અલ-કુરઆન

22

Al-Hajj

سورة الحج


یٰۤاَیُّہَا النَّاسُ اتَّقُوۡا رَبَّکُمۡ ۚ اِنَّ زَلۡزَلَۃَ السَّاعَۃِ شَیۡءٌ عَظِیۡمٌ ﴿۱﴾

(૧) અય લોકો ! તમે તમારા પરવરદિગારથી ડરો; બેશક (કયામતની) ઘડીનો ઝલઝલો ઘણીજ મોટી વસ્તું છે.

یَوۡمَ تَرَوۡنَہَا تَذۡہَلُ کُلُّ مُرۡضِعَۃٍ عَمَّاۤ اَرۡضَعَتۡ وَ تَضَعُ کُلُّ ذَاتِ حَمۡلٍ حَمۡلَہَا وَ تَرَی النَّاسَ سُکٰرٰی وَ مَا ہُمۡ بِسُکٰرٰی وَ لٰکِنَّ عَذَابَ اللّٰہِ شَدِیۡدٌ ﴿۲﴾

(૨) જે દિવસે તમે નિહાળશો કે (ગભરાહટથી) દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બાળકને મૂકી દેશે અને દરેક હામેલા પોતાના હમલને પાડી દેશે અને તું લોકોને નશામાં ચકચૂર જોશે, જો કે તેઓ નશામાં મસ્ત નહિ હોય, બલ્કે અલ્લાહનો અઝાબ જ (એવો) સખ્ત હશે.

وَ مِنَ النَّاسِ مَنۡ یُّجَادِلُ فِی اللّٰہِ بِغَیۡرِ عِلۡمٍ وَّ یَتَّبِعُ کُلَّ شَیۡطٰنٍ مَّرِیۡدٍ ۙ﴿۳﴾

(૩) અને લોકોમાંથી અમુક એવા છે કે જે જાણકારી વિના અલ્લાહના બારામાં વાદવિવાદ કરે છે અને દરેક બદમાશ શેતાનની તાબેદારી કરે છે.

کُتِبَ عَلَیۡہِ اَنَّہٗ مَنۡ تَوَلَّاہُ فَاَنَّہٗ یُضِلُّہٗ وَ یَہۡدِیۡہِ اِلٰی عَذَابِ السَّعِیۡرِ ﴿۴﴾

(૪) તેઓના બારામાં આ લખી (નક્કી કરી) દેવામાં આવ્યું છે કે જે (શૈતાન)ને પોતાનો સરપરસ્ત બનાવશે તે (શૈતાન) તેને ગુમરાહ કરશે અને પછી જહન્નમની આગ તરફ હિદાયત કરશે.

یٰۤاَیُّہَا النَّاسُ اِنۡ کُنۡتُمۡ فِیۡ رَیۡبٍ مِّنَ الۡبَعۡثِ فَاِنَّا خَلَقۡنٰکُمۡ مِّنۡ تُرَابٍ ثُمَّ مِنۡ نُّطۡفَۃٍ ثُمَّ مِنۡ عَلَقَۃٍ ثُمَّ مِنۡ مُّضۡغَۃٍ مُّخَلَّقَۃٍ وَّ غَیۡرِ مُخَلَّقَۃٍ لِّنُبَیِّنَ لَکُمۡ ؕ وَ نُقِرُّ فِی الۡاَرۡحَامِ مَا نَشَآءُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ نُخۡرِجُکُمۡ طِفۡلًا ثُمَّ لِتَبۡلُغُوۡۤا اَشُدَّکُمۡ ۚ وَ مِنۡکُمۡ مَّنۡ یُّتَوَفّٰی وَ مِنۡکُمۡ مَّنۡ یُّرَدُّ اِلٰۤی اَرۡذَلِ الۡعُمُرِ لِکَیۡلَا یَعۡلَمَ مِنۡۢ بَعۡدِ عِلۡمٍ شَیۡئًا ؕ وَ تَرَی الۡاَرۡضَ ہَامِدَۃً فَاِذَاۤ اَنۡزَلۡنَا عَلَیۡہَا الۡمَآءَ اہۡتَزَّتۡ وَ رَبَتۡ وَ اَنۡۢبَتَتۡ مِنۡ کُلِّ زَوۡجٍۭ بَہِیۡجٍ ﴿۵﴾

(૫) અય લોકો ! જો તમને પાછા ઉઠાડવાના બારામાં શંકા હોય તો જાણી લો કે પહેલા અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી નુત્ફાથી (વીર્યથી), પછી જામેલા લોહીમાંથી, પછી માંસના લોચામાંથી કે જે આકારવાળા અને આકાર વગરના હોય છે જેથી તમારી ઉપર અમારી કુદરતને વાઝેહ કરી નાખીયે અને અમે જેને ચાહીએ તેને ખાસ મુદ્દત સુધી માના રહેમમાં રહેવા દઇએ છીએ, પછી તમને બાળક બનાવીને બહાર કાઢીએ છીએ જેથી પુખ્તવયે પહોંચે, પછી તમારામાંથી કોઇને મોત આપવામાં આવે છે અને અમુકને જીવનના સૌથી ખરાબ હિસ્સા (બુઢાપા) સુધી પહોંચાડવામાં આવે છે, જેથી તે ઇલ્મ રાખ્યા બાદ અજાણ બની જાય; અને તુ આ ઝમીનને ઉજ્જડ જૂએ છો, પછી જયારે અમે પાણી વરસાવીએ છીએ ત્યારે તે ખીલી ઉઠે છે અને તે દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે.

ذٰلِکَ بِاَنَّ اللّٰہَ ہُوَ الۡحَقُّ وَ اَنَّہٗ یُحۡیِ الۡمَوۡتٰی وَ اَنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ۙ﴿۶﴾

(૬) આ એ માટે કે અલ્લાહ બરહક છે અને એ જ મરણ પામેલાઓને સજીવન કરે છે અને એ દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો છે.

وَّ اَنَّ السَّاعَۃَ اٰتِیَۃٌ لَّا رَیۡبَ فِیۡہَا ۙ وَ اَنَّ اللّٰہَ یَبۡعَثُ مَنۡ فِی الۡقُبُوۡرِ ﴿۷﴾

(૭) અને (કયામતની) ઘડી જરૂર આવનારી છે, તેમાં કોઇ જાતની શંકા નથી; અને અલ્લાહ તે સઘળાઓને કે જેઓ કબરોમાં છે ઉઠાડી ઊભા કરશે.

وَ مِنَ النَّاسِ مَنۡ یُّجَادِلُ فِی اللّٰہِ بِغَیۡرِ عِلۡمٍ وَّ لَا ہُدًی وَّ لَا کِتٰبٍ مُّنِیۡرٍ ۙ﴿۸﴾

(૮) અને લોકોમાં એવા પણ છે જે ઇલ્મ, હિદાયત અને કિતાબે મુનીર વગર ખુદા વિશે બહેસ કરે છે.

ثَانِیَ عِطۡفِہٖ لِیُضِلَّ عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ لَہٗ فِی الدُّنۡیَا خِزۡیٌ وَّ نُذِیۡقُہٗ یَوۡمَ الۡقِیٰمَۃِ عَذَابَ الۡحَرِیۡقِ ﴿۹﴾

(૯) તેણે ગુરૂર કરી મોઢું ફેરવી લીધું કે જેથી (બીજાઓને પણ) રાહે ખુદાથી ગુમરાહ કરે, તેના માટે દુનિયામાં બદનામી છે અને આખેરતમાં અમો તેમને બળવાની સજાની મજા ચખાડીશું.

10

ذٰلِکَ بِمَا قَدَّمَتۡ یَدٰکَ وَ اَنَّ اللّٰہَ لَیۡسَ بِظَلَّامٍ لِّلۡعَبِیۡدِ ﴿٪۱۰﴾

(૧૦) આ (તેની સજા) છે કે જે તમારા હાથોએ અગાઉ મોકલાવેલ; અને ખુદા પોતાના બંદાઓ ઉપર કયારેય ઝુલ્મ કરતો નથી.

11

وَ مِنَ النَّاسِ مَنۡ یَّعۡبُدُ اللّٰہَ عَلٰی حَرۡفٍ ۚ فَاِنۡ اَصَابَہٗ خَیۡرُۨ اطۡمَاَنَّ بِہٖ ۚ وَ اِنۡ اَصَابَتۡہُ فِتۡنَۃُۨ انۡقَلَبَ عَلٰی وَجۡہِہٖ ۟ۚ خَسِرَ الدُّنۡیَا وَ الۡاٰخِرَۃَ ؕ ذٰلِکَ ہُوَ الۡخُسۡرَانُ الۡمُبِیۡنُ ﴿۱۱﴾

(૧૧) અને લોકોમાં અમુક એવા છે કે જે અલ્લાહની ઇબાદત ફકત જબાનથી કરે છે કે અગર તેને કોઇ ભલાઇ પહોંચે તો તે મુત્મઇન (સંતોષી) થઇ જાય છે, અને અગર કોઇ મુસીબત આવી પડે તો ઊંધા મોઢે ફરી જાય છે, તેઓ દુનિયા તથા આખેરતમાં નુકસાન ઉઠાવનાર છે, અને આ ચોખ્ખું નુકસાન છે.

12

یَدۡعُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَضُرُّہٗ وَ مَا لَا یَنۡفَعُہٗ ؕ ذٰلِکَ ہُوَ الضَّلٰلُ الۡبَعِیۡدُ ﴿ۚ۱۲﴾

(૧૨) તે અલ્લાહને છોડીને તેઓને પોકારે છે કે જે ન તેને કાંઇ નુકસાન પહોંચાડી શકે છે અને ન ફાયદો અને એજ દૂર (સુધી ફેલાયેલી) ગુમરાહી છે.

13

یَدۡعُوۡا لَمَنۡ ضَرُّہٗۤ اَقۡرَبُ مِنۡ نَّفۡعِہٖ ؕ لَبِئۡسَ الۡمَوۡلٰی وَ لَبِئۡسَ الۡعَشِیۡرُ ﴿۱۳﴾

(૧૩) તે એવાઓને પોકારે છે કે જેનું નુકસાન તેના ફાયદાથી વધારે નજીક છે, તે કેટલો ખરાબ સરપરસ્ત અને ખરાબ મદદગાર છે!

14

اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ اِنَّ اللّٰہَ یَفۡعَلُ مَا یُرِیۡدُ ﴿۱۴﴾

(૧૪) બેશક અલ્લાહ જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેઓને જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.

15

مَنۡ کَانَ یَظُنُّ اَنۡ لَّنۡ یَّنۡصُرَہُ اللّٰہُ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ فَلۡیَمۡدُدۡ بِسَبَبٍ اِلَی السَّمَآءِ ثُمَّ لۡیَقۡطَعۡ فَلۡیَنۡظُرۡ ہَلۡ یُذۡہِبَنَّ کَیۡدُہٗ مَا یَغِیۡظُ ﴿۱۵﴾

(૧૫) જે કોઇને એવુ ગુમાન હોય કે અલ્લાહ તે (પયગંબર)ની દુનિયા તથા આખેરતમાં મદદ નહિં કરે (તેના કારણે ગુસ્સે છે) તો તેને જોઇએ કે છત પર દોરડુ ખેંચે પછી (પોતાને લટકાવીને જીવનની દોરી) કાપી નાખે પછી જૂએ કે તેની આ તરકીબ ગુસ્સો દેવરાવનાર વસ્તુને દૂર કરે છે?

16

وَ کَذٰلِکَ اَنۡزَلۡنٰہُ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۙ وَّ اَنَّ اللّٰہَ یَہۡدِیۡ مَنۡ یُّرِیۡدُ ﴿۱۶﴾

(૧૬) અને આ રીતે અમોએ આ (કુરઆન)ને વાઝેહ નિશાનીના રૂપમાં નાઝિલ કર્યુ, અને અલ્લાહ જેને ચાહે છે તેની હિદાયત કરે છે.

17

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ الصّٰبِئِیۡنَ وَ النَّصٰرٰی وَ الۡمَجُوۡسَ وَ الَّذِیۡنَ اَشۡرَکُوۡۤا ٭ۖ اِنَّ اللّٰہَ یَفۡصِلُ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۱۷﴾

(૧૭) બેશક જે લોકો ઇમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા તથા સિતારા પરસ્ત અને નસારા તેમજ મજૂસ થયા અને જેઓએ શિર્ક કર્યુ તેઓના દરમ્યાન કયામતને દિવસે અલ્લાહ ફેંસલો કરશે કારણકે તે દરેક ચીઝ પર ગવાહ છે.

18

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یَسۡجُدُ لَہٗ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ وَ الشَّمۡسُ وَ الۡقَمَرُ وَ النُّجُوۡمُ وَ الۡجِبَالُ وَ الشَّجَرُ وَ الدَّوَآبُّ وَ کَثِیۡرٌ مِّنَ النَّاسِ ؕ وَ کَثِیۡرٌ حَقَّ عَلَیۡہِ الۡعَذَابُ ؕ وَ مَنۡ یُّہِنِ اللّٰہُ فَمَا لَہٗ مِنۡ مُّکۡرِمٍ ؕ اِنَّ اللّٰہَ یَفۡعَلُ مَا یَشَآءُ ﴿ؕٛ۱۸﴾

(૧૮) શું તુ નથી જોતો કે જેઓ આસમાનો તથા ઝમીનમાં છે તેઓ અને સૂરજ તથા ચાંદ તથા તારા અને પહાડો તથા વૃક્ષો અને જાનવરો તથા માણસોમાંના ઘણાં ખરા અલ્લાહને સિજદો કરે છે? અને તેઓમાં ઘણાં ખરા એવા છે જેમના ઉપર (ઇન્કારના કારણે) અઝાબ નક્કી છે; અને જેને અલ્લાહ ઝલીલ કરે તેને ઇઝઝત આપનાર કોઇ નથી; બેશક અલ્લાહ જે ચાહે છે તે કરે છે.

19

ہٰذٰنِ خَصۡمٰنِ اخۡتَصَمُوۡا فِیۡ رَبِّہِمۡ ۫ فَالَّذِیۡنَ کَفَرُوۡا قُطِّعَتۡ لَہُمۡ ثِیَابٌ مِّنۡ نَّارٍ ؕ یُصَبُّ مِنۡ فَوۡقِ رُءُوۡسِہِمُ الۡحَمِیۡمُ ﴿ۚ۱۹﴾

(૧૯) આ બંને ગિરોહ એકબીજાના દુશ્મન છે, જે પોતાના પરવરદિગારના સંબંધમાં ઝઘડો કર્યો; અને નાસ્તિકો માટે આગના કપડાં વેતરવામાં આવેલ છે; (અને) તેમના માથા પર ઉકળતું પાણી રેડવામાં આવશે.

20

یُصۡہَرُ بِہٖ مَا فِیۡ بُطُوۡنِہِمۡ وَ الۡجُلُوۡدُ ﴿ؕ۲۰﴾

(૨૦) જેથી તેમના પેટમાં જે કાંઇ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે.

21

وَ لَہُمۡ مَّقَامِعُ مِنۡ حَدِیۡدٍ ﴿۲۱﴾

(૨૧) અને તેમના માટે લોખંડી ગદાઓ (ગુર્ઝ) છે.

22

کُلَّمَاۤ اَرَادُوۡۤا اَنۡ یَّخۡرُجُوۡا مِنۡہَا مِنۡ غَمٍّ اُعِیۡدُوۡا فِیۡہَا ٭ وَ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِیۡقِ ﴿٪۲۲﴾

(૨૨) જ્યારે તેઓ તે ગમમાંથી નીકળવાનો ઇરાદો કરશે ત્યારે તેમાંજ પાછા ધકેલવામાં આવશે અને (કહેવામાં આવશે) બળવાની સજાની મજા ચાખો.

23

اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ یُحَلَّوۡنَ فِیۡہَا مِنۡ اَسَاوِرَ مِنۡ ذَہَبٍ وَّ لُؤۡلُؤًا ؕ وَ لِبَاسُہُمۡ فِیۡہَا حَرِیۡرٌ ﴿۲۳﴾

(૨૩) બેશક જેઓ ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા અલ્લાહ તેમને જન્નતોમાં દાખલ કરશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે; તેમાં તેમને સોનાના કડા તથા મોતીના કડાથી શણગારવામાં આવશે અને તેમાં તેમનો પોશાક રેશમનો છે.

24

وَ ہُدُوۡۤا اِلٰی الطَّیِّبِ مِنَ الۡقَوۡلِ ۚۖ وَ ہُدُوۡۤا اِلَی صِرَاطِ الۡحَمِیۡدِ ﴿۲۴﴾

(૨૪) અને તેમને પાકીઝા કોલની તરફ હિદાયત આપવામાં આવશે અને વખાણને પાત્ર રસ્તા તરફ હિદાયત આપવામાં આવશે.

25

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ یَصُدُّوۡنَ عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ الۡمَسۡجِدِ الۡحَرَامِ الَّذِیۡ جَعَلۡنٰہُ لِلنَّاسِ سَوَآءَۨ الۡعَاکِفُ فِیۡہِ وَ الۡبَادِ ؕ وَ مَنۡ یُّرِدۡ فِیۡہِ بِاِلۡحَادٍۭ بِظُلۡمٍ نُّذِقۡہُ مِنۡ عَذَابٍ اَلِیۡمٍ ﴿٪۲۵﴾

(૨૫) બેશક જેઓએ ઇન્કાર કર્યો અને લોકોને અલ્લાહના રસ્તાથી અટકાવે છે તથા મસ્જિદુલ હરામથી કે જેને અમોએ સર્વે લોકો માટે સમાન રાખ્યો છે. પછી તે ત્યાંનો રહેવાસી હોય કે બહારનો હોય, અને જે કોઇ આ (ઝમીન)માં સરકશી અને ઝુલ્મનો ઇરાદો કરશે તો અમે તેને દર્દનાક અઝાબની મજા ચખાડીશું.

26

وَ اِذۡ بَوَّاۡنَا لِاِبۡرٰہِیۡمَ مَکَانَ الۡبَیۡتِ اَنۡ لَّا تُشۡرِکۡ بِیۡ شَیۡئًا وَّ طَہِّرۡ بَیۡتِیَ لِلطَّآئِفِیۡنَ وَ الۡقَآئِمِیۡنَ وَ الرُّکَّعِ السُّجُوۡدِ ﴿۲۶﴾

(૨૬) અને યાદ કરો જ્યારે ઇબ્રાહીમને ખાનએ કાબાની જગ્યા તૈયાર કરી (જેથી તે મકાન ચણે અને કહ્યુ કે) કાંઇપણ ચીઝને મારી શરીક ન બનાવ અને મારા ઘરને તવાફ કરનારાઓ તથા કયામ કરનારાઓ તથા રૂકૂઅ અને સજદો કરનારાઓ માટે પાક કર.

27

وَ اَذِّنۡ فِی النَّاسِ بِالۡحَجِّ یَاۡتُوۡکَ رِجَالًا وَّ عَلٰی کُلِّ ضَامِرٍ یَّاۡتِیۡنَ مِنۡ کُلِّ فَجٍّ عَمِیۡقٍ ﴿ۙ۲۷﴾

(૨૭) અને લોકોને હજ્જનું એલાન કર જેથી તેઓ તારા તરફ ચાલીને આવે તેમજ દૂરથી દુબળી સવારીઓ પર સવાર થઇને આવે;

28

لِّیَشۡہَدُوۡا مَنَافِعَ لَہُمۡ وَ یَذۡکُرُوا اسۡمَ اللّٰہِ فِیۡۤ اَیَّامٍ مَّعۡلُوۡمٰتٍ عَلٰی مَا رَزَقَہُمۡ مِّنۡۢ بَہِیۡمَۃِ الۡاَنۡعَامِ ۚ فَکُلُوۡا مِنۡہَا وَ اَطۡعِمُوا الۡبَآئِسَ الۡفَقِیۡرَ ﴿۫۲۸﴾

(૨૮) જેથી તેઓ પોતાના જુદા-જુદા ફાયદાઓ જોવે અને અમુક નક્કી દિવસોમાં જે જાનવરો તમને અલ્લાહે રિઝ્ક તરીકે આપ્યા છે તેના ઉપર અલ્લાહનું નામ (ઝબ્હ કરતી વખતે) લ્યે પછી તેમાંથી તમે પોતે ખાવ અને મોહતાજ ફકીરોને પણ ખવડાવો.

29

ثُمَّ لۡیَقۡضُوۡا تَفَثَہُمۡ وَ لۡیُوۡفُوۡا نُذُوۡرَہُمۡ وَ لۡیَطَّوَّفُوۡا بِالۡبَیۡتِ الۡعَتِیۡقِ ﴿۲۹﴾

(૨૯) પછી આ જરૂરી છે કે તેઓ (પોતાની) નાપાકીઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે તથા આ કદીમ ઘરનો (કાબા) તવાફ કરે.

30

ذٰلِکَ ٭ وَ مَنۡ یُّعَظِّمۡ حُرُمٰتِ اللّٰہِ فَہُوَ خَیۡرٌ لَّہٗ عِنۡدَ رَبِّہٖ ؕ وَ اُحِلَّتۡ لَکُمُ الۡاَنۡعَامُ اِلَّا مَا یُتۡلٰی عَلَیۡکُمۡ فَاجۡتَنِبُوا الرِّجۡسَ مِنَ الۡاَوۡثَانِ وَ اجۡتَنِبُوۡا قَوۡلَ الزُّوۡرِ ﴿ۙ۳۰﴾

(૩૦) આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની હુરમતવાળી વસ્તુઓને માન આપે, તે તેના હકમાં તેના પરવરદિગારની પાસે બહેતર છે; અને તમારા માટે જાનવરો હલાલ કરવામાં આવ્યાં, સિવાય કે જેમનું બયાન તમને કરવામાં આવે, માટે તમે બૂતોની નાપાકીથી બચો અને નકામી વાતોથી બચો.

31

حُنَفَآءَ لِلّٰہِ غَیۡرَ مُشۡرِکِیۡنَ بِہٖ ؕ وَ مَنۡ یُّشۡرِکۡ بِاللّٰہِ فَکَاَنَّمَا خَرَّ مِنَ السَّمَآءِ فَتَخۡطَفُہُ الطَّیۡرُ اَوۡ تَہۡوِیۡ بِہِ الرِّیۡحُ فِیۡ مَکَانٍ سَحِیۡقٍ ﴿۳۱﴾

(૩૧) (હજ અંજામ આપો) કોઇને પણ તેનો શરીક બનાવ્યા વગર માત્ર અલ્લાહ માટે જ અને જે શખ્સ કોઇને અલ્લાહનો શરીક કરે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય, અને તેને પરીન્દા પકડી લે, અથવા હવા તેને ઉડાડી કોઇ દૂરની જગ્યાએ ફેંકી દે.

32

ذٰلِکَ ٭ وَ مَنۡ یُّعَظِّمۡ شَعَآئِرَ اللّٰہِ فَاِنَّہَا مِنۡ تَقۡوَی الۡقُلُوۡبِ ﴿۳۲﴾

(૩૨) આ (મનાસિકે હજ) છે, અને જે પણ અલ્લાહની નિશાનીઓને માન આપે તો બેશક તે કાર્ય દિલની પરહેઝગારીની નિશાની છે.

33

لَکُمۡ فِیۡہَا مَنَافِعُ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ثُمَّ مَحِلُّہَاۤ اِلَی الۡبَیۡتِ الۡعَتِیۡقِ ﴿٪۳۳﴾

(૩૩) તે (કુરબાનીના જાનવર)માં તમારા માટે ફાયદાઓ છે નક્કી થયેલ મુદ્દત સુધી ત્યારબાદ તેની જગ્યા કદીમ ઘર (કાબા) છે.

34

وَ لِکُلِّ اُمَّۃٍ جَعَلۡنَا مَنۡسَکًا لِّیَذۡکُرُوا اسۡمَ اللّٰہِ عَلٰی مَا رَزَقَہُمۡ مِّنۡۢ بَہِیۡمَۃِ الۡاَنۡعَامِ ؕ فَاِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ فَلَہٗۤ اَسۡلِمُوۡا ؕ وَ بَشِّرِ الۡمُخۡبِتِیۡنَ ﴿ۙ۳۴﴾

(૩૪) અને દરેક ઉમ્મત માટે અમોએ કુરબાનીની જગ્યા નક્કી કરી, જેથી જે જાનવરોનું રીઝક તેમને આપેલ છે તેમના ઉપર અલ્લાહનું નામ લ્યે; બસ તમારો માઅબૂદ એક જ છે, માટે તમે તેના તાબે થાવ અને નમ્રતા રાખવાવાળાને ખુશખબરી આપી દ્યો:

35

الَّذِیۡنَ اِذَا ذُکِرَ اللّٰہُ وَجِلَتۡ قُلُوۡبُہُمۡ وَ الصّٰبِرِیۡنَ عَلٰی مَاۤ اَصَابَہُمۡ وَ الۡمُقِیۡمِی الصَّلٰوۃِ ۙ وَ مِمَّا رَزَقۡنٰہُمۡ یُنۡفِقُوۡنَ ﴿۳۵﴾

(૩૫) તેઓ કે જેમની સામે જ્યારે અલ્લાહનું વર્ણન કરવામાં આવે છે ત્યારે તેમના મન ભયગ્રસ્ત થઇ જાય છે, તેઓ મુસીબત પર સબ્ર કરનારા છે, તથા નમાઝને કાયમ કરનારા છે અને અમોએ તેમને જે કાંઇ રોઝી આપી તેમાંથી ખૈરાત કરે છે.

36

وَ الۡبُدۡنَ جَعَلۡنٰہَا لَکُمۡ مِّنۡ شَعَآئِرِ اللّٰہِ لَکُمۡ فِیۡہَا خَیۡرٌ ٭ۖ فَاذۡکُرُوا اسۡمَ اللّٰہِ عَلَیۡہَا صَوَآفَّ ۚ فَاِذَا وَجَبَتۡ جُنُوۡبُہَا فَکُلُوۡا مِنۡہَا وَ اَطۡعِمُوا الۡقَانِعَ وَ الۡمُعۡتَرَّ ؕ کَذٰلِکَ سَخَّرۡنٰہَا لَکُمۡ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۳۶﴾

(૩૬) અને જાડા ઊંટોને અમોએ અમારી નિશાનીઓમાંથી બનાવ્યા; તેમાં તમારા માટે ભલાઇ છે; (કુરબાની વખતે) હરોળમાં ઊભા હોય એવી હાલતમાં તેમના ઉપર અલ્લાહનું નામ લ્યો, (અને પછી ગળામાં છરી ખૂંચાડો) પછી જ્યારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય ત્યારે તમે પોતે તેમાંથી ખાવ તથા સંતોષી અને માંગનારા બધા ગરીબોને ખવડાવો; આ રીતે અમોએ તેઓને તમારા આધીન કરી દીધા કે જેથી તમે શુક્ર કરો.

37

لَنۡ یَّنَالَ اللّٰہَ لُحُوۡمُہَا وَ لَا دِمَآؤُہَا وَ لٰکِنۡ یَّنَالُہُ التَّقۡوٰی مِنۡکُمۡ ؕ کَذٰلِکَ سَخَّرَہَا لَکُمۡ لِتُکَبِّرُوا اللّٰہَ عَلٰی مَا ہَدٰىکُمۡ ؕ وَ بَشِّرِ الۡمُحۡسِنِیۡنَ ﴿۳۷﴾

(૩૭) અલ્લાહને ન તે જાનવરોનું ગોશ્ત પહોંચે છે અને ન તેમનું લોહી, બલ્કે તેને તો તમારી પરહેઝગારી જ પહોંચે છે અને આ જ રીતે તેણે જાનવરોને તમારા આધીન કરી દીધા કે જેથી અલ્લાહે આપેલી હિદાયત ઉપર તેની મોટાઇ વર્ણવતા રહો; તથા નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે.

38

اِنَّ اللّٰہَ یُدٰفِعُ عَنِ الَّذِیۡنَ اٰمَنُوۡا ؕ اِنَّ اللّٰہَ لَا یُحِبُّ کُلَّ خَوَّانٍ کَفُوۡرٍ ﴿٪۳۸﴾

(૩૮) બેશક અલ્લાહ ઇમાનવાળાઓનું રક્ષણ કરે છે કારણકે અલ્લાહ કોઇપણ ખયાનતકાર નાશુક્રાને નથી ચાહતો.

39

اُذِنَ لِلَّذِیۡنَ یُقٰتَلُوۡنَ بِاَنَّہُمۡ ظُلِمُوۡا ؕ وَ اِنَّ اللّٰہَ عَلٰی نَصۡرِہِمۡ لَقَدِیۡرُۨ ﴿ۙ۳۹﴾

(૩૯) જેમની ઉપર જંગ થોપવામાં આવી છે તેઓને તેમની મઝલુમીય્યતના લીધે જેહાદની રજા આપવામાં આવી છે, અને બેશક અલ્લાહ તેમને મદદ કરવા માટે શક્તિવાન છે.

40

الَّذِیۡنَ اُخۡرِجُوۡا مِنۡ دِیَارِہِمۡ بِغَیۡرِ حَقٍّ اِلَّاۤ اَنۡ یَّقُوۡلُوۡا رَبُّنَا اللّٰہُ ؕ وَ لَوۡ لَا دَفۡعُ اللّٰہِ النَّاسَ بَعۡضَہُمۡ بِبَعۡضٍ لَّہُدِّمَتۡ صَوَامِعُ وَ بِیَعٌ وَّ صَلَوٰتٌ وَّ مَسٰجِدُ یُذۡکَرُ فِیۡہَا اسۡمُ اللّٰہِ کَثِیۡرًا ؕ وَ لَیَنۡصُرَنَّ اللّٰہُ مَنۡ یَّنۡصُرُہٗ ؕ اِنَّ اللّٰہَ لَقَوِیٌّ عَزِیۡزٌ ﴿۴۰﴾

(૪૦) જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા હતા (તેઓનો ગુનાહ કાંઇ ન હતો સિવાય કે તેઓ કહેતા હતા) અમારો પરવરદિગાર અલ્લાહ છે, અને જો ખુદા અમુક લોકોને બીજા અમુક લોકો થકી દૂર ન કરેત તો દેવળ, ચર્ચ ગિરજાઘર અને મસ્જિદો કે જેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે છે તે વિરાન થઇ જાત, અને અલ્લાહ તેના મદદગારોને જરૂર મદદ કરશે, બેશક તે જબરદસ્ત કુવ્વતવાળો છે.

41

اَلَّذِیۡنَ اِنۡ مَّکَّنّٰہُمۡ فِی الۡاَرۡضِ اَقَامُوا الصَّلٰوۃَ وَ اٰتَوُا الزَّکٰوۃَ وَ اَمَرُوۡا بِالۡمَعۡرُوۡفِ وَ نَہَوۡا عَنِ الۡمُنۡکَرِ ؕ وَ لِلّٰہِ عَاقِبَۃُ الۡاُمُوۡرِ ﴿۴۱﴾

(૪૧) જ્યારે અમે તેઓને ઝમીનમાં ઇખ્તીયાર આપશુ ત્યારે તેઓએ નમાઝ કાયમ કરશે અને ઝકાત અદા કરશે અને નેકીઓનો હુકમ આપશે, તથા બદીથી રોકશે અને દરેક બાબતનો અંજામ અલ્લાહના ઇખ્તેયારમાં છે.

42

وَ اِنۡ یُّکَذِّبُوۡکَ فَقَدۡ کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ وَّ عَادٌ وَّ ثَمُوۡدُ ﴿ۙ۴۲﴾

(૪૨) અને અગર તને જૂઠલાવે તો તેમની પહેલાં નૂહની કોમ અને આદ તથા સમૂદની કોમે (તેના પયગંબરોને) જૂઠલાવ્યા હતા:

43

وَ قَوۡمُ اِبۡرٰہِیۡمَ وَ قَوۡمُ لُوۡطٍ ﴿ۙ۴۳﴾

(૪૩) અને ઇબ્રાહીમની કોમ તથા લૂતની કોમે (પણ:)

44

وَّ اَصۡحٰبُ مَدۡیَنَ ۚ وَ کُذِّبَ مُوۡسٰی فَاَمۡلَیۡتُ لِلۡکٰفِرِیۡنَ ثُمَّ اَخَذۡتُہُمۡ ۚ فَکَیۡفَ کَانَ نَکِیۡرِ ﴿۴۴﴾

(૪૪) અને મદયનવાળાઓએ પણ, અને મૂસાને પણ જૂઠલાવવામાં આવ્યા હતા, પરંતુ મેં નાસ્તિકોને મોહલત આપી, પછી મેં તેમને પકડી લીધા, કેવો હતો અમારા ઇન્કારનો નતીજો?!

45

فَکَاَیِّنۡ مِّنۡ قَرۡیَۃٍ اَہۡلَکۡنٰہَا وَ ہِیَ ظَالِمَۃٌ فَہِیَ خَاوِیَۃٌ عَلٰی عُرُوۡشِہَا وَ بِئۡرٍ مُّعَطَّلَۃٍ وَّ قَصۡرٍ مَّشِیۡدٍ ﴿۴۵﴾

(૪૫) પછી કેટલીય ઝુલ્મ કરતી વસ્તીઓને અમે હલાક કરી નાખી અને જેની (દિવાલો) છતો પર ઊંધી પડેલી છે, અને ઘણાંય કૂવા અવાવરા રહ્યા અને મઝબૂત ઊંચા મહેલો ખંડેર!

46

اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَتَکُوۡنَ لَہُمۡ قُلُوۡبٌ یَّعۡقِلُوۡنَ بِہَاۤ اَوۡ اٰذَانٌ یَّسۡمَعُوۡنَ بِہَا ۚ فَاِنَّہَا لَا تَعۡمَی الۡاَبۡصَارُ وَ لٰکِنۡ تَعۡمَی الۡقُلُوۡبُ الَّتِیۡ فِی الصُّدُوۡرِ ﴿۴۶﴾

(૪૬) શું તેઓ ઝમીનમાં ફર્યા નથી કે તેમની પાસે એવા દિલ હોય જે સમજે, અને એવા કાન હોય જે સાંભળે? કારણ કે હકીકતમાં આંખો આંધળી નથી હોતી, પરંતુ તે દિલો આંધળા હોય છે કે જે છાતીની અંદર હોય છે.

47

وَ یَسۡتَعۡجِلُوۡنَکَ بِالۡعَذَابِ وَ لَنۡ یُّخۡلِفَ اللّٰہُ وَعۡدَہٗ ؕ وَ اِنَّ یَوۡمًا عِنۡدَ رَبِّکَ کَاَلۡفِ سَنَۃٍ مِّمَّا تَعُدُّوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને (અય રસૂલ!) તેઓ તારાથી અઝાબ માટે ઉતાવળ કરે છે, જો કે અલ્લાહ હરગિઝ પોતાના વાયદા ખિલાફી નહી કરે! અને ખરેખર તારા પરવરદિગારની નજીક એક દિવસ એક હજાર વર્ષની બરાબર છે, જેનો તમે હિસાબ કરો છો.

48

وَ کَاَیِّنۡ مِّنۡ قَرۡیَۃٍ اَمۡلَیۡتُ لَہَا وَ ہِیَ ظَالِمَۃٌ ثُمَّ اَخَذۡتُہَا ۚ وَ اِلَیَّ الۡمَصِیۡرُ ﴿٪۴۸﴾

(૪૮) અને કેટલીએ વસ્તીઓને મોહલત આપી એવી હાલતમાં કે ઝાલિમ હતી. પછી મેં તેમને પકડી લીધા અને પાછું ફરવું મારી તરફ જ છે.

49

قُلۡ یٰۤاَیُّہَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَکُمۡ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۴۹﴾

(૪૯) તું કહે કે અય લોકો! હું ફકત ખુલ્લો ચેતવણી આપનાર છું.

50

فَالَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ رِزۡقٌ کَرِیۡمٌ ﴿۵۰﴾

(૫૦) પછી જે લોકો ઇમાન લાવ્યા અને જેમણે નેક આમાલ કર્યા તેમના માટે માફી તથા કિંમત રોઝી છે.

51

وَ الَّذِیۡنَ سَعَوۡا فِیۡۤ اٰیٰتِنَا مُعٰجِزِیۡنَ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَحِیۡمِ ﴿۵۱﴾

(૫૧) અને જે લોકોએ અમારી નિશાનીઓના બારામાં અમને આજીઝ બનાવી દેવાની કોશિશ કરી તેઓ દોઝખી છે.

52

وَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ مِنۡ رَّسُوۡلٍ وَّ لَا نَبِیٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰۤی اَلۡقَی الشَّیۡطٰنُ فِیۡۤ اُمۡنِیَّتِہٖ ۚ فَیَنۡسَخُ اللّٰہُ مَا یُلۡقِی الشَّیۡطٰنُ ثُمَّ یُحۡکِمُ اللّٰہُ اٰیٰتِہٖ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿ۙ۵۲﴾

(૫૨) અને અમોએ તારી પહેલાં કોઇ એવો રસૂલ કે નબીને નથી મોકલ્યો, સિવાય કે જયારે તેણે કોઇ (સારી) ઇચ્છા કરી ત્યારે શૈતાને તેની ઇચ્છાઓમાં વસવસો નાખ્યો, પરંતુ અલ્લાહે તે વસવસાએ શૈતાનીને નાબૂદ કરી નાખ્યા ત્યારબાદ અલ્લાહ પોતાની નિશાનીઓને મજબૂત કરે છે, અને અલ્લાહ જાણનાર તથા હિકમતવાળો છે:

53

لِّیَجۡعَلَ مَا یُلۡقِی الشَّیۡطٰنُ فِتۡنَۃً لِّلَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡقَاسِیَۃِ قُلُوۡبُہُمۡ ؕ وَ اِنَّ الظّٰلِمِیۡنَ لَفِیۡ شِقَاقٍۭ بَعِیۡدٍ ﴿ۙ۵۳﴾

(૫૩) જેથી શેતાને જે (વસવસો) નાખે છે તેને જેમનાં દિલોમાં બીમારી છે, અને જેમના દિલ સખત થઇ ગયા છે તેઓ માટે અજમાઇશ બનાવે અને બેશક ઝાલિમો દુશ્મનીમાં (હકથી) ઘણા દૂર પડયા છે:

54

وَّ لِیَعۡلَمَ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ اَنَّہُ الۡحَقُّ مِنۡ رَّبِّکَ فَیُؤۡمِنُوۡا بِہٖ فَتُخۡبِتَ لَہٗ قُلُوۡبُہُمۡ ؕ وَ اِنَّ اللّٰہَ لَہَادِ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۵۴﴾

(૫૪) અને એ માટે પણ કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું તેઓ જાણી લે કે તે (વહી) તારા પરવરદિગાર તરફથી હક છે જેથી તેઓ તેના પર ઇમાન લાવે અને તેમના દિલો તેના માટે નરમ બને; અને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઇમાન લાવ્યા તેમને સીધા રસ્તાની હિદાયત કરવાવાળો છે.

55

وَ لَا یَزَالُ الَّذِیۡنَ کَفَرُوۡا فِیۡ مِرۡیَۃٍ مِّنۡہُ حَتّٰی تَاۡتِیَہُمُ السَّاعَۃُ بَغۡتَۃً اَوۡ یَاۡتِیَہُمۡ عَذَابُ یَوۡمٍ عَقِیۡمٍ ﴿۵۵﴾

(૫૫) અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેઓ હંમેશા શંકામાં પડ્યા રહેશે, એટલે સુધી કે (કયામતની) ઘડી તેમના પર અચાનક આવી પડે અથવા અકીમ (જૂના નુકસાનનું વળતર ન વાળી શકાય એવા) દિવસનો અઝાબ તેમના પર આવી પડે.

56

اَلۡمُلۡکُ یَوۡمَئِذٍ لِّلّٰہِ ؕ یَحۡکُمُ بَیۡنَہُمۡ ؕ فَالَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۵۶﴾

(૫૬) તે દિવસે હુકૂમત અલ્લાહની જ હશે. તે જ તેમની વચ્ચે ફેંસલો કરશે; પરિણામે જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા છે તેઓ નેઅમતોવાળી જન્નતોમાં રહેશે.

57

وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا فَاُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ مُّہِیۡنٌ ﴿٪۵۷﴾

(૫૭) અને જેઓ ઇમાન નથી લાવ્યા અને અમારી નિશાનીઓને જૂઠલાવી, તેઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ હશે.

58

وَ الَّذِیۡنَ ہَاجَرُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ثُمَّ قُتِلُوۡۤا اَوۡ مَاتُوۡا لَیَرۡزُقَنَّہُمُ اللّٰہُ رِزۡقًا حَسَنًا ؕ وَ اِنَّ اللّٰہَ لَہُوَ خَیۡرُ الرّٰزِقِیۡنَ ﴿۵۸﴾

(૫૮) અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ જરૂર બહેતરીન રોઝી અતા કરશે; અને બેશક અલ્લાહ બેહતર રોઝી આપનાર છે.

59

لَیُدۡخِلَنَّہُمۡ مُّدۡخَلًا یَّرۡضَوۡنَہٗ ؕ وَ اِنَّ اللّٰہَ لَعَلِیۡمٌ حَلِیۡمٌ ﴿۵۹﴾

(૫૯) તેમને જરૂર એવી જગ્યામાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે; અને બેશક અલ્લાહ જાણનાર (અને) સહનશીલ છે.

60

ذٰلِکَ ۚ وَ مَنۡ عَاقَبَ بِمِثۡلِ مَا عُوۡقِبَ بِہٖ ثُمَّ بُغِیَ عَلَیۡہِ لَیَنۡصُرَنَّہُ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ لَعَفُوٌّ غَفُوۡرٌ ﴿۶۰﴾

(૬૦) એમ જ થશે; અને તે ઉપરાંત જેને જેટલી ઇજા પહોંચાડવામાં આવી હશે તેટલી જ સજા તે (દુશ્મન)ને આપે, જો તે પછી પણ તેના ઉપર ઝુલ્મ કરવામાં આવશે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.

61

ذٰلِکَ بِاَنَّ اللّٰہَ یُوۡلِجُ الَّیۡلَ فِی النَّہَارِ وَ یُوۡلِجُ النَّہَارَ فِی الَّیۡلِ وَ اَنَّ اللّٰہَ سَمِیۡعٌۢ بَصِیۡرٌ ﴿۶۱﴾

(૬૧) આ (મદદનો વાયદો) એ માટે છે કે (તે દરેક ચીજ પર સત્તાવાન છે) અલ્લાહ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં દાખલ કરે છે, અને અલ્લાહ સાંભળનારો (તથા) જોનારો છે.

62

ذٰلِکَ بِاَنَّ اللّٰہَ ہُوَ الۡحَقُّ وَ اَنَّ مَا یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِہٖ ہُوَ الۡبَاطِلُ وَ اَنَّ اللّٰہَ ہُوَ الۡعَلِیُّ الۡکَبِیۡرُ ﴿۶۲﴾

(૬૨) વળી એ કારણે કે અલ્લાહ હક છે, અને તેના સિવાય તેઓ જેને પણ પોકારે છે તે બાતિલ છે, અને અલ્લાહ બુલંદ (તથા) બુઝુર્ગીવાળો છે.

63

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً ۫ فَتُصۡبِحُ الۡاَرۡضُ مُخۡضَرَّۃً ؕ اِنَّ اللّٰہَ لَطِیۡفٌ خَبِیۡرٌ ﴿ۚ۶۳﴾

(૬૩) શું તેં આ નથી નિહાળ્યું કે અલ્લાહે આસમાન પરથી પાણી વરસાવ્યું, જેથી ઝમીન લીલીછમ થઇ જાય ? બેશક અલ્લાહ મહેરબાન જાણકાર છે.

64

لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ وَ اِنَّ اللّٰہَ لَہُوَ الۡغَنِیُّ الۡحَمِیۡدُ ﴿٪۶۴﴾

(૬૪) જે કાંઇ આસમાનમાં છે તથા જે કાંઇ ઝમીનમાં છે તે તેનું જ છે; અને બેશક તે બેનિયાઝ (અને) વખાણને પાત્ર છે.

65

اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ سَخَّرَ لَکُمۡ مَّا فِی الۡاَرۡضِ وَ الۡفُلۡکَ تَجۡرِیۡ فِی الۡبَحۡرِ بِاَمۡرِہٖ ؕ وَ یُمۡسِکُ السَّمَآءَ اَنۡ تَقَعَ عَلَی الۡاَرۡضِ اِلَّا بِاِذۡنِہٖ ؕ اِنَّ اللّٰہَ بِالنَّاسِ لَرَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿۶۵﴾

(૬૫) શું તે આ નથી જોયું કે ઝમીનમાં જે કાંઇ છે તેને અલ્લાહે તમારા તાબે કરી દીધું, અને હોડીઓ તેના હુકમથી દરિયામાં ચાલે છે, અને તેણે જ આસમાનને રોકી રાખ્યુ છે કે જે તેની રજા વગર ઝમીન પર પડી નથી જતુ? બેશક અલ્લાહ પોતાના બંદાઓ ઉપર દયાળુ અને માયાળુ છે.

66

وَ ہُوَ الَّذِیۡۤ اَحۡیَاکُمۡ ۫ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یُحۡیِیۡکُمۡ ؕ اِنَّ الۡاِنۡسَانَ لَکَفُوۡرٌ ﴿۶۶﴾

(૬૬) અને તે એજ છે કે જેણે તમને જીવન આપ્યું અને પછી મૌત આપશે, પછી (ફરી) જીવંત કરશે, પરંતુ ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.

67

لِکُلِّ اُمَّۃٍ جَعَلۡنَا مَنۡسَکًا ہُمۡ نَاسِکُوۡہُ فَلَا یُنَازِعُنَّکَ فِی الۡاَمۡرِ وَ ادۡعُ اِلٰی رَبِّکَ ؕ اِنَّکَ لَعَلٰی ہُدًی مُّسۡتَقِیۡمٍ ﴿۶۷﴾

(૬૭) અમે દરેક ઉમ્મત માટે ઇબાદત(ની રીત) નક્કી કરી છે જેથી તેઓ ઇબાદત કરે માટે આ બાબતમાં તેઓએ તારી સાથે ઝઘડો ન કરવો જોઇએ! અને તું તારા પરવરદિગાર તરફ તેમને દાવત દે, બેશક તું હિદાયતના સીધા રસ્તા પર છો.

68

وَ اِنۡ جٰدَلُوۡکَ فَقُلِ اللّٰہُ اَعۡلَمُ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۶۸﴾

(૬૮) છતાં પણ જો તેઓ તારી સાથે વાદ વિવાદ કરે તો કહે કે જે કામ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

69

اَللّٰہُ یَحۡکُمُ بَیۡنَکُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کُنۡتُمۡ فِیۡہِ تَخۡتَلِفُوۡنَ ﴿۶۹﴾

(૬૯) કયામતના દિવસે અલ્લાહ તમારી વચ્ચે તે બાબતે ફેસલો કરશે કે જેમાં તમે ઇખ્તેલાફ કરતા હતા.

70

اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ یَعۡلَمُ مَا فِی السَّمَآءِ وَ الۡاَرۡضِ ؕ اِنَّ ذٰلِکَ فِیۡ کِتٰبٍ ؕ اِنَّ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿۷۰﴾

(૭૦) શું તું નથી જાણતો કે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તેને અલ્લાહ જાણે છે? બેશક તે બધુ કિતાબમાં મૌજૂદ છે; બેશક આ અલ્લાહ માટે આસાન છે.

71

وَ یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَمۡ یُنَزِّلۡ بِہٖ سُلۡطٰنًا وَّ مَا لَیۡسَ لَہُمۡ بِہٖ عِلۡمٌ ؕ وَ مَا لِلظّٰلِمِیۡنَ مِنۡ نَّصِیۡرٍ ﴿۷۱﴾

(૭૧) અને તેઓ અલ્લાહને મૂકીને એવાની બંદગી કરે છે કે જેના વિશે ન અલ્લાહે કોઇ દલીલ ઉતારી છે. અને ન તેઓ પાસે તે (માઅબૂદો ) વિશે કંઇ ઇલ્મ છે; અને ઝાલિમોનો કોઇ મદદગાર નથી.

72

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ تَعۡرِفُ فِیۡ وُجُوۡہِ الَّذِیۡنَ کَفَرُوا الۡمُنۡکَرَ ؕ یَکَادُوۡنَ یَسۡطُوۡنَ بِالَّذِیۡنَ یَتۡلُوۡنَ عَلَیۡہِمۡ اٰیٰتِنَا ؕ قُلۡ اَفَاُنَبِّئُکُمۡ بِشَرٍّ مِّنۡ ذٰلِکُمۡ ؕ اَلنَّارُ ؕ وَعَدَہَا اللّٰہُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ وَ بِئۡسَ الۡمَصِیۡرُ ﴿٪۷۲﴾

(૭૨) અને જયારે તેમની સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે તો જેઓ ઇમાન નથી લાવ્યા, તું તેમના ચહેરા પર ઇન્કાર(ની નિશાનીઓ) જૂએ છો જાણે એવું લાગે છે કે અલ્લાહની આયતો પઢનાર પર મુઠી વડે હમલો કરી નાખશે, તું કહે કે હું તમને તેના કરતાં પણ વધુ ખરાબ ખબર આપુ? આગ કે જેનો અલ્લાહે નાસ્તિકોને વાયદો કરેલ છે અને તે કેટલુ ખરાબ પરિણામ છે!

73

یٰۤاَیُّہَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسۡتَمِعُوۡا لَہٗ ؕ اِنَّ الَّذِیۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ لَنۡ یَّخۡلُقُوۡا ذُبَابًا وَّ لَوِ اجۡتَمَعُوۡا لَہٗ ؕ وَ اِنۡ یَّسۡلُبۡہُمُ الذُّبَابُ شَیۡئًا لَّا یَسۡتَنۡقِذُوۡہُ مِنۡہُ ؕ ضَعُفَ الطَّالِبُ وَ الۡمَطۡلُوۡبُ ﴿۷۳﴾

(૭૩) અય લોકો ! તમારા માટે એક દાખલો બયાન કરવામાં આવેલ છે તેને ઘ્યાનથી સાંભળી લ્યો; એમાં શક નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેઓ હરગિઝ એક માખી પેદા કરી શકતા નથી ભલે પછી તે (માખી પેદા કરવા માટે) ભેગા થાય તો પણ; અને જો તેમની પાસેથી માખી કંઇ વસ્તુ છીનવી લે તો પણ તેઓ તેની પાસેથી તે (વસ્તુ) છોડાવી શકતા નથી; માંગનાર અને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને કમજોર છે.

74

مَا قَدَرُوا اللّٰہَ حَقَّ قَدۡرِہٖ ؕ اِنَّ اللّٰہَ لَقَوِیٌّ عَزِیۡزٌ ﴿۷۴﴾

(૭૪) તેઓએ અલ્લાહની એવી માઅરેફત હાંસિલ નથી કરી જેવી માઅરેફત હાંસિલ કરવી જોઇએ અને બેશક અલ્લાહ જબરદસ્ત કુદરતવાળો છે.

75

اَللّٰہُ یَصۡطَفِیۡ مِنَ الۡمَلٰٓئِکَۃِ رُسُلًا وَّ مِنَ النَّاسِ ؕ اِنَّ اللّٰہَ سَمِیۡعٌۢ بَصِیۡرٌ ﴿ۚ۷۵﴾

(૭૫) અલ્લાહ ફરિશ્તા તથા ઇન્સાનોમાંથી રસૂલો મુન્તખબ (પસંદ) કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર અને જોનારો છે.

76

یَعۡلَمُ مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ ؕ وَ اِلَی اللّٰہِ تُرۡجَعُ الۡاُمُوۡرُ ﴿۷۶﴾

(૭૬) તેઓની આગલી તથા પાછલી હકીકતને તે જાણે છે; અને સર્વે બાબતો અલ્લાહની તરફ પાછી ફરવાની છે.

77

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا ارۡکَعُوۡا وَ اسۡجُدُوۡا وَ اعۡبُدُوۡا رَبَّکُمۡ وَ افۡعَلُوا الۡخَیۡرَ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿ۚٛ۷۷﴾

(૭૭) અય ઇમાન લાવનારાઓ! તમે રૂકૂઅ કરો તથા સિજદા કરો અને તમારા પરવરદિગારની ઇબાદત કરો અને નેકી કરો કે કદાચ તમે કામ્યાબ થાવ.

78

وَ جَاہِدُوۡا فِی اللّٰہِ حَقَّ جِہَادِہٖ ؕ ہُوَ اجۡتَبٰىکُمۡ وَ مَا جَعَلَ عَلَیۡکُمۡ فِی الدِّیۡنِ مِنۡ حَرَجٍ ؕ مِلَّۃَ اَبِیۡکُمۡ اِبۡرٰہِیۡمَ ؕ ہُوَ سَمّٰىکُمُ الۡمُسۡلِمِیۡنَ ۬ۙ مِنۡ قَبۡلُ وَ فِیۡ ہٰذَا لِیَکُوۡنَ الرَّسُوۡلُ شَہِیۡدًا عَلَیۡکُمۡ وَ تَکُوۡنُوۡا شُہَدَآءَ عَلَی النَّاسِ ۚۖ فَاَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ وَ اعۡتَصِمُوۡا بِاللّٰہِ ؕ ہُوَ مَوۡلٰىکُمۡ ۚ فَنِعۡمَ الۡمَوۡلٰی وَ نِعۡمَ النَّصِیۡرُ ﴿٪۷۸﴾

(૭૮) અને અલ્લાહ માટે એવી રીતે જેહાદ કરો જેવી રીતે કે તેનો હક છે, કે તેણે તમને મુન્તખબ (પસંદ) કર્યા અને દીનમાં કોઇ ભારે તકલીફ નથી મૂકી, અને આ જ તમારા વાલિદ ઇબ્રાહીમનો દીન હતો જેણે તમારૂં નામ આના પહેલાની કિતાબમાં મુસ્લિમ રાખ્યુ અને આ (કુરઆન)માં પણ; જેથી રસૂલ તમારા ઉપર ગવાહ રહે અને તમે લોકો(ના કાર્યો) પર ગવાહ રહો, બસ તમે નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો, અને અલ્લાહથી વાબસ્તા રહો; એ જ તમારો સરપરસ્ત છે, અને કેવો બહેતરીન સરપરસ્ત અને બહેતરીન મદદગાર છે!