અલ-કુરઆન

27

An-Naml

سورة النمل


طٰسٓ ۟ تِلۡکَ اٰیٰتُ الۡقُرۡاٰنِ وَ کِتَابٍ مُّبِیۡنٍ ۙ﴿۱﴾

(૧) તા-સીન, આ કુરઆનની અને રોશન કિતાબની આયતો છે:

ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ۙ﴿۲﴾

(૨) જે મોઅમીનો માટે હિદાયત અને ખુશખબરી છે:

الَّذِیۡنَ یُقِیۡمُوۡنَ الصَّلٰوۃَ وَ یُؤۡتُوۡنَ الزَّکٰوۃَ وَ ہُمۡ بِالۡاٰخِرَۃِ ہُمۡ یُوۡقِنُوۡنَ ﴿۳﴾

(૩) જેઓ નમાઝ કાયમ કરે છે તથા ઝકાત આપે છે અને આખેરત ઉપર યકીન રાખે છે.

اِنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ زَیَّنَّا لَہُمۡ اَعۡمَالَہُمۡ فَہُمۡ یَعۡمَہُوۡنَ ؕ﴿۴﴾

(૪) બેશક જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેમના આમાલને અમોએ તેમના માટે શોભીતા કરી દીધા જેથી તેઓ તેમાં જ ભટકતા રહે.

اُولٰٓئِکَ الَّذِیۡنَ لَہُمۡ سُوۡٓءُ الۡعَذَابِ وَ ہُمۡ فِی الۡاٰخِرَۃِ ہُمُ الۡاَخۡسَرُوۡنَ ﴿۵﴾

(૫) તેઓ માટે ખરાબ અઝાબ છે અને આખેરતમાં સૌથી વધુ નુકસાન ભોગવનારા છે.

وَ اِنَّکَ لَتُلَقَّی الۡقُرۡاٰنَ مِنۡ لَّدُنۡ حَکِیۡمٍ عَلِیۡمٍ ﴿۶﴾

(૬) અને તને આ કુરઆન હિકમતવાળા અને જાણકાર (અલ્લાહ) તરફથી આપવામાં આવે છે.

اِذۡ قَالَ مُوۡسٰی لِاَہۡلِہٖۤ اِنِّیۡۤ اٰنَسۡتُ نَارًا ؕ سَاٰتِیۡکُمۡ مِّنۡہَا بِخَبَرٍ اَوۡ اٰتِیۡکُمۡ بِشِہَابٍ قَبَسٍ لَّعَلَّکُمۡ تَصۡطَلُوۡنَ ﴿۷﴾

(૭) અને જયારે મૂસાએ તેના ઘરવાળાને કહ્યું: કે મેં એક આગ જોય; અને નજીકમાંજ હું તેની કંઇક ખબર લાવીશ અથવા આગની જ્વાળા લાવીશ કે જેથી તમે તાપો.

فَلَمَّا جَآءَہَا نُوۡدِیَ اَنۡۢ بُوۡرِکَ مَنۡ فِی النَّارِ وَ مَنۡ حَوۡلَہَا ؕ وَ سُبۡحٰنَ اللّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿۸﴾

(૮) ત્યારબાદ જયારે મૂસા તે(આગ)ની પાસે આવ્યા ત્યારે અવાજ આવ્યો કે બરકતવાળો છે કે જેનો જલ્વો આગની અંદર અને તેની આસપાસ છે, અને દુનિયાઓનો પાલનહાર અલ્લાહ, પાક અને પાકીઝા છે.

یٰمُوۡسٰۤی اِنَّہٗۤ اَنَا اللّٰہُ الۡعَزِیۡزُ الۡحَکِیۡمُ ۙ﴿۹﴾

(૯) અય મૂસા ! બેશક હું જબરદસ્ત અને હિકમતવાળો અલ્લાહ છું :

10

وَ اَلۡقِ عَصَاکَ ؕ فَلَمَّا رَاٰہَا تَہۡتَزُّ کَاَنَّہَا جَآنٌّ وَّلّٰی مُدۡبِرًا وَّ لَمۡ یُعَقِّبۡ ؕ یٰمُوۡسٰی لَا تَخَفۡ ۟ اِنِّیۡ لَا یَخَافُ لَدَیَّ الۡمُرۡسَلُوۡنَ ﴿٭ۖ۱۰﴾

(૧૦) અને તારી અસા (લાકડી)ને ઝમીન પર ફેંક, પછી જયારે મૂસાએ જોયું તો તે સાંપની જેમ સળવળતો હતો, તે પાછા ફર્યા અને પાછળ વળીને જોયું પણ નહિં (ગૈબથી અવાજ આવ્યો કે) અય મૂસા ! ડરો નહિં, રસૂલો મારી પાસે ડરતા નથી:

11

اِلَّا مَنۡ ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسۡنًۢا بَعۡدَ سُوۡٓءٍ فَاِنِّیۡ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۱﴾

(૧૧) સિવાય કે જે ગુનાહ કરે (પછી તોબા કરી તે ગુનાહ)ને નેકીમાં બદલી નાખે, હું ગફુરૂર રહીમ છું.

12

وَ اَدۡخِلۡ یَدَکَ فِیۡ جَیۡبِکَ تَخۡرُجۡ بَیۡضَآءَ مِنۡ غَیۡرِ سُوۡٓءٍ ۟ فِیۡ تِسۡعِ اٰیٰتٍ اِلٰی فِرۡعَوۡنَ وَ قَوۡمِہٖ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿۱۲﴾

(૧૨) અને તું તારો હાથ ગિરેબાન નાખ જેથી ખરાબી વગર સફેદ અને ચમકદાર થઇને નીકળશે, આ તે નવ નિશાનીઓમાંથી એક છે જે ફિરઔન અને તેની કૌમની તરફ લઇ જા, કારણકે તે નાફરમાન કૌમ છે.

13

فَلَمَّا جَآءَتۡہُمۡ اٰیٰتُنَا مُبۡصِرَۃً قَالُوۡا ہٰذَا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۱۳﴾

(૧૩) પછી જ્યારે પણ તેમની પાસે અમારી રોશની આપનારી નિશાનીઓ પહોંચી ત્યારે તેમણે કહ્યુંં કે આ ખુલ્લો જાદુ છે.

14

وَ جَحَدُوۡا بِہَا وَ اسۡتَیۡقَنَتۡہَاۤ اَنۡفُسُہُمۡ ظُلۡمًا وَّ عُلُوًّا ؕ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُفۡسِدِیۡنَ ﴿٪۱۴﴾

(૧૪) અને તેમણે ઝુલ્મ અને સરકશીના કારણે ઇન્કાર કર્યો, જોકે તેમના દિલને યકીન હતું, પછી જુવો કે ફસાદ કરનારાઓનો અંજામ કેવો હતો !

15

وَ لَقَدۡ اٰتَیۡنَا دَاوٗدَ وَ سُلَیۡمٰنَ عِلۡمًا ۚ وَ قَالَا الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ فَضَّلَنَا عَلٰی کَثِیۡرٍ مِّنۡ عِبَادِہِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۵﴾

(૧૫) અને અમોએ દાવૂદ અને સુલયમાનને ઇલ્મ આપ્યું, તે બંનેએ કહ્યું કે હમ્દ અલ્લાહ માટે જ છે, કે તેણે અમને ઘણાં મોઅમીન બંદાઓ ઉપર ફઝીલત આપી.

16

وَ وَرِثَ سُلَیۡمٰنُ دَاوٗدَ وَ قَالَ یٰۤاَیُّہَا النَّاسُ عُلِّمۡنَا مَنۡطِقَ الطَّیۡرِ وَ اُوۡتِیۡنَا مِنۡ کُلِّ شَیۡءٍ ؕ اِنَّ ہٰذَا لَہُوَ الۡفَضۡلُ الۡمُبِیۡنُ ﴿۱۶﴾

(૧૬) અને સુલયમાન દાવૂદનો વારસદાર થયો તેણે કહ્યું કે અય લોકો ! અમને પક્ષીઓની ઝબાન (ભાષા) શીખવવામાં આવેલ છે અને અમને દરેક ચીઝમાંથી હિસ્સો આપવામાં આવેલ છે અને આ ફઝીલત જાહેર છે.

17

وَ حُشِرَ لِسُلَیۡمٰنَ جُنُوۡدُہٗ مِنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ وَ الطَّیۡرِ فَہُمۡ یُوۡزَعُوۡنَ ﴿۱۷﴾

(૧૭) અને સુલયમાન માટે તેના પૂરા લશ્કરમાં જિન્નાતો, ઇન્સાનો તથા પક્ષીઓને ભેગા કરવામાં આવેલા, (હરોળમાં ગોઠવણ માટે) જુદી જુદી ટુકડીમાં વહેંચણી કરવામાં આવેલા.

18

حَتّٰۤی اِذَاۤ اَتَوۡا عَلٰی وَادِ النَّمۡلِ ۙ قَالَتۡ نَمۡلَۃٌ یّٰۤاَیُّہَا النَّمۡلُ ادۡخُلُوۡا مَسٰکِنَکُمۡ ۚ لَا یَحۡطِمَنَّکُمۡ سُلَیۡمٰنُ وَ جُنُوۡدُہٗ ۙ وَ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۱۸﴾

(૧૮) ત્યાં સુધી કે તેઓ કીડીઓની વાદીમાં પહોંચ્યા ત્યારે એક કીડીએ કહ્યું: અય કીડીઓ! તમે તમારા દરોમાં દાખલ થઇ જાઓ, જેથી કે સુલયમાન તથા તેનું લશ્કર ગફલતમાં તમને કચડી ન નાખે.

19

فَتَبَسَّمَ ضَاحِکًا مِّنۡ قَوۡلِہَا وَ قَالَ رَبِّ اَوۡزِعۡنِیۡۤ اَنۡ اَشۡکُرَ نِعۡمَتَکَ الَّتِیۡۤ اَنۡعَمۡتَ عَلَیَّ وَ عَلٰی وَالِدَیَّ وَ اَنۡ اَعۡمَلَ صَالِحًا تَرۡضٰىہُ وَ اَدۡخِلۡنِیۡ بِرَحۡمَتِکَ فِیۡ عِبَادِکَ الصّٰلِحِیۡنَ ﴿۱۹﴾

(૧૯) અને સુલયમાન તેની વાત પર મલકાયા અને હંસીને કહ્યુ કે અય મારા પરવરદિગાર! મને તૌફીક (તક) આપ કે જે નેઅમત તે મને અને મારા વાલેદૈનને આપેલ તેનો હું શુક્ર કરૂં તથા એવા નેક અમલ કરૂં કે જેનાથી તું રાજી થઇ જા અને તારી રહેમતથી મને તારા સાલેહ બંદાઓમાં દાખલ કર.

20

وَ تَفَقَّدَ الطَّیۡرَ فَقَالَ مَا لِیَ لَاۤ اَرَی الۡہُدۡہُدَ ۫ۖ اَمۡ کَانَ مِنَ الۡغَآئِبِیۡنَ ﴿۲۰﴾

(૨૦) અને તેણે (સુલયમાને) પરીંદાની તપાસ કરીને કહ્યુ કેમ હુદહુદને જોતો નથી, અથવા તે ગાયબ છે?

21

لَاُعَذِّبَنَّہٗ عَذَابًا شَدِیۡدًا اَوۡ لَاَاذۡبَحَنَّہٗۤ اَوۡ لَیَاۡتِیَنِّیۡ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿۲۱﴾

(૨૧) હું તેને સખત સજા કરીશ, અથવા તેને ઝબ્હ કરી નાખીશ, અથવા તો તે મારી પાસે (ગાયબ રહેવાની) રોશન દલીલ લાવે !

22

فَمَکَثَ غَیۡرَ بَعِیۡدٍ فَقَالَ اَحَطۡتُّ بِمَا لَمۡ تُحِطۡ بِہٖ وَ جِئۡتُکَ مِنۡ سَبَاٍۭ بِنَبَاٍ یَّقِیۡنٍ ﴿۲۲﴾

(૨૨) પછી બહુ વધારે સમય પસાર થયો ન હતો (ત્યાં હુદહુદ આવ્યુ) અને કહ્યું કે મને એક એવી વાત જાણવા મળી જે તમને પણ ખબર નથી અને હું મુલ્કે સબાથી એક યકીની ખબર લઇને આવ્યો છું.

23

اِنِّیۡ وَجَدۡتُّ امۡرَاَۃً تَمۡلِکُہُمۡ وَ اُوۡتِیَتۡ مِنۡ کُلِّ شَیۡءٍ وَّ لَہَا عَرۡشٌ عَظِیۡمٌ ﴿۲۳﴾

(૨૩) મે એક ઔરતને જોઇ કે જે તેઓ પર હુકૂમત કરે છે અને તેણીને દરેક વસ્તુની સત્તા આપવામાં આવી છે, તથા તેની પાસે એક મોટો તખ્ત છે.

24

وَجَدۡتُّہَا وَ قَوۡمَہَا یَسۡجُدُوۡنَ لِلشَّمۡسِ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ زَیَّنَ لَہُمُ الشَّیۡطٰنُ اَعۡمَالَہُمۡ فَصَدَّہُمۡ عَنِ السَّبِیۡلِ فَہُمۡ لَا یَہۡتَدُوۡنَ ﴿ۙ۲۴﴾

(૨૪) મેં તેણીને તથા તેણીની કૌમને અલ્લાહને મૂકી સૂરજને સજદો કરતા જોયાં, અને શેતાને તેમના આમાલને તેમની નજરમાં સુશોભિત બનાવી દીધા, અને તેમને સહીહ રસ્તાથી રોકી દીધા જેથી તેઓની હિદાયત નથી થઇ:

25

اَلَّا یَسۡجُدُوۡا لِلّٰہِ الَّذِیۡ یُخۡرِجُ الۡخَبۡءَ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ یَعۡلَمُ مَا تُخۡفُوۡنَ وَ مَا تُعۡلِنُوۡنَ ﴿۲۵﴾

(૨૫) શા માટે તેઓ અલ્લાહને સજદો નથી કરતા જે આસમાનો અને ઝમીનના છુપા રાઝોને જાહેર કરે છે અને તમો જે કાંઇ છુપાવો છો તથા જાહેર કરો છો તેને જાણે છે?!

26

اَللّٰہُ لَاۤ اِلٰہَ اِلَّا ہُوَ رَبُّ الۡعَرۡشِ الۡعَظِیۡمِ ﴿ٛ۲۶﴾

(૨૬) તે અલ્લાહ સિવાય કોઇ ઇબાદતને લાયક નથી જે અર્શે અઝીમનો પરવરદિગાર છે.

27

قَالَ سَنَنۡظُرُ اَصَدَقۡتَ اَمۡ کُنۡتَ مِنَ الۡکٰذِبِیۡنَ ﴿۲۷﴾

(૨૭) (સુલયમાને) કહ્યું, અમે જલ્દી જોઇ લઇશું કે તું સાચું બોલ્યો છો અથવા જૂઠાઓમાંથી છો.

28

اِذۡہَبۡ بِّکِتٰبِیۡ ہٰذَا فَاَلۡقِہۡ اِلَیۡہِمۡ ثُمَّ تَوَلَّ عَنۡہُمۡ فَانۡظُرۡ مَا ذَا یَرۡجِعُوۡنَ ﴿۲۸﴾

(૨૮) મારો આ પત્ર લઇ જા અને તેમની તરફ ફેંકી દેજે, પછી પાછો ફર (અને દૂરથી) જો કે તેઓ શું જવાબ આપે છે?

29

قَالَتۡ یٰۤاَیُّہَا الۡمَلَؤُا اِنِّیۡۤ اُلۡقِیَ اِلَیَّ کِتٰبٌ کَرِیۡمٌ ﴿۲۹﴾

(૨૯) તેણીએ કહ્યું અય મારી હુકુમતના સરદારો મારી તરફ કિંમતી પત્ર ફેંકવામાં આવ્યો છે.

30

اِنَّہٗ مِنۡ سُلَیۡمٰنَ وَ اِنَّہٗ بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ﴿ۙ۳۰﴾

(૩૦) બેશક તે સુલયમાન તરફથી છે અને તેમાં લખેલું છે કે શરૂં કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે :

31

اَلَّا تَعۡلُوۡا عَلَیَّ وَ اۡتُوۡنِیۡ مُسۡلِمِیۡنَ ﴿٪۳۱﴾

(૩૧) મારી સામે મોટાઇ ન ચાહો અને (હકને) તસ્લીમ થયેલ હાલતમાં મારી પાસે આવો.

32

قَالَتۡ یٰۤاَیُّہَا الۡمَلَؤُا اَفۡتُوۡنِیۡ فِیۡۤ اَمۡرِیۡ ۚ مَا کُنۡتُ قَاطِعَۃً اَمۡرًا حَتّٰی تَشۡہَدُوۡنِ ﴿۳۲﴾

(૩૨) તેણીએ કહ્યું, અય સરદારો મને આ બાબતમાં સલાહ આપો, કે મેં તમારી હાજરી વગર કોઇ જરૂરી ફેસલો કરેલ નથી.

33

قَالُوۡا نَحۡنُ اُولُوۡا قُوَّۃٍ وَّ اُولُوۡا بَاۡسٍ شَدِیۡدٍ ۬ۙ وَّ الۡاَمۡرُ اِلَیۡکِ فَانۡظُرِیۡ مَاذَا تَاۡمُرِیۡنَ ﴿۳۳﴾

(૩૩) તેમણે કહ્યું કે અમે તાકતવર અને મજબૂત લડવાવાળા છીએ, અને અંતિમ નિર્ણયની સત્તા તારી પાસે છે તું જો કે તારો હુકમ શું છે ?

34

قَالَتۡ اِنَّ الۡمُلُوۡکَ اِذَا دَخَلُوۡا قَرۡیَۃً اَفۡسَدُوۡہَا وَ جَعَلُوۡۤا اَعِزَّۃَ اَہۡلِہَاۤ اَذِلَّۃً ۚ وَ کَذٰلِکَ یَفۡعَلُوۡنَ ﴿۳۴﴾

(૩૪) (બિલ્કીસે) કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઇ વસ્તીમાં દાખલ થાય ત્યારે તેઓ તેને વિરાન કરી નાખે અને તેના આબરૂદાર રહેવાસીઓને ઝલીલ કરે છે અને આ તેમનો તરીકો હોય છે.

35

وَ اِنِّیۡ مُرۡسِلَۃٌ اِلَیۡہِمۡ بِہَدِیَّۃٍ فَنٰظِرَۃٌۢ بِمَ یَرۡجِعُ الۡمُرۡسَلُوۡنَ ﴿۳۵﴾

(૩૫) અને બેશક હું તેમની તરફ એક તોહફો મોકલુ છું, જેવી જોવ કે પયગામ પહોંચાડનારા શું જવાબ લઇને આવે છે.

36

فَلَمَّا جَآءَ سُلَیۡمٰنَ قَالَ اَتُمِدُّوۡنَنِ بِمَالٍ ۫ فَمَاۤ اٰتٰىنَِۧ اللّٰہُ خَیۡرٌ مِّمَّاۤ اٰتٰىکُمۡ ۚ بَلۡ اَنۡتُمۡ بِہَدِیَّتِکُمۡ تَفۡرَحُوۡنَ ﴿۳۶﴾

(૩૬) પછી જ્યારે તે (કાસીદ) સુલયમાન પાસે હાજર થયો ત્યારે તેણે (સુલયમાને) કહ્યું કે શું તમે માલ વડે મારી મદદ કરવા ચાહો છો? અલ્લાહે મને જે કાંઇ અતા કર્યું છે તે તમને આપવામાં આવેલ માલ કરતાં બેહતર છે બલ્કે તમારા તોહફાથી તમે જ ખુશ થાવ છો!

37

اِرۡجِعۡ اِلَیۡہِمۡ فَلَنَاۡتِیَنَّہُمۡ بِجُنُوۡدٍ لَّا قِبَلَ لَہُمۡ بِہَا وَ لَنُخۡرِجَنَّہُمۡ مِّنۡہَاۤ اَذِلَّۃً وَّ ہُمۡ صٰغِرُوۡنَ ﴿۳۷﴾

(૩૭) તેમની તરફ પાછો જા કે હું તેમની સામે એવું લશ્કર લઇને આવીશ કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને તે (દેશ)માંથી ઝલીલ કરીને કાઢી મૂકશું.

38

قَالَ یٰۤاَیُّہَا الۡمَلَؤُا اَیُّکُمۡ یَاۡتِیۡنِیۡ بِعَرۡشِہَا قَبۡلَ اَنۡ یَّاۡتُوۡنِیۡ مُسۡلِمِیۡنَ ﴿۳۸﴾

(૩૮) પછી તેણે કહ્યુ કે અય મારા સરદારો તમારામાંથી કોણ એવું છે જે તેણીના તખ્તને મારી પાસે લઇ આવશે તે પહેલા કે તેઓ તસ્લીમ થયેલ હાલતમાં હાજર થાય?

39

قَالَ عِفۡرِیۡتٌ مِّنَ الۡجِنِّ اَنَا اٰتِیۡکَ بِہٖ قَبۡلَ اَنۡ تَقُوۡمَ مِنۡ مَّقَامِکَ ۚ وَ اِنِّیۡ عَلَیۡہِ لَقَوِیٌّ اَمِیۡنٌ ﴿۳۹﴾

(૩૯) જિન્નાતોમાંથી ઇફરીતે કહ્યું કે તું તારી જગ્યાએથી ઉઠે તે પહેલાં તે હું તારી પાસે લઇ આવીશ, અને બેશક હું તાકતવર અને અમાનતદાર છું.

40

قَالَ الَّذِیۡ عِنۡدَہٗ عِلۡمٌ مِّنَ الۡکِتٰبِ اَنَا اٰتِیۡکَ بِہٖ قَبۡلَ اَنۡ یَّرۡتَدَّ اِلَیۡکَ طَرۡفُکَ ؕ فَلَمَّا رَاٰہُ مُسۡتَقِرًّا عِنۡدَہٗ قَالَ ہٰذَا مِنۡ فَضۡلِ رَبِّیۡ ۟ۖ لِیَبۡلُوَنِیۡۤ ءَاَشۡکُرُ اَمۡ اَکۡفُرُ ؕ وَ مَنۡ شَکَرَ فَاِنَّمَا یَشۡکُرُ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ کَفَرَ فَاِنَّ رَبِّیۡ غَنِیٌّ کَرِیۡمٌ ﴿۴۰﴾

(૪૦) જેની પાસે કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે કહ્યું કે તારી પલક ઝબકે તે પહેલાં તેને તારી પાસે હાજર કરી દઇશ, પછી જયારે (સુલયમાને) તે (તખ્ત)ને પોતાની સામે સ્થિર જોયું ત્યારે કહ્યું કે આ મારા પરવરદિગારનો ફઝલ છે જેથી મારૂં ઇમ્તેહાન કરે કે હું શુક્ર કરૂં છું કે નાશુક્રી કરૂં છું, અને જે કોઇ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કરશે, અને જે નાશુક્રી કરશે, તો મારો પરવરદિગાર બેનિયાઝ અને કરીમ છે.

41

قَالَ نَکِّرُوۡا لَہَا عَرۡشَہَا نَنۡظُرۡ اَتَہۡتَدِیۡۤ اَمۡ تَکُوۡنُ مِنَ الَّذِیۡنَ لَا یَہۡتَدُوۡنَ ﴿۴۱﴾

(૪૧) (સુલયમાને) કહ્યું કે તેના તખ્તને ઓળખાય નહી તેવુ કરી નાખો, જેથી અમે જોઇએ કે શું તેણીનું ઘ્યાન જાય છે કે હિદાયત થનાર લોકોમાંથી નથી?

42

فَلَمَّا جَآءَتۡ قِیۡلَ اَہٰکَذَا عَرۡشُکِ ؕ قَالَتۡ کَاَنَّہٗ ہُوَ ۚ وَ اُوۡتِیۡنَا الۡعِلۡمَ مِنۡ قَبۡلِہَا وَ کُنَّا مُسۡلِمِیۡنَ ﴿۴۲﴾

(૪૨) જયારે તેણી આવી તો તેણે (સુલયમાને) કહ્યું કે શું તારો તખ્ત આવો છે? તેણીએ કહ્યું જાણે તે જ છે, અને હું આની પહેલા જાણી ગઇ હતી અને મુસલમાન થઇ ચૂકી હતી.

43

وَ صَدَّہَا مَا کَانَتۡ تَّعۡبُدُ مِنۡ دُوۡنِ اللّٰہِ ؕ اِنَّہَا کَانَتۡ مِنۡ قَوۡمٍ کٰفِرِیۡنَ ﴿۴۳﴾

(૪૩) અને (સુલયમાને) તેણી અલ્લાહ સિવાય જેની ઇબાદત કરતી હતી તેનાથી રોકી દીધી, બેશક તેણી નાસ્તિકોની કોમમાંથી હતી.

44

قِیۡلَ لَہَا ادۡخُلِی الصَّرۡحَ ۚ فَلَمَّا رَاَتۡہُ حَسِبَتۡہُ لُجَّۃً وَّ کَشَفَتۡ عَنۡ سَاقَیۡہَا ؕ قَالَ اِنَّہٗ صَرۡحٌ مُّمَرَّدٌ مِّنۡ قَوَارِیۡرَ ۬ؕ قَالَتۡ رَبِّ اِنِّیۡ ظَلَمۡتُ نَفۡسِیۡ وَ اَسۡلَمۡتُ مَعَ سُلَیۡمٰنَ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿٪۴۴﴾

(૪૪) તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા, જ્યારે તેણીએ જોયું તો તેણીને પાણીનો હોજ લાગ્યો અને પોતાની બંને પીંડળીઓને ઊઘાડી; ત્યારે (સુલયમાને) કહ્યું કે આ મહેલ કાચમાંથી બનેલો છે; તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મેં મારા નફસ પર ઝુલ્મ કર્યો અને હું સુલયમાનની સાથે તમામ દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ છું.

45

وَ لَقَدۡ اَرۡسَلۡنَاۤ اِلٰی ثَمُوۡدَ اَخَاہُمۡ صٰلِحًا اَنِ اعۡبُدُوا اللّٰہَ فَاِذَا ہُمۡ فَرِیۡقٰنِ یَخۡتَصِمُوۡنَ ﴿۴۵﴾

(૪૫) અને ખરેજ અમોએ સમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલેહને મોકલ્યો કે તમે અલ્લાહની ઇબાદત કરો પરંતુ તેઓ બે ગિરોહ થઇ ગયા અને આપસમાં ઝઘડવા લાગ્યા.

46

قَالَ یٰقَوۡمِ لِمَ تَسۡتَعۡجِلُوۡنَ بِالسَّیِّئَۃِ قَبۡلَ الۡحَسَنَۃِ ۚ لَوۡ لَا تَسۡتَغۡفِرُوۡنَ اللّٰہَ لَعَلَّکُمۡ تُرۡحَمُوۡنَ ﴿۴۶﴾

(૪૬) તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે ભલાઇની પહેલાં બૂરાઇની ઉતાવળ શા માટે કરો છો ? તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કેમ નથી કરતા કે જેથી શાયદ તમારા પર રહેમ કરવામાં આવે?

47

قَالُوا اطَّیَّرۡنَا بِکَ وَ بِمَنۡ مَّعَکَ ؕ قَالَ طٰٓئِرُکُمۡ عِنۡدَ اللّٰہِ بَلۡ اَنۡتُمۡ قَوۡمٌ تُفۡتَنُوۡنَ ﴿۴۷﴾

(૪૭) લોકોએ કહ્યું કે અમોએ તમારાથી અને તમારા સાથીદારોથી અપશુકન લાવનાર જાણીએ છીએ તેણે કહ્યું કે તમારો અપશુકન અલ્લાહ પાસે (નક્કી થયેલ) છે, બલ્કે હકીકતમાં તમે લોકો ધોકો ખાધેલા છો.

48

وَ کَانَ فِی الۡمَدِیۡنَۃِ تِسۡعَۃُ رَہۡطٍ یُّفۡسِدُوۡنَ فِی الۡاَرۡضِ وَ لَا یُصۡلِحُوۡنَ ﴿۴۸﴾

(૪૮) અને તે શહેરમાં નવ જણા હતા જેઓ ઝમીનમાં ફસાદ કરતા હતા અને ઇસ્લાહ કરતા ન હતા.

49

قَالُوۡا تَقَاسَمُوۡا بِاللّٰہِ لَنُبَیِّتَنَّہٗ وَ اَہۡلَہٗ ثُمَّ لَنَقُوۡلَنَّ لِوَلِیِّہٖ مَا شَہِدۡنَا مَہۡلِکَ اَہۡلِہٖ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۴۹﴾

(૪૯) તેમણે કહ્યું કે તમો સૌ આપસમાં અલ્લાહની કસમ ખાવ કે આપણે રાતના સાલેહ તથા તેના ઘરવાળાઓ પર હમલો કરીશું, પછી તેમના વારસદારને કહીશું કે અમે તેમના ઘરવાળાની હલાકતના સમયે હાજર જ ન હતા અને અમે બિલકુલ સાચા છીએ.

50

وَ مَکَرُوۡا مَکۡرًا وَّ مَکَرۡنَا مَکۡرًا وَّ ہُمۡ لَا یَشۡعُرُوۡنَ ﴿۵۰﴾

(૫૦) અને તેઓ એક ચાલ ચાલ્યા અને અમે (જવાબી) ચાલ ચાલ્યા એવી હાલતમાં કે તેઓ સમજી ન શકયા!

51

فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ مَکۡرِہِمۡ ۙ اَنَّا دَمَّرۡنٰہُمۡ وَ قَوۡمَہُمۡ اَجۡمَعِیۡنَ ﴿۵۱﴾

(૫૧) પછી નિહાળો કે તેમની મક્કારીનું પરિણામ કેવુ આવ્યું ? કે અમોએ તેમને અને તેમની કૌમને બધાને બરબાદ કરી નાખ્યા.

52

فَتِلۡکَ بُیُوۡتُہُمۡ خَاوِیَۃًۢ بِمَا ظَلَمُوۡا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۵۲﴾

(૫૨) અને આ તેમના ઘર કે જે ઝુલ્મના કારણે વેરાન થયેલા છે અને બેશક જાણકાર કોમ માટે તેમાં નિશાની છે.

53

وَ اَنۡجَیۡنَا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ کَانُوۡا یَتَّقُوۡنَ ﴿۵۳﴾

(૫૩) અને અમોએ તેઓને બચાવી લીધા જેઓ ઇમાન લાવ્યા હતા અને (બૂરાઇથી) બચતા હતા.

54

وَ لُوۡطًا اِذۡ قَالَ لِقَوۡمِہٖۤ اَتَاۡتُوۡنَ الۡفَاحِشَۃَ وَ اَنۡتُمۡ تُبۡصِرُوۡنَ ﴿۵۴﴾

(૫૪) અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે શું તમે બદકારી કરો છો એવી હાલતમાં કે (તેના ખરાબ પરિણામો) જોવો છો?!

55

اَئِنَّکُمۡ لَتَاۡتُوۡنَ الرِّجَالَ شَہۡوَۃً مِّنۡ دُوۡنِ النِّسَآءِ ؕ بَلۡ اَنۡتُمۡ قَوۡمٌ تَجۡہَلُوۡنَ ﴿۵۵﴾

(૫૫) શું તમે ઔરતોને છોડી ખ્વાહીશાત માટે મર્દો પાસે જાઓ છો ? હકીકતમાં તમે જાહીલ કૌમ છો.

56

فَمَا کَانَ جَوَابَ قَوۡمِہٖۤ اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اَخۡرِجُوۡۤا اٰلَ لُوۡطٍ مِّنۡ قَرۡیَتِکُمۡ ۚ اِنَّہُمۡ اُنَاسٌ یَّتَطَہَّرُوۡنَ ﴿۵۶﴾

(૫૬) પછી તેની કોમનો જવાબ આ સિવાય કાંઇ ન હતો કે તેમણે (એકબીજાને) કહ્યું કે ખાનદાને લૂતને તમારી વસ્તીમાંથી કાઢી મૂકો કે તે લોકો પાકદામન છે.

57

فَاَنۡجَیۡنٰہُ وَ اَہۡلَہٗۤ اِلَّا امۡرَاَتَہٗ ۫ قَدَّرۡنٰہَا مِنَ الۡغٰبِرِیۡنَ ﴿۵۷﴾

(૫૭) જેથી અમોએ તે (લૂત) તથા તેના ખાનદાનવાળાઓને નજાત આપી સિવાય કે તેની ઔરતને (જેની માટે) અમે નક્કી કરી ચૂક્યા હતા કે તેણી પાછળ રહી જનારમાં રહે.

58

وَ اَمۡطَرۡنَا عَلَیۡہِمۡ مَّطَرًا ۚ فَسَآءَ مَطَرُ الۡمُنۡذَرِیۡنَ ﴿٪۵۸﴾

(૫૮) પછી અમોએ તેમના પર વરસાદ (પથ્થરોનો વરસાદ) વરસાવ્યો, ડરાવવામાં આવેલ પર થયેલ વરસાદ કેવો બૂરો છે !

59

قُلِ الۡحَمۡدُ لِلّٰہِ وَ سَلٰمٌ عَلٰی عِبَادِہِ الَّذِیۡنَ اصۡطَفٰی ؕ آٰللّٰہُ خَیۡرٌ اَمَّا یُشۡرِکُوۡنَ ﴿ؕ۵۹﴾

(૫૯) તું કહે કે દરેક પ્રકારની તારીફ અલ્લાહ માટે જ છે, અને સલામ થાય તેના તે બંદાઓ પર કે જેમને તેણે પસંદ કરી (ચૂંટી) લીધા છે; શું અલ્લાહ બેહતર છે કે અથવા જેને તેઓ શરીક બનાવે છે?

60

اَمَّنۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ اَنۡزَلَ لَکُمۡ مِّنَ السَّمَآءِ مَآءً ۚ فَاَنۡۢبَتۡنَا بِہٖ حَدَآئِقَ ذَاتَ بَہۡجَۃٍ ۚ مَا کَانَ لَکُمۡ اَنۡ تُنۡۢبِتُوۡا شَجَرَہَا ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ بَلۡ ہُمۡ قَوۡمٌ یَّعۡدِلُوۡنَ ﴿ؕ۶۰﴾

(૬૦) ભલા તે કોણ છે જેણે આસમાનો તથા ઝમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેના વડે ખુશી આપનાર બગીચાઓ ઉગાવ્યા? જયારે કે તમે હરગિઝ તે વૃક્ષ નથી ઉગાડી શકતા; શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે? (નહિં પરંતુ) તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે.

61

اَمَّنۡ جَعَلَ الۡاَرۡضَ قَرَارًا وَّ جَعَلَ خِلٰلَہَاۤ اَنۡہٰرًا وَّ جَعَلَ لَہَا رَوَاسِیَ وَ جَعَلَ بَیۡنَ الۡبَحۡرَیۡنِ حَاجِزًا ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿ؕ۶۱﴾

(૬૧) ભલા તે કોણ છે જેણે ઝમીનને સ્થિર બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને તે (પહાડો)ને મજબૂત (લંગર) બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? બલ્કે તેઓમાંથી મોટા ભાગના જાણતા નથી.

62

اَمَّنۡ یُّجِیۡبُ الۡمُضۡطَرَّ اِذَا دَعَاہُ وَ یَکۡشِفُ السُّوۡٓءَ وَ یَجۡعَلُکُمۡ خُلَفَآءَ الۡاَرۡضِ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ قَلِیۡلًا مَّا تَذَکَّرُوۡنَ ﴿ؕ۶۲﴾

(૬૨) અથવા તે કે જે પરેશાન હાલ પુકારે ત્યારે સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને ઝમીનના વારસદાર બનાવે છે; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે ? (નહિં) હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાંસિલ કરો છો.

63

اَمَّنۡ یَّہۡدِیۡکُمۡ فِیۡ ظُلُمٰتِ الۡبَرِّ وَ الۡبَحۡرِ وَ مَنۡ یُّرۡسِلُ الرِّیٰحَ بُشۡرًۢا بَیۡنَ یَدَیۡ رَحۡمَتِہٖ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ تَعٰلَی اللّٰہُ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿ؕ۶۳﴾

(૬૩) અથવા તે કે જે ઝમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને રહેમતના આગમન પહેલા ખુશખબરી તરીકે પવન મોકલે છે? શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતા બુલંદ છે.

64

اَمَّنۡ یَّبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ وَ مَنۡ یَّرۡزُقُکُمۡ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ ؕ ءَ اِلٰہٌ مَّعَ اللّٰہِ ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۶۴﴾

(૬૪) અથવા જેને ખિલ્કતની શરૂઆત કરી છે? અને ફરી બીજી વખતે તે જ પેદા કરશે અને જે આસમાન તથા ઝમીનમાંથી તમને રોઝી આપે છે? શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજૂ કરો.

65

قُلۡ لَّا یَعۡلَمُ مَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ الۡغَیۡبَ اِلَّا اللّٰہُ ؕ وَ مَا یَشۡعُرُوۡنَ اَیَّانَ یُبۡعَثُوۡنَ ﴿۶۵﴾

(૬૫) તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા ઝમીનમાં ગૈબની વાતો કોઇ જાણતું નથી; અને નથી જાણતા કે ક્યારે ઉઠાડવામાં આવશે.

66

بَلِ ادّٰرَکَ عِلۡمُہُمۡ فِی الۡاٰخِرَۃِ ۟ بَلۡ ہُمۡ فِیۡ شَکٍّ مِّنۡہَا ۫۟ بَلۡ ہُمۡ مِّنۡہَا عَمُوۡنَ ﴿٪۶۶﴾

(૬૬) પરંતુ આખેરત વિશે તેમનું ઇલ્મ નાકીસ (અધૂરૂં) છે બલ્કે તેઓ તે વિશે શંકામાં છે, બલ્કે તેનાથી તેઓ આંધળા છે.

67

وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡۤا ءَ اِذَا کُنَّا تُرٰبًا وَّ اٰبَآؤُنَاۤ اَئِنَّا لَمُخۡرَجُوۡنَ ﴿۶۷﴾

(૬૭) અને નાસ્તિકો કહ્યુ કે શું જયારે અમે અને અમારા બાપ દાદાઓ માટી બની જઇશું ત્યારે અમોને ફરી (માટીમાંથી) કાઢવામાં આવશે?

68

لَقَدۡ وُعِدۡنَا ہٰذَا نَحۡنُ وَ اٰبَآؤُنَا مِنۡ قَبۡلُ ۙ اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۶۸﴾

(૬૮) આ વાયદો અમને અને અમારા બાપદાદાઓને અગાઉ આપવામાં આવ્યો હતો. આ ફકત અગાઉના લોકોની વાર્તા છે!

69

قُلۡ سِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَانۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُجۡرِمِیۡنَ ﴿۶۹﴾

(૬૯) તું કહે કે તમે ભૂમિમાં હરો ફરો, પછી જૂઓ કે મુજરીમોનો અંજામ કેવો આવ્યો હતો!

70

وَ لَا تَحۡزَنۡ عَلَیۡہِمۡ وَ لَا تَکُنۡ فِیۡ ضَیۡقٍ مِّمَّا یَمۡکُرُوۡنَ ﴿۷۰﴾

(૭૦) અને તું તેમના માટે ગમગીન ન થા, અને તેઓની ચાલબાજીથી તારા દિલને તંગ ન થવા દે!

71

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۷۱﴾

(૭૧) અને તેઓ કહે છે કે અગર તમે સાચુ કહો છો તો આ વાયદો ક્યારે પૂરો થશે ?

72

قُلۡ عَسٰۤی اَنۡ یَّکُوۡنَ رَدِفَ لَکُمۡ بَعۡضُ الَّذِیۡ تَسۡتَعۡجِلُوۡنَ ﴿۷۲﴾

(૭૨) તું કહે કે શકય છે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ તમારી પાછળ જ હોય!

73

وَ اِنَّ رَبَّکَ لَذُوۡ فَضۡلٍ عَلَی النَّاسِ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَشۡکُرُوۡنَ ﴿۷۳﴾

(૭૩) અને બેશક તારો પરવરદિગાર લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાંખરા શુક્ર કરતા નથી!

74

وَ اِنَّ رَبَّکَ لَیَعۡلَمُ مَا تُکِنُّ صُدُوۡرُہُمۡ وَ مَا یُعۡلِنُوۡنَ ﴿۷۴﴾

(૭૪) અને બેશક તારો પરવરદિગાર તે બધુ જાણે છે જે કાંઇ તેમના દિલોમાં છુપાવે છે, તથા જે કાંઇ તેઓ એલાન કરે છે.

75

وَ مَا مِنۡ غَآئِبَۃٍ فِی السَّمَآءِ وَ الۡاَرۡضِ اِلَّا فِیۡ کِتٰبٍ مُّبِیۡنٍ ﴿۷۵﴾

(૭૫) અને આસમાનો તથા ઝમીનમાં કોઇ એવી છુપી વસ્તુ નથી કે જે કિતાબે મુબીનમાં ન હોય.

76

اِنَّ ہٰذَا الۡقُرۡاٰنَ یَقُصُّ عَلٰی بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اَکۡثَرَ الَّذِیۡ ہُمۡ فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۷۶﴾

(૭૬) બેશક આ કુરઆન બની ઇસ્રાઇલ માટે તેઓના ઇખ્તેલાફની ઘણી ખરી બાબતો બયાન કરે છે

77

وَ اِنَّہٗ لَہُدًی وَّ رَحۡمَۃٌ لِّلۡمُؤۡمِنِیۡنَ ﴿۷۷﴾

(૭૭) અને બેશક આ (કુરઆન) મોઅમીનો માટે હિદાયત અને રહેમત છે.

78

اِنَّ رَبَّکَ یَقۡضِیۡ بَیۡنَہُمۡ بِحُکۡمِہٖ ۚ وَ ہُوَ الۡعَزِیۡزُ الۡعَلِیۡمُ ﴿ۙۚ۷۸﴾

(૭૮) બેશક તારો પરવરદિગાર પોતાના હુકમથી તેમની વચ્ચે ફેસલો કરશે અને તે જબરદસ્ત જાણકાર છે.

79

فَتَوَکَّلۡ عَلَی اللّٰہِ ؕ اِنَّکَ عَلَی الۡحَقِّ الۡمُبِیۡنِ ﴿۷۹﴾

(૭૯) માટે તું ખુદા પર જ આધાર રાખ; ખરેખર તું વાઝેહ હકના રસ્તા ઉપર છો.

80

اِنَّکَ لَا تُسۡمِعُ الۡمَوۡتٰی وَ لَا تُسۡمِعُ الصُّمَّ الدُّعَآءَ اِذَا وَلَّوۡا مُدۡبِرِیۡنَ ﴿۸۰﴾

(૮૦) તું મુર્દાઓને અવાજ સંભળાવી નથી શકતો, અને બહેરાઓને બોલાવીને સંભળાવી શકતો નથી જ્યારે તેઓ પીઠ ફેરવી લ્યે.

81

وَ مَاۤ اَنۡتَ بِہٰدِی الۡعُمۡیِ عَنۡ ضَلٰلَتِہِمۡ ؕ اِنۡ تُسۡمِعُ اِلَّا مَنۡ یُّؤۡمِنُ بِاٰیٰتِنَا فَہُمۡ مُّسۡلِمُوۡنَ ﴿۸۱﴾

(૮૧) અને ન તું આંધળાઓને તેમની ગુમરાહીમાંથી સીધા રસ્તા ઉપર લાવી શકે છો; તું ફકત તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઇમાન લાવવા તથા અમને તસ્લીમ (સમર્પિત) થવા તૈયાર છે.

82

وَ اِذَا وَقَعَ الۡقَوۡلُ عَلَیۡہِمۡ اَخۡرَجۡنَا لَہُمۡ دَآبَّۃً مِّنَ الۡاَرۡضِ تُکَلِّمُہُمۡ ۙ اَنَّ النَّاسَ کَانُوۡا بِاٰیٰتِنَا لَا یُوۡقِنُوۡنَ ﴿٪۸۲﴾

(૮૨) અને જ્યારે તેમના પર (અઝાબનો) વાયદો પૂરવાર થશે અમે તેમના માટે ઝમીનમાંથી એક જીવ કાઢીશું જે તેમની સાથે વાત કરશે (અને કહેશે) લોકો અમારી આયત પર નહી લાવે.

83

وَ یَوۡمَ نَحۡشُرُ مِنۡ کُلِّ اُمَّۃٍ فَوۡجًا مِّمَّنۡ یُّکَذِّبُ بِاٰیٰتِنَا فَہُمۡ یُوۡزَعُوۡنَ ﴿۸۳﴾

(૮૩) અને તે દિવસે અમે દરેક ઉમ્મતમાંથી એક એવા સમૂહને ભેગા કરીશું કે જે અમારી આયતોને જૂઠલાવતા હતા પછી તેમને (હરોળમાં રાખવા) જુદા-જુદા ગિરોહમાં વહેંચી દેવામાં આવશે.

84

حَتّٰۤی اِذَا جَآءُوۡ قَالَ اَکَذَّبۡتُمۡ بِاٰیٰتِیۡ وَ لَمۡ تُحِیۡطُوۡا بِہَا عِلۡمًا اَمَّا ذَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۸۴﴾

(૮૪) એટલે સુધી કે બધા (હિસાબ માટે) આવશે ત્યારે (અલ્લાહ તેમને) કહેશે કે શું તમોએ ઇલ્મ વગર મારી આયતોને જૂઠલાવી હતી ? તમે (જૂઠલાવવા સિવાય બીજું) શુ કરતા હતા ?

85

وَ وَقَعَ الۡقَوۡلُ عَلَیۡہِمۡ بِمَا ظَلَمُوۡا فَہُمۡ لَا یَنۡطِقُوۡنَ ﴿۸۵﴾

(૮૫) અને તેમના ઝુલ્મના કારણે (અઝાબનો) વાયદો પૂરવાર થઇ જશે પછી તેઓ (કાંઇ) નહી બોલે.

86

اَلَمۡ یَرَوۡا اَنَّا جَعَلۡنَا الَّیۡلَ لِیَسۡکُنُوۡا فِیۡہِ وَ النَّہَارَ مُبۡصِرًا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یُّؤۡمِنُوۡنَ ﴿۸۶﴾

(૮૬) શું તેમણે નથી જોયું કે અમોએ રાત એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે અને દિવસને રોશની આપનાર (બનાવ્યો)? બેશક જેઓ ઇમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ મોજૂદ છે.

87

وَ یَوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ فَفَزِعَ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ اِلَّا مَنۡ شَآءَ اللّٰہُ ؕ وَ کُلٌّ اَتَوۡہُ دٰخِرِیۡنَ ﴿۸۷﴾

(૮૭) અને જે કોઇ ઝમીન અને આસમાનોમાં છે તે બધા સૂર ફૂંકવાના દિવસે ગભરાઇ જશે, સિવાય કે જેને અલ્લાહ ચાહે (તે ગભરાશે નહી) અને બધા તેની હજૂરમાં નમ્રતા સાથે હાજર થશે.

88

وَ تَرَی الۡجِبَالَ تَحۡسَبُہَا جَامِدَۃً وَّ ہِیَ تَمُرُّ مَرَّ السَّحَابِ ؕ صُنۡعَ اللّٰہِ الَّذِیۡۤ اَتۡقَنَ کُلَّ شَیۡءٍ ؕ اِنَّہٗ خَبِیۡرٌۢ بِمَا تَفۡعَلُوۡنَ ﴿۸۸﴾

(૮૮) અને તું પહાડોને જોવે છો તો સ્થિર લાગે છે, જો કે તે વાદળાંઓની જેમ ચાલી રહ્યા છે; આ તે અલ્લાહની ખિલ્કત છે કે જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી; બેશક તમે જે કાંઇ કરો છો તેનાથી તે સારી રીતે વાકેફ છે.

89

مَنۡ جَآءَ بِالۡحَسَنَۃِ فَلَہٗ خَیۡرٌ مِّنۡہَا ۚ وَ ہُمۡ مِّنۡ فَزَعٍ یَّوۡمَئِذٍ اٰمِنُوۡنَ ﴿۸۹﴾

(૮૯) જે કોઇએ નેકી બજાવી લાવશે તો તેના માટે તેનો બદલો તેના કરતા સારો હશે અને તેઓ તે દિવસના ગભરાહટથી મહેફૂઝ રહેશે.

90

وَ مَنۡ جَآءَ بِالسَّیِّئَۃِ فَکُبَّتۡ وُجُوۡہُہُمۡ فِی النَّارِ ؕ ہَلۡ تُجۡزَوۡنَ اِلَّا مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۹۰﴾

(૯૦) અને જે કોઇએ બૂરાઇ બજાવી લાવશે તેને જહન્નમમાં ફેકી દેવામાંં આવશે; શું તમને તમારા આમાલ સિવાય કંઇપણ બદલો આપવામાં આવશે ?

91

اِنَّمَاۤ اُمِرۡتُ اَنۡ اَعۡبُدَ رَبَّ ہٰذِہِ الۡبَلۡدَۃِ الَّذِیۡ حَرَّمَہَا وَ لَہٗ کُلُّ شَیۡءٍ ۫ وَّ اُمِرۡتُ اَنۡ اَکُوۡنَ مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿ۙ۹۱﴾

(૯૧) મને ફકત એ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના પરવરદિગારની ઇબાદત કરૂં. જેણે આ શહેરને મોહતરમ બનાવ્યું અને દરેક વસ્તુ તેની છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાનોમાંથી એક બની જાવ.

92

وَ اَنۡ اَتۡلُوَا الۡقُرۡاٰنَ ۚ فَمَنِ اہۡتَدٰی فَاِنَّمَا یَہۡتَدِیۡ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَقُلۡ اِنَّمَاۤ اَنَا مِنَ الۡمُنۡذِرِیۡنَ ﴿۹۲﴾

(૯૨) અને કે હું કુરઆનની તિલાવત કરૂ, પછી જે કોઇ હિદાયત મેળવી લેશે તે પોતાના ફાયદા માટે હિદાયત મેળવશે અને જે કોઇ ગુમરાહ થશે તો તેને કહે કે હું ફકત ડરાવનારાઓમાંથી છું.

93

وَ قُلِ الۡحَمۡدُ لِلّٰہِ سَیُرِیۡکُمۡ اٰیٰتِہٖ فَتَعۡرِفُوۡنَہَا ؕ وَ مَا رَبُّکَ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿٪۹۳﴾

(૯૩) અને તું કહે કે તમામ તાઅરીફ ફકત અલ્લાહ માટે જ છે, તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ દેખાડશે, જેથી તમે તેને ઓળખી લ્યો અને જે આમાલ તમે કરો છો તેનાથી તમારો પરવરદિગાર ગાફિલ નથી.