અલ-કુરઆન

59

Al-Hashr

سورة الحشر


سَبَّحَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿۱﴾

(૧) જે કાંઇ આસમાનોમાં અને ઝમીનમાં છે તે સર્વે અલ્લાહની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

ہُوَ الَّذِیۡۤ اَخۡرَجَ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ مِنۡ دِیَارِہِمۡ لِاَوَّلِ الۡحَشۡرِ ؕؔ مَا ظَنَنۡتُمۡ اَنۡ یَّخۡرُجُوۡا وَ ظَنُّوۡۤا اَنَّہُمۡ مَّانِعَتُہُمۡ حُصُوۡنُہُمۡ مِّنَ اللّٰہِ فَاَتٰىہُمُ اللّٰہُ مِنۡ حَیۡثُ لَمۡ یَحۡتَسِبُوۡا ٭ وَ قَذَفَ فِیۡ قُلُوۡبِہِمُ الرُّعۡبَ یُخۡرِبُوۡنَ بُیُوۡتَہُمۡ بِاَیۡدِیۡہِمۡ وَ اَیۡدِی الۡمُؤۡمِنِیۡنَ ٭ فَاعۡتَبِرُوۡا یٰۤاُولِی الۡاَبۡصَارِ ﴿۲﴾

(૨) તે એ જ છે કે જેણે અહલે કિતાબમાંથી જેઓ નાસ્તિક થઇ ગયા હતા તેમને પહેલી જ વખતમાં જીલાવતન કરી મૂકયા અને તમે ગુમાન કરતા ન હતા કે તેઓ નીકળી જશે, અને તેઓ (પણ) ગુમાન કરતા હતા કે તેમના કિલ્લાઓ અલ્લાહના અઝાબ માટે રૂકાવટ બનશે, પરંતુ અલ્લાહનો અઝાબ એવી જગ્યાએથી આવ્યો જ્યાંથી તેઓને ગુમાન ન હતુ અને તેમના દિલોમાં (એવો) ડર પેદા કરી દીધો કે તેઓ પોતાના ઘરોને પોતાના જ હાથો વડે અને મોઅમીનોના હાથો વડે પાયમાલ કરતા હતા; તેથી અય બસીરત રાખનારાઓ ઇબ્રત હાંસિલ કરો.

وَ لَوۡ لَاۤ اَنۡ کَتَبَ اللّٰہُ عَلَیۡہِمُ الۡجَلَآءَ لَعَذَّبَہُمۡ فِی الدُّنۡیَا ؕ وَ لَہُمۡ فِی الۡاٰخِرَۃِ عَذَابُ النَّارِ ﴿۳﴾

(૩) અને અગર અલ્લાહે તેમના માટે જીલાવતનીની સજા લખી દીધી ન હોત તો તેમને દુનિયામાં જરૂર અઝાબ કરત, અને આખેરતમાં તેમના માટે આગનો અઝાબ પણ છે!

ذٰلِکَ بِاَنَّہُمۡ شَآقُّوا اللّٰہَ وَ رَسُوۡلَہٗ ۚ وَ مَنۡ یُّشَآقِّ اللّٰہَ فَاِنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ﴿۴﴾

(૪) આ એ માટે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલની દુશ્મની કરી, અને જે અલ્લાહની દુશ્મની કરશે (તો તે જાણી લે કે) જરૂર અલ્લાહનો અઝાબ સખ્ત છે!

مَا قَطَعۡتُمۡ مِّنۡ لِّیۡنَۃٍ اَوۡ تَرَکۡتُمُوۡہَا قَآئِمَۃً عَلٰۤی اُصُوۡلِہَا فَبِاِذۡنِ اللّٰہِ وَ لِیُخۡزِیَ الۡفٰسِقِیۡنَ ﴿۵﴾

(૫) (મુસલમાનો) તમોએ જે ખજૂરીને કાપી અથવા તેના મૂળ પર રહેવા દીધી તે બધુ અલ્લાહની રજાથી હતુ, આ એ માટે કે અલ્લાહ ફાસિકોને ઝલીલ કરે.

وَ مَاۤ اَفَآءَ اللّٰہُ عَلٰی رَسُوۡلِہٖ مِنۡہُمۡ فَمَاۤ اَوۡجَفۡتُمۡ عَلَیۡہِ مِنۡ خَیۡلٍ وَّ لَا رِکَابٍ وَّ لٰکِنَّ اللّٰہَ یُسَلِّطُ رُسُلَہٗ عَلٰی مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۶﴾

(૬) અને જે માલે ગનીમત અલ્લાહે તેના રસૂલને તેઓ પાસેથી પાછો અપાવ્યો કે જેના માટે તમે ઘોડા અને ઊંટ થકી કોઇ મહેનત નથી કરી, પરંતુ અલ્લાહ તેના રસૂલોને જેના ઉપર ચાહે સત્તા આપે છે અને તે દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

مَاۤ اَفَآءَ اللّٰہُ عَلٰی رَسُوۡلِہٖ مِنۡ اَہۡلِ الۡقُرٰی فَلِلّٰہِ وَ لِلرَّسُوۡلِ وَ لِذِی الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ ابۡنِ السَّبِیۡلِ ۙ کَیۡ لَا یَکُوۡنَ دُوۡلَۃًۢ بَیۡنَ الۡاَغۡنِیَآءِ مِنۡکُمۡ ؕ وَ مَاۤ اٰتٰىکُمُ الرَّسُوۡلُ فَخُذُوۡہُ ٭ وَ مَا نَہٰىکُمۡ عَنۡہُ فَانۡتَہُوۡا ۚ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ شَدِیۡدُ الۡعِقَابِ ۘ﴿۷﴾

(૭) જે કાંઇ અલ્લાહે આ વસ્તીવાળાઓ પાસેથી તેના રસૂલને પાછુ અપાવ્યું છે, તે અલ્લાહ, રસૂલ અને રસૂલના કરાબતદાર, યતીમો, ગરીબો અને ગરીબ મુસાફરો માટે છે જેથી બધો માલ હરીફરીને ફકત માલદારોના વચ્ચે રહી ન જાય અને રસૂલ તમારા માટે જે કાંઇ (હુકમ) લાવ્યા છે તે લઇ લો (તેના ઉપર અમલ કરો), અને જેનાથી તમને રોકે અટકી જાઓ, અને અલ્લાહ(ની નાફરમાની)થી બચો, બેશક અલ્લાહનો અઝાબ સખ્ત છે.

لِلۡفُقَرَآءِ الۡمُہٰجِرِیۡنَ الَّذِیۡنَ اُخۡرِجُوۡا مِنۡ دِیَارِہِمۡ وَ اَمۡوَالِہِمۡ یَبۡتَغُوۡنَ فَضۡلًا مِّنَ اللّٰہِ وَ رِضۡوَانًا وَّ یَنۡصُرُوۡنَ اللّٰہَ وَ رَسُوۡلَہٗ ؕ اُولٰٓئِکَ ہُمُ الصّٰدِقُوۡنَ ۚ﴿۸﴾

(૮) આ માલ તે હિજરત કરનારા હાજતમંદો માટે છે, કે જેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકાયા અને પોતાના માલથી અલગ કરી દેવાયા એવી હાલતમાં કે તેઓ અલ્લાહની મહેરબાની અને તેની ખુશીને ચાહે છે, અને અલ્લાહ તથા તેના રસૂલની મદદ કરે છે, અને તેઓ સાચા છે.

وَ الَّذِیۡنَ تَبَوَّؤُ الدَّارَ وَ الۡاِیۡمَانَ مِنۡ قَبۡلِہِمۡ یُحِبُّوۡنَ مَنۡ ہَاجَرَ اِلَیۡہِمۡ وَ لَا یَجِدُوۡنَ فِیۡ صُدُوۡرِہِمۡ حَاجَۃً مِّمَّاۤ اُوۡتُوۡا وَ یُؤۡثِرُوۡنَ عَلٰۤی اَنۡفُسِہِمۡ وَ لَوۡ کَانَ بِہِمۡ خَصَاصَۃٌ ؕ۟ وَ مَنۡ یُّوۡقَ شُحَّ نَفۡسِہٖ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ۚ﴿۹﴾

(૯) અને જેઓએ દારૂલ હિજરત (મદીના) અને ઇમાનના ઘરને મુહાજીરો પહેલા રહેવા માટે પસંદ કર્યુ અને જેઓ તેની તરફ હિજરત કરે છે તેને ચાહે છે અને જે કાંઇ તેઓ/મોહાજીરોને આપવામાં આવેલ છે તેની જરૂરત તેઓના દિલમાં મહેસૂસ નથી કરતા, અને પોતાની જાત ઉપર તેઓને મુકદ્દમ કરે છે (ઇસાર કરે), ભલે તેઓ પોતે જરૂરતમંદ હોય, અને જેઓ પોતાની જાતને લાલચથી બચાવી લીધી તેઓ સફળ થનારાઓ છે.

10

وَ الَّذِیۡنَ جَآءُوۡ مِنۡۢ بَعۡدِہِمۡ یَقُوۡلُوۡنَ رَبَّنَا اغۡفِرۡ لَنَا وَ لِاِخۡوَانِنَا الَّذِیۡنَ سَبَقُوۡنَا بِالۡاِیۡمَانِ وَ لَا تَجۡعَلۡ فِیۡ قُلُوۡبِنَا غِلًّا لِّلَّذِیۡنَ اٰمَنُوۡا رَبَّنَاۤ اِنَّکَ رَءُوۡفٌ رَّحِیۡمٌ ﴿٪۱۰﴾

(૧૦) અને જેઓ તેમના પછી આવ્યા, અને કહે છે કે : અય અમારા પરવરદિગાર અમને માફ કરી દે અને અમારા તે ભાઇઓને પણ જેઓ ઇમાનમાં અમારા કરતા આગળ વધી ગયા અને અમારા દિલોમાં મોમીનો માટે કીનો ન રાખજે બેશક તું દયાળુ અને મહેરબાન છો.

11

اَلَمۡ تَرَ اِلَی الَّذِیۡنَ نَافَقُوۡا یَقُوۡلُوۡنَ لِاِخۡوَانِہِمُ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ لَئِنۡ اُخۡرِجۡتُمۡ لَنَخۡرُجَنَّ مَعَکُمۡ وَ لَا نُطِیۡعُ فِیۡکُمۡ اَحَدًا اَبَدًا ۙ وَّ اِنۡ قُوۡتِلۡتُمۡ لَنَنۡصُرَنَّکُمۡ ؕ وَ اللّٰہُ یَشۡہَدُ اِنَّہُمۡ لَکٰذِبُوۡنَ ﴿۱۱﴾

(૧૧) શું તે મુનાફીકોને નથી જોયા કે જેઓ અહલે કિતાબમાંથી પોતાના નાસ્તિક ભાઇઓને સતત કહેતા હતા કે "અગર તમને કાઢી મુકવામાં આવશે, તો અમે પણ તમારી સાથે નીકળી જશું અને હરગિઝ તમારા બારામાં કોઇની તાબેદારી નહિં કરીએ અને અગર તમારી સાથે લડાઇ કરવામાં આવશે તો અમે તમારી મદદ કરશું!" અને અલ્લાહ ગવાહી આપે છે કે તેઓ ખરેખર જૂઠા છે.

12

لَئِنۡ اُخۡرِجُوۡا لَا یَخۡرُجُوۡنَ مَعَہُمۡ ۚ وَ لَئِنۡ قُوۡتِلُوۡا لَا یَنۡصُرُوۡنَہُمۡ ۚ وَ لَئِنۡ نَّصَرُوۡہُمۡ لَیُوَلُّنَّ الۡاَدۡبَارَ ۟ ثُمَّ لَا یُنۡصَرُوۡنَ ﴿۱۲﴾

(૧૨) અગર તેઓને કાઢી મૂકવામાં આવશે તો તેઓ તેમની સાથે નહિં નીકળે, અને અગર તેમની સાથે લડાઇ કરવામાં આવશે તો હરગિઝ તેમની મદદ નહિં કરે, અને અગર મદદ પણ કરશે તો (જરૂરતના સમયે) પીઠ ફેરવી ભાગી જશે; તે પછી કોઇ તેઓની મદદ નહીં કરે!

13

لَاَنۡتُمۡ اَشَدُّ رَہۡبَۃً فِیۡ صُدُوۡرِہِمۡ مِّنَ اللّٰہِ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَفۡقَہُوۡنَ ﴿۱۳﴾

(૧૩) મુસલમાનો ખરેખર તેમના દિલોમાં અલ્લાહ કરતા પહેલા તમારો ડર છે; આ એ માટે કે તેઓ સમજતા નથી / નાદાન છે.

14

لَا یُقَاتِلُوۡنَکُمۡ جَمِیۡعًا اِلَّا فِیۡ قُرًی مُّحَصَّنَۃٍ اَوۡ مِنۡ وَّرَآءِ جُدُرٍ ؕ بَاۡسُہُمۡ بَیۡنَہُمۡ شَدِیۡدٌ ؕ تَحۡسَبُہُمۡ جَمِیۡعًا وَّ قُلُوۡبُہُمۡ شَتّٰی ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ قَوۡمٌ لَّا یَعۡقِلُوۡنَ ﴿ۚ۱۴﴾

(૧૪) તેઓ કયારે પણ તમારાથી એક સાથે મળી જંગ નહિં કરે સિવાય કે મહેફૂઝ કિલ્લાવાળી વસ્તીઓમાં રહીને અથવા દિવાલોની પાછળ રહીને લડશે, તેમની લડાઇ આપસમાં સખત છે; અને તમે તેમને મુત્તહીદ (સંગઠિત) સમજો છો, એવી હાલતમાં કે તેઓના દિલો વિખરાયેલા છે આ એટલા માટે કે તે કોમ વિચારતી નથી!

15

کَمَثَلِ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ قَرِیۡبًا ذَاقُوۡا وَبَالَ اَمۡرِہِمۡ ۚ وَ لَہُمۡ عَذَابٌ اَلِیۡمٌ ﴿ۚ۱۵﴾

(૧૫) તેમનો દાખલો તે લોકોના જેવો છે કે જેઓ તેમની થોડાક પહેલાં પોતાના આમાલની સજાનો સ્વાદ ચાખી ચૂક્યા અને તેમના માટે દર્દનાક અઝાબ છે!

16

کَمَثَلِ الشَّیۡطٰنِ اِذۡ قَالَ لِلۡاِنۡسَانِ اکۡفُرۡ ۚ فَلَمَّا کَفَرَ قَالَ اِنِّیۡ بَرِیۡٓءٌ مِّنۡکَ اِنِّیۡۤ اَخَافُ اللّٰہَ رَبَّ الۡعٰلَمِیۡنَ ﴿۱۶﴾

(૧૬) અથવા તેમનો દાખલો શૈતાનના જેવો છે કે જેણે ઇન્સાનને કહ્યું કે તું નાસ્તિક થા, (જેથી તારી મુશ્કેલી દૂર કરૂ) પરંતુ જ્યારે તે નાસ્તિક થયો ત્યારે તેણે કહ્યું કે ખરેખર હું તારાથી બેઝાર છું; બેશક હું દુનિયાઓના પરવરદિગાર અલ્લાહથી ડરૂં છુંં.

17

فَکَانَ عَاقِبَتَہُمَاۤ اَنَّہُمَا فِی النَّارِ خَالِدَیۡنِ فِیۡہَا ؕ وَ ذٰلِکَ جَزٰٓؤُا الظّٰلِمِیۡنَ ﴿٪۱۷﴾

(૧૭) પછી તે બંનેનું પરિણામ એ છે કે તેઓ હંમેશા જહન્નમમાં રહેશે અને આ ઝાલિમોની સજા છે.

18

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوا اتَّقُوا اللّٰہَ وَ لۡتَنۡظُرۡ نَفۡسٌ مَّا قَدَّمَتۡ لِغَدٍ ۚ وَ اتَّقُوا اللّٰہَ ؕ اِنَّ اللّٰہَ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿۱۸﴾

(૧૮) અય ઇમાન લાવનારાઓ! અલ્લાહ(ની નાફરમાની)થી બચો; અને દરેક જોવે કે તેણે કાલ માટે કંઇ ચીઝ મોકલાવેલ છે? અને અલ્લાહ(ની નાફરમાની)થી બચતા રહો, બેશક તમે જે કાંઇ કરો છો અલ્લાહ તેને જાણે છે.

19

وَ لَا تَکُوۡنُوۡا کَالَّذِیۡنَ نَسُوا اللّٰہَ فَاَنۡسٰہُمۡ اَنۡفُسَہُمۡ ؕ اُولٰٓئِکَ ہُمُ الۡفٰسِقُوۡنَ ﴿۱۹﴾

(૧૯) અને તેઓ જેવા ન બનો કે જેઓ અલ્લાહને ભૂલી ગયા પછી અલ્લાહે તેઓને પોતાની જાત ભૂલાવી દીધી અને તેઓ હકીકતમાં નાફરમાન છે.

20

لَا یَسۡتَوِیۡۤ اَصۡحٰبُ النَّارِ وَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ؕ اَصۡحٰبُ الۡجَنَّۃِ ہُمُ الۡفَآئِزُوۡنَ ﴿۲۰﴾

(૨૦) જહન્નમવાસીઓ અને જન્નતવાસીઓ સમાન નથી; જન્નતવાસીઓ કામ્યાબ છે!

21

لَوۡ اَنۡزَلۡنَا ہٰذَا الۡقُرۡاٰنَ عَلٰی جَبَلٍ لَّرَاَیۡتَہٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنۡ خَشۡیَۃِ اللّٰہِ ؕ وَ تِلۡکَ الۡاَمۡثَالُ نَضۡرِبُہَا لِلنَّاسِ لَعَلَّہُمۡ یَتَفَکَّرُوۡنَ ﴿۲۱﴾

(૨૧) જો અમે આ કુરઆનને કોઇ પહાડ ઉપર નાઝિલ કરતા તો તુ જોત કે તે તેની સામે (નમ્રતાપૂર્વક) જૂકે છે અને તેના ડરથી ફાટે છે! અને આ દાખલાઓ અમે લોકો માટે બયાન કરીએ છીએ કે કદાચ તેઓ ગૌરો ફિક્ર કરે.

22

ہُوَ اللّٰہُ الَّذِیۡ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ عٰلِمُ الۡغَیۡبِ وَ الشَّہَادَۃِ ۚ ہُوَ الرَّحۡمٰنُ الرَّحِیۡمُ ﴿۲۲﴾

(૨૨) તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે ગૈબ તથા હાજરનો જાણકાર, તે રહમાન અને રહીમ છે.

23

ہُوَ اللّٰہُ الَّذِیۡ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ ۚ اَلۡمَلِکُ الۡقُدُّوۡسُ السَّلٰمُ الۡمُؤۡمِنُ الۡمُہَیۡمِنُ الۡعَزِیۡزُ الۡجَبَّارُ الۡمُتَکَبِّرُ ؕ سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۲۳﴾

(૨૩) તે અલ્લાહ એ જ છે કે જેના સિવાય કોઇ માઅબૂદ નથી, તે બાદશાહ, પાકીઝા, સલામતી આપનાર, અમાન દેનાર, ઘ્યાન રાખનાર (નિગેહબાન), જબરદસ્ત, ઇસ્લાહ (સુધારણા) કરનાર કીબ્રીયાઇનો માલિક છે; અને જે કાંઇ તેના શરીક બનાવવામાં આવે છે તેનાથી તે પાક છે.

24

ہُوَ اللّٰہُ الۡخَالِقُ الۡبَارِئُ الۡمُصَوِّرُ لَہُ الۡاَسۡمَآءُ الۡحُسۡنٰی ؕ یُسَبِّحُ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿٪۲۴﴾

(૨૪) તે અલ્લાહ એ જ છે જે પેદા કરનાર અને સૂરત બનાવનાર છે, અસ્માએ હુસ્ના (નેક નામો) ફકત તેના માટે જ છે આસમાનો અને ઝમીનમાં જે કાંઇ છે તે તેની તસ્બીહ કરે છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.