અલ-કુરઆન

63

Al-Munafiqoon

سورة المنافقون


اِذَا جَآءَکَ الۡمُنٰفِقُوۡنَ قَالُوۡا نَشۡہَدُ اِنَّکَ لَرَسُوۡلُ اللّٰہِ ۘ وَ اللّٰہُ یَعۡلَمُ اِنَّکَ لَرَسُوۡلُہٗ ؕ وَ اللّٰہُ یَشۡہَدُ اِنَّ الۡمُنٰفِقِیۡنَ لَکٰذِبُوۡنَ ۚ﴿۱﴾

(૧) (અય રસૂલ !) જયારે આ મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે બેશક તું, અલ્લાહનો રસૂલ છો અને અલ્લાહ જાણે છે કે તુ અલ્લાહનો રસૂલ છે અને અલ્લાહ ગવાહી આપે છે કે આ મુનાફીકો જૂઠા છે.

اِتَّخَذُوۡۤا اَیۡمَانَہُمۡ جُنَّۃً فَصَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ ؕ اِنَّہُمۡ سَآءَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۲﴾

(૨) તેઓએ પોતાની સોગંદને ઢાલ બનાવેલ છે જેથી લોકોને અલ્લાહની રાહથી અટકાવે, ઘણું જ ખરાબ કાર્ય અંજામ આપે છે!

ذٰلِکَ بِاَنَّہُمۡ اٰمَنُوۡا ثُمَّ کَفَرُوۡا فَطُبِعَ عَلٰی قُلُوۡبِہِمۡ فَہُمۡ لَا یَفۡقَہُوۡنَ ﴿۳﴾

(૩) આ એ માટે કે અગાઉ તેઓ ઇમાન લાવ્યા અને પછી નાસ્તિક બની ગયા; આ કારણે તેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે, (જેથી) તેઓ (હકીકત) સમજતા નથી.

وَ اِذَا رَاَیۡتَہُمۡ تُعۡجِبُکَ اَجۡسَامُہُمۡ ؕ وَ اِنۡ یَّقُوۡلُوۡا تَسۡمَعۡ لِقَوۡلِہِمۡ ؕ کَاَنَّہُمۡ خُشُبٌ مُّسَنَّدَۃٌ ؕ یَحۡسَبُوۡنَ کُلَّ صَیۡحَۃٍ عَلَیۡہِمۡ ؕ ہُمُ الۡعَدُوُّ فَاحۡذَرۡہُمۡ ؕ قٰتَلَہُمُ اللّٰہُ ۫ اَنّٰی یُؤۡفَکُوۡنَ ﴿۴﴾

(૪) અને જયારે તું તેમને જોઇશ ત્યારે તેઓનુ શરીર અને જાહેરી દેખાવ તને નવાઇ પમાડશે અને જો તેઓ વાત કરશે તો તું સાંભળતો રહીશ, પરંતુ હકીકતમાં તેઓ એવા છે કે જાણે દિવાલને ટેકે ઊભેલી સૂકી લાકડીઓ કે જે દરેક બુલંદ અવાજને પોતાની વિરૂઘ્ધ સમજે છે અને તેઓ (તારા હકીકી) દુશ્મન છે માટે તેમનાથી સાવચેત રહે! અલ્લાહ તેમનો નાશ કરે; કેવી રીતે તેઓ (હક)થી ફરી જાય છે?!

وَ اِذَا قِیۡلَ لَہُمۡ تَعَالَوۡا یَسۡتَغۡفِرۡ لَکُمۡ رَسُوۡلُ اللّٰہِ لَوَّوۡا رُءُوۡسَہُمۡ وَ رَاَیۡتَہُمۡ یَصُدُّوۡنَ وَ ہُمۡ مُّسۡتَکۡبِرُوۡنَ ﴿۵﴾

(૫) અને જયારે તેમને કહેવામાં આવે છે આવો અલ્લાહના રસૂલ તમારા માટે ઇસ્તેગફાર કરે તો તેઓ પોતાના માથા હલાવે છે, અને તું તેમને જોવે છો કે તારી વાતથી મોઢુ ફેરવે અને તકબ્બૂર કરે છે.

سَوَآءٌ عَلَیۡہِمۡ اَسۡتَغۡفَرۡتَ لَہُمۡ اَمۡ لَمۡ تَسۡتَغۡفِرۡ لَہُمۡ ؕ لَنۡ یَّغۡفِرَ اللّٰہُ لَہُمۡ ؕ اِنَّ اللّٰہَ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿۶﴾

(૬) તેમના માટે બધુ બરાબર છે ચાહે તું ઇસ્તગફાર કર કે ન કર હરગિઝ અલ્લાહ તેમને માફ નહી કરે; કારણકે અલ્લાહ ફાસિકોની હિદાયત નથી કરતો.

ہُمُ الَّذِیۡنَ یَقُوۡلُوۡنَ لَا تُنۡفِقُوۡا عَلٰی مَنۡ عِنۡدَ رَسُوۡلِ اللّٰہِ حَتّٰی یَنۡفَضُّوۡا ؕ وَ لِلّٰہِ خَزَآئِنُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لٰکِنَّ الۡمُنٰفِقِیۡنَ لَا یَفۡقَہُوۡنَ ﴿۷﴾

(૭) આ એ જ લોકો છે કે જેઓ કહે છે કે જેઓ અલ્લાહના રસૂલ પાસે છે તેઓ પર ઇન્ફાક (ખર્ચ) ન કરો, જેથી તેઓ વિખરાઇ જાય! (ગફલતમાં છે કે) આસમાનો અને ઝમીનના ખજાનાઓ અલ્લાહના જ છે, પરંતુ મુનાફીકો સમજતા નથી.

یَقُوۡلُوۡنَ لَئِنۡ رَّجَعۡنَاۤ اِلَی الۡمَدِیۡنَۃِ لَیُخۡرِجَنَّ الۡاَعَزُّ مِنۡہَا الۡاَذَلَّ ؕ وَ لِلّٰہِ الۡعِزَّۃُ وَ لِرَسُوۡلِہٖ وَ لِلۡمُؤۡمِنِیۡنَ وَ لٰکِنَّ الۡمُنٰفِقِیۡنَ لَا یَعۡلَمُوۡنَ ٪﴿۸﴾

(૮) તેઓ કહે છે કે જો અમે મદીના પાછા આવી જઇએ તો, આબરૂદાર લોકો (એટલે અમે) ત્યાંના ઝલીલ લોકોને (મુહાજીર મોમીનોને) જરૂર કાઢી મૂકશે; એવી હાલતમાં ખરી ઇજ્જત (અપરાજિત હોવુ) અલ્લાહ, રસૂલ અને મોઅમીનો માટે છે; પરંતુ મુનાફીકો જાણતા નથી.

یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تُلۡہِکُمۡ اَمۡوَالُکُمۡ وَ لَاۤ اَوۡلَادُکُمۡ عَنۡ ذِکۡرِ اللّٰہِ ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ فَاُولٰٓئِکَ ہُمُ الۡخٰسِرُوۡنَ ﴿۹﴾

(૯) અય ઇમાન લાવનારાઓ! તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના ઝિક્રથી ગાફિલ ન કરે, જે એમ કરશે, બેશક તે નુકસાન ઉઠાવનારાઓમાંથી છે.

10

وَ اَنۡفِقُوۡا مِنۡ مَّا رَزَقۡنٰکُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ یَّاۡتِیَ اَحَدَکُمُ الۡمَوۡتُ فَیَقُوۡلَ رَبِّ لَوۡ لَاۤ اَخَّرۡتَنِیۡۤ اِلٰۤی اَجَلٍ قَرِیۡبٍ ۙ فَاَصَّدَّقَ وَ اَکُنۡ مِّنَ الصّٰلِحِیۡنَ ﴿۱۰﴾

(૧૦) અને અમોએ તમને જે કાંઇ રોઝી આપેલ છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો એ પહેલાં કે તમારામાંથી કોઇને મોત આવી જાય અને તે કહે કે અય મારા પરવરદિગાર! શા માટે મને થોડા દિવસની મોહલત ન આપી કે જેથી હું ખૈરાત કરૂં તથા નેક બંદાઓમાંનો થઇ જાઉં?!

11

وَ لَنۡ یُّؤَخِّرَ اللّٰہُ نَفۡسًا اِذَا جَآءَ اَجَلُہَا ؕ وَ اللّٰہُ خَبِیۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ ﴿٪۱۱﴾

(૧૧) અને હરગિઝ જ્યારે કોઇના મોતનો સમય આવી જાય ત્યારે અલ્લાહ તેને પાછળ ધકેલતો નથી અને તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ જાણે છે.