અલ-કુરઆન

95

At-Tin

سورة التين


وَ التِّیۡنِ وَ الزَّیۡتُوۡنِ ۙ﴿۱﴾

(૧) કસમ અંજીર તથા ઝયતુનની:

وَ طُوۡرِ سِیۡنِیۡنَ ۙ﴿۲﴾

(૨) અને કસમ સીના (નામના) પહાડની :

وَ ہٰذَا الۡبَلَدِ الۡاَمِیۡنِ ۙ﴿۳﴾

(૩) અને કસમ આ સુરક્ષિત શહેરની :

لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡۤ اَحۡسَنِ تَقۡوِیۡمٍ ۫﴿۴﴾

(૪) ખરેખર અમોએ ઈન્સાનને બહેતરીન સૂરતમાં પેદા કર્યો:

ثُمَّ رَدَدۡنٰہُ اَسۡفَلَ سٰفِلِیۡنَ ۙ﴿۵﴾

(૫) પછી તેને અમોએ હલકામાં હલકી હાલતમાં પલટાવી નાખ્યો:

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ؕ﴿۶﴾

(૬) સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે કદી ખત્મ ન થાય તેવો અજ્ર છે.

فَمَا یُکَذِّبُکَ بَعۡدُ بِالدِّیۡنِ ؕ﴿۷﴾

(૭) પછી શુ કારણ છે કે આ બધી (રોશન દલીલો) પછી પણ બદલાના દિવસને જૂઠલાવે છો?

اَلَیۡسَ اللّٰہُ بِاَحۡکَمِ الۡحٰکِمِیۡنَ ٪﴿۸﴾

(૮) શું અલ્લાહ બહેતરીન ફેંસલો કરનારો નથી?!