At-Taghabun
سورة التغابن
یَعۡلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ یَعۡلَمُ مَا تُسِرُّوۡنَ وَ مَا تُعۡلِنُوۡنَ ؕ وَ اللّٰہُ عَلِیۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ ﴿۴﴾
(૪) તે જે કાંઇ ઝમીન અને આસમાનોમાં છે તેને જાણે છે તથા જે કાંઇ તમે જાહેર કરો છો અથવા જે કાંઇ તમે છુપાવો છો તેને જાણે છે અને જે કાંઇ છાતીઓ/દિલોમાં છે તેને જાણે છે.
ذٰلِکَ بِاَنَّہٗ کَانَتۡ تَّاۡتِیۡہِمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَقَالُوۡۤا اَبَشَرٌ یَّہۡدُوۡنَنَا ۫ فَکَفَرُوۡا وَ تَوَلَّوۡا وَّ اسۡتَغۡنَی اللّٰہُ ؕ وَ اللّٰہُ غَنِیٌّ حَمِیۡدٌ ﴿۶﴾
(૬) આ એ માટે કે તેમના રસૂલો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઇને આવતા હતા (પરંતુ) તેઓએ (તકબ્બૂર કરીને) કહ્યું કે શું એક ઇન્સાન અમારી હિદાયત કરવા ચાહે છે? આ કારણે તેઓ નાસ્તિક થયા અને મોઢુ ફેરવી લીધુ; અને અલ્લાહને તેમના ઇમાનની જરૂરત ન હતી, અને અલ્લાહ બેનિયાઝ અને વખાણને પાત્ર છે!
زَعَمَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنۡ لَّنۡ یُّبۡعَثُوۡا ؕ قُلۡ بَلٰی وَ رَبِّیۡ لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡ ؕ وَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿۷﴾
(૭) તે નાસ્તિકો એમ ગુમાન કર્યુ કે હરગિઝ તેમને ઉઠાડવામાં નહિં આવે. કહે કે હા, મારા પરવરદિગારની કસમ જરૂર તમને ઉઠાડવામાં આવશે અને પછી તમે જે કાંઇ કરતા હતા તે તમને જણાવવામાં આવશે અને આ (કાર્ય) અલ્લાહ માટે સહેલુ છે!
یَوۡمَ یَجۡمَعُکُمۡ لِیَوۡمِ الۡجَمۡعِ ذٰلِکَ یَوۡمُ التَّغَابُنِ ؕ وَ مَنۡ یُّؤۡمِنۡۢ بِاللّٰہِ وَ یَعۡمَلۡ صَالِحًا یُّکَفِّرۡ عَنۡہُ سَیِّاٰتِہٖ وَ یُدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۹﴾
(૯) આ તે દિવસે થશે કે તમને બધાને જમા/ભેગા કરવાના દિવસે ભેગા કરશે તે (નુકસાન માટે) અફસોસનો દિવસ છે! અને જે અલ્લાહ પર ઇમાન લાવે અને સારા કાર્યો કરે, અલ્લાહ તેની બૂરાઇઓને ઢાંકી દેશે, અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો જારી છે, અને તેમાં તેઓ હંમેશા રહેશે અને એજ મોટી કામ્યાબી છે!
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ مِنۡ اَزۡوَاجِکُمۡ وَ اَوۡلَادِکُمۡ عَدُوًّا لَّکُمۡ فَاحۡذَرُوۡہُمۡ ۚ وَ اِنۡ تَعۡفُوۡا وَ تَصۡفَحُوۡا وَ تَغۡفِرُوۡا فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۴﴾
(૧૪) અય ઇમાનવાળાઓ ! તમારી ઔરતો અને ઔલાદમાંથી અમુક તમારા દુશ્મન છે, તેમનાથી સાવચેત રહો, અને જો તમે દરગુજર કરો ચશ્મપોશી કરો અને માફ કરો (તો અલ્લાહ તમને માફ કરશે) કારણકે અલ્લાહ ગફુરૂર રહીમ છે.
فَاتَّقُوا اللّٰہَ مَا اسۡتَطَعۡتُمۡ وَ اسۡمَعُوۡا وَ اَطِیۡعُوۡا وَ اَنۡفِقُوۡا خَیۡرًا لِّاَنۡفُسِکُمۡ ؕ وَ مَنۡ یُّوۡقَ شُحَّ نَفۡسِہٖ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۱۶﴾
(૧૬) માટે તમારાથી જ્યાં સુધી શકય હોય અલ્લાહ (ની નાફરમાની)થી પરહેઝ કરો અને તેની વાતને સાંભળો અને તેની ઇતાઅત કરો અને (તેની રાહમાં) ઇન્ફાક (ખર્ચ) કરો, કે તે તમારા માટે બહેતર છે. જેને પોતાની જાતને કંજૂસીથી બચાવી તેઓ કામ્યાબ છે.