Maryam
سورة مريم
قَالَ رَبِّ اِنِّیۡ وَہَنَ الۡعَظۡمُ مِنِّیۡ وَ اشۡتَعَلَ الرَّاۡسُ شَیۡبًا وَّ لَمۡ اَکُنۡۢ بِدُعَآئِکَ رَبِّ شَقِیًّا ﴿۴﴾
(૪) તેણે કહ્યુ : અય મારા પરવરદિગાર! ખરેખર મારા હાડકાં કમજોર થઇ ગયાં છે અને વૃઘ્ધાવસ્થાની જ્વાળાએ મારૂ માથુ ઘેરી લીધેલ છે અને અય મારા પરવરદિગાર! હું તારી પાસે દુઆની કબૂલીયતથી હરગિઝ મહેરૂમ થયો નથી.
قَالَ کَذٰلِکِ ۚ قَالَ رَبُّکِ ہُوَ عَلَیَّ ہَیِّنٌ ۚ وَ لِنَجۡعَلَہٗۤ اٰیَۃً لِّلنَّاسِ وَ رَحۡمَۃً مِّنَّا ۚ وَ کَانَ اَمۡرًا مَّقۡضِیًّا ﴿۲۱﴾
(૨૧) તેણે કહ્યું, એમ જ થશે; તારા પરવરદિગારે ફરમાવ્યું છે કે તે મારા માટે આસાન છે, અને એટલા માટે કે અમે તેને લોકો માટે એક નિશાની અને અમારા તરફથી રહેમત બનાવીએ, અને આ બાબત નક્કી થઇ ચૂકી છે.
فَکُلِیۡ وَ اشۡرَبِیۡ وَ قَرِّیۡ عَیۡنًا ۚ فَاِمَّا تَرَیِنَّ مِنَ الۡبَشَرِ اَحَدًا ۙ فَقُوۡلِیۡۤ اِنِّیۡ نَذَرۡتُ لِلرَّحۡمٰنِ صَوۡمًا فَلَنۡ اُکَلِّمَ الۡیَوۡمَ اِنۡسِیًّا ﴿ۚ۲۶﴾
(૨૬) પછી ખાઇ-પી અને આંખ રોશન કર! (દિલને ઠંડક પહોંચાડ) પછી જો કોઇ ઇન્સાનને જો તો (ઇશારાથી) કહેજે કે મેં રહેમાન માટે રોઝાની નઝર કરી છે, (મૌન વ્રત) જેથી હું આજે કોઇ ઇન્સાન સાથે વાત નહિ કરૂં.
مَا کَانَ لِلّٰہِ اَنۡ یَّتَّخِذَ مِنۡ وَّلَدٍ ۙ سُبۡحٰنَہٗ ؕ اِذَا قَضٰۤی اَمۡرًا فَاِنَّمَا یَقُوۡلُ لَہٗ کُنۡ فَیَکُوۡنُ ﴿ؕ۳۵﴾
(૩૫) અલ્લાહના માટે મુનાસીબ નથી કે તે પોતાના માટે ફરઝંદ પસંદ કરે, તેની જાત પાક છે, જ્યારે તે કોઇ બાબત નક્કી કરી લ્યે ત્યારે ફકત તેને કહે કે : "થા" અને તે તરત જ થઇ જાય છે.
اُولٰٓئِکَ الَّذِیۡنَ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِمۡ مِّنَ النَّبِیّٖنَ مِنۡ ذُرِّیَّۃِ اٰدَمَ ٭ وَ مِمَّنۡ حَمَلۡنَا مَعَ نُوۡحٍ ۫ وَّ مِنۡ ذُرِّیَّۃِ اِبۡرٰہِیۡمَ وَ اِسۡرَآءِیۡلَ ۫ وَ مِمَّنۡ ہَدَیۡنَا وَ اجۡتَبَیۡنَا ؕ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُ الرَّحۡمٰنِ خَرُّوۡا سُجَّدًا وَّ بُکِیًّا ﴿ٛ۵۸﴾
(૫૮) આ નબીઓ છે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જેઓ આદમની ઔલાદમાંથી હતા, અને જેઓને અમે નૂહની સાથે હોડીમાં સવાર કર્યા હતા તથા જેઓ ઇબ્રાહીમ અને ઇસરાઇલની ઔલાદમાંથી હતા, કે જેમને અમોએ હિદાયત કરી અને ચૂંટી કાઢયા, જયારે તેમની સામે રહેમાન (ખુદા)ની આયતો પઢવામાં આવતી ત્યારે સિજદામાં પડી જતા અને રોતા હતા.
وَ مَا نَتَنَزَّلُ اِلَّا بِاَمۡرِ رَبِّکَ ۚ لَہٗ مَا بَیۡنَ اَیۡدِیۡنَا وَ مَا خَلۡفَنَا وَ مَا بَیۡنَ ذٰلِکَ ۚ وَ مَا کَانَ رَبُّکَ نَسِیًّا ﴿ۚ۶۴﴾
(૬૪) અને (અય પયગંબર!) અમે તારા પરવરદિગારના હુકમ વગર નાઝિલ થતા નથી; અમારી સામે જે કાંઇ છે તથા જે કાંઇ અમારી પાછળ છે તથા જે કાંઇ તે બન્નેની વચ્ચે છે તે બધુ તેના જ ઇખ્તેયારમાં છે, અને તારો પરવરદિગાર ભૂલી જનાર નથી.
وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا ۙ اَیُّ الۡفَرِیۡقَیۡنِ خَیۡرٌ مَّقَامًا وَّ اَحۡسَنُ نَدِیًّا ﴿۷۳﴾
(૭૩) અને જ્યારે અમારી વાઝેહ (સ્પષ્ટ) આયતો તેમની સામે પઢવામાં આવે છે ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે બંને ગિરોહમાંથી કોણો દરજ્જો બહેતર છે અને કોણી મહેફીલ જામેલ છે ?
قُلۡ مَنۡ کَانَ فِی الضَّلٰلَۃِ فَلۡیَمۡدُدۡ لَہُ الرَّحۡمٰنُ مَدًّا ۬ۚ حَتّٰۤی اِذَا رَاَوۡا مَا یُوۡعَدُوۡنَ اِمَّا الۡعَذَابَ وَ اِمَّا السَّاعَۃَ ؕ فَسَیَعۡلَمُوۡنَ مَنۡ ہُوَ شَرٌّ مَّکَانًا وَّ اَضۡعَفُ جُنۡدًا ﴿۷۵﴾
(૭૫) તું કહે : જે ગુમરાહીમાં છે તેને રહેમાન (અલ્લાહ) મોહલત આપશે જેથી જેનો વાયદો આપવામાં આવ્યો છે તે અઝાબ અથવા (કયામતની) ઘડી જોઇ લ્યે પછી તેઓ જાણી લેશે કોની જગ્યા વધારે ખરાબ છે અને કોનું લશ્કર વધારે કમજોર છે!