An-Noor
سورة النور
اَلزَّانِیَۃُ وَ الزَّانِیۡ فَاجۡلِدُوۡا کُلَّ وَاحِدٍ مِّنۡہُمَا مِائَۃَ جَلۡدَۃٍ ۪ وَّ لَا تَاۡخُذۡکُمۡ بِہِمَا رَاۡفَۃٌ فِیۡ دِیۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ ۚ وَ لۡیَشۡہَدۡ عَذَابَہُمَا طَآئِفَۃٌ مِّنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۲﴾
(૨) ઝિનાકાર ઔરત અને ઝિનાકાર મર્દ, બંનેને સો સો કોરડા મારો, અને ખબરદાર ! જો તમે અલ્લાહ તથા કયામત પર ઇમાન રાખતા હોવ તો તે બન્નેના સંબંધમાં અલ્લાહના કાનૂનને અમલમાં મૂકતાં તમને દયા આવવા ન પામે, અને તેમની સજા વખતે મોઅમીનોની એક જમાઅત ગવાહ રહે.
اَلزَّانِیۡ لَا یَنۡکِحُ اِلَّا زَانِیَۃً اَوۡ مُشۡرِکَۃً ۫ وَّ الزَّانِیَۃُ لَا یَنۡکِحُہَاۤ اِلَّا زَانٍ اَوۡ مُشۡرِکٌ ۚ وَ حُرِّمَ ذٰلِکَ عَلَی الۡمُؤۡمِنِیۡنَ ﴿۳﴾
(૩) ઝિનાકાર મર્દ ઝિનાકાર અથવા મુશ્રિક ઔરત સિવાય નિકાહ ન કરે, તથા ઝિનાકાર ઔરત ઝિનાકાર અથવા મુશ્રિક મર્દ સિવાય નિકાહ ન કરે અને આ મોઅમીનો પર હરામ થયેલ છે.
وَ الَّذِیۡنَ یَرۡمُوۡنَ الۡمُحۡصَنٰتِ ثُمَّ لَمۡ یَاۡتُوۡا بِاَرۡبَعَۃِ شُہَدَآءَ فَاجۡلِدُوۡہُمۡ ثَمٰنِیۡنَ جَلۡدَۃً وَّ لَا تَقۡبَلُوۡا لَہُمۡ شَہَادَۃً اَبَدًا ۚ وَ اُولٰٓئِکَ ہُمُ الۡفٰسِقُوۡنَ ۙ﴿۴﴾
(૪) અને જે લોકો પાકદામન ઔરતો પર (ઝિનાની) તોહમત મૂકે છે, (અને) પછી ચાર ગવાહ રજૂ નથી કરતા તો તેમને ૮૦ (એંસી) કોરડા મારો, અને પછી હરગિઝ તેમની ગવાહી કબૂલ ન કરજો અને તેઓ ફાસિક (બદકાર) છે.
وَ الَّذِیۡنَ یَرۡمُوۡنَ اَزۡوَاجَہُمۡ وَ لَمۡ یَکُنۡ لَّہُمۡ شُہَدَآءُ اِلَّاۤ اَنۡفُسُہُمۡ فَشَہَادَۃُ اَحَدِہِمۡ اَرۡبَعُ شَہٰدٰتٍۭ بِاللّٰہِ ۙ اِنَّہٗ لَمِنَ الصّٰدِقِیۡنَ ﴿۶﴾
(૬) અને જે લોકો પોતાની ઔરતો પર તોહમત મૂકે અને તેમના પોતાના સિવાય બીજો કોઇ ગવાહ ન હોય, તો તેઓમાંથી દરેક ચાર વખત અલ્લાહની કસમ ખાઇને ગવાહી આપે કે બેશક તે સાચાઓમાંથી છે.
اِنَّ الَّذِیۡنَ جَآءُوۡ بِالۡاِفۡکِ عُصۡبَۃٌ مِّنۡکُمۡ ؕ لَا تَحۡسَبُوۡہُ شَرًّا لَّکُمۡ ؕ بَلۡ ہُوَ خَیۡرٌ لَّکُمۡ ؕ لِکُلِّ امۡرِیًٔ مِّنۡہُمۡ مَّا اکۡتَسَبَ مِنَ الۡاِثۡمِ ۚ وَ الَّذِیۡ تَوَلّٰی کِبۡرَہٗ مِنۡہُمۡ لَہٗ عَذَابٌ عَظِیۡمٌ ﴿۱۱﴾
(૧૧) બેશક જે લોકોએ (ઝિનાની) તોહમત મૂકી તે તમારામાંથી જ એક જુથ હતું, તમે તેને તમારા માટે ખરાબ ન સમજો બલ્કે આ તમારા માટે બેહતર છે, અને દરેકનો (અઝાબમાં) એટલો હિસ્સો છે જેટલો તેણે ગુનાહમાં હિસ્સો લીધો હતો, અને તેઓમાંથી જેણે મોટો હિસ્સો લીધો હતો તેના માટે મોટો અઝાબ છે.
اِذۡ تَلَقَّوۡنَہٗ بِاَلۡسِنَتِکُمۡ وَ تَقُوۡلُوۡنَ بِاَفۡوَاہِکُمۡ مَّا لَیۡسَ لَکُمۡ بِہٖ عِلۡمٌ وَّ تَحۡسَبُوۡنَہٗ ہَیِّنًا ٭ۖ وَّ ہُوَ عِنۡدَ اللّٰہِ عَظِیۡمٌ ﴿۱۵﴾
(૧૫) અને જયારે તમે એકબીજાની જીભથી (તોહમતની) વાત લેતા હતા અને પોતાના મોંઢેથી એ વાત કરતા હતા કે જેની તમને જાણ ન હતી, અને તમે તેને નજીવી વાત સમજતા હતા; જો કે તે અલ્લાહની નજીક બહુ મોટી વાત છે.
اِنَّ الَّذِیۡنَ یُحِبُّوۡنَ اَنۡ تَشِیۡعَ الۡفَاحِشَۃُ فِی الَّذِیۡنَ اٰمَنُوۡا لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ۙ فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ وَ اَنۡتُمۡ لَا تَعۡلَمُوۡنَ ﴿۱۹﴾
(૧૯) જેઓ એમ ચાહે છે કે ઇમાન લાવનારાઓના દરમ્યાન બદકારી ફેલાય, બેશક તેમના માટે દુનિયા અને આખેરતમાં દર્દનાક અઝાબ છે; અને અલ્લાહ જાણે છે અને તમે નથી જાણતા.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّیۡطٰنِ ؕ وَ مَنۡ یَّتَّبِعۡ خُطُوٰتِ الشَّیۡطٰنِ فَاِنَّہٗ یَاۡمُرُ بِالۡفَحۡشَآءِ وَ الۡمُنۡکَرِ ؕ وَ لَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکُمۡ وَ رَحۡمَتُہٗ مَا زَکٰی مِنۡکُمۡ مِّنۡ اَحَدٍ اَبَدًا ۙ وَّ لٰکِنَّ اللّٰہَ یُزَکِّیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۲۱﴾
(૨૧) અય ઇમાન લાવનારાઓ ! શેતાનના નકશે કદમ પર ન ચાલો; અને જે કોઇ શેતાનના પગલે ચાલશે તો તે તેને બદકારી અને બૂરાઇનો હુકમ કરશે; અને જો તમારા પર અલ્લાહનો ફઝલ તથા તેની રહેમત ન હોત તો તમારામાંથી હરગિઝ કોઇ પાક ન થાત, પરંતુ અલ્લાહ જેને ચાહે પાકીઝા કરે છે; અને અલ્લાહ સાંભળનાર તથા જાણનાર છે.
وَ لَا یَاۡتَلِ اُولُوا الۡفَضۡلِ مِنۡکُمۡ وَ السَّعَۃِ اَنۡ یُّؤۡتُوۡۤا اُولِی الۡقُرۡبٰی وَ الۡمَسٰکِیۡنَ وَ الۡمُہٰجِرِیۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۪ۖ وَ لۡیَعۡفُوۡا وَ لۡیَصۡفَحُوۡا ؕ اَلَا تُحِبُّوۡنَ اَنۡ یَّغۡفِرَ اللّٰہُ لَکُمۡ ؕ وَ اللّٰہُ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۲۲﴾
(૨૨) અને તમારામાંથી જેને (માલમાં) ફઝીલત અને વિશાળતા આપવામાં આવેલ છે તેઓએ કસમ ન ખાવી જોઇએ કે તેઓ સગાવહાલાં, ગરીબો અને રાહે ખુદામાં હિજરત કરનારાઓને કાંઇ નહિં આપે, અને તેઓએ માફ તથા દરગુજર કરવા જોઇએ, શું તમે નથી ચાહતા કે અલ્લાહ તમારા ગુનાહોને માફ કરે? અને અલ્લાહ બેશક ગફુરૂર રહીમ છે.
اِنَّ الَّذِیۡنَ یَرۡمُوۡنَ الۡمُحۡصَنٰتِ الۡغٰفِلٰتِ الۡمُؤۡمِنٰتِ لُعِنُوۡا فِی الدُّنۡیَا وَ الۡاٰخِرَۃِ ۪ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿ۙ۲۳﴾
(૨૩) બેશક જે લોકો પાકદામન અને (બદકારીથી) બેખબર મોઅમીન ઔરતો પર બદકારીની તોહમત મૂકે છે તેમના ઉપર દુનિયા અને આખેરતમાં લાનત કરવામાં આવેલ છે, આ તેમના માટે મહાન અઝાબ છે.
اَلۡخَبِیۡثٰتُ لِلۡخَبِیۡثِیۡنَ وَ الۡخَبِیۡثُوۡنَ لِلۡخَبِیۡثٰتِ ۚ وَ الطَّیِّبٰتُ لِلطَّیِّبِیۡنَ وَ الطَّیِّبُوۡنَ لِلطَّیِّبٰتِ ۚ اُولٰٓئِکَ مُبَرَّءُوۡنَ مِمَّا یَقُوۡلُوۡنَ ؕ لَہُمۡ مَّغۡفِرَۃٌ وَّ رِزۡقٌ کَرِیۡمٌ ﴿٪۲۶﴾
(૨૬) ખબીસ ઔરતો ખબીસ મર્દો માટે છે અને ખબીસ મર્દો ખબીસ ઔરતો માટે છે, અને પાકીઝા ઔરતો પાકીઝા મર્દો માટે છે અને પાકદામન મર્દો પાકીઝા ઔરતો માટે છે, અને આ (પાકદામન) લોકો (ખબીસ) લોકોની તોહમતથી પાક છે અને તેઓ માટે માફી અને કિંમતી રોઝી છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَدۡخُلُوۡا بُیُوۡتًا غَیۡرَ بُیُوۡتِکُمۡ حَتّٰی تَسۡتَاۡنِسُوۡا وَ تُسَلِّمُوۡا عَلٰۤی اَہۡلِہَا ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۲۷﴾
(૨૭) અય ઇમાન લાવનારાઓ ! તમે તમારા પોતાના ઘરો સિવાય (બીજાઓ)ના ઘરોમાં દાખલ થશો નહિં, જ્યાં સુધી તમે રજા ન મેળવો અને તેના રહેવાસીઓને સલામ ન કરો; એજ તમારા માટે બેહતર છે કે કદાચ તમે નસીહત મેળવો.
فَاِنۡ لَّمۡ تَجِدُوۡا فِیۡہَاۤ اَحَدًا فَلَا تَدۡخُلُوۡہَا حَتّٰی یُؤۡذَنَ لَکُمۡ ۚ وَ اِنۡ قِیۡلَ لَکُمُ ارۡجِعُوۡا فَارۡجِعُوۡا ہُوَ اَزۡکٰی لَکُمۡ ؕ وَ اللّٰہُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِیۡمٌ ﴿۲۸﴾
(૨૮) પછી જો તમને ઘરમાં કોઇ ન મળે તો જ્યાં સુધી તમને રજા આપવામાં ન આવે ત્યાં સુધી તેમાં હરગિઝ દાખલ ન થાવ, અને અગર તમને કહેવામાં આવે કે પાછા ચાલ્યા જાવ તો પાછા જજો, એ જ તમારા માટે વધારે પાકીઝા છે; અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.
لَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ اَنۡ تَدۡخُلُوۡا بُیُوۡتًا غَیۡرَ مَسۡکُوۡنَۃٍ فِیۡہَا مَتَاعٌ لَّکُمۡ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَ مَا تَکۡتُمُوۡنَ ﴿۲۹﴾
(૨૯) જે ઘરોમાં કોઇ રહેતું ન હોય અને તેમાં તમારો કાંઇ સામાન હોય તેવા ઘરોમાં દાખલ થવામાં તમારા પર કાંઇ હરજ નથી; અને તમે જે કાંઇ જાહેર કરો છો તથા જે કાંઇ તમે છુપાવો છો તેને અલ્લાહ જાણે છે.
قُلۡ لِّلۡمُؤۡمِنِیۡنَ یَغُضُّوۡا مِنۡ اَبۡصَارِہِمۡ وَ یَحۡفَظُوۡا فُرُوۡجَہُمۡ ؕ ذٰلِکَ اَزۡکٰی لَہُمۡ ؕ اِنَّ اللّٰہَ خَبِیۡرٌۢ بِمَا یَصۡنَعُوۡنَ ﴿۳۰﴾
(૩૦) મોઅમીનોને કહે કે તેઓ પોતાની નજર (હરામથી) બચાવી રાખે અને પોતાની શર્મગાહની હિફાઝત કરે; આ તેમના માટે વધારે પાકીઝા છે; બેશક તેઓ જે કાંઇ કરે છે તેનાથી અલ્લાહ સારી રીતે ખબરદાર છે.
وَ قُلۡ لِّلۡمُؤۡمِنٰتِ یَغۡضُضۡنَ مِنۡ اَبۡصَارِہِنَّ وَ یَحۡفَظۡنَ فُرُوۡجَہُنَّ وَ لَا یُبۡدِیۡنَ زِیۡنَتَہُنَّ اِلَّا مَا ظَہَرَ مِنۡہَا وَ لۡیَضۡرِبۡنَ بِخُمُرِہِنَّ عَلٰی جُیُوۡبِہِنَّ ۪ وَ لَا یُبۡدِیۡنَ زِیۡنَتَہُنَّ اِلَّا لِبُعُوۡلَتِہِنَّ اَوۡ اٰبَآئِہِنَّ اَوۡ اٰبَآءِ بُعُوۡلَتِہِنَّ اَوۡ اَبۡنَآئِہِنَّ اَوۡ اَبۡنَآءِ بُعُوۡلَتِہِنَّ اَوۡ اِخۡوَانِہِنَّ اَوۡ بَنِیۡۤ اِخۡوَانِہِنَّ اَوۡ بَنِیۡۤ اَخَوٰتِہِنَّ اَوۡ نِسَآئِہِنَّ اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُہُنَّ اَوِ التّٰبِعِیۡنَ غَیۡرِ اُولِی الۡاِرۡبَۃِ مِنَ الرِّجَالِ اَوِ الطِّفۡلِ الَّذِیۡنَ لَمۡ یَظۡہَرُوۡا عَلٰی عَوۡرٰتِ النِّسَآءِ ۪ وَ لَا یَضۡرِبۡنَ بِاَرۡجُلِہِنَّ لِیُعۡلَمَ مَا یُخۡفِیۡنَ مِنۡ زِیۡنَتِہِنَّ ؕ وَ تُوۡبُوۡۤا اِلَی اللّٰہِ جَمِیۡعًا اَیُّہَ الۡمُؤۡمِنُوۡنَ لَعَلَّکُمۡ تُفۡلِحُوۡنَ ﴿۳۱﴾
(૩૧) અને તું મોઅમીન ઔરતોને કહે કે તેણીઓ પોતાની નજર (હરામથી) બચાવે અને પોતાની શર્મગાહની હિફાઝત કરે, અને પોતાની ઝીનતને જાહેર ન કરે, સિવાય કે જે જાહેર છે અને તેમને જોઇએ કે પોતાની ઓઢણીઓ છાતી પર નાખી રાખે; અને પોતાની ઝીનત પોતાના શોહર અથવા પોતાના બાપદાદાઓ અથવા પોતાના શોહરોના બાપદાદાઓ અથવા પોતાની ઔલાદ અથવા પોતાના શોહરોની ઔલાદ (આગલા ઘરના) અથવા પોતાના ભાઇઓ અથવા તેમની ઔલાદ અથવા બહેનોની ઔલાદ અથવા પોતાના જેવી ઔરતો અથવા પોતાની કનીઝ અને ગુલામો અથવા એવા પુરૂષ કે જેમને ઔરતોની જરૂર હોતી નથી અથવા તે છોકરાઓ કે જેમને ઔરતની શરમગાહ બાબતે જાણકારી નથી તેમના સિવાય બીજા કોઇ પર જાહેર થવા ન દે; અને તેણીઓ પોતાના પગ એવી રીતે પછાડે નહિ કે જે ઝીનત તેણીએ સંતાડેલા છે તે જાહેર થઇ જાય; અને અય મોઅમીનો ! તમે બધા અલ્લાહની હજૂરમાં તૌબા કરો કે જેથી તમે નજાત પામો.
وَ اَنۡکِحُوا الۡاَیَامٰی مِنۡکُمۡ وَ الصّٰلِحِیۡنَ مِنۡ عِبَادِکُمۡ وَ اِمَآئِکُمۡ ؕ اِنۡ یَّکُوۡنُوۡا فُقَرَآءَ یُغۡنِہِمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ؕ وَ اللّٰہُ وَاسِعٌ عَلِیۡمٌ ﴿۳۲﴾
(૩૨) અને તમારામાંથી જે કુંવારા હોય તેમની તથા ગુલામ અને કનીઝોમાંથી જે (શાદીને) લાયક હોય તેમની શાદી કરાવી આપો. જો તેઓ જરૂરતમંદ હશે તો અલ્લાહ પોતાના ફઝલ વડે તેમને બેનિયાઝ કરી દેશે; અને અલ્લાહ ઉદાર (અને બંદાઓની જરૂરતને) જાણનાર છે.
وَ لۡیَسۡتَعۡفِفِ الَّذِیۡنَ لَا یَجِدُوۡنَ نِکَاحًا حَتّٰی یُغۡنِیَہُمُ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ ؕ وَ الَّذِیۡنَ یَبۡتَغُوۡنَ الۡکِتٰبَ مِمَّا مَلَکَتۡ اَیۡمَانُکُمۡ فَکَاتِبُوۡہُمۡ اِنۡ عَلِمۡتُمۡ فِیۡہِمۡ خَیۡرًا ٭ۖ وَّ اٰتُوۡہُمۡ مِّنۡ مَّالِ اللّٰہِ الَّذِیۡۤ اٰتٰىکُمۡ ؕ وَ لَا تُکۡرِہُوۡا فَتَیٰتِکُمۡ عَلَی الۡبِغَآءِ اِنۡ اَرَدۡنَ تَحَصُّنًا لِّتَبۡتَغُوۡا عَرَضَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ مَنۡ یُّکۡرِہۡہُّنَّ فَاِنَّ اللّٰہَ مِنۡۢ بَعۡدِ اِکۡرَاہِہِنَّ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۳۳﴾
(૩૩) અને જેઓ માટે નિકાહની સગવડ ન હોય તેઓએ પાકદામન રહેવુ જોઇએ એટલે સુધી કે અલ્લાહ પોતાના ફઝલો કરમથી તેમને બેનિયાઝ કરે; અને જે ગુલામ અને કનીઝ કે જેઓ (આઝાદી માટેનુ) લખાણ કરવા ચાહતા હોય અને તમે તેમનામાં ભલાઇ જૂઓ તો તેમને લખાણ કરી દ્યો, અને તે માલમાંથી કે જે અલ્લાહે તમને આપ્યો છે તેમને કંઇક આપો; અને તમારી કનીઝો અગર પાકદામનીને ચાહનારી હોય તો તેમને તમે ઝિના માટે મજબૂર ન કરો કે જેથી દુન્યવી ફાયદો મેળવો; અને જે તેમને મજબૂર કરશે તો તેમને મજબૂર કર્યા પછી બેશક અલ્લાહ (તે ઔરતોના હકમાં) ગફુરૂર રહીમ છે.
اَللّٰہُ نُوۡرُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ مَثَلُ نُوۡرِہٖ کَمِشۡکٰوۃٍ فِیۡہَا مِصۡبَاحٌ ؕ اَلۡمِصۡبَاحُ فِیۡ زُجَاجَۃٍ ؕ اَلزُّجَاجَۃُ کَاَنَّہَا کَوۡکَبٌ دُرِّیٌّ یُّوۡقَدُ مِنۡ شَجَرَۃٍ مُّبٰرَکَۃٍ زَیۡتُوۡنَۃٍ لَّا شَرۡقِیَّۃٍ وَّ لَا غَرۡبِیَّۃٍ ۙ یَّکَادُ زَیۡتُہَا یُضِیۡٓءُ وَ لَوۡ لَمۡ تَمۡسَسۡہُ نَارٌ ؕ نُوۡرٌ عَلٰی نُوۡرٍ ؕ یَہۡدِی اللّٰہُ لِنُوۡرِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ یَضۡرِبُ اللّٰہُ الۡاَمۡثَالَ لِلنَّاسِ ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿ۙ۳۵﴾
(૩૫) અલ્લાહ આસમાનો તથા ઝમીનનું નૂર છે; તેના નૂરનો દાખલો એક ગોખલાના જેવો છે જેમાં એક ચિરાગ હોય; અને તે ચિરાગ કાચ(ના એક ફાનસ)માં હોય; અને તે કાચ એવો હોય જેવો કે એક ઝગમગતો તારો અને તે ઝયતુનના મુબારક ઝાડ(ના તેલ)થી રોશન થયેલો હોય, જે ન મશરિકી હોય ન મગરિબી, નજીક છે કે તેનું તેલ (એવું સાફ છે કે) નઝદીક છે કે આગને અડ્યા વગર રોશન થઇ જાય; આ નૂર ઉપર નૂર છે; અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂરની હિદાયત કરે છે; અને અલ્લાહ લોકો માટે મિસાલ બયાન કરે છે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
فِیۡ بُیُوۡتٍ اَذِنَ اللّٰہُ اَنۡ تُرۡفَعَ وَ یُذۡکَرَ فِیۡہَا اسۡمُہٗ ۙ یُسَبِّحُ لَہٗ فِیۡہَا بِالۡغُدُوِّ وَ الۡاٰصَالِ ﴿ۙ۳۶﴾
(૩૬) આ દીવો એવા ઘરોમાં છે કે જેમના બારામાં અલ્લાહે રજા આપી કે તેને બુલંદ કરવામાં આવે, અને તેમાં તેના નામનો ઝિક્ર કરવામાં આવે; કે તેમાં તેઓ સવાર-સાંજ તેની તસ્બીહ કરે છે:
رِجَالٌ ۙ لَّا تُلۡہِیۡہِمۡ تِجَارَۃٌ وَّ لَا بَیۡعٌ عَنۡ ذِکۡرِ اللّٰہِ وَ اِقَامِ الصَّلٰوۃِ وَ اِیۡتَآءِ الزَّکٰوۃِ ۪ۙ یَخَافُوۡنَ یَوۡمًا تَتَقَلَّبُ فِیۡہِ الۡقُلُوۡبُ وَ الۡاَبۡصَارُ ﴿٭ۙ۳۷﴾
(૩૭) તે મર્દો કે જેમને કારોબાર અથવા બીજા ખરીદવેચાણના કાર્યો અલ્લાહની યાદથી અને નમાઝ કાયમ કરવાથી તથા ઝકાત અદા કરવાથી ગાફિલ નથી કરતા, તેઓ તે દિવસથી ડરે છે કે જે દિવસે દિલો અને આંખો ઉલટાઇ જશે:
وَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَعۡمَالُہُمۡ کَسَرَابٍۭ بِقِیۡعَۃٍ یَّحۡسَبُہُ الظَّمۡاٰنُ مَآءً ؕ حَتّٰۤی اِذَا جَآءَہٗ لَمۡ یَجِدۡہُ شَیۡئًا وَّ وَجَدَ اللّٰہَ عِنۡدَہٗ فَوَفّٰىہُ حِسَابَہٗ ؕ وَ اللّٰہُ سَرِیۡعُ الۡحِسَابِ ﴿ۙ۳۹﴾
(૩૯) અને જે લોકો ઇમાન નથી લાવ્યા તેમના આમાલ મૃગજળ (સપાટ મૈદાનમાં ચમકતી રેતી) સમાન છે, જેને તરસ્યો માણસ પાણી ધારી લ્યે છે; અને જ્યારે તે તેની પાસે પહોંચે છે ત્યારે તે (ત્યાં) કોઇ વસ્તુને નથી પામતો, અને અલ્લાહને પામે છે, કે તે તેનો પૂરેપૂરો હિસાબ આપે; અને અલ્લાહ ખૂબ ઝડપી હિસાબ કરનારો છે.
اَوۡ کَظُلُمٰتٍ فِیۡ بَحۡرٍ لُّجِّیٍّ یَّغۡشٰہُ مَوۡجٌ مِّنۡ فَوۡقِہٖ مَوۡجٌ مِّنۡ فَوۡقِہٖ سَحَابٌ ؕ ظُلُمٰتٌۢ بَعۡضُہَا فَوۡقَ بَعۡضٍ ؕ اِذَاۤ اَخۡرَجَ یَدَہٗ لَمۡ یَکَدۡ یَرٰىہَا ؕ وَ مَنۡ لَّمۡ یَجۡعَلِ اللّٰہُ لَہٗ نُوۡرًا فَمَا لَہٗ مِنۡ نُّوۡرٍ ﴿٪۴۰﴾
(૪૦) અથવા તો તેઓના આમાલની મિસાલ તે ઊંડા દરિયાના અંધકાર જેવી છે જેને મોજાઓ ઉપર બીજા મોજાઓએ ઢાંકી લીધેલ છે અને તેની ઉપર (કાળુ) વાદળ (છવાયેલ) છે, કે જયારે તે પોતાનો હાથ કાઢે તો અંધકારને કારણે તેને જોઇ ન શકે, અને જેના માટે અલ્લાહ નૂર ન રાખે તેના પાસે કોઇ નૂર નથી.
اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یُسَبِّحُ لَہٗ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ الطَّیۡرُ صٰٓفّٰتٍ ؕ کُلٌّ قَدۡ عَلِمَ صَلَاتَہٗ وَ تَسۡبِیۡحَہٗ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِمَا یَفۡعَلُوۡنَ ﴿۴۱﴾
(૪૧) શું તે નથી જોયુ કે જે કોઇ આસમાનો તથા ઝમીનમાં છે તે તથા સફમાં ઉડનારા પક્ષીઓ બધા અલ્લાહની તસ્બીહ કરે છે? અને દરેક પોત પોતાની નમાઝ તથા તસ્બીહ જાણે છે; અને તેઓ જે કાંઇ કરે છે તેને અલ્લાહ જાણે છે.
اَلَمۡ تَرَ اَنَّ اللّٰہَ یُزۡجِیۡ سَحَابًا ثُمَّ یُؤَلِّفُ بَیۡنَہٗ ثُمَّ یَجۡعَلُہٗ رُکَامًا فَتَرَی الۡوَدۡقَ یَخۡرُجُ مِنۡ خِلٰلِہٖ ۚ وَ یُنَزِّلُ مِنَ السَّمَآءِ مِنۡ جِبَالٍ فِیۡہَا مِنۡۢ بَرَدٍ فَیُصِیۡبُ بِہٖ مَنۡ یَّشَآءُ وَ یَصۡرِفُہٗ عَنۡ مَّنۡ یَّشَآءُ ؕ یَکَادُ سَنَا بَرۡقِہٖ یَذۡہَبُ بِالۡاَبۡصَارِ ﴿ؕ۴۳﴾
(૪૩) શું તેં નથી જોયું કે અલ્લાહ જ વાદળાં ધીમે ધીમે હાંકી લાવે છે; પછી તેને આપસમાં જોડી દે છે, પછી તેમને એક ઉપર એક ખડકી દે છે? પછી તું તેમની વચ્ચેથી વરસાદને નીકળતા જૂએ છો, અને તે આસમાન પરના બરફના પહાડમાંથી કરા વરસાવે છે, પછી તે વડે જેને ચાહે છે તેને નુકસાન પહોંચાડે છે અને જેનાથી ચાહે છે તેના ઉપરથી તે (નુકસાનને) ટાળી દે છે; નજદીક છે કે તે વીજળીનો ચમકાર જોવાની શક્તિને ખત્મ કરી નાખે.
وَ اللّٰہُ خَلَقَ کُلَّ دَآبَّۃٍ مِّنۡ مَّآءٍ ۚ فَمِنۡہُمۡ مَّنۡ یَّمۡشِیۡ عَلٰی بَطۡنِہٖ ۚ وَ مِنۡہُمۡ مَّنۡ یَّمۡشِیۡ عَلٰی رِجۡلَیۡنِ ۚ وَ مِنۡہُمۡ مَّنۡ یَّمۡشِیۡ عَلٰۤی اَرۡبَعٍ ؕ یَخۡلُقُ اللّٰہُ مَا یَشَآءُ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۴۵﴾
(૪૫) અને અલ્લાહે દરેક જીવને પાણીમાંથી પેદા કર્યા, પછી તેઓમાંથી અમુક પોતાના પેટથી સરકે છે, અને અમુક બે પગો વડે ચાલે છે, અને તેમાંથી અમુક એવા છે જે ચાર પગે ચાલે છે; અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.
وَ یَقُوۡلُوۡنَ اٰمَنَّا بِاللّٰہِ وَ بِالرَّسُوۡلِ وَ اَطَعۡنَا ثُمَّ یَتَوَلّٰی فَرِیۡقٌ مِّنۡہُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ ؕ وَ مَاۤ اُولٰٓئِکَ بِالۡمُؤۡمِنِیۡنَ ﴿۴۷﴾
(૪૭) અને તેઓ કહે છે કે અમે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા અને અમોએ ઇતાઅત કરીએ છીએ ત્યારપછી તેઓમાંની એક જમાઅત મોઢું ફેરવી લ્યે છે; અને (હકીકતમાં) તેઓ મોઅમીન જ નથી.
اَفِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ اَمِ ارۡتَابُوۡۤا اَمۡ یَخَافُوۡنَ اَنۡ یَّحِیۡفَ اللّٰہُ عَلَیۡہِمۡ وَ رَسُوۡلُہٗ ؕ بَلۡ اُولٰٓئِکَ ہُمُ الظّٰلِمُوۡنَ ﴿٪۵۰﴾
(૫૦) શું તેમના દિલોમાં (કુફ્રની) બીમારી છે અથવા તેઓ શકમાં પડેલા છે અથવા તેઓ ડરે છે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમની સાથે ઝુલ્મ કરશે? બલ્કે હકીકતમાં તેઓ પોતે જ ઝાલિમ છે.
اِنَّمَا کَانَ قَوۡلَ الۡمُؤۡمِنِیۡنَ اِذَا دُعُوۡۤا اِلَی اللّٰہِ وَ رَسُوۡلِہٖ لِیَحۡکُمَ بَیۡنَہُمۡ اَنۡ یَّقُوۡلُوۡا سَمِعۡنَا وَ اَطَعۡنَا ؕ وَ اُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۵۱﴾
(૫૧) જ્યારે મોઅમીનોને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે કે તેઓના દરમ્યાન ફેસલો કરે ત્યારે તેમનું કહેવું ફકત એમ હોય છે કે અમોએ સાંભળ્યું અને અમોએ ઇતાઅત કરી; અને તેઓ એ જ કામ્યાબી મેળવનારા છે.
وَ اَقۡسَمُوۡا بِاللّٰہِ جَہۡدَ اَیۡمَانِہِمۡ لَئِنۡ اَمَرۡتَہُمۡ لَیَخۡرُجُنَّ ؕ قُلۡ لَّا تُقۡسِمُوۡا ۚ طَاعَۃٌ مَّعۡرُوۡفَۃٌ ؕ اِنَّ اللّٰہَ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۵۳﴾
(૫૩) અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે જો તું તેમને હુકમ આપે તો તેઓ જરૂર નીકળી પડશે; તું કહે કે કસમ ન ખાવ, સારી રીતે ઇતાઅત કરો કારણકે તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.
قُلۡ اَطِیۡعُوا اللّٰہَ وَ اَطِیۡعُوا الرَّسُوۡلَ ۚ فَاِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا عَلَیۡہِ مَا حُمِّلَ وَ عَلَیۡکُمۡ مَّا حُمِّلۡتُمۡ ؕ وَ اِنۡ تُطِیۡعُوۡہُ تَہۡتَدُوۡا ؕ وَ مَا عَلَی الرَّسُوۡلِ اِلَّا الۡبَلٰغُ الۡمُبِیۡنُ ﴿۵۴﴾
(૫૪) તું કહે કે તમે અલ્લાહની ઇતાઅત કરો અને (અલ્લાહના) રસૂલની ઇતાઅત કરો જો તમે મોઢુ ફેરવશો તો તેના ઉપર ફકત તે (પહોંચાડવા)નો બોજ છે અને તમારા ઉપર તમારો (કબૂલ કરવાનો) બોજ છે જો તમે ઇતાઅત કરશો તો હિદાયત પામશો અને રસૂલ માથે ફકત સ્પષ્ટ પહોંચાડવાની જવાબદારી છે.
وَعَدَ اللّٰہُ الَّذِیۡنَ اٰمَنُوۡا مِنۡکُمۡ وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَیَسۡتَخۡلِفَنَّہُمۡ فِی الۡاَرۡضِ کَمَا اسۡتَخۡلَفَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ۪ وَ لَیُمَکِّنَنَّ لَہُمۡ دِیۡنَہُمُ الَّذِی ارۡتَضٰی لَہُمۡ وَ لَیُبَدِّلَنَّہُمۡ مِّنۡۢ بَعۡدِ خَوۡفِہِمۡ اَمۡنًا ؕ یَعۡبُدُوۡنَنِیۡ لَا یُشۡرِکُوۡنَ بِیۡ شَیۡئًا ؕ وَ مَنۡ کَفَرَ بَعۡدَ ذٰلِکَ فَاُولٰٓئِکَ ہُمُ الۡفٰسِقُوۡنَ ﴿۵۵﴾
(૫૫) જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યોકે તે તેમને ઝમીનમાં વારસદાર બનાવશે, જેમ તેમની અગાઉના લોકોને વારસદાર બનાવ્યા હતા, અને તેમના માટે પસંદ કરેલ દીન (ઇસ્લામ)ને મજબૂત/અડગ બનાવી દેશે, અને તેમના ડરને સલામતીમાં બદલી નાખશે; એવી રીતે કે તેઓ મારી જ ઇબાદત કરે, તથા કોઇ વસ્તુને મારી શરીક બનાવે નહિ; અને જે કોઇ તેના બાદ નાસ્તિક થશે તો તેઓ ફાસિક (બદકાર) છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لِیَسۡتَاۡذِنۡکُمُ الَّذِیۡنَ مَلَکَتۡ اَیۡمَانُکُمۡ وَ الَّذِیۡنَ لَمۡ یَبۡلُغُوا الۡحُلُمَ مِنۡکُمۡ ثَلٰثَ مَرّٰتٍ ؕ مِنۡ قَبۡلِ صَلٰوۃِ الۡفَجۡرِ وَ حِیۡنَ تَضَعُوۡنَ ثِیَابَکُمۡ مِّنَ الظَّہِیۡرَۃِ وَ مِنۡۢ بَعۡدِ صَلٰوۃِ الۡعِشَآءِ ۟ؕ ثَلٰثُ عَوۡرٰتٍ لَّکُمۡ ؕ لَیۡسَ عَلَیۡکُمۡ وَ لَا عَلَیۡہِمۡ جُنَاحٌۢ بَعۡدَہُنَّ ؕ طَوّٰفُوۡنَ عَلَیۡکُمۡ بَعۡضُکُمۡ عَلٰی بَعۡضٍ ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمُ الۡاٰیٰتِ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۵۸﴾
(૫૮) અય ઇમાન લાવનારાઓ ! (આ) તમારી મિલકત(માં જે ગુલામ, કનીઝ હોય તે) તથા તમારામાંથી જે બાલિગ થયા ન હોય તે બચ્ચાઓ (તમારી પાસે આવવા માટે) ત્રણ સમયે તમારી રજા લ્યે; સવારની નમાઝ પહેલાં, અને બપોરે જયારે તમે કપડા ઉતારી આરામ કરો છો અને ઇશાની નમાઝ બાદ; આ ત્રણ સમય એકાંતના છે; એ સિવાય તમારા માથે અને તેમના માથે, કોઇ ગુનાહ નથી કે (રજા વગર) એકબીજા પાસે ફરતા રહો કે; અલ્લાહ આ રીતે તમારા માટે પોતાના હુકમો બયાન કરે છે; અને અલ્લાહ જાણનાર (અને) હિકમતવાળો છે.
وَ اِذَا بَلَغَ الۡاَطۡفَالُ مِنۡکُمُ الۡحُلُمَ فَلۡیَسۡتَاۡذِنُوۡا کَمَا اسۡتَاۡذَنَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمۡ اٰیٰتِہٖ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌ حَکِیۡمٌ ﴿۵۹﴾
(૫૯) અને જ્યારે તમારા બાળકો બાલિગ થાય ત્યારે તેઓ એવી જ રીતે રજા મેળવે જેવી રીતે કે તેમના (બાલિગ થવા) પહેલા (બીજા) લોકો રજા મેળવ્યા કરતા હતા; આવી રીતે ખુદા પોતાના હુકમો બયાન કરે છે; અને ખુદા હિકમતવાળો જાણકાર છે.
وَ الۡقَوَاعِدُ مِنَ النِّسَآءِ الّٰتِیۡ لَا یَرۡجُوۡنَ نِکَاحًا فَلَیۡسَ عَلَیۡہِنَّ جُنَاحٌ اَنۡ یَّضَعۡنَ ثِیَابَہُنَّ غَیۡرَ مُتَبَرِّجٰتٍۭ بِزِیۡنَۃٍ ؕ وَ اَنۡ یَّسۡتَعۡفِفۡنَ خَیۡرٌ لَّہُنَّ ؕ وَ اللّٰہُ سَمِیۡعٌ عَلِیۡمٌ ﴿۶۰﴾
(૬૦) અને એવી વૃઘ્ધ ઔરતો કે જેમને નિકાહની આશા ન હોય તેઓ પોતાના પડદાને મૂકી દે તો તેમના માથે કોઇ ગુનાહ નથી એ શરતે કે પોતાના શણગારને જાહેર ન કરે; અને જો તેણીઓ પોતાને ઢાંકે તો તે તેમના માટે બેહતર છે; અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
لَیۡسَ عَلَی الۡاَعۡمٰی حَرَجٌ وَّ لَا عَلَی الۡاَعۡرَجِ حَرَجٌ وَّ لَا عَلَی الۡمَرِیۡضِ حَرَجٌ وَّ لَا عَلٰۤی اَنۡفُسِکُمۡ اَنۡ تَاۡکُلُوۡا مِنۡۢ بُیُوۡتِکُمۡ اَوۡ بُیُوۡتِ اٰبَآئِکُمۡ اَوۡ بُیُوۡتِ اُمَّہٰتِکُمۡ اَوۡ بُیُوۡتِ اِخۡوَانِکُمۡ اَوۡ بُیُوۡتِ اَخَوٰتِکُمۡ اَوۡ بُیُوۡتِ اَعۡمَامِکُمۡ اَوۡ بُیُوۡتِ عَمّٰتِکُمۡ اَوۡ بُیُوۡتِ اَخۡوَالِکُمۡ اَوۡ بُیُوۡتِ خٰلٰتِکُمۡ اَوۡ مَا مَلَکۡتُمۡ مَّفَاتِحَہٗۤ اَوۡ صَدِیۡقِکُمۡ ؕ لَیۡسَ عَلَیۡکُمۡ جُنَاحٌ اَنۡ تَاۡکُلُوۡا جَمِیۡعًا اَوۡ اَشۡتَاتًا ؕ فَاِذَا دَخَلۡتُمۡ بُیُوۡتًا فَسَلِّمُوۡا عَلٰۤی اَنۡفُسِکُمۡ تَحِیَّۃً مِّنۡ عِنۡدِ اللّٰہِ مُبٰرَکَۃً طَیِّبَۃً ؕ کَذٰلِکَ یُبَیِّنُ اللّٰہُ لَکُمُ الۡاٰیٰتِ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿٪۶۱﴾
(૬૧) ન કોઇ આંધળાના માથે હરજ છે અને ન કોઇ લંગડાના માથે, અને ન કોઇ બીમાર ઉપર અને ન તમારા પોતાના માથે, કે તમે ખાવાનું તમારા ઘરોમાંથી અથવા તમારા બાપદાદાઓના ઘરોમાંથી, અથવા તમારી માઓના ઘરોમાંથી અથવા તમારા ભાઇઓના ઘરોમાંથી અથવા તમારી બહેનોના ઘરોમાંથી અથવા તમારા કાકાઓના ઘરોમાંથી અથવા તમારી ફઇઓના ઘરોમાંથી અથવા તમારા મામાઓના ઘરોમાંથી અથવા તમારી માસીઓના ઘરોમાંથી અથવા જે ઘરોની ચાવીઓ તમારા હાથમાં હોય તે ઘરોમાંથી અથવા તમારા દોસ્તોના ઘરોમાંથી; ખાવ એમાં કોઇ ગુનાહ નથી કે તમે ભેગા મળીને ખાવ યા જુદા જુદા; પછી જ્યારે તમે ઘરોમાં દાખલ થાવ ત્યારે ખુદ પર સલામ કરો કે, તે અલ્લાહ તરફથી મુબારક અને પાક તોહફો છે; અને આ રીતે અલ્લાહ પોતાના હુકમો તમને બયાન કરે છે કે કદાચ તમે વિચારો.
اِنَّمَا الۡمُؤۡمِنُوۡنَ الَّذِیۡنَ اٰمَنُوۡا بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ اِذَا کَانُوۡا مَعَہٗ عَلٰۤی اَمۡرٍ جَامِعٍ لَّمۡ یَذۡہَبُوۡا حَتّٰی یَسۡتَاۡذِنُوۡہُ ؕ اِنَّ الَّذِیۡنَ یَسۡتَاۡذِنُوۡنَکَ اُولٰٓئِکَ الَّذِیۡنَ یُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ ۚ فَاِذَا اسۡتَاۡذَنُوۡکَ لِبَعۡضِ شَاۡنِہِمۡ فَاۡذَنۡ لِّمَنۡ شِئۡتَ مِنۡہُمۡ وَ اسۡتَغۡفِرۡ لَہُمُ اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۶۲﴾
(૬૨) મોઅમીન ફકત તેઓ છે કે જેઓ અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા, અને જ્યારે તેઓ જરૂરી કામમાં તેની સાથે હોય છે ત્યારે રજા લીધા વિના ચાલ્યા જતા નથી; બેશક જે લોકો તમારી પાસે રજા માંગે છે તેઓ હકીકતમાં અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન લાવ્યા છે, પછી જ્યારે તેઓ તેમના કોઇ કામ માટે તારી રજા માંગે તો તેઓમાંથી જેને ચાહે તેને રજા આપી દે, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તગફાર કર કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
لَا تَجۡعَلُوۡا دُعَآءَ الرَّسُوۡلِ بَیۡنَکُمۡ کَدُعَآءِ بَعۡضِکُمۡ بَعۡضًا ؕ قَدۡ یَعۡلَمُ اللّٰہُ الَّذِیۡنَ یَتَسَلَّلُوۡنَ مِنۡکُمۡ لِوَاذًا ۚ فَلۡیَحۡذَرِ الَّذِیۡنَ یُخَالِفُوۡنَ عَنۡ اَمۡرِہٖۤ اَنۡ تُصِیۡبَہُمۡ فِتۡنَۃٌ اَوۡ یُصِیۡبَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿۶۳﴾
(૬૩) તમારા દરમ્યાન રસૂલના બોલાવાને એવુ ન રાખો જેવુ તમે એકબીજાને બોલાવો છો અને અલ્લાહ તેઓને સારી રીતે જાણે છે જેઓ તમારામાંથી એકબીજાની પાછળ છુપાય છે અને એક પછી એક ભાગી જાય છે, માટે જે લોકો અલ્લાહના હુકમની મુખાલેફત કરે છે તેઓએ આ બાબતથી ડરવુ જોઇએ કે તેમના પર કોઇ અજમાઇશ આવી પડે, અથવા કોઇ દર્દનાક અઝાબ આવી પડે.
اَلَاۤ اِنَّ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ قَدۡ یَعۡلَمُ مَاۤ اَنۡتُمۡ عَلَیۡہِ ؕ وَ یَوۡمَ یُرۡجَعُوۡنَ اِلَیۡہِ فَیُنَبِّئُہُمۡ بِمَا عَمِلُوۡا ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ ﴿٪۶۴﴾
(૬૪) જાણી લો કે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું જ છે; તમે જેના પર છો તેને તે સારી રીતે જાણે છે; અને જે દિવસે તેઓને તેની હજૂરમાં પાછા ફેરવવામાં આવશે ત્યારે જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી તેમને વાકેફ કરવામાં આવશે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.