અને પડાવ વખતે આસાની રહે, અને તેના ઊન તથા રૂંવાટીમાંથી તથા વાળમાંથી તમને જુદી જુદી સામાન સામગ્રી એક ચોક્કસ સમય માટે આપી.
وَ اللّٰہُ جَعَلَ لَکُمۡ مِّمَّا خَلَقَ ظِلٰلًا وَّ جَعَلَ لَکُمۡ مِّنَ الۡجِبَالِ اَکۡنَانًا وَّ جَعَلَ لَکُمۡ سَرَابِیۡلَ تَقِیۡکُمُ الۡحَرَّ وَ سَرَابِیۡلَ تَقِیۡکُمۡ بَاۡسَکُمۡ ؕ کَذٰلِکَ یُتِمُّ نِعۡمَتَہٗ عَلَیۡکُمۡ لَعَلَّکُمۡ تُسۡلِمُوۡنَ ﴿۸۱﴾
(૮૧) અને જે વસ્તુઓ અલ્લાહે પૈદા કરી છે તેમાંથી અમુક તમારાં છાંયડા માટે બનાવી, તથા તમારા માટે પહાડોમાં છુપાવવાની જગ્યા બનાવી અને તમારા માટે એવા કપડાં બનાવ્યા કે જે તમને ગરમીથી બચાવે અને એવા (બખ્તર) કે જે તમને લડાઇમાં (હુમલાથી) બચાવે; આ રીતે તે પોતાની નેઅમતો તમારા પર તમામ કરે છે કે કદાચને તમે મુસલમાન (ઇતાઅત ગુઝાર) થાવ.
وَ اِذَا رَاَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا شُرَکَآءَہُمۡ قَالُوۡا رَبَّنَا ہٰۤؤُلَآءِ شُرَکَآؤُنَا الَّذِیۡنَ کُنَّا نَدۡعُوۡا مِنۡ دُوۡنِکَ ۚ فَاَلۡقَوۡا اِلَیۡہِمُ الۡقَوۡلَ اِنَّکُمۡ لَکٰذِبُوۡنَ ﴿ۚ۸۶﴾
(૮૬) અને જયારે મુશરિકો તેમનાં શરીક (માઅબૂદો)ને જોશે ત્યારે તેઓ કહેશે : અય અમારા પરવરદિગાર આ અમારા શરીકો (માઅબૂદો) છે, જેમને અમે તારા સિવાય પોકારતા હતા, પરંતુ તેઓ જવાબમાં કહેશે : ખરેખર તમો જૂઠા છો.
وَ یَوۡمَ نَبۡعَثُ فِیۡ کُلِّ اُمَّۃٍ شَہِیۡدًا عَلَیۡہِمۡ مِّنۡ اَنۡفُسِہِمۡ وَ جِئۡنَا بِکَ شَہِیۡدًا عَلٰی ہٰۤؤُلَآءِ ؕ وَ نَزَّلۡنَا عَلَیۡکَ الۡکِتٰبَ تِبۡیَانًا لِّکُلِّ شَیۡءٍ وَّ ہُدًی وَّ رَحۡمَۃً وَّ بُشۡرٰی لِلۡمُسۡلِمِیۡنَ ﴿٪۸۹﴾
(૮૯) અને તે દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ તેમની ખિલાફ ઊભો કરીશું તથા તે બધા પર તને ગવાહ બનાવી બોલાવીશું અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી જે દરેક વસ્તુને વિગતવાર બયાન કરનારી છે અને તાબેદારી કરનારાઓ માટે હિદાયત, રહેમત અને બશારત છે.
اِنَّ اللّٰہَ یَاۡمُرُ بِالۡعَدۡلِ وَ الۡاِحۡسَانِ وَ اِیۡتَآیِٔ ذِی الۡقُرۡبٰی وَ یَنۡہٰی عَنِ الۡفَحۡشَآءِ وَ الۡمُنۡکَرِ وَ الۡبَغۡیِ ۚ یَعِظُکُمۡ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۹۰﴾
(૯૦) બેશક અલ્લાહ અદલ તથા અહેસાન તથા નજીકના સગાં વહાલાઓને અતા કરવાનો હુકમ કરે છે અને બદકારી તથા ખરાબ કાર્યો તથા ઝુલ્મ કરવાની મનાઇ કરે છે, તમને નસીહત કરે છે કે કદાચ તમે નસીહત મેળવો.
وَ اَوۡفُوۡا بِعَہۡدِ اللّٰہِ اِذَا عٰہَدۡتُّمۡ وَ لَا تَنۡقُضُوا الۡاَیۡمَانَ بَعۡدَ تَوۡکِیۡدِہَا وَ قَدۡ جَعَلۡتُمُ اللّٰہَ عَلَیۡکُمۡ کَفِیۡلًا ؕ اِنَّ اللّٰہَ یَعۡلَمُ مَا تَفۡعَلُوۡنَ ﴿۹۱﴾
(૯૧) જયારે તમે અલ્લાહ સાથે વાયદો કરો ત્યારે તેને પૂરો કરો, અને ભારપૂર્વક કસમ ખાધા પછી તેને તોડો નહી, એવી હાલતમાં કે તમોએ અલ્લાહને તમારો જામીન બનાવ્યો હોય, બેશક તમો જે કાંઇ કરો છો તે અલ્લાહ જાણે છે.
وَ لَا تَکُوۡنُوۡا کَالَّتِیۡ نَقَضَتۡ غَزۡلَہَا مِنۡۢ بَعۡدِ قُوَّۃٍ اَنۡکَاثًا ؕ تَتَّخِذُوۡنَ اَیۡمَانَکُمۡ دَخَلًۢا بَیۡنَکُمۡ اَنۡ تَکُوۡنَ اُمَّۃٌ ہِیَ اَرۡبٰی مِنۡ اُمَّۃٍ ؕ اِنَّمَا یَبۡلُوۡکُمُ اللّٰہُ بِہٖ ؕ وَ لَیُبَیِّنَنَّ لَکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ مَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿۹۲﴾
(૯૨) અને તમે તે ઔરત જેવા ન થાઓ કે જે પોતાના (હાથે) કાંતેલા તાંતણાને મજબૂત થયા પછી કટકે કટકા કરી નાખે; તમે તમારી કસમોને પરસ્પર છેતરવાનુ માઘ્યમ બનાવો છો (એવા વિચારથી) કે એક સમૂહ બીજા કરતાં વધારે (સગવડતાવાળો) છે અને અલ્લાહ તે વડે ફકત તમારી અજમાઇશ કરે છે; અને જે કાંઇ ઇખ્તેલાફ તમે કર્યા કરતા હતા તેને તમારા માટે કયામતના દિવસે જરૂર વાઝેહ કરી દેશે.
وَ لَوۡ شَآءَ اللّٰہُ لَجَعَلَکُمۡ اُمَّۃً وَّاحِدَۃً وَّ لٰکِنۡ یُّضِلُّ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ لَتُسۡـَٔلُنَّ عَمَّا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۹۳﴾
(૯૩) અને અગર અલ્લાહ ચાહતે તો તમને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે જેને ચાહે છે ગુમરાહ કરે છે અને જેને ચાહે છે તેની હિદાયત કરે છે; અને તમે જે કાંઇ કરતા હતા તેના સંબંધમાં તમને જરૂર પૂછવામાં આવશે:
وَ لَا تَتَّخِذُوۡۤا اَیۡمَانَکُمۡ دَخَلًۢا بَیۡنَکُمۡ فَتَزِلَّ قَدَمٌۢ بَعۡدَ ثُبُوۡتِہَا وَ تَذُوۡقُوا السُّوۡٓءَ بِمَا صَدَدۡتُّمۡ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ۚ وَ لَکُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۹۴﴾
(૯૪) અને તમે તમારી કસમોને પરસ્પર છેતરપિંડીનુ માઘ્યમ ન બનાવો કે સાબિત કદમ થયા બાદ ડગમગી જાવ અને તમને રાહે ખુદાથી અટકાવવાના ખરાબ અંજામની મજા ચાખવી પડશે! તથા તમારા માટે મોટો અઝાબ હશે!
مَا عِنۡدَکُمۡ یَنۡفَدُ وَ مَا عِنۡدَ اللّٰہِ بَاقٍ ؕ وَ لَنَجۡزِیَنَّ الَّذِیۡنَ صَبَرُوۡۤا اَجۡرَہُمۡ بِاَحۡسَنِ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۹۶﴾
(૯૬) જે કાંઇ તમારી પાસે છે તે નાશ પામશે અને જે કાંઇ અલ્લાહની પાસે છે તે બાકી રહેશે; અને જે લોકોએ સબ્ર કરી તેનો બદલો તેઓ જે અમલ કરતા હતા તેના કરતાંય બેહતર આપીશું.
مَنۡ عَمِلَ صَالِحًا مِّنۡ ذَکَرٍ اَوۡ اُنۡثٰی وَ ہُوَ مُؤۡمِنٌ فَلَنُحۡیِیَنَّہٗ حَیٰوۃً طَیِّبَۃً ۚ وَ لَنَجۡزِیَنَّہُمۡ اَجۡرَہُمۡ بِاَحۡسَنِ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۹۷﴾
(૯૭) જો કોઇ બાઇમાન સારા અમલ કરે, પછી તે મર્દ હોય કે ઔરત, તો જરૂર અમે તેને પાકો પાકીઝા ઝિંદગી જીવાડશું અને જે (નેક) કાર્યો તેઓ કરતા હતા તેનાથી વધારે સારો બદલો તેને આપશુંં.
وَ اِذَا بَدَّلۡنَاۤ اٰیَۃً مَّکَانَ اٰیَۃٍ ۙ وَّ اللّٰہُ اَعۡلَمُ بِمَا یُنَزِّلُ قَالُوۡۤا اِنَّمَاۤ اَنۡتَ مُفۡتَرٍ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾
(૧૦૧) અને જયારે અમે કોઇ એક આયતને બીજી આયત વડે બદલી નાખીએ છીએ -અને અલ્લાહ સારી રીતે જાણે છે તે શું નાઝિલ કરે છે- ત્યારે તેઓ કહે છે: તું ફકત (અલ્લાહ તરફ) જૂઠી નિસ્બત આપનાર છો, પરંતુ તેઓમાંથી ઘણાખરા (હકીકત) જાણતા નથી .
قُلۡ نَزَّلَہٗ رُوۡحُ الۡقُدُسِ مِنۡ رَّبِّکَ بِالۡحَقِّ لِیُـثَبِّتَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُسۡلِمِیۡنَ ﴿۱۰۲﴾
(૧૦૨) તું કહે : રૂહુલ કુદ્દુસે તારા પરવરદિગાર તરફથી તેને હક સાથે નાઝિલ કર્યુ, જેથી જેઓ ઇમાન લાવ્યા તેમને સાબિત કદમ બનાવે અને મુસલમાનો માટે (તે) હિદાયત અને ખુશખબરી છે.
وَ لَقَدۡ نَعۡلَمُ اَنَّہُمۡ یَقُوۡلُوۡنَ اِنَّمَا یُعَلِّمُہٗ بَشَرٌ ؕ لِسَانُ الَّذِیۡ یُلۡحِدُوۡنَ اِلَیۡہِ اَعۡجَمِیٌّ وَّ ہٰذَا لِسَانٌ عَرَبِیٌّ مُّبِیۡنٌ ﴿۱۰۳﴾
(૧૦૩) અને બેશક અમે જાણીએ છીએ કે તેઓ કહે છે: ફકત એક (મામૂલી) માણસ તેને તાલીમ આપે છે! જેની તરફ નિસ્બત આપે છે તેની ભાષા અજમી (અરબી સિવાયની) છે અને આ સ્પષ્ટ અરબી ભાષા છે.
مَنۡ کَفَرَ بِاللّٰہِ مِنۡۢ بَعۡدِ اِیۡمَانِہٖۤ اِلَّا مَنۡ اُکۡرِہَ وَ قَلۡبُہٗ مُطۡمَئِنٌّۢ بِالۡاِیۡمَانِ وَ لٰکِنۡ مَّنۡ شَرَحَ بِالۡکُفۡرِ صَدۡرًا فَعَلَیۡہِمۡ غَضَبٌ مِّنَ اللّٰہِ ۚ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۰۶﴾
(૧૦૬) જેઓએ ઇમાન લાવ્યા બાદ અલ્લાહનો ઇન્કાર કર્યો સિવાય કે જેઓને બળજબરીથી ઇન્કાર કરાવવામાં આવ્યો હોય અને તેનુ દિલ ઇમાનથી મુત્મઇન હોય, પરંતુ હા, જેઓએ ખુલ્લા મને ઇન્કાર કર્યો તેના ઉપર અલ્લાહની નારાઝગી છે અને તેઓ માટે મોટો અઝાબ છે.
ثُمَّ اِنَّ رَبَّکَ لِلَّذِیۡنَ ہَاجَرُوۡا مِنۡۢ بَعۡدِ مَا فُتِنُوۡا ثُمَّ جٰہَدُوۡا وَ صَبَرُوۡۤا ۙ اِنَّ رَبَّکَ مِنۡۢ بَعۡدِہَا لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۰﴾٪
(૧૧૦) તે ઉપરાંત તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે મુસીબતમાં મુકાયા પછી હિજરત કરી (ઇમાન તરફ આવ્યા) અને પછી જેહાદ કર્યો, અને સબ્ર કરી, આ (કાર્યો) પછી (તેઓ બાબતે) તારો પરવરદિગાર ગફુરૂર રહીમ છે.
وَ ضَرَبَ اللّٰہُ مَثَلًا قَرۡیَۃً کَانَتۡ اٰمِنَۃً مُّطۡمَئِنَّۃً یَّاۡتِیۡہَا رِزۡقُہَا رَغَدًا مِّنۡ کُلِّ مَکَانٍ فَکَفَرَتۡ بِاَنۡعُمِ اللّٰہِ فَاَذَاقَہَا اللّٰہُ لِبَاسَ الۡجُوۡعِ وَ الۡخَوۡفِ بِمَا کَانُوۡا یَصۡنَعُوۡنَ ﴿۱۱۲﴾
(૧૧૨) અને અલ્લાહ એક એવી વસ્તીનો દાખલો બયાન કરે છે કે જે તદ્દન મહેફૂઝ અને મુત્મઇન હતી, અને તેનું રિઝક દરેક બાજુથી આવતું હતુ પરંતુ તેઓએ અલ્લાહની નેઅમતોની નાશુક્રી કરી પછી અલ્લાહે પણ તેઓના આ અમલ બદલ તેઓને ભૂખ અને ડરનો પોશાક પહેરાવ્યો.
اِنَّمَا حَرَّمَ عَلَیۡکُمُ الۡمَیۡتَۃَ وَ الدَّمَ وَ لَحۡمَ الۡخِنۡزِیۡرِ وَ مَاۤ اُہِلَّ لِغَیۡرِ اللّٰہِ بِہٖ ۚ فَمَنِ اضۡطُرَّ غَیۡرَ بَاغٍ وَّ لَا عَادٍ فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۵﴾
(૧૧૫) તેણે તમારા ઉપર ફકત મુરદાર તથા લોહી તથા સુવ્વરનું માંસ તથા અલ્લાહના સિવાય બીજા કોઇનું નામ લઇને ઝબ્હ કરવામાં આવેલ હોય તેને હરામ કર્યુ છે, પછી જે કોઇ મજબૂર હોય અને સરકશી અને મુખાલેફતનો ઇરાદો ન રાખતો હોય, તો બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
وَ لَا تَقُوۡلُوۡا لِمَا تَصِفُ اَلۡسِنَتُکُمُ الۡکَذِبَ ہٰذَا حَلٰلٌ وَّ ہٰذَا حَرَامٌ لِّتَفۡتَرُوۡا عَلَی اللّٰہِ الۡکَذِبَ ؕ اِنَّ الَّذِیۡنَ یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ لَا یُفۡلِحُوۡنَ ﴿۱۱۶﴾ؕ
(૧૧૬) અને જે કાંઇ જૂઠ તમારી ઝબાન બયાન કરે છે, એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે. જેથી અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો. બેશક જેઓ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિં.
وَ عَلَی الَّذِیۡنَ ہَادُوۡا حَرَّمۡنَا مَا قَصَصۡنَا عَلَیۡکَ مِنۡ قَبۡلُ ۚ وَ مَا ظَلَمۡنٰہُمۡ وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۱۱۸﴾
(૧૧૮) અને યહૂદી ઉપર તે વસ્તુઓ હરામ કરી કે જે તને અગાઉ બતાવી ચૂક્યા છીએ, અને અમોએ તેમના પર ઝુલ્મ કર્યો ન હતો બલ્કે તેઓ પોતે પોતાની ઉપર ઝુલ્મ કરતા હતા.
ثُمَّ اِنَّ رَبَّکَ لِلَّذِیۡنَ عَمِلُوا السُّوۡٓءَ بِجَہَالَۃٍ ثُمَّ تَابُوۡا مِنۡۢ بَعۡدِ ذٰلِکَ وَ اَصۡلَحُوۡۤا ۙ اِنَّ رَبَّکَ مِنۡۢ بَعۡدِہَا لَغَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱۹﴾٪
(૧૧૯) પછી બેશક તારો પરવરદિગાર તે લોકોના માટે કે જેમણે અજાણતામાં બદી કરેલ, ત્યારબાદ તૌબા કરી અને (પોતાની) ઇસ્લાહ કરી, તે બાદ જરૂર તારો પરવરદિગાર માફ કરનાર, મહેરબાન છે.
اِنَّمَا جُعِلَ السَّبۡتُ عَلَی الَّذِیۡنَ اخۡتَلَفُوۡا فِیۡہِ ؕ وَ اِنَّ رَبَّکَ لَیَحۡکُمُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۲۴﴾
(૧૨૪) સબ્ત (શનિવાર)નો હુકમ ફકત તે લોકો માટે હતો કે જેમણે તેમાં ઇખ્તેલાફ કર્યો હતો; અને બેશક તારો પરવરદિગાર તેમની વચ્ચે કયામતના દિવસે તે બાબતનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ ઇખ્તેલાફ કર્યા કરતા હતા.
اُدۡعُ اِلٰی سَبِیۡلِ رَبِّکَ بِالۡحِکۡمَۃِ وَ الۡمَوۡعِظَۃِ الۡحَسَنَۃِ وَ جَادِلۡہُمۡ بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ ؕ اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ وَ ہُوَ اَعۡلَمُ بِالۡمُہۡتَدِیۡنَ ﴿۱۲۵﴾
(૧૨૫) તું તારા પરવરદિગારના રસ્તા તરફ હિકમત સાથે તથા નેક નસીહત સાથે (લોકોને) બોલાવ અને તેમની સાથે બહેતરીન રીતે દલીલ રજૂ કર; બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ગુમરાહ થઇ ગયા છે અને તે હિદાયત પામેલાને સારી રીતે જાણે છે.