અલ-કુરઆન

45

Al-Jathiya

سورة الجاثية


حٰمٓ ۚ﴿۱﴾

(૧) હા મીમ.

تَنۡزِیۡلُ الۡکِتٰبِ مِنَ اللّٰہِ الۡعَزِیۡزِ الۡحَکِیۡمِ ﴿۲﴾

(૨) આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ થયેલ છે.

اِنَّ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ لَاٰیٰتٍ لِّلۡمُؤۡمِنِیۡنَ ؕ﴿۳﴾

(૩) હકીકતમાં આસમાનો તથા ઝમીનમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ મોજૂદ છે.

وَ فِیۡ خَلۡقِکُمۡ وَ مَا یَبُثُّ مِنۡ دَآبَّۃٍ اٰیٰتٌ لِّقَوۡمٍ یُّوۡقِنُوۡنَ ۙ﴿۴﴾

(૪) અને ખુદ તમારી ખિલ્કતમાં અને જે જાનવરોને તે (ઝમીનમાં) ફેલાવતો રહે છે તેમાં યકીન રાખવાવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે:

وَ اخۡتِلَافِ الَّیۡلِ وَ النَّہَارِ وَ مَاۤ اَنۡزَلَ اللّٰہُ مِنَ السَّمَآءِ مِنۡ رِّزۡقٍ فَاَحۡیَا بِہِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِہَا وَ تَصۡرِیۡفِ الرِّیٰحِ اٰیٰتٌ لِّقَوۡمٍ یَّعۡقِلُوۡنَ ﴿۵﴾

(૫) અને રાત તથા દિવસની અવરજવરમાં, તથા તે રોઝીમાં કે જેને અલ્લાહ આસમાનથી નાઝિલ કરે છે કે જેનાથી ઝમીનને તેના ઉજ્જડ થયા પછી ફરીથી જીવંત કરે છે અને હવાઓના ચાલવામાં તે કોમ માટે નિશાનીઓ છે કે જે વિચારે છે.

تِلۡکَ اٰیٰتُ اللّٰہِ نَتۡلُوۡہَا عَلَیۡکَ بِالۡحَقِّ ۚ فَبِاَیِّ حَدِیۡثٍۭ بَعۡدَ اللّٰہِ وَ اٰیٰتِہٖ یُؤۡمِنُوۡنَ ﴿۶﴾

(૬) આ અલ્લાહની આયતો છે જે (અય રસૂલ!) અમે હક સાથે તમારી ઉપર તિલાવત કરીએ છીએ, (જો તે આના પર ઇમાન નહિ લાવે તો) પછી તેઓ અલ્લાહ તથા તેની આયતો બાદ કંઇ વાત પર ઇમાન લાવશે?!

وَیۡلٌ لِّکُلِّ اَفَّاکٍ اَثِیۡمٍ ۙ﴿۷﴾

(૭) અફસોસ છે દરેક જૂઠા ગુનેહગાર પર.

یَّسۡمَعُ اٰیٰتِ اللّٰہِ تُتۡلٰی عَلَیۡہِ ثُمَّ یُصِرُّ مُسۡتَکۡبِرًا کَاَنۡ لَّمۡ یَسۡمَعۡہَا ۚ فَبَشِّرۡہُ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿۸﴾

(૮) અલ્લાહની આયતો તિલાવત કરવામાં આવે છે તેને તે સાંભળે છે, પરંતુ તકબ્બૂરના કારણે અડગતાપૂર્વક વિરોધ કરે છે જાણે કે તેણે કાંઇ સાંભળ્યુ જ નથી; માટે એવા લોકોને દર્દનાક અઝાબની ખુશખબર આપ.

وَ اِذَا عَلِمَ مِنۡ اٰیٰتِنَا شَیۡئَۨا اتَّخَذَہَا ہُزُوًا ؕ اُولٰٓئِکَ لَہُمۡ عَذَابٌ مُّہِیۡنٌ ؕ﴿۹﴾

(૯) અને જ્યારે તેને અમારી નિશાનીની જાણકારી મળે છે ત્યારે તેની મજાક ઉડાડે છે; તે લોકો માટે ઝિલ્લતભર્યો અઝાબ છે.

10

مِنۡ وَّرَآئِہِمۡ جَہَنَّمُ ۚ وَ لَا یُغۡنِیۡ عَنۡہُمۡ مَّا کَسَبُوۡا شَیۡئًا وَّ لَا مَا اتَّخَذُوۡا مِنۡ دُوۡنِ اللّٰہِ اَوۡلِیَآءَ ۚ وَ لَہُمۡ عَذَابٌ عَظِیۡمٌ ﴿ؕ۱۰﴾

(૧૦) તેમની પાછળ જહન્નમ છે; અને તેમણે જે કાંઇ કમાવ્યું છે તે અને જેમને તેઓએ અલ્લાહના સિવાય પોતાના સરપરસ્ત બનાવી લીધા છે તે (સરપરસ્તો) તેઓને (જહન્નમથી) નહી બચાવે અને તેમના માટે મોટો અઝાબ છે.

11

ہٰذَا ہُدًی ۚ وَ الَّذِیۡنَ کَفَرُوۡا بِاٰیٰتِ رَبِّہِمۡ لَہُمۡ عَذَابٌ مِّنۡ رِّجۡزٍ اَلِیۡمٌ ﴿٪۱۱﴾

(૧૧) આ હિદાયત છે; અને જેમણે પોતાના પરવરદિગારની આયતોનો ઇન્કાર કર્યો તેમના માટે સખત દર્દનાક અઝાબ છે.

12

اَللّٰہُ الَّذِیۡ سَخَّرَ لَکُمُ الۡبَحۡرَ لِتَجۡرِیَ الۡفُلۡکُ فِیۡہِ بِاَمۡرِہٖ وَ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ وَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿ۚ۱۲﴾

(૧૨) અલ્લાહે દરિયાને તમારા તાબે કરી દીધો કે જેથી તેના હુકમથી તેમાં કશ્તીઓ ચાલે અને તેના ફઝલને તલાશ કરો અને કદાચને તેનો શુક્ર અદા કરો.

13

وَ سَخَّرَ لَکُمۡ مَّا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ جَمِیۡعًا مِّنۡہُ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۱۳﴾

(૧૩) અને જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે બધુ તેણે તમારા તાબે કરી દીધુ, બેશક તેમાં જે કોમ ગૌરો ફીક્ર કરે છે, તેમના માટે તેમાં નિશાનીઓ છે.

14

قُلۡ لِّلَّذِیۡنَ اٰمَنُوۡا یَغۡفِرُوۡا لِلَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ اَیَّامَ اللّٰہِ لِیَجۡزِیَ قَوۡمًۢا بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۱۴﴾

(૧૪) તું ઇમાનવાળાઓને કહે કે જે લોકો અલ્લાહના દિવસોની ઉમ્મીદ નથી રાખતાં તેઓને માફ કર (તે દિવસ સુધી) કે અલ્લાહ તે કોમને તેના કાર્યોનો મુકમ્મલ બદલો આપે.

15

مَنۡ عَمِلَ صَالِحًا فَلِنَفۡسِہٖ ۚ وَ مَنۡ اَسَآءَ فَعَلَیۡہَا ۫ ثُمَّ اِلٰی رَبِّکُمۡ تُرۡجَعُوۡنَ ﴿۱۵﴾

(૧૫) જે કોઇએ નેકી કરી તેના જ ફાયદા માટે છે જે કોઇએ બદી કરી (તેનો વબાલ) તેની ઉપર છે, પછી તમને તમારા પરવરદિગાર તરફ ફેરવવામાં આવશે.

16

وَ لَقَدۡ اٰتَیۡنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ الۡکِتٰبَ وَ الۡحُکۡمَ وَ النُّبُوَّۃَ وَ رَزَقۡنٰہُمۡ مِّنَ الطَّیِّبٰتِ وَ فَضَّلۡنٰہُمۡ عَلَی الۡعٰلَمِیۡنَ ﴿ۚ۱۶﴾

(૧૬) અને બેશક અમોએ બની ઇસરાઇલને કિતાબ, હુકુમત અને નબુવ્વત આપી, તથા તેમને પાકીઝા રોઝી આપી, અને તેમને (તે સમયના) તમામ દુનિયાવાળા ઉપર ફઝીલત આપી.

17

وَ اٰتَیۡنٰہُمۡ بَیِّنٰتٍ مِّنَ الۡاَمۡرِ ۚ فَمَا اخۡتَلَفُوۡۤا اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَہُمُ الۡعِلۡمُ ۙ بَغۡیًۢا بَیۡنَہُمۡ ؕ اِنَّ رَبَّکَ یَقۡضِیۡ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۷﴾

(૧૭) અમોએ તેમને અમારા હુકમની ખુલ્લી નિશાનીઓ આપી અને તેઓએ ઇખ્તેલાફ ન કર્યો પણ ઇલ્મ આવી ગયા બાદ, આ ઇખ્તેલાફ પરસ્પર ઝુલ્મ (અને હસદ)ને કારણે હતો, બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે બધી બાબતોનો ફેસલો કરી દેશે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.

18

ثُمَّ جَعَلۡنٰکَ عَلٰی شَرِیۡعَۃٍ مِّنَ الۡاَمۡرِ فَاتَّبِعۡہَا وَ لَا تَتَّبِعۡ اَہۡوَآءَ الَّذِیۡنَ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۸﴾

(૧૮) પછી અમોએ તને અમારા હુકમની શરીઅત પર લગાવી દીધા. તેથી તમે તેનુ પાલન કરો, અને (ખબરદાર) જેઓ જાહીલ છે તેઓની ખ્વાહીશાતની પૈરવી ન કરજો.

19

اِنَّہُمۡ لَنۡ یُّغۡنُوۡا عَنۡکَ مِنَ اللّٰہِ شَیۡئًا ؕ وَ اِنَّ الظّٰلِمِیۡنَ بَعۡضُہُمۡ اَوۡلِیَآءُ بَعۡضٍ ۚ وَ اللّٰہُ وَلِیُّ الۡمُتَّقِیۡنَ ﴿۱۹﴾

(૧૯) કારણકે હરગિઝ તેઓ અલ્લાહની સામે તને બેનિયાઝ નહી કરી શકે; અને બેશક ઝાલિમો એક બીજાના મદદગાર છે, અને અલ્લાહ પરહેઝગારોનો મદદગાર છે.

20

ہٰذَا بَصَآئِرُ لِلنَّاسِ وَ ہُدًی وَّ رَحۡمَۃٌ لِّقَوۡمٍ یُّوۡقِنُوۡنَ ﴿۲۰﴾

(૨૦) આ (કુરઆન) લોકોની અક્કલ માટે રોશની છે, અને યકીન કરવાવાળી કોમને માટે હિદાયત અને રહેમત છે.

21

اَمۡ حَسِبَ الَّذِیۡنَ اجۡتَرَحُوا السَّیِّاٰتِ اَنۡ نَّجۡعَلَہُمۡ کَالَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ سَوَآءً مَّحۡیَاہُمۡ وَ مَمَاتُہُمۡ ؕ سَآءَ مَا یَحۡکُمُوۡنَ ﴿٪۲۱﴾

(૨૧) શું જેઓએ ખરાબ કાર્યો કર્યા તેઓ એમ સમજે છે કે અમે તેમને ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેના જેવા (દરજ્જામાં) રાખશુ કે તેમની હયાત અને મૌત એક સરખી રહે ? કેટલો ખરાબ ફેસલો કરે છે!

22

وَ خَلَقَ اللّٰہُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ بِالۡحَقِّ وَ لِتُجۡزٰی کُلُّ نَفۡسٍۭ بِمَا کَسَبَتۡ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۲۲﴾

(૨૨) અને અલ્લાહે આસમાનો અને ઝમીનને હકની સાથે પેદા કર્યા છે, અને એ માટે કે દરેકને તેના કાર્યોનો બદલો આપવામાં આવે; અને તેમના ઉપર ઝુલ્મ નહિં થાય.

23

اَفَرَءَیۡتَ مَنِ اتَّخَذَ اِلٰـہَہٗ ہَوٰىہُ وَ اَضَلَّہُ اللّٰہُ عَلٰی عِلۡمٍ وَّ خَتَمَ عَلٰی سَمۡعِہٖ وَ قَلۡبِہٖ وَ جَعَلَ عَلٰی بَصَرِہٖ غِشٰوَۃً ؕ فَمَنۡ یَّہۡدِیۡہِ مِنۡۢ بَعۡدِ اللّٰہِ ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۲۳﴾

(૨૩) શું તે એ શખ્સને જોયો કે જેણે પોતાની ખ્વાહીશોને ખુદા બનાવી લીધો છે અને અલ્લાહે (તેની અયોગ્યતા) જાણી તેને ગુમરાહ કરી દીધો છે અને તેના કાન અને દિલ પર મોહર મારી દીધી છે અને તેની આંખ પર પડદા પાડી દીધા છે. એવી હાલતમાં અલ્લાહ સિવાય કોણ તેની હિદાયત કરી શકે છે? શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?

24

وَ قَالُوۡا مَا ہِیَ اِلَّا حَیَاتُنَا الدُّنۡیَا نَمُوۡتُ وَ نَحۡیَا وَ مَا یُہۡلِکُنَاۤ اِلَّا الدَّہۡرُ ۚ وَ مَا لَہُمۡ بِذٰلِکَ مِنۡ عِلۡمٍ ۚ اِنۡ ہُمۡ اِلَّا یَظُنُّوۡنَ ﴿۲۴﴾

(૨૪) તેઓએ કહ્યુ આ દુન્યવી જીવન સિવાય કંઇ નથી અમુક મરીએ છીએ અને બીજા અમુક તેની જગ્યા લઇ લ્યે છે. અમને હલાક નથી કરતો સિવાય કે સમય, આ બાબતનુ તેઓને ઇલ્મ નથી, ફકત અટકળો કરે છે.

25

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ مَّا کَانَ حُجَّتَہُمۡ اِلَّاۤ اَنۡ قَالُوا ائۡتُوۡا بِاٰبَآئِنَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۲۵﴾

(૨૫) અને જ્યારે અમારી ચોખ્ખી આયતો તેમની સામે તિલાવત કરવામાં આવે છે ત્યારે તેમની દલીલ આ સિવાય કાંઇ નથી કે તેઓ કહે કે જો તમે સાચુ કહો છો તો અમારા બાપદાદાઓને (જીવતા કરીને) લઇ આવો.

26

قُلِ اللّٰہُ یُحۡیِیۡکُمۡ ثُمَّ یُمِیۡتُکُمۡ ثُمَّ یَجۡمَعُکُمۡ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَا رَیۡبَ فِیۡہِ وَ لٰکِنَّ اَکۡثَرَ النَّاسِ لَا یَعۡلَمُوۡنَ ﴿٪۲۶﴾

(૨૬) તું કહે કે અલ્લાહ તમને જીવાડે છે પછી તમને મોત આપશે પછી તમને કયામતના દિવસે ભેગા કરશે કે જેમાં કોઇ શક નથી, પરંતુ લોકોમાંથી ઘણાં (આ વાત) જાણતા નથી.

27

وَ لِلّٰہِ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ یَوۡمَ تَقُوۡمُ السَّاعَۃُ یَوۡمَئِذٍ یَّخۡسَرُ الۡمُبۡطِلُوۡنَ ﴿۲۷﴾

(૨૭) ઝમીન અને આસમાનોની હુકૂમત અલ્લાહ માટે છે અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે અહલે બાતિલ નુકસાન ભોગવશે.

28

وَ تَرٰی کُلَّ اُمَّۃٍ جَاثِیَۃً ۟ کُلُّ اُمَّۃٍ تُدۡعٰۤی اِلٰی کِتٰبِہَا ؕ اَلۡیَوۡمَ تُجۡزَوۡنَ مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۲۸﴾

(૨૮) અને તું દરેક કોમને ગોઠણ ભેર બેઠેલી જોઇશ, અને દરેક ઉમ્મતને તેમના નામએ આમાલ તરફ બોલાવવામાં આવશે, કે આજે તમારા આમાલનો બદલો આપવામાં આવશે.

29

ہٰذَا کِتٰبُنَا یَنۡطِقُ عَلَیۡکُمۡ بِالۡحَقِّ ؕ اِنَّا کُنَّا نَسۡتَنۡسِخُ مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۲۹﴾

(૨૯) આ અમારી કિતાબ તમારી સાથે હક બોલે છે; અને અમે તેમાં તમારા આમાલને લખતા હતા.

30

فَاَمَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَیُدۡخِلُہُمۡ رَبُّہُمۡ فِیۡ رَحۡمَتِہٖ ؕ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡمُبِیۡنُ ﴿۳۰﴾

(૩૦) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને પરવરદિગાર પોતાની રહેમતમાં દાખલ કરશે, અને આ તે જ ખુલ્લી કામ્યાબી છે.

31

وَ اَمَّا الَّذِیۡنَ کَفَرُوۡا ۟ اَفَلَمۡ تَکُنۡ اٰیٰتِیۡ تُتۡلٰی عَلَیۡکُمۡ فَاسۡتَکۡبَرۡتُمۡ وَ کُنۡتُمۡ قَوۡمًا مُّجۡرِمِیۡنَ ﴿۳۱﴾

(૩૧) પરંતુ નાસ્તિકો(ને કહેવામાં આવશે) શું તમારી સામે અમારી આયતો પઢવામાં આવતી ન હતી ? તમે તકબ્બૂર કર્યો, હકીકતમાં તમે મુજરીમો હતા.

32

وَ اِذَا قِیۡلَ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ وَّ السَّاعَۃُ لَا رَیۡبَ فِیۡہَا قُلۡتُمۡ مَّا نَدۡرِیۡ مَا السَّاعَۃُ ۙ اِنۡ نَّظُنُّ اِلَّا ظَنًّا وَّ مَا نَحۡنُ بِمُسۡتَیۡقِنِیۡنَ ﴿۳۲﴾

(૩૨) અને જયારે કહેવામાં આવ્યું કે અલ્લાહનો વાયદો હક છે અને (કયામતની) ઘડીમાં કોઇ શક નથી ત્યારે તમે કહ્યું કે અમે નથી જાણતા કે (કયામતની) ઘડી શું છે? અમે તેને એક ગુમાન સમજીએ છીએ; અને અમે તેમાં યકીન નથી રાખતા.

33

وَ بَدَا لَہُمۡ سَیِّاٰتُ مَا عَمِلُوۡا وَ حَاقَ بِہِمۡ مَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۳۳﴾

(૩૩) અને તેઓ માટે તેમના આમાલની બૂરાઇઓ જાહેર થશે અને તેમને તે અઝાબે ઘેરી લેશે જે (અઝાબ)ની તેઓ મજાક ઉડાવતા હતા.

34

وَ قِیۡلَ الۡیَوۡمَ نَنۡسٰکُمۡ کَمَا نَسِیۡتُمۡ لِقَآءَ یَوۡمِکُمۡ ہٰذَا وَ مَاۡوٰىکُمُ النَّارُ وَ مَا لَکُمۡ مِّنۡ نّٰصِرِیۡنَ ﴿۳۴﴾

(૩૪) અને તેમને કહેવામાં આવ્યુ કે આજે અમો તમને એવી જ રીતે ભૂલી જાશુ કે જેવી રીતે તમે આજના દિવસની મુલાકાતને ભૂલી ગયા અને તમારૂં ઠેકાણું જહન્નમ છે અને તમારો કોઇ મદદગાર નથી.

35

ذٰلِکُمۡ بِاَنَّکُمُ اتَّخَذۡتُمۡ اٰیٰتِ اللّٰہِ ہُزُوًا وَّ غَرَّتۡکُمُ الۡحَیٰوۃُ الدُّنۡیَا ۚ فَالۡیَوۡمَ لَا یُخۡرَجُوۡنَ مِنۡہَا وَ لَا ہُمۡ یُسۡتَعۡتَبُوۡنَ ﴿۳۵﴾

(૩૫) આ એ માટે કે તમોએ અલ્લાહની આયતોની મજાક ઉડાવ્યો, અને દુનિયાની ઝિંદગીએ તમને ધોખો આપ્યો! આજે તેમને અઝાબમાંથી બહાર કાઢવામાં નહિ આવે, અને તેમનુ કોઇ બહાનુ કબૂલ કરવામાં નહિં આવે.

36

فَلِلّٰہِ الۡحَمۡدُ رَبِّ السَّمٰوٰتِ وَ رَبِّ الۡاَرۡضِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۳۶﴾

(૩૬) બસ દરેક વખાણ અલ્લાહ માટે છે જે આસમાનો, ઝમીન અને બધી દુનિયાઓનો પરવરદિગાર છે.

37

وَ لَہُ الۡکِبۡرِیَآءُ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ۪ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ﴿٪۳۷﴾

(૩૭) અને તેના જ માટે આસમાનો અને ઝમીનમાં કિબ્રીયાઇ (બુઝુર્ગી) છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.