Ibrahim
سورة إبراهيم
الٓرٰ ۟ کِتٰبٌ اَنۡزَلۡنٰہُ اِلَیۡکَ لِتُخۡرِجَ النَّاسَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ۬ۙ بِاِذۡنِ رَبِّہِمۡ اِلٰی صِرَاطِ الۡعَزِیۡزِ الۡحَمِیۡدِ ۙ﴿۱﴾
(૧) અલિફ લામ રા. આ કિતાબ અમોએ તારા પર નાઝિલ કરી છે જેથી તું લોકોને તેમના પરવરદિગારના હુકમથી અંધકારમાંથી રોશની(ના રસ્તા) તરફ લઇ આવે જે રસ્તો જબરદસ્ત અને વખાણલાયક (અલ્લાહનો) છે:
الَّذِیۡنَ یَسۡتَحِبُّوۡنَ الۡحَیٰوۃَ الدُّنۡیَا عَلَی الۡاٰخِرَۃِ وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ یَبۡغُوۡنَہَا عِوَجًا ؕ اُولٰٓئِکَ فِیۡ ضَلٰلٍۭ بَعِیۡدٍ ﴿۳﴾
(૩) કે જેઓ આખેરતના મુકાબલામાં દુનિયાની ઝિંદગીને પસંદ કરે છે, તથા લોકોને રાહે ખુદાથી રોકે છે અને ચાહે છે કે તેને મરડી નાખે આ લોકો ગુમરાહીમાં દૂર (ભટકેલા) છે.
وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ رَّسُوۡلٍ اِلَّا بِلِسَانِ قَوۡمِہٖ لِیُبَیِّنَ لَہُمۡ ؕ فَیُضِلُّ اللّٰہُ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۴﴾
(૪) અને અમોએ કોઇ રસૂલને નથી મોકલ્યો પરંતુ તે કોમની ભાષામાં જ (પયગામ આપે) કે જેથી તે તેમને વાઝેહ રીતે સમજાવે; પછી અલ્લાહ જેને ચાહે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે તેની હિદાયત કરે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે.
وَ لَقَدۡ اَرۡسَلۡنَا مُوۡسٰی بِاٰیٰتِنَاۤ اَنۡ اَخۡرِجۡ قَوۡمَکَ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوۡرِ ۬ۙ وَ ذَکِّرۡہُمۡ بِاَیّٰىمِ اللّٰہِ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّکُلِّ صَبَّارٍ شَکُوۡرٍ ﴿۵﴾
(૫) અને ખરેખર અમોએ મૂસાને અમારી નિશાનીઓ સાથે મોકલ્યો (અને કહ્યું કે) તું તારી કૌમને (ગુમરાહીના) અંધકારમાંથી (હિદાયતની) રોશની તરફ લઈ આવ, અને તેમને અલ્લાહના (ખાસ) દિવસોની યાદ દેવડાવ; બેશક આમાં દરેક સબ્ર કરનાર અને શુક્રગુઝારો માટે નિશાનીઓ છે.
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہِ اذۡکُرُوۡا نِعۡمَۃَ اللّٰہِ عَلَیۡکُمۡ اِذۡ اَنۡجٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ وَ یُذَبِّحُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ٪﴿۶﴾
(૬) અને જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહની તે નેઅમતોને યાદ કરો કે જ્યારે તેણે તમને આલે ફિરઔનથી નજાત આપી કે જેઓ તમને સખ્ત સજા આપતા હતા, અને તમારા ફરઝંદોને મારી નાખતા હતા તથા તમારી ઔરતોને (ખિદમત માટે) જીવતી રહેવા દેતા હતા; અને તેમાં તમારા પરવરદિગાર તરફથી તમારા માટે સખ્ત ઇમ્તેહાન હતું.
اَلَمۡ یَاۡتِکُمۡ نَبَؤُا الَّذِیۡنَ مِنۡ قَبۡلِکُمۡ قَوۡمِ نُوۡحٍ وَّ عَادٍ وَّ ثَمُوۡدَ ۬ؕۛ وَ الَّذِیۡنَ مِنۡۢ بَعۡدِہِمۡ ؕۛ لَا یَعۡلَمُہُمۡ اِلَّا اللّٰہُ ؕ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَرَدُّوۡۤا اَیۡدِیَہُمۡ فِیۡۤ اَفۡوَاہِہِمۡ وَ قَالُوۡۤا اِنَّا کَفَرۡنَا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ وَ اِنَّا لَفِیۡ شَکٍّ مِّمَّا تَدۡعُوۡنَنَاۤ اِلَیۡہِ مُرِیۡبٍ ﴿۹﴾
(૯) શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલાં થઇ ગયા, (યાને) નૂહની તથા આદવાળાઓની તથા સમૂદવાળાઓની તથા તેમની પછી આવેલાઓની કોમ જેમને અલ્લાહ સિવાય કોઇ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખૂલ્લી નિશાનીઓ લઇને આવ્યા હતા, પરંતુ (તઅજ્જુબથી) તેઓએ પોતાના હાથ પોતાના મોંઢા ઉપર રાખી દીધા અને કહ્યું : તમને જે કાંઇ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે જરૂર ઇન્કાર કરીએ છીએ, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેના બારામાં અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ.
قَالَتۡ رُسُلُہُمۡ اَفِی اللّٰہِ شَکٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ یَدۡعُوۡکُمۡ لِیَغۡفِرَ لَکُمۡ مِّنۡ ذُنُوۡبِکُمۡ وَ یُؤَخِّرَکُمۡ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ قَالُوۡۤا اِنۡ اَنۡتُمۡ اِلَّا بَشَرٌ مِّثۡلُنَا ؕ تُرِیۡدُوۡنَ اَنۡ تَصُدُّوۡنَا عَمَّا کَانَ یَعۡبُدُ اٰبَآؤُنَا فَاۡتُوۡنَا بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿۱۰﴾
(૧૦) તેમના રસૂલોએ કહ્યું કે શું આકાશો તથા ઝમીનને પૈદા કરનાર અલ્લાહના બારામાં શંકા છે? તે તમને એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક મુકર્રર સમય સુધી તમને મોહલત આપે! તેમણે કહ્યું "તમે અમારા જેવા જ ઇન્સાન છો તમે ચાહો છો કે અમારા બાપદાદા જેની ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો, માટે કોઇ ખુલ્લી દલીલ લઇ આવો. "
قَالَتۡ لَہُمۡ رُسُلُہُمۡ اِنۡ نَّحۡنُ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ وَ لٰکِنَّ اللّٰہَ یَمُنُّ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ؕ وَ مَا کَانَ لَنَاۤ اَنۡ نَّاۡتِیَکُمۡ بِسُلۡطٰنٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُؤۡمِنُوۡنَ ﴿۱۱﴾
(૧૧) તેમના રસૂલોએ તેમને કહ્યું કે અમે પણ તમારા જેવા જ ઇન્સાન છીએ, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેના પર અહેસાન કરે છે અને અમે તમારી પાસે અલ્લાહના હુકમ સિવાય કોઇ દલીલ લાવતા નથી; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
وَ مَا لَنَاۤ اَلَّا نَتَوَکَّلَ عَلَی اللّٰہِ وَ قَدۡ ہَدٰىنَا سُبُلَنَا ؕ وَ لَنَصۡبِرَنَّ عَلٰی مَاۤ اٰذَیۡتُمُوۡنَا ؕ وَ عَلَی اللّٰہِ فَلۡیَتَوَکَّلِ الۡمُتَوَکِّلُوۡنَ ﴿٪۱۲﴾
(૧૨) અને શા માટે અમે અલ્લાહ ઉપર આધાર ન રાખીએ? જ્યારે ખરેખર તેણે અમને અમારા (હિદાયતના) રસ્તા દેખાડ્યા છે અને જે ઇજા તમે અમને પહોંચાડો છો તેના ઉપર અમે જરૂર સબ્ર કરતા રહીશું; અને આધાર રાખનારાઓએ અલ્લાહ પર જ આધાર રાખવો જોઇએ.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِرُسُلِہِمۡ لَنُخۡرِجَنَّکُمۡ مِّنۡ اَرۡضِنَاۤ اَوۡ لَتَعُوۡدُنَّ فِیۡ مِلَّتِنَا ؕ فَاَوۡحٰۤی اِلَیۡہِمۡ رَبُّہُمۡ لَنُہۡلِکَنَّ الظّٰلِمِیۡنَ ﴿ۙ۱۳﴾
(૧૩) અને નાસ્તિકોએ પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકશુ સિવાય કે તમે અમારા દીનમાં પાછા આવો. પછી તેમના પરવરદિગારે તેમની તરફ વહી મોકલી કે અમે જરૂર ઝાલિમોને હલાક કરી નાખીશું.
یَّتَجَرَّعُہٗ وَ لَا یَکَادُ یُسِیۡغُہٗ وَ یَاۡتِیۡہِ الۡمَوۡتُ مِنۡ کُلِّ مَکَانٍ وَّ مَا ہُوَ بِمَیِّتٍ ؕ وَ مِنۡ وَّرَآئِہٖ عَذَابٌ غَلِیۡظٌ ﴿۱۷﴾
(૧૭) તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે જો કે તેને પીવુ પસંદ નહી હોય અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહિ; અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે.
مَثَلُ الَّذِیۡنَ کَفَرُوۡا بِرَبِّہِمۡ اَعۡمَالُہُمۡ کَرَمَادِۣ اشۡتَدَّتۡ بِہِ الرِّیۡحُ فِیۡ یَوۡمٍ عَاصِفٍ ؕ لَا یَقۡدِرُوۡنَ مِمَّا کَسَبُوۡا عَلٰی شَیۡءٍ ؕ ذٰلِکَ ہُوَ الضَّلٰلُ الۡبَعِیۡدُ ﴿۱۸﴾
(૧૮) નાસ્તિકોના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઊડાડી દીધી હોય, તેઓ પોતાના આમાલમાંથી કાંઇપણ હાંસિલ કરવાની સત્તા નહિ હોય અને આ જ (હકથી) દૂર ભટકવુ છે!
وَ بَرَزُوۡا لِلّٰہِ جَمِیۡعًا فَقَالَ الضُّعَفٰٓؤُا لِلَّذِیۡنَ اسۡتَکۡبَرُوۡۤا اِنَّا کُنَّا لَکُمۡ تَبَعًا فَہَلۡ اَنۡتُمۡ مُّغۡنُوۡنَ عَنَّا مِنۡ عَذَابِ اللّٰہِ مِنۡ شَیۡءٍ ؕ قَالُوۡا لَوۡ ہَدٰىنَا اللّٰہُ لَہَدَیۡنٰکُمۡ ؕ سَوَآءٌ عَلَیۡنَاۤ اَجَزِعۡنَاۤ اَمۡ صَبَرۡنَا مَا لَنَا مِنۡ مَّحِیۡصٍ ﴿٪۲۱﴾
(૨૧) અને તેઓ તમામ અલ્લાહ(ની સામે ઇન્સાફ) માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારી પૈરવી કરનાર હતા; શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો ? તેઓ કહેશે: અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે, (હવે) આપણા માટે બરાબર છે, બેતાબી (બેચેની) કરીએ કે પછી સબ્ર કરીએ, બચવા માટે કોઇ રસ્તો નથી.
وَ قَالَ الشَّیۡطٰنُ لَمَّا قُضِیَ الۡاَمۡرُ اِنَّ اللّٰہَ وَعَدَکُمۡ وَعۡدَ الۡحَقِّ وَ وَعَدۡتُّکُمۡ فَاَخۡلَفۡتُکُمۡ ؕ وَ مَا کَانَ لِیَ عَلَیۡکُمۡ مِّنۡ سُلۡطٰنٍ اِلَّاۤ اَنۡ دَعَوۡتُکُمۡ فَاسۡتَجَبۡتُمۡ لِیۡ ۚ فَلَا تَلُوۡمُوۡنِیۡ وَ لُوۡمُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ مَاۤ اَنَا بِمُصۡرِخِکُمۡ وَ مَاۤ اَنۡتُمۡ بِمُصۡرِخِیَّ ؕ اِنِّیۡ کَفَرۡتُ بِمَاۤ اَشۡرَکۡتُمُوۡنِ مِنۡ قَبۡلُ ؕ اِنَّ الظّٰلِمِیۡنَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۲۲﴾
(૨૨) અને જયારે ફેસલો થઇ જશે ત્યારે શેતાન કહેશે : બેશક અલ્લાહે તમારી સાથે સાચો વાયદો કર્યો હતો અને મેં તમારી સાથે વાયદાઓ કર્યા, પરંતુ તેને વફા ન કરી, તે ઉપરાંત તમારા ઉપર મારી કોઇ સત્તા ન હતી સિવાય કે મેં તમને બોલાવ્યા અને તમોએ મારી દાવત કબૂલ કરી, માટે તમે મારી મલામત કરો નહિ પરંતુ ખુદ તમારા નફસોની મલામત કરો; ન હું તમારી મદદ કરી શકું છું અને ન તમે મારી મદદ કરી શકો છો, બેશક આની પહેલા તમે મને (અલ્લાહનો) શરીક બનાવતા હતા તેનો મે ઇન્કાર કર્યો, ખરેખર ઝુલમગારો માટે દર્દનાક અઝાબ છે.
وَ اُدۡخِلَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ؕ تَحِیَّتُہُمۡ فِیۡہَا سَلٰمٌ ﴿۲۳﴾
(૨૩) અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓને જન્નતોમાં દાખલ કરવામાં આવશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તથા પોતાના પરવરદિગારના હુકમથી તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને ત્યાં તેમની સ્વાગતના શબ્દો સલામ હશે.
یُثَبِّتُ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا بِالۡقَوۡلِ الثَّابِتِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ فِی الۡاٰخِرَۃِ ۚ وَ یُضِلُّ اللّٰہُ الظّٰلِمِیۡنَ ۟ۙ وَ یَفۡعَلُ اللّٰہُ مَا یَشَآءُ ﴿٪۲۷﴾
(૨૭) અલ્લાહ મોઅમીનોના ઇમાનને સાબિત કોલ (અને અકીદા) થકી આ દુનિયામાં અને આખેરતમાં સાબિતકદમ રાખે છે અને ઝાલિમોને (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે છે, અને અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
قُلۡ لِّعِبَادِیَ الَّذِیۡنَ اٰمَنُوۡا یُقِیۡمُوا الصَّلٰوۃَ وَ یُنۡفِقُوۡا مِمَّا رَزَقۡنٰہُمۡ سِرًّا وَّ عَلَانِیَۃً مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ یَوۡمٌ لَّا بَیۡعٌ فِیۡہِ وَ لَا خِلٰلٌ ﴿۳۱﴾
(૩૧) મારા ઇમાન લાવનાર બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે ઇન્ફાક (ખર્ચ) કરે, એ દિવસના આવવા પહેલાં કે જે દિવસે ન કાંઇ લેવડદેવડ થશે, ન આપસની દોસ્તી (હશે).
اَللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخۡرَجَ بِہٖ مِنَ الثَّمَرٰتِ رِزۡقًا لَّکُمۡ ۚ وَ سَخَّرَ لَکُمُ الۡفُلۡکَ لِتَجۡرِیَ فِی الۡبَحۡرِ بِاَمۡرِہٖ ۚ وَ سَخَّرَ لَکُمُ الۡاَنۡہٰرَ ﴿ۚ۳۲﴾
(૩૨) અલ્લાહ એ જ છે કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા અને આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તેમાંથી તમારી રોજી માટે ફળો ઊગાવ્યા, અને કશ્તીઓને તમારા તાબે કરી દીધી કે તેના હુકમથી સમુદ્રમાં હરે ફરે, અને તેણે નદીઓ (પણ) તમારા તાબે કરી દીધી.
رَبِّ اِنَّہُنَّ اَضۡلَلۡنَ کَثِیۡرًا مِّنَ النَّاسِ ۚ فَمَنۡ تَبِعَنِیۡ فَاِنَّہٗ مِنِّیۡ ۚ وَ مَنۡ عَصَانِیۡ فَاِنَّکَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳۶﴾
(૩૬) અય મારા પરવરદિગાર! બેશક તેઓએ (બૂતોએ) ઘણા લોકોને ગુમરાહ કર્યા, જે (શખ્સ) મારી તાબેદારી કરશે ખરેખર તે મારામાંથી છે, અને જે મારી નાફરમાની કરશે, બેશક તું ગફુરૂર રહીમ છો.
رَبَّنَاۤ اِنِّیۡۤ اَسۡکَنۡتُ مِنۡ ذُرِّیَّتِیۡ بِوَادٍ غَیۡرِ ذِیۡ زَرۡعٍ عِنۡدَ بَیۡتِکَ الۡمُحَرَّمِ ۙ رَبَّنَا لِیُـقِیۡمُوا الصَّلٰوۃَ فَاجۡعَلۡ اَفۡئِدَۃً مِّنَ النَّاسِ تَہۡوِیۡۤ اِلَیۡہِمۡ وَارۡ زُقۡہُمۡ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّہُمۡ یَشۡکُرُوۡنَ ﴿۳۷﴾
(૩૭) અય અમારા પરવરદિગાર! બેશક મેં મારી ઔલાદમાંથી અમુકને તારા મોહતરમ મકાન પાસે બંજર (વિરાન) રણપ્રદેશમાં વસાવ્યા છે, અય મારા પરવરદિગાર! એટલા માટે કે તેઓ નમાઝને કાયમ કરે, માટે લોકોના દિલ તેમની તરફ ફેરવી દે તથા તેમને ફળોનું રિઝ્ક અતા કર કે કદાચને તેઓ શુક્ર કરે.
وَ اَنۡذِرِ النَّاسَ یَوۡمَ یَاۡتِیۡہِمُ الۡعَذَابُ فَیَقُوۡلُ الَّذِیۡنَ ظَلَمُوۡا رَبَّنَاۤ اَخِّرۡنَاۤ اِلٰۤی اَجَلٍ قَرِیۡبٍ ۙ نُّجِبۡ دَعۡوَتَکَ وَ نَتَّبِعِ الرُّسُلَ ؕ اَوَ لَمۡ تَکُوۡنُوۡۤا اَقۡسَمۡتُمۡ مِّنۡ قَبۡلُ مَا لَکُمۡ مِّنۡ زَوَالٍ ﴿ۙ۴۴﴾
(૪૪) અને લોકોને તે દિવસથી ડરાવ કે જે દિવસે તેઓ ઉપર અઝાબ આવશે પછી ઝાલિમો કહેશે કે અય અમારા પરવરદિગાર! અમને થોડાક વખત સુધીની મોહલત આપ જેથી અમે તારી દાવત કબૂલ કરીએ અને તારા રસૂલોની પૈરવી કરીએ; શું તમે અગાઉ સોગંદ ખાતા ન હતા કે તમારૂ પતન થશે નહિ?!
وَّ سَکَنۡتُمۡ فِیۡ مَسٰکِنِ الَّذِیۡنَ ظَلَمُوۡۤا اَنۡفُسَہُمۡ وَ تَبَیَّنَ لَکُمۡ کَیۡفَ فَعَلۡنَا بِہِمۡ وَ ضَرَبۡنَا لَکُمُ الۡاَمۡثَالَ ﴿۴۵﴾
(૪૫) અને તમે એવા લોકોના ઘરોમાં વસવાટ કર્યો કે જેમણે ખુદ પોતાની સાથે ઝુલ્મ કર્યો હતો અને તમારા માટે વાઝેહ થઇ ગયુ કે અમોએ તેમની સાથે કેવી રીતે પેશ આવ્યા, અને અમોએ તમારા માટે મિસાલો પણ પેશ કરી.