Al-Anbiya
سورة الأنبياء
لَاہِیَۃً قُلُوۡبُہُمۡ ؕ وَ اَسَرُّوا النَّجۡوَی ٭ۖ الَّذِیۡنَ ظَلَمُوۡا ٭ۖ ہَلۡ ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۚ اَفَتَاۡتُوۡنَ السِّحۡرَ وَ اَنۡتُمۡ تُبۡصِرُوۡنَ ﴿۳﴾
(૩) તેમના દિલ (બીજી ચીઝોમાં) મશગૂલ થઇ ગયા છે, અને ઝાલિમોએ કાનાફૂસી કરી કે શુ આ તમારા જેવો ઇન્સાન નથી? શું તમે જાણી જોઇને જાદુના ચક્કરમાં આવી રહ્યા છો?
بَلۡ قَالُوۡۤا اَضۡغَاثُ اَحۡلَامٍۭ بَلِ افۡتَرٰىہُ بَلۡ ہُوَ شَاعِرٌ ۚۖ فَلۡیَاۡتِنَا بِاٰیَۃٍ کَمَاۤ اُرۡسِلَ الۡاَوَّلُوۡنَ ﴿۵﴾
(૫) પરંતુ તેઓએ કહ્યુ છે કે આ બધા ગૂંચવણ ભરેલાં સ્વપ્ન છે; બલ્કે તેણે જૂઠી નિસ્બત આપેલ છે; બલ્કે તે એક શાયર છે (જો તે સાચો હોય તો) એવી નિશાની લાવે જેવી (અગાઉના પયગંબરો સાથે) મોકલવામાં આવી હતી.
بَلۡ نَقۡذِفُ بِالۡحَقِّ عَلَی الۡبَاطِلِ فَیَدۡمَغُہٗ فَاِذَا ہُوَ زَاہِقٌ ؕ وَ لَکُمُ الۡوَیۡلُ مِمَّا تَصِفُوۡنَ ﴿۱۸﴾
(૧૮) પરંતુ અમે હકને બાતિલના ઉપર મારીએ છીએ જેથી તે (હક) તે (બાતિલ)ના ઉપર છવાઇ જાય, આ રીતે તે (બાતિલ) બરબાદ થઇ જાય છે અને તમારા માટે અફસોસ કે જે તમે (અલ્લાહની) સિફતો બયાન કરો છો.
اَمِ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ ۚ ہٰذَا ذِکۡرُ مَنۡ مَّعِیَ وَ ذِکۡرُ مَنۡ قَبۡلِیۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ۙ الۡحَقَّ فَہُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۲۴﴾
(૨૪) શું તેઓએ તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કરી લીધા? કહે કે તમારી દલીલ રજૂ કરો, આ મારા સાથીઓનો તથા મારી અગાઉના લોકોની યાદ છે, પરંતુ તેઓમાંના ઘણાખરા લોકો હકને ઓળખતા નથી એટલે તેઓ (હકથી) મોઢુ ફેરવે છે.
اَوَ لَمۡ یَرَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنَّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ کَانَتَا رَتۡقًا فَفَتَقۡنٰہُمَا ؕ وَ جَعَلۡنَا مِنَ الۡمَآءِ کُلَّ شَیۡءٍ حَیٍّ ؕ اَفَلَا یُؤۡمِنُوۡنَ ﴿۳۰﴾
(૩૦) શું તે નાસ્તિકોએ નથી જોયું કે આ ઝમીન અને આસમાનો એકબીજા સાથે જોડાયેલા હતા, અને અમોએ તે બંનેને અલગ કર્યા અને દરેક જાનદારને પાણીમાંથી બનાવ્યા, તો પણ શું તેઓ ઇમાન નહિ લાવે ?
وَ اِذَا رَاٰکَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ یَّتَّخِذُوۡنَکَ اِلَّا ہُزُوًا ؕ اَہٰذَا الَّذِیۡ یَذۡکُرُ اٰلِہَتَکُمۡ ۚ وَ ہُمۡ بِذِکۡرِ الرَّحۡمٰنِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۳۶﴾
(૩૬) અને જયારે આ નાસ્તિકો તને જૂએ છે ત્યારે તેઓ તારી મજાક ઉડાડવા સિવાય બીજુ કાંઇ કરતા નથી; (અને કહે છે) આ એજ શખ્સ છે કે જે તમારા ખુદાઓને (બૂરાઇથી) યાદ કરે છે ? જો કે તેઓ (નાસ્તિકો) પોતે જ રહેમાન (અલ્લાહ)ની યાદનો ઇન્કાર કરે છે.
بَلۡ مَتَّعۡنَا ہٰۤؤُلَآءِ وَ اٰبَآءَہُمۡ حَتّٰی طَالَ عَلَیۡہِمُ الۡعُمُرُ ؕ اَفَلَا یَرَوۡنَ اَنَّا نَاۡتِی الۡاَرۡضَ نَنۡقُصُہَا مِنۡ اَطۡرَافِہَا ؕ اَفَہُمُ الۡغٰلِبُوۡنَ ﴿۴۴﴾
(૪૪) બલ્કે અમોએ તેમને અને તેમના બાપદાદાઓને (નેઅમતોથી) ફાયદો પહોંચાડ્યો એટલે સુધી કે તેઓની ઉમ્ર લાંબી થઇ (જેથી તેઓ સરકશ બન્યા) શું તેઓ નથી જોતા અમે ઝમીનને તેની આજુબાજુથી ઘટાડતા આવીએ છીએ? શું તેઓ ગાલિબ છે (કે અમે)?
وَ نَضَعُ الۡمَوَازِیۡنَ الۡقِسۡطَ لِیَوۡمِ الۡقِیٰمَۃِ فَلَا تُظۡلَمُ نَفۡسٌ شَیۡئًا ؕ وَ اِنۡ کَانَ مِثۡقَالَ حَبَّۃٍ مِّنۡ خَرۡدَلٍ اَتَیۡنَا بِہَا ؕ وَ کَفٰی بِنَا حٰسِبِیۡنَ ﴿۴۷﴾
(૪૭) અને અમે કયામતના દિવસે ઇન્સાફના ત્રાજવાંને કાયમ કરીશું, અને કોઇના ઉપર લેશમાત્ર ઝુલ્મ કરવામાં નહિ આવે; અને જો રાઇના દાણા જેટલો (નેક અમલ) હશે તો તે અમે તેને લાવીશું અને એ જ બસ છે કે અમે હિસાબ લેનાર હોય!
وَ جَعَلۡنٰہُمۡ اَئِمَّۃً یَّہۡدُوۡنَ بِاَمۡرِنَا وَ اَوۡحَیۡنَاۤ اِلَیۡہِمۡ فِعۡلَ الۡخَیۡرٰتِ وَ اِقَامَ الصَّلٰوۃِ وَ اِیۡتَآءَ الزَّکٰوۃِ ۚ وَ کَانُوۡا لَنَا عٰبِدِیۡنَ ﴿ۚۙ۷۳﴾
(૭૩) અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા, અને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી, અને તેઓ ફકત અમારી બંદગી કરનારા હતા.
وَ لُوۡطًا اٰتَیۡنٰہُ حُکۡمًا وَّ عِلۡمًا وَّ نَجَّیۡنٰہُ مِنَ الۡقَرۡیَۃِ الَّتِیۡ کَانَتۡ تَّعۡمَلُ الۡخَبٰٓئِثَ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمَ سَوۡءٍ فٰسِقِیۡنَ ﴿ۙ۷۴﴾
(૭૪) અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવ્વત અને ઇલ્મ આપ્યું, અને તેને તે વસ્તીથી છુટકારો આપ્યો કે જે બદ કામ કરતી હતી; હકીકતમાં તે બદકાર અને નાફરમાન કોમ હતી.
وَ دَاوٗدَ وَ سُلَیۡمٰنَ اِذۡ یَحۡکُمٰنِ فِی الۡحَرۡثِ اِذۡ نَفَشَتۡ فِیۡہِ غَنَمُ الۡقَوۡمِ ۚ وَ کُنَّا لِحُکۡمِہِمۡ شٰہِدِیۡنَ ﴿٭ۙ۷۸﴾
(૭૮) અને જ્યારે દાવૂદ અને સુલયમાન એક ખેતીના સંબંધમાં કે જેમાં કૌમની બકરીઓનું ટોળું રાતના સમયે ચરી ગયું હતું (તે બાબતે) ફેસલો કરી રહ્યા હતા અને અમો તેમના ફેસલાના ગવાહ હતા.
فَفَہَّمۡنٰہَا سُلَیۡمٰنَ ۚ وَ کُلًّا اٰتَیۡنَا حُکۡمًا وَّ عِلۡمًا ۫ وَّ سَخَّرۡنَا مَعَ دَاوٗدَ الۡجِبَالَ یُسَبِّحۡنَ وَ الطَّیۡرَ ؕ وَ کُنَّا فٰعِلِیۡنَ ﴿۷۹﴾
(૭૯) પછી અમોએ સુલયમાનને (સાચો ફેસલો) સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવ્વત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાવૂદના તાબે કરી દીધા હતા જેથી (તેની સાથે) પરવરદિગારની તસ્બીહ કરે અને આ બધુ અમે અંજામ આપ્યુ.
فَاسۡتَجَبۡنَا لَہٗ فَکَشَفۡنَا مَا بِہٖ مِنۡ ضُرٍّ وَّ اٰتَیۡنٰہُ اَہۡلَہٗ وَ مِثۡلَہُمۡ مَّعَہُمۡ رَحۡمَۃً مِّنۡ عِنۡدِنَا وَ ذِکۡرٰی لِلۡعٰبِدِیۡنَ ﴿۸۴﴾
(૮૪) તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેમની મુશ્કેલી દૂર કરી અને તેમને તેમના બાલ-બચ્ચાં પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા જેથી અમારા તરફથી રહેમત અને ઇબાદત કરનારાઓ માટે એક યાદદહાની બને.
وَ ذَاالنُّوۡنِ اِذۡ ذَّہَبَ مُغَاضِبًا فَظَنَّ اَنۡ لَّنۡ نَّقۡدِرَ عَلَیۡہِ فَنَادٰی فِی الظُّلُمٰتِ اَنۡ لَّاۤ اِلٰہَ اِلَّاۤ اَنۡتَ سُبۡحٰنَکَ ٭ۖ اِنِّیۡ کُنۡتُ مِنَ الظّٰلِمِیۡنَ ﴿ۚۖ۸۷﴾
(૮૭) અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઇ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોઝી તંગ નહિ કરીએ અને પછી તે (માછલીના પેટના) અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છો અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.
فَاسۡتَجَبۡنَا لَہٗ ۫ وَ وَہَبۡنَا لَہٗ یَحۡیٰی وَ اَصۡلَحۡنَا لَہٗ زَوۡجَہٗ ؕاِنَّہُمۡ کَانُوۡا یُسٰرِعُوۡنَ فِی الۡخَیۡرٰتِ وَ یَدۡعُوۡنَنَا رَغَبًا وَّ رَہَبًا ؕوَ کَانُوۡا لَنَا خٰشِعِیۡنَ ﴿۹۰﴾
(૯૦) તો અમોએ તેની દુઆને કબૂલ કરી અને તેને યાહ્યા (નામનો) ફરઝંદ આપ્યો, તથા તેની ઔરતને (ગર્ભધારણ કરવા માટે) યોગ્ય બનાવી; બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ ઝડપથી આગળ વધવાવાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા; અને અમારી પાસે આજીજી કરવાવાળા હતા.
وَ اقۡتَرَبَ الۡوَعۡدُ الۡحَقُّ فَاِذَا ہِیَ شَاخِصَۃٌ اَبۡصَارُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ یٰوَیۡلَنَا قَدۡ کُنَّا فِیۡ غَفۡلَۃٍ مِّنۡ ہٰذَا بَلۡ کُنَّا ظٰلِمِیۡنَ ﴿۹۷﴾
(૯૭) અને અલ્લાહનો હક વાયદો નજીક આવી જશે ત્યારે બધા જોશે કે નાસ્તિકોની આંખો (ફાટીને) સ્થિર થઇ ગઇ હશે અને (તેઓ કહી રહ્યા હશે) હાય અફસોસ અમારા હાલ પર અમે આનાથી બિલકુલ ગાફિલ હતા, બલ્કે અમે ઝુલ્મ કરવાવાળા હતા!
یَوۡمَ نَطۡوِی السَّمَآءَ کَطَیِّ السِّجِلِّ لِلۡکُتُبِ ؕ کَمَا بَدَاۡنَاۤ اَوَّلَ خَلۡقٍ نُّعِیۡدُہٗ ؕ وَعۡدًا عَلَیۡنَا ؕ اِنَّا کُنَّا فٰعِلِیۡنَ ﴿۱۰۴﴾
(૧૦૪) તે દિવસે અમે આસમાનોને એવી રીતે વીટી લઇશું જેવી રીતે કાગળને વીંટવામાં આવે, પછી જેવી રીતે અમોએ પહેલા ખલ્ક કર્યુ હતું તે જ રીતે તેને પલટાવશું; આ અમારો વાયદો છે જે અમારા શિરે છે; બેશક અમે તેને પૂરો કરીશું.