અલ-કુરઆન

41

Fussilat

سورة فصلت


حٰمٓ ۚ﴿۱﴾

(૧) હા મીમ.

تَنۡزِیۡلٌ مِّنَ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۚ﴿۲﴾

(૨) આ (કિતાબ) રહેમાન અને રહીમ તરફથી નાઝિલ કરવામાં આવેલી છે.

کِتٰبٌ فُصِّلَتۡ اٰیٰتُہٗ قُرۡاٰنًا عَرَبِیًّا لِّقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ۙ﴿۳﴾

(૩) આ કિતાબ છે જેની આયતો તફસીલ સાથે બયાન કરવામાં આવી છે, કુરઆન અરબીમાં છે, તે લોકો માટે કે જેઓ જાણે છે:

بَشِیۡرًا وَّ نَذِیۡرًا ۚ فَاَعۡرَضَ اَکۡثَرُہُمۡ فَہُمۡ لَا یَسۡمَعُوۡنَ ﴿۴﴾

(૪) આ ખુશખબરી આપનાર, અને ડરાવનાર છે, પરંતુ તેઓમાંના ઘણાંખરાએ મોઢું ફેરવી લીધું પરિણામે તેઓ સાંભળતા નથી.

وَ قَالُوۡا قُلُوۡبُنَا فِیۡۤ اَکِنَّۃٍ مِّمَّا تَدۡعُوۡنَاۤ اِلَیۡہِ وَ فِیۡۤ اٰذَانِنَا وَقۡرٌ وَّ مِنۡۢ بَیۡنِنَا وَ بَیۡنِکَ حِجَابٌ فَاعۡمَلۡ اِنَّنَا عٰمِلُوۡنَ ؓ﴿۵﴾

(૫) અને તેઓ કહ્યુ કે તું જેની તરફ અમને બોલાવે છે તેની માટે અમારા દિલો પડદામાં છે. અને અમારા કાનોમાં બહેરાપણું છે, અને અમારી તથા તારી વચ્ચે એક પડદો છે; માટે તું તારૂં કામ કર, અને અમે અમારૂં કામ કરીએ છીએ.

قُلۡ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثۡلُکُمۡ یُوۡحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ فَاسۡتَقِیۡمُوۡۤا اِلَیۡہِ وَ اسۡتَغۡفِرُوۡہُ ؕ وَ وَیۡلٌ لِّلۡمُشۡرِکِیۡنَ ۙ﴿۶﴾

(૬) તું કહે કે હું પણ તમારા જેવો એક ઇન્સાન છું, (પરંતુ) મારા તરફ વહી આવે છે કે તમારો માઅબૂદ ફકત એક છે, માટે તેની તરફ સંપૂર્ણ ઘ્યાન આપો, તથા તેનાથી મગફેરત ચાહો; અને મુશરિકોના હાલ પર અફસોસ છે:

الَّذِیۡنَ لَا یُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ ہُمۡ بِالۡاٰخِرَۃِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۷﴾

(૭) જેઓ ઝકાત અદા કરતા નથી અને આખેરતનો ઇન્કાર કરનારા છે.

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ٪﴿۸﴾

(૮) બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમના માટે હરગિઝ ખત્મ ન થનાર બદલો છે.

قُلۡ اَئِنَّکُمۡ لَتَکۡفُرُوۡنَ بِالَّذِیۡ خَلَقَ الۡاَرۡضَ فِیۡ یَوۡمَیۡنِ وَ تَجۡعَلُوۡنَ لَہٗۤ اَنۡدَادًا ؕ ذٰلِکَ رَبُّ الۡعٰلَمِیۡنَ ۚ﴿۹﴾

(૯) તું કહે કે શું તમે તેનો ઇન્કાર કરો છો કે જેણે ઝમીનને બે દિવસમાં પૈદા કરી અને તેના જેવો બીજાને ઠેરવો છો? (જો કે) તે દુનિયાઓનો પાલનહાર છે.

10

وَ جَعَلَ فِیۡہَا رَوَاسِیَ مِنۡ فَوۡقِہَا وَ بٰرَکَ فِیۡہَا وَ قَدَّرَ فِیۡہَاۤ اَقۡوَاتَہَا فِیۡۤ اَرۡبَعَۃِ اَیَّامٍ ؕ سَوَآءً لِّلسَّآئِلِیۡنَ ﴿۱۰﴾

(૧૦) અને તેણે આ ઝમીન ઉપર મજબૂત પહાડ કાયમ કરી દીધા અને તેમાં બરકત પેદા કરી તેમજ જીવન જરૂરીયાતની બધી વસ્તુઓ મુકર્રર કરી દીધી -આ બધુ ચાર દિવસમાં હતુ- કે જે માંગણી કરનારની જરૂરત પ્રમાણે છે.

11

ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ وَ ہِیَ دُخَانٌ فَقَالَ لَہَا وَ لِلۡاَرۡضِ ائۡتِیَا طَوۡعًا اَوۡ کَرۡہًا ؕ قَالَتَاۤ اَتَیۡنَا طَآئِعِیۡنَ ﴿۱۱﴾

(૧૧) ત્યારબાદ તેણે આસમાન(ની ખિલકત) તરફ ઘ્યાન આપ્યું એવી હાલતમાં કે તે ધુમાડો હતુ પછી તેને અને ઝમીનને હુકમ કર્યો કે તમે બંને મરજીથી અથવા જબરદસ્તીથી આકાર પામો, બંનેએ કહ્યું કે અમે ફરમાબરદાર બનીને આકાર પામીએ છીએ.

12

فَقَضٰہُنَّ سَبۡعَ سَمٰوَاتٍ فِیۡ یَوۡمَیۡنِ وَ اَوۡحٰی فِیۡ کُلِّ سَمَآءٍ اَمۡرَہَا ؕ وَ زَیَّنَّا السَّمَآءَ الدُّنۡیَا بِمَصَابِیۡحَ ٭ۖ وَ حِفۡظًا ؕ ذٰلِکَ تَقۡدِیۡرُ الۡعَزِیۡزِ الۡعَلِیۡمِ ﴿۱۲﴾

(૧૨) પછી બે દિવસમાં સાત આસમાનો બનાવ્યા, અને દરેક આસમાનને તેનો હુકમ વહી કર્યો અને અમોએ દુનિયાના આસમાનને ચિરાગોથી ઝીનત આપી અને મહેફૂઝ કર્યુ; કે આ જબરદસ્ત જાણકાર (અલ્લાહ)ની તકદીર છે.

13

فَاِنۡ اَعۡرَضُوۡا فَقُلۡ اَنۡذَرۡتُکُمۡ صٰعِقَۃً مِّثۡلَ صٰعِقَۃِ عَادٍ وَّ ثَمُوۡدَ ﴿ؕ۱۳﴾

(૧૩) પછી અગર જો તેઓ મોઢુ ફેરવે, તો કહે કે હુ તમને કોમે આદ અને સમૂદ પર પડેલી વીજળી જેવી વીજળીથી ડરાવુ છું!

14

اِذۡ جَآءَتۡہُمُ الرُّسُلُ مِنۡۢ بَیۡنِ اَیۡدِیۡہِمۡ وَ مِنۡ خَلۡفِہِمۡ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ قَالُوۡا لَوۡ شَآءَ رَبُّنَا لَاَنۡزَلَ مَلٰٓئِکَۃً فَاِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۱۴﴾

(૧૪) જયારે તેમની સામે અને પાછળથી અમારા રસૂલો તેમની પાસે આવ્યા કે અલ્લાહ સિવાય બીજા કોઇની ઇબાદત કરો નહીં, ત્યારે તેમણે કહ્યું કે જો અમારો પરવરદિગાર ચાહતે તો ફરિશ્તાઓને મોકલતે, માટે તમે જે કાંઇ લાવ્યા છો તેનો ઇન્કાર કરીએ છીએ.

15

فَاَمَّا عَادٌ فَاسۡتَکۡبَرُوۡا فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ وَ قَالُوۡا مَنۡ اَشَدُّ مِنَّا قُوَّۃً ؕ اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَہُمۡ ہُوَ اَشَدُّ مِنۡہُمۡ قُوَّۃً ؕ وَ کَانُوۡا بِاٰیٰتِنَا یَجۡحَدُوۡنَ ﴿۱۵﴾

(૧૫) પછી કોમે આદે ઝમીનમાં નાહક તકબ્બૂર કર્યુ, અને કહ્યુ કે અમારાથી વધારે તાકતવાળા કોણ છે? શું તેઓ જાણતા ન હતા કે તેઓને પેદા કરનાર અલ્લાહ તે લોકો કરતાં વધારે તાકતવાળો છે? (આ ખોટી ધારણાને કારણે) તેઓ અમારી નિશાનીઓનો ઇન્કાર કરતા હતા.

16

فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا صَرۡصَرًا فِیۡۤ اَیَّامٍ نَّحِسَاتٍ لِّنُذِیۡقَہُمۡ عَذَابَ الۡخِزۡیِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَخۡزٰی وَ ہُمۡ لَا یُنۡصَرُوۡنَ ﴿۱۶﴾

(૧૬) છેવટે અમોએ પણ તેમના ઉપર મનહુસ દિવસોમાં તેજ અવાજ કરનાર ઠંડી હવાની આંધી મોકલી કે જેથી તેમને દુનિયાના જીવનમાં ઝલીલ કરનાર અઝાબની મજા ચખાડીએ; અને હકીકતમાં આખેરતનો અઝાબ આના કરતાંય વધારે ઝલીલ કરનારો છે, અને (ક્યાંયથી) મદદ કરવામાં નહીં આવે.

17

وَ اَمَّا ثَمُوۡدُ فَہَدَیۡنٰہُمۡ فَاسۡتَحَبُّوا الۡعَمٰی عَلَی الۡہُدٰی فَاَخَذَتۡہُمۡ صٰعِقَۃُ الۡعَذَابِ الۡہُوۡنِ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿ۚ۱۷﴾

(૧૭) અને કોમે સમૂદની અમોએ હિદાયત કરી, પરંતુ તેમણે અંધકારને હિદાયત ઉપર અગ્રતા આપી આજ કારણે અને તેઓના આમાલના કારણે વીજળી -તે ઝલીલ કરનાર અઝાબે- તેઓને પકડી લીધા.

18

وَ نَجَّیۡنَا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ کَانُوۡا یَتَّقُوۡنَ ﴿٪۱۸﴾

(૧૮) અને અમોએ તેઓને નજાત આપી જેઓ ઇમાનવાળા અને પરહેઝગાર હતા.

19

وَ یَوۡمَ یُحۡشَرُ اَعۡدَآءُ اللّٰہِ اِلَی النَّارِ فَہُمۡ یُوۡزَعُوۡنَ ﴿۱۹﴾

(૧૯) અને જે દિવસે અલ્લાહના દુશ્મનોને આગની પાસે ભેગા કરવામાં આવશે અને તેઓને (વેરવિખેર થવાથી) રોકી રાખવામાં આવશે.

20

حَتّٰۤی اِذَا مَا جَآءُوۡہَا شَہِدَ عَلَیۡہِمۡ سَمۡعُہُمۡ وَ اَبۡصَارُہُمۡ وَ جُلُوۡدُہُمۡ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۲۰﴾

(૨૦) જ્યારે ત્યાં પહોંચશે ત્યારે તેમની આંખ, કાન અને ચામડીઓ જે કાંઇ અંજામ આપતા હતા તેની ગવાહી આપશે.

21

وَ قَالُوۡا لِجُلُوۡدِہِمۡ لِمَ شَہِدۡتُّمۡ عَلَیۡنَا ؕ قَالُوۡۤا اَنۡطَقَنَا اللّٰہُ الَّذِیۡۤ اَنۡطَقَ کُلَّ شَیۡءٍ وَّ ہُوَ خَلَقَکُمۡ اَوَّلَ مَرَّۃٍ وَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને તેઓ પોતાની ચામડીઓને કહેશે શા માટે અમારી ખિલાફ ગવાહી આપી? તેઓ કહેશે કે અમને એ જ અલ્લાહે બોલતા કર્યા જેણે દરેક ચીઝને વાચા આપી છે, અને પહેલી વાર તેણે જ તમને પેદા કર્યા, અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.

22

وَ مَا کُنۡتُمۡ تَسۡتَتِرُوۡنَ اَنۡ یَّشۡہَدَ عَلَیۡکُمۡ سَمۡعُکُمۡ وَ لَاۤ اَبۡصَارُکُمۡ وَ لَا جُلُوۡدُکُمۡ وَ لٰکِنۡ ظَنَنۡتُمۡ اَنَّ اللّٰہَ لَا یَعۡلَمُ کَثِیۡرًا مِّمَّا تَعۡمَلُوۡنَ ﴿۲۲﴾

(૨૨) અને તમે એ માટે છુપાવતા ન હતા કે તમારા કાન તમારી આંખો અને તમારી ચામડીઓ તમારી ખિલાફ ગવાહી આપશે, પરંતુ તમારૂ ગુમાન હતુ કે અલ્લાહ તમારા ઘણાં કાર્યોને જાણતો નથી!

23

وَ ذٰلِکُمۡ ظَنُّکُمُ الَّذِیۡ ظَنَنۡتُمۡ بِرَبِّکُمۡ اَرۡدٰىکُمۡ فَاَصۡبَحۡتُمۡ مِّنَ الۡخٰسِرِیۡنَ ﴿۲۳﴾

(૨૩) અને આ તમારૂ ગુમાન કે જે તમે તમારા રબ બાબતે કર્યુ (આ ગુમાને) તમને હલાક કરી નાખ્યા પરિણામે તમે નુકસાન ભોગવનારાઓ થઇ ગયા.

24

فَاِنۡ یَّصۡبِرُوۡا فَالنَّارُ مَثۡوًی لَّہُمۡ ۚ وَ اِنۡ یَّسۡتَعۡتِبُوۡا فَمَا ہُمۡ مِّنَ الۡمُعۡتَبِیۡنَ ﴿۲۴﴾

(૨૪) પછી અગર તેઓ સબ્ર કરે તો (શું ફાયદો) તેમનું ઠેકાણું જહન્નમ છે, અને અગર જો તેઓ તૌબા કરવા ચાહે તો પણ કબૂલ કરવામાં નહિં આવે.

25

وَ قَیَّضۡنَا لَہُمۡ قُرَنَآءَ فَزَیَّنُوۡا لَہُمۡ مَّا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ حَقَّ عَلَیۡہِمُ الۡقَوۡلُ فِیۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِمۡ مِّنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ ۚ اِنَّہُمۡ کَانُوۡا خٰسِرِیۡنَ ﴿٪۲۵﴾

(૨૫) અને અમોએ તેમના માટે એવા સાથીઓ રાખ્યા હતા કે જેમણે તેમના આગલા પાછલા બધા કાર્યોને તેમની નજરમાં સારા બનાવી દીધા હતા, અને અગાઉની ઉમ્મતોમાંથી જિન્નાત અને ઇન્સાનો માટે પૂરવાર થયેલ અઝાબનો વાયદો તેઓ માટે પણ પૂરવાર થયો કે બેશક તેઓ નુકસાન ભોગવનારા હતા.

26

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَا تَسۡمَعُوۡا لِہٰذَا الۡقُرۡاٰنِ وَ الۡغَوۡا فِیۡہِ لَعَلَّکُمۡ تَغۡلِبُوۡنَ ﴿۲۶﴾

(૨૬) અને (નાસ્તિકો આપસમાં) કહ્યુ કે આ કુરઆનને સાંભળો નહિં અને તેની તિલાવતના સમયે ઘોંઘાટ કરો, કદાચને તમે ગાલિબ થઇ જાઓ.

27

فَلَنُذِیۡقَنَّ الَّذِیۡنَ کَفَرُوۡا عَذَابًا شَدِیۡدًا ۙ وَّ لَنَجۡزِیَنَّہُمۡ اَسۡوَاَ الَّذِیۡ کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۲۷﴾

(૨૭) પછી જરૂર અમો નાસ્તિકોને સખ્ત અઝાબની મજા ચખાડીશું અને તેમને તેમના બદતરીન આમાલનો બદલો આપીશું.

28

ذٰلِکَ جَزَآءُ اَعۡدَآءِ اللّٰہِ النَّارُ ۚ لَہُمۡ فِیۡہَا دَارُ الۡخُلۡدِ ؕ جَزَآءًۢ بِمَا کَانُوۡا بِاٰیٰتِنَا یَجۡحَدُوۡنَ ﴿۲۸﴾

(૨૮) આ આગ અલ્લાહના દુશ્મનોની સજા છે, જેમાં તેઓનું હંમેશાનુ ઠેકાણું છે; આ સજા એ માટે છે કે તેઓ અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.

29

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا رَبَّنَاۤ اَرِنَا الَّذَیۡنِ اَضَلّٰنَا مِنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ نَجۡعَلۡہُمَا تَحۡتَ اَقۡدَامِنَا لِیَکُوۡنَا مِنَ الۡاَسۡفَلِیۡنَ ﴿۲۹﴾

(૨૯) અને નાસ્તિકો કહેશે કે પરવરદિગાર જિન્નાત તથા ઇન્સાનોમાંથી અમને ગુમરાહ કરનારને દેખાડ જેથી અમે તેમને અમારા પગની નીચે રાખીએ જેથી સૌથી હલ્કા લોકો બની જાય.

30

اِنَّ الَّذِیۡنَ قَالُوۡا رَبُّنَا اللّٰہُ ثُمَّ اسۡتَقَامُوۡا تَتَنَزَّلُ عَلَیۡہِمُ الۡمَلٰٓئِکَۃُ اَلَّا تَخَافُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَ اَبۡشِرُوۡا بِالۡجَنَّۃِ الَّتِیۡ کُنۡتُمۡ تُوۡعَدُوۡنَ ﴿۳۰﴾

(૩૦) બેશક જેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર અલ્લાહ છે પછી તેમના ઉપર કાયમ રહ્યા તેમના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે કે ન ડરો, ન દુ:ખી થાવ તમને જન્નતની ખુશખબરી કે જેનો તમને વાયદો કરવામાં આવેલ છે.

31

نَحۡنُ اَوۡلِیٰٓؤُکُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ فِی الۡاٰخِرَۃِ ۚ وَ لَکُمۡ فِیۡہَا مَا تَشۡتَہِیۡۤ اَنۡفُسُکُمۡ وَ لَکُمۡ فِیۡہَا مَا تَدَّعُوۡنَ ﴿ؕ۳۱﴾

(૩૧) અમે દુનિયા અને આખેરતમાં તમારા મદદગાર છીએ અને (જન્નતમાં) તમારી ચાહત અને માંગણીની દરેક ચીઝ તમારા માટે (હાજર) છે.

32

نُزُلًا مِّنۡ غَفُوۡرٍ رَّحِیۡمٍ ﴿٪۳۲﴾

(૩૨) ગફુરૂર રહીમ (અલ્લાહ) તરફથી આ મહેમાન નવાઝી છે.

33

وَ مَنۡ اَحۡسَنُ قَوۡلًا مِّمَّنۡ دَعَاۤ اِلَی اللّٰہِ وَ عَمِلَ صَالِحًا وَّ قَالَ اِنَّنِیۡ مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿۳۳﴾

(૩૩) અને તેના કરતાં બહેતર વાત કોની છે કે જે લોકોને અલ્લાહ તરફ દાવત આપે તથા નેક અમલ કરે અને કહે કે બેશક હું મુસલમાન છું?!

34

وَ لَا تَسۡتَوِی الۡحَسَنَۃُ وَ لَا السَّیِّئَۃُ ؕ اِدۡفَعۡ بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ فَاِذَا الَّذِیۡ بَیۡنَکَ وَ بَیۡنَہٗ عَدَاوَۃٌ کَاَنَّہٗ وَلِیٌّ حَمِیۡمٌ ﴿۳۴﴾

(૩૪) બદી અને નેકી સમાન નથી માટે બદીને નેકી વડે હટાવ, તારી અને જેની વચ્ચે દુશ્મની છે એકાએક (જોઇશ કે) તે જાણે પાકો દોસ્ત છે.

35

وَ مَا یُلَقّٰہَاۤ اِلَّا الَّذِیۡنَ صَبَرُوۡا ۚ وَ مَا یُلَقّٰہَاۤ اِلَّا ذُوۡحَظٍّ عَظِیۡمٍ ﴿۳۵﴾

(૩૫) અને આ (સિફત) હાંસિલ નહી થાય સિવાય સબ્ર કરનાર અને (પરહેઝગારીનો) મહાન હિસ્સો રાખનારને.

36

وَ اِمَّا یَنۡزَغَنَّکَ مِنَ الشَّیۡطٰنِ نَزۡغٌ فَاسۡتَعِذۡ بِاللّٰہِ ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۳۶﴾

(૩૬) અને જો તમારા મનમાં શૈતાન તરફથી કોઇ વસવસો પેદા થાય તો અલ્લાહની પનાહ ચાહો, બેશક તે સાંભળનાર અને જાણનાર છે.

37

وَ مِنۡ اٰیٰتِہِ الَّیۡلُ وَ النَّہَارُ وَ الشَّمۡسُ وَ الۡقَمَرُ ؕ لَا تَسۡجُدُوۡا لِلشَّمۡسِ وَ لَا لِلۡقَمَرِ وَ اسۡجُدُوۡا لِلّٰہِ الَّذِیۡ خَلَقَہُنَّ اِنۡ کُنۡتُمۡ اِیَّاہُ تَعۡبُدُوۡنَ ﴿۳۷﴾

(૩૭) અને તેની નિશાનીઓમાંથી રાત અને દિવસ, સૂરજ તથા ચાંદ છે, માટે સૂરજ તથા ચાંદને સજદો ન કરો, (પરંતુ) જો તમે ફકત તેની જ ઇબાદત કરતા હોવ તો અલ્લાહને સજદો કરો જેણે તેને પેદા કર્યા છે.

38

فَاِنِ اسۡتَکۡبَرُوۡا فَالَّذِیۡنَ عِنۡدَ رَبِّکَ یُسَبِّحُوۡنَ لَہٗ بِالَّیۡلِ وَ النَّہَارِ وَ ہُمۡ لَا یَسۡـَٔمُوۡنَ ﴿ٛ۳۸﴾

(૩૮) અને જો તેઓ તકબ્બુર કરે તો તારા પરવરદિગાર પાસે એવા લોકો છે તેઓ રાત અને દિવસ તેની તસ્બીહ કરે છે અને થાકતા નથી.

39

وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنَّکَ تَرَی الۡاَرۡضَ خَاشِعَۃً فَاِذَاۤ اَنۡزَلۡنَا عَلَیۡہَا الۡمَآءَ اہۡتَزَّتۡ وَ رَبَتۡ ؕ اِنَّ الَّذِیۡۤ اَحۡیَاہَا لَمُحۡیِ الۡمَوۡتٰی ؕ اِنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۳۹﴾

(૩૯) અને તેની નિશાનીઓમાંથી એ છે કે તું ઝમીનને ઊજ્જડ જોવે છો પરંતુ જયારે અમે પાણી વરસાવીએ ત્યારે ઝમીન (પર લીલોતરી) લહેરાવા લાગે છે જેને તે (ઝમીન) જીવંત કરી તે જરૂર મુર્દાને જીવંત કરશે અને બેશક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

40

اِنَّ الَّذِیۡنَ یُلۡحِدُوۡنَ فِیۡۤ اٰیٰتِنَا لَا یَخۡفَوۡنَ عَلَیۡنَا ؕ اَفَمَنۡ یُّلۡقٰی فِی النَّارِ خَیۡرٌ اَمۡ مَّنۡ یَّاۡتِیۡۤ اٰمِنًا یَّوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِعۡمَلُوۡا مَا شِئۡتُمۡ ۙ اِنَّہٗ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۴۰﴾

(૪૦) બેશક જે લોકો અમારી આયતોમાં વક્રતા પેદા કરે છે, તેઓ અમારાથી છુપાએલા નથી, શું જેને જહન્નમમાં નાખવામાં આવે તે બહેતર છે કે જે કયામતના દિવસે સલામતી સાથે આવે? તમે જે ચાહો કરો, બેશક તમે કરો છો તેને તે જોવે છે.

41

اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِالذِّکۡرِ لَمَّا جَآءَہُمۡ ۚ وَ اِنَّہٗ لَکِتٰبٌ عَزِیۡزٌ ﴿ۙ۴۱﴾

(૪૧) જ્યારે ઝિક્ર આવ્યો ત્યારે જેઓએ નાસ્તિક થયા (તેઓ છુપા નથી), અને આ એક જબરદસ્ત કિતાબ છે :

42

لَّا یَاۡتِیۡہِ الۡبَاطِلُ مِنۡۢ بَیۡنِ یَدَیۡہِ وَ لَا مِنۡ خَلۡفِہٖ ؕ تَنۡزِیۡلٌ مِّنۡ حَکِیۡمٍ حَمِیۡدٍ ﴿۴۲﴾

(૪૨) તેમાં કંઇપણ બાતિલ આગળથી કે પાછળથી નથી આવતુ કારણકે આ વખાણપાત્ર અને હિકમતવાળા તરફથી નાઝિલ થયેલ છે.

43

مَا یُقَالُ لَکَ اِلَّا مَا قَدۡ قِیۡلَ لِلرُّسُلِ مِنۡ قَبۡلِکَ ؕ اِنَّ رَبَّکَ لَذُوۡ مَغۡفِرَۃٍ وَّ ذُوۡ عِقَابٍ اَلِیۡمٍ ﴿۴۳﴾

(૪૩) (પયગંબર !) તને જે કાંઇ પણ કહેવામાં આવે છે તે તમારી અગાઉના રસૂલોને કહેવામાં આવ્યુ હતુ અને તારો પરવરદિગાર માફ કરનાર અને સખ્ત અઝાબનો માલિક છે.

44

وَ لَوۡ جَعَلۡنٰہُ قُرۡاٰنًا اَعۡجَمِیًّا لَّقَالُوۡا لَوۡ لَا فُصِّلَتۡ اٰیٰتُہٗ ؕ ءَؔاَعۡجَمِیٌّ وَّ عَرَبِیٌّ ؕ قُلۡ ہُوَ لِلَّذِیۡنَ اٰمَنُوۡا ہُدًی وَّ شِفَآءٌ ؕ وَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرٌ وَّ ہُوَ عَلَیۡہِمۡ عَمًی ؕ اُولٰٓئِکَ یُنَادَوۡنَ مِنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ ﴿٪۴۴﴾

(૪૪) અને અગર અમે આ કુરઆનને અજમી ભાષામાં નાઝિલ કરત તો તેઓ કહેતે કે તેની આયતો વાઝેહ કેમ નથી, અને આ અજમી કિતાબ અરબ માટે?! કહે કે આ કિતાબ ઇમાનવાળા માટે શફા અને હિદાયત છે, અને જેઓ ઇમાન નથી લાવતા તેમના કાનમાં બહેરાપણું છે, અને તેમને તે દેખાતું નથી, અને (એવા છે જાણે કે) તેઓને દૂરથી પોકારવામાં આવતા હોય.

45

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ فَاخۡتُلِفَ فِیۡہِ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّہُمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۴۵﴾

(૪૫) અને બેશક અમોએ મૂસાને કિતાબ આપી તે પછી તેમાં ઇખ્તેલાફ થયો, અને તારા પરવરદિગાર તરફથી (મોહલત આપવાનુ) અગાઉથી નક્કી ન હોત તો તેમની વચ્ચે ફેસલો થઇ ગયો હોત, અને હકીકતમાં તેઓ બદગુમાનીવાળી શંકામાં પડયા છે.

46

مَنۡ عَمِلَ صَالِحًا فَلِنَفۡسِہٖ وَ مَنۡ اَسَآءَ فَعَلَیۡہَا ؕ وَ مَا رَبُّکَ بِظَلَّامٍ لِّلۡعَبِیۡدِ ﴿۴۶﴾

(૪૬) જે કોઇ નેક અમલ કરે, તેનો ફાયદો પોતાના માટે છે અને જે કોઇ બૂરાઇ કરે, તેણે પોતાની સાથે જ બૂરાઇ કરી છે અને તારો પરવરદિગાર બંદાઓ પર ઝુલ્મ કરતો નથી.

47

اِلَیۡہِ یُرَدُّ عِلۡمُ السَّاعَۃِ ؕ وَ مَا تَخۡرُجُ مِنۡ ثَمَرٰتٍ مِّنۡ اَکۡمَامِہَا وَ مَا تَحۡمِلُ مِنۡ اُنۡثٰی وَ لَا تَضَعُ اِلَّا بِعِلۡمِہٖ ؕ وَ یَوۡمَ یُنَادِیۡہِمۡ اَیۡنَ شُرَکَآءِیۡ ۙ قَالُوۡۤا اٰذَنّٰکَ ۙ مَا مِنَّا مِنۡ شَہِیۡدٍ ﴿ۚ۴۷﴾

(૪૭) (કયામતની) ઘડીનું ઇલ્મ તેની તરફ પલટે છે; અને કળીમાંથી કોઇ ફળ નથી નીકળતુ અથવા કોઇ માદા હામેલા નથી થતી અથવા જન્મ નથી આપતી સિવાય કે તે જાણે છે, અને જે દિવસે તેઓને તે પોકારશે ક્યા છે મારા શરીકો?! તેઓ કહેશે અમે અગાઉ એલાન કરી ચૂક્યા છીએ (આ બાબતે) અમારી પાસે કોઇ ગવાહ નથી.

48

وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَدۡعُوۡنَ مِنۡ قَبۡلُ وَ ظَنُّوۡا مَا لَہُمۡ مِّنۡ مَّحِیۡصٍ ﴿۴۸﴾

(૪૮) અને તે બધા ગાયબ થઇ જશે જેમને તેઓ અગાઉ બોલાવ્યા કરતા હતા, અને તેમને ખાત્રી થઇ જશે કે તેમના માટે કોઇ છૂટકારો નથી.

49

لَا یَسۡـَٔمُ الۡاِنۡسَانُ مِنۡ دُعَآءِ الۡخَیۡرِ ۫ وَ اِنۡ مَّسَّہُ الشَّرُّ فَیَـُٔوۡسٌ قَنُوۡطٌ ﴿۴۹﴾

(૪૯) ઇન્સાન ભલાઇની દુઆ કરવાથી કયારેય થાકતો નથી, અને જ્યારે કોઇ તકલીફ તેને પહોંચે છે ત્યારે એકદમ નિરાશ અને નાઉમ્મીદ થઇ જાય છે.

50

وَ لَئِنۡ اَذَقۡنٰہُ رَحۡمَۃً مِّنَّا مِنۡۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡہُ لَیَقُوۡلَنَّ ہٰذَا لِیۡ ۙ وَ مَاۤ اَظُنُّ السَّاعَۃَ قَآئِمَۃً ۙ وَّ لَئِنۡ رُّجِعۡتُ اِلٰی رَبِّیۡۤ اِنَّ لِیۡ عِنۡدَہٗ لَلۡحُسۡنٰی ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِمَا عَمِلُوۡا ۫ وَ لَنُذِیۡقَنَّہُمۡ مِّنۡ عَذَابٍ غَلِیۡظٍ ﴿۵۰﴾

(૫૦) અને જ્યારે તકલીફ પછી તેને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે કહે છે કે આ મારો હક હતો હુ ગુમાન નથી કરતો કે કયામત આવે (જો આવશે તો) જ્યારે મને પરવરદિગારની તરફ પાછો ફેરવવામાં આવશે ત્યારે મારા માટે તેની પાસે ભલાઇ છે અને નાસ્તિકોને તેઓના અંજામ આપેલા આમાલની જાણ કરીશુ, અને તેમને સખત અઝાબની મજા ચખાડીશું.

51

وَ اِذَاۤ اَنۡعَمۡنَا عَلَی الۡاِنۡسَانِ اَعۡرَضَ وَ نَاٰ بِجَانِبِہٖ ۚ وَ اِذَا مَسَّہُ الشَّرُّ فَذُوۡ دُعَآءٍ عَرِیۡضٍ ﴿۵۱﴾

(૫૧) અને અમે જયારે ઇન્સાનને નેઅમત આપીએ છીએ ત્યારે અમારાથી મોઢું ફેરવે છે અને તકબ્બૂરની હાલતમાં દૂર થાય છે, અને જયારે થોડુક દુ:ખ આવી પડે છે ત્યારે લાંબી લાંબી દુઆ કરવા લાગે છે.

52

قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ کَانَ مِنۡ عِنۡدِ اللّٰہِ ثُمَّ کَفَرۡتُمۡ بِہٖ مَنۡ اَضَلُّ مِمَّنۡ ہُوَ فِیۡ شِقَاقٍۭ بَعِیۡدٍ ﴿۵۲﴾

(૫૨) તું કહે કે (મને) ખબર આપો જો આ (કુરઆન) અલ્લાહ તરફથી હોય અને તમે તમે નાસ્તિક થાવ, તો તેનો સખ્ત વિરોધ કરનારથી વધારે ગુમરાહ કોણ હશે?!

53

سَنُرِیۡہِمۡ اٰیٰتِنَا فِی الۡاٰفَاقِ وَ فِیۡۤ اَنۡفُسِہِمۡ حَتّٰی یَتَبَیَّنَ لَہُمۡ اَنَّہُ الۡحَقُّ ؕ اَوَ لَمۡ یَکۡفِ بِرَبِّکَ اَنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۵۳﴾

(૫૩) અમે તેમને જલ્દી જ અમારી નિશાનીઓ દુનિયામાં તથા તમારા પોતાનામાં દેખાડીશું જેથી તેમના માટે વાઝેહ થઇ જાય કે તે હક છે, અને શું તે કાફી નથી કે તારો પરવરદિગાર દરેક વસ્તુનો ગવાહ છે?

54

اَلَاۤ اِنَّہُمۡ فِیۡ مِرۡیَۃٍ مِّنۡ لِّقَآءِ رَبِّہِمۡ ؕ اَلَاۤ اِنَّہٗ بِکُلِّ شَیۡءٍ مُّحِیۡطٌ ﴿٪۵۴﴾

(૫૪) જાણી લો કે જેઓ પોતાના પરવરદિગારની મુલાકાત બાબતે શકમાં છે, જાણી લો કે તે (અલ્લાહ)ના ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે.