અલ-કુરઆન

17

Al-Isra

سورة الإسراء


سُبۡحٰنَ الَّذِیۡۤ اَسۡرٰی بِعَبۡدِہٖ لَیۡلًا مِّنَ الۡمَسۡجِدِ الۡحَرَامِ اِلَی الۡمَسۡجِدِ الۡاَقۡصَا الَّذِیۡ بٰرَکۡنَا حَوۡلَہٗ لِنُرِیَہٗ مِنۡ اٰیٰتِنَا ؕ اِنَّہٗ ہُوَ السَّمِیۡعُ الۡبَصِیۡرُ ﴿۱﴾

(૧) પાક છે તે જાત કે જે રાતો રાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અકસા લઇ ગયો જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી કે જેથી અમે તેને અમારી અમુક નિશાનીઓ દેખાડી દઇએ; બેશક તે સાંભળનાર, દેખનારો છે.

وَ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ جَعَلۡنٰہُ ہُدًی لِّبَـنِیۡۤ اِسۡرَآءِیۡلَ اَلَّا تَتَّخِذُوۡا مِنۡ دُوۡنِیۡ وَکِیۡلًا ؕ﴿۲﴾

(૨) અને મૂસાને અમોએ કિતાબ આપી અને તેને બની ઇસરાઇલ માટે હિદાયત બનાવી કે મારા સિવાય કોઇ ઉપર આધાર રાખો નહિ.

ذُرِّیَّۃَ مَنۡ حَمَلۡنَا مَعَ نُوۡحٍ ؕ اِنَّہٗ کَانَ عَبۡدًا شَکُوۡرًا ﴿۳﴾

(૩) (અય!) તેમની ઔલાદ કે જેમને અમોએ નૂહની સાથે સવાર કરાવ્યા હતા; બેશક તે શુક્રગુઝાર બંદો હતો.

وَ قَضَیۡنَاۤ اِلٰی بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ فِی الۡکِتٰبِ لَتُفۡسِدُنَّ فِی الۡاَرۡضِ مَرَّتَیۡنِ وَ لَتَعۡلُنَّ عُلُوًّا کَبِیۡرًا ﴿۴﴾

(૪) અને અમોએ એજ કિતાબમાં બની ઇસરાઇલને ખબર આપી હતી : તમે ઝમીન પર બે વખત ફસાદ કરશો અને ખરેજ મોટી સરકશી કરશો.

فَاِذَا جَآءَ وَعۡدُ اُوۡلٰىہُمَا بَعَثۡنَا عَلَیۡکُمۡ عِبَادًا لَّنَاۤ اُولِیۡ بَاۡسٍ شَدِیۡدٍ فَجَاسُوۡا خِلٰلَ الدِّیَارِ ؕ وَ کَانَ وَعۡدًا مَّفۡعُوۡلًا ﴿۵﴾

(૫) પછી જ્યારે બે વાયદાઓમાંના પહેલાનો સમય આવશે ત્યારે અમોએ તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મુકર્રર કરશુ એટલે સુધી કે તેઓએ (ગુનેહગારોની) ઘરોમાં શોધખોળ કરશે અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો છે.

ثُمَّ رَدَدۡنَا لَکُمُ الۡکَرَّۃَ عَلَیۡہِمۡ وَ اَمۡدَدۡنٰکُمۡ بِاَمۡوَالٍ وَّ بَنِیۡنَ وَ جَعَلۡنٰکُمۡ اَکۡثَرَ نَفِیۡرًا ﴿۶﴾

(૬) પછી અમોએ તમને તેમના ઉપર ફરી વાર ગાલીબ કરશું અને માલો ઔલાદ વડે તમારી મદદ કરશું અને તમારી સંખ્યામાં વધારો કરશું.

اِنۡ اَحۡسَنۡتُمۡ اَحۡسَنۡتُمۡ لِاَنۡفُسِکُمۡ ۟ وَ اِنۡ اَسَاۡتُمۡ فَلَہَا ؕ فَاِذَا جَآءَ وَعۡدُ الۡاٰخِرَۃِ لِیَسُوۡٓءٗا وُجُوۡہَکُمۡ وَ لِیَدۡخُلُوا الۡمَسۡجِدَ کَمَا دَخَلُوۡہُ اَوَّلَ مَرَّۃٍ وَّ لِیُتَبِّرُوۡا مَا عَلَوۡا تَتۡبِیۡرًا ﴿۷﴾

(૭) અગર તમે કોઇ નેકી કરશો તો તમારા પોતાના માટે જ નેકી કરશો, અને જો તમે બદી કરશો તો તે તમારા માટે નુકસાનકારક છે પછી જયારે બીજા વાયદાનો સમય આવશે ત્યારે (દુશ્મન આવશે જેથી) તમારી હાલતને બગાડે અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થાય કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ પર કાબૂ હાંસિલ કરશે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે.

عَسٰی رَبُّکُمۡ اَنۡ یَّرۡحَمَکُمۡ ۚ وَ اِنۡ عُدۡتُّمۡ عُدۡنَا ۘ وَ جَعَلۡنَا جَہَنَّمَ لِلۡکٰفِرِیۡنَ حَصِیۡرًا ﴿۸﴾

(૮) ઉમ્મીદ છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે અને અગર તમો પાછા (નાફરમાની તરફ) ફરી જશો, તો અમે પણ (સજા કરવા તરફ) પાછા ફરી જશું અને નાસ્તિકો માટે અમોએ જહન્નમને સખત કૈદખાનું બનાવ્યું.

اِنَّ ہٰذَا الۡقُرۡاٰنَ یَہۡدِیۡ لِلَّتِیۡ ہِیَ اَقۡوَمُ وَ یُبَشِّرُ الۡمُؤۡمِنِیۡنَ الَّذِیۡنَ یَعۡمَلُوۡنَ الصّٰلِحٰتِ اَنَّ لَہُمۡ اَجۡرًا کَبِیۡرًا ۙ﴿۹﴾

(૯) બેશક આ કુરઆન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી મજબૂત છે અને મોઅમીનોને કે જેઓ નેકીઓ કરે છે તેમને ખુશખબર સંભળાવે છે કે તેમના માટે મોટો બદલો છે.

10

وَّ اَنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ اَعۡتَدۡنَا لَہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿٪۱۰﴾

(૧૦) અને જેઓ આખેરત ઉપર ઇમાન નથી લાવતા તેમના માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે.

11

وَ یَدۡعُ الۡاِنۡسَانُ بِالشَّرِّ دُعَآءَہٗ بِالۡخَیۡرِ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ عَجُوۡلًا ﴿۱۱﴾

(૧૧) અને ઇન્સાન બૂરાઇ માટે દુઆ કરે છે જેવી રીતે ભલાઇ માટે દુઆ કરે છે; અને ઇન્સાન હંમેશાથી ઉતાવળો છે.

12

وَ جَعَلۡنَا الَّیۡلَ وَ النَّہَارَ اٰیَتَیۡنِ فَمَحَوۡنَاۤ اٰیَۃَ الَّیۡلِ وَ جَعَلۡنَاۤ اٰیَۃَ النَّہَارِ مُبۡصِرَۃً لِّتَبۡتَغُوۡا فَضۡلًا مِّنۡ رَّبِّکُمۡ وَ لِتَعۡلَمُوۡا عَدَدَ السِّنِیۡنَ وَ الۡحِسَابَ ؕ وَ کُلَّ شَیۡءٍ فَصَّلۡنٰہُ تَفۡصِیۡلًا ﴿۱۲﴾

(૧૨) અને અમોએ રાત તથા દિવસને બે નિશાનીઓ બનાવી પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો, અને વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી.

13

وَ کُلَّ اِنۡسَانٍ اَلۡزَمۡنٰہُ طٰٓئِرَہٗ فِیۡ عُنُقِہٖ ؕ وَ نُخۡرِجُ لَہٗ یَوۡمَ الۡقِیٰمَۃِ کِتٰبًا یَّلۡقٰىہُ مَنۡشُوۡرًا ﴿۱۳﴾

(૧૩) અને દરેક ઇન્સાનના નામએ આમાલને અમોએ તેના ગળામાં ટાંગી દીધો, અને કયામતના દિવસે તેના માટે (તે) કિતાબ કાઢીશું કે જેને તે તદ્દન ખુલ્લી જોશે.

14

اِقۡرَاۡ کِتٰبَکَ ؕ کَفٰی بِنَفۡسِکَ الۡیَوۡمَ عَلَیۡکَ حَسِیۡبًا ﴿ؕ۱۴﴾

(૧૪) તારી કિતાબને વાંચ; આજના દિવસે પોતાનો હિસાબ લેવા માટે તું જ બસ છો!

15

مَنِ اہۡتَدٰی فَاِنَّمَا یَہۡتَدِیۡ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیۡہَا ؕ وَ لَا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ؕ وَ مَا کُنَّا مُعَذِّبِیۡنَ حَتّٰی نَبۡعَثَ رَسُوۡلًا ﴿۱۵﴾

(૧૫) જેણે હિદાયત મેળવી તેણે પોતાના માટે હિદાયત મેળવી, અને જે ગુમરાહ થયો તે પોતાના નુકસાનમાં ગુમરાહ થયો; અને કોઇ બોજો ઊંચકનાર બીજા કોઇ (ગુનાહ)નો બોજો ઊંચકશે નહીં; અને અમે (કોઇને) અઝાબ આપતા નથી ત્યાં સુધી કે કોઇ રસૂલને મોકલીએ.

16

وَ اِذَاۤ اَرَدۡنَاۤ اَنۡ نُّہۡلِکَ قَرۡیَۃً اَمَرۡنَا مُتۡرَفِیۡہَا فَفَسَقُوۡا فِیۡہَا فَحَقَّ عَلَیۡہَا الۡقَوۡلُ فَدَمَّرۡنٰہَا تَدۡمِیۡرًا ﴿۱۶﴾

(૧૬) અને જયારે અમે કોઇ વસ્તીને હલાક કરવાનો ઇરાદો કરીએ ત્યારે તે વસ્તીના મુત્રેફીન (દોલતના નશામાં ભાન ભૂલેલા)ને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પછી તેઓ તે બાબતે નાફરમાની કરે છે, પરિણામે તે (વસ્તી) ઉપર અઝાબનો વાયદો હક (યોગ્ય) પૂરવાર થાય છે. જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ.

17

وَ کَمۡ اَہۡلَکۡنَا مِنَ الۡقُرُوۡنِ مِنۡۢ بَعۡدِ نُوۡحٍ ؕ وَ کَفٰی بِرَبِّکَ بِذُنُوۡبِ عِبَادِہٖ خَبِیۡرًۢا بَصِیۡرًا ﴿۱۷﴾

(૧૭) અને નૂહની પછી અમોએ ઘણીયે ઉમ્મતોનો (કુફ્ર અને ગુનાહના કારણે) નાશ કરી નાખ્યો; અને તારો પરવરદિગાર તેના બંદાઓના ગુનાહોને જાણવા અને જોવા માટે પૂરતો છે.

18

مَنۡ کَانَ یُرِیۡدُ الۡعَاجِلَۃَ عَجَّلۡنَا لَہٗ فِیۡہَا مَا نَشَآءُ لِمَنۡ نُّرِیۡدُ ثُمَّ جَعَلۡنَا لَہٗ جَہَنَّمَ ۚ یَصۡلٰىہَا مَذۡمُوۡمًا مَّدۡحُوۡرًا ﴿۱۸﴾

(૧૮) જે કોઇ (ફકત) જલ્દી પસાર થનાર (દુનિયા)ને તલબ કરશે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે આપશુ, પછી તેના માટે જહન્નમ નક્કી કરશું, તે તેમાં હાંકી કઢાયેલ અને ઝિલ્લતની હાલતમાં બળશે.

19

وَ مَنۡ اَرَادَ الۡاٰخِرَۃَ وَ سَعٰی لَہَا سَعۡیَہَا وَ ہُوَ مُؤۡمِنٌ فَاُولٰٓئِکَ کَانَ سَعۡیُہُمۡ مَّشۡکُوۡرًا ﴿۱۹﴾

(૧૯) અને જે કોઇ આખેરત તલબ કરશે અને તે હાંસિલ કરવા માટે ઇમાનની હાલતમાં એવી કોશિશ કરશે કે જેવી કોશિશ કરવાનો હક છે, તો તે લોકોની કોશિશને કબૂલ કરવામાં આવશે.

20

کُلًّا نُّمِدُّ ہٰۤؤُلَآءِ وَ ہٰۤؤُلَآءِ مِنۡ عَطَآءِ رَبِّکَ ؕ وَ مَا کَانَ عَطَـآءُ رَبِّکَ مَحۡظُوۡرًا ﴿۲۰﴾

(૨૦) અમે તારા પરવરદિગારની અતાથી બંને ગિરોહની મદદ કરીએ છીએ અને તારા પરવરદિગારની અતા કોઇપણથી રોકવામાં આવતી નથી.

21

اُنۡظُرۡ کَیۡفَ فَضَّلۡنَا بَعۡضَہُمۡ عَلٰی بَعۡضٍ ؕ وَ لَلۡاٰخِرَۃُ اَکۡبَرُ دَرَجٰتٍ وَّ اَکۡبَرُ تَفۡضِیۡلًا ﴿۲۱﴾

(૨૧) જૂઓ, અમોએ કેવી રીતે અમુકને (બીજા) અમુક ઉપર (દુનિયામાં) ફઝીલત આપી; અને ખરેજ દરજ્જા અને ફઝીલતના સંબંધમાં આખેરત વધારે બહેતર છે.

22

لَا تَجۡعَلۡ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ فَتَقۡعُدَ مَذۡمُوۡمًا مَّخۡذُوۡلًا ﴿٪۲۲﴾

(૨૨) અલ્લાહની સાથે કોઇ બીજા માઅબૂદને શરીક બનાવ નહિ કે મલામત સાથે મદદ વગરનો બેસી રહીશ.

23

وَ قَضٰی رَبُّکَ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّاۤ اِیَّاہُ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا ؕ اِمَّا یَبۡلُغَنَّ عِنۡدَکَ الۡکِبَرَ اَحَدُہُمَاۤ اَوۡ کِلٰہُمَا فَلَا تَقُلۡ لَّہُمَاۤ اُفٍّ وَّ لَا تَنۡہَرۡہُمَا وَ قُلۡ لَّہُمَا قَوۡلًا کَرِیۡمًا ﴿۲۳﴾

(૨૩) અને તારા પરવરદિગારે ફેસલો કર્યો કે તમે તેના સિવાય બીજા કોઇની ઇબાદત ન કરો અને વાલેદૈન સાથે નેકી કરો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બન્ને વૃદ્ઘાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમના ઉપર વરસી ન પડ, અને તેમની સાથે નેક (સારી) વાત કર.

24

وَ اخۡفِضۡ لَہُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحۡمَۃِ وَ قُلۡ رَّبِّ ارۡحَمۡہُمَا کَمَا رَبَّیٰنِیۡ صَغِیۡرًا ﴿ؕ۲۴﴾

(૨૪) અને તેમની પાસે નમ્રતાની પાખો માયાળુપણે ઝૂકાવ અને કહે કે અય મારા પરવરદિગાર! આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ જેવી આ બંનેએ બચપણના પાલનમાં મારા પર કરી હતી.

25

رَبُّکُمۡ اَعۡلَمُ بِمَا فِیۡ نُفُوۡسِکُمۡ ؕ اِنۡ تَکُوۡنُوۡا صٰلِحِیۡنَ فَاِنَّہٗ کَانَ لِلۡاَوَّابِیۡنَ غَفُوۡرًا ﴿۲۵﴾

(૨૫) તમારો પરવરદિગાર તમારા મનમાં જે કાંઇ છે તેને સારી રીતે જાણે છે; જો તમે નેક બનશો તો તે તોબા કરનાર માટે માફ કરનાર છે.

26

وَ اٰتِ ذَاالۡقُرۡبٰی حَقَّہٗ وَ الۡمِسۡکِیۡنَ وَ ابۡنَ السَّبِیۡلِ وَ لَا تُبَذِّرۡ تَبۡذِیۡرًا ﴿۲۶﴾

(૨૬) અને તું નજીકના સગાં-વહાલાંઓને તેમનો હક આપી દે તેમજ જરૂરતમંદને તથા મોહતાજ મુસાફરોને પણ, અને ઇસરાફ અને ઉડાવ ખર્ચ ન કર.

27

اِنَّ الۡمُبَذِّرِیۡنَ کَانُوۡۤا اِخۡوَانَ الشَّیٰطِیۡنِ ؕ وَ کَانَ الشَّیۡطٰنُ لِرَبِّہٖ کَفُوۡرًا ﴿۲۷﴾

(૨૭) કારણકે ઉડાવ ખર્ચ કરનારા શૈતાનના ભાઇઓ છે; અને શૈતાન પોતાના પરવરદિગારની નાશુક્રી કરનારો છે.

28

وَ اِمَّا تُعۡرِضَنَّ عَنۡہُمُ ابۡتِغَآءَ رَحۡمَۃٍ مِّنۡ رَّبِّکَ تَرۡجُوۡہَا فَقُلۡ لَّہُمۡ قَوۡلًا مَّیۡسُوۡرًا ﴿۲۸﴾

(૨૮) જો તુ જરૂરતમંદોથી મોઢુ ફેરવ એવી હાલતમાં કે તારા પરવરદિગારની રહેમતનો ઇન્તેઝાર હોય, જેની તુ ઊમ્મીદ રાખતો હોય (જેથી તેઓની મદદ કરી શક) તો તેઓ સાથે માયાળુ પણે વાત કર.

29

وَ لَا تَجۡعَلۡ یَدَکَ مَغۡلُوۡلَۃً اِلٰی عُنُقِکَ وَ لَا تَبۡسُطۡہَا کُلَّ الۡبَسۡطِ فَتَقۡعُدَ مَلُوۡمًا مَّحۡسُوۡرًا ﴿۲۹﴾

(૨૯) અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ તેમજ એકદમ હાથ ફેલાવી ન દે કે જેથી ઠપકાને પાત્ર અને લાચાર બની જા.

30

اِنَّ رَبَّکَ یَبۡسُطُ الرِّزۡقَ لِمَنۡ یَّشَآءُ وَ یَقۡدِرُ ؕ اِنَّہٗ کَانَ بِعِبَادِہٖ خَبِیۡرًۢا بَصِیۡرًا ﴿٪۳۰﴾

(૩૦) બેશક તારો પરવરદિગાર જેના માટે ચાહે છે, રોઝી વિશાળ કરી દે છે અને (જેના માટે ચાહે છે) તંગ કરી નાખે છે; બેશક તે પોતાના બંદાઓને જાણનારો અને નિહાળનારો છે.

31

وَ لَا تَقۡتُلُوۡۤا اَوۡلَادَکُمۡ خَشۡیَۃَ اِمۡلَاقٍ ؕ نَحۡنُ نَرۡزُقُہُمۡ وَ اِیَّاکُمۡ ؕ اِنَّ قَتۡلَہُمۡ کَانَ خِطۡاً کَبِیۡرًا ﴿۳۱﴾

(૩૧) અને ગરીબીના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો; અમે તેમને રોઝી આપીએ છીએ અને તમને પણ; બેશક તેમને મારી નાખવું મોટો ગુનોહ છે.

32

وَ لَا تَقۡرَبُوا الزِّنٰۤی اِنَّہٗ کَانَ فَاحِشَۃً ؕ وَ سَآءَ سَبِیۡلًا ﴿۳۲﴾

(૩૨) અને ઝીનાની નઝદીક ન થાવ બેશક તે ઘણું જ ખરાબ કામ છે; અને બૂરો રસ્તો છે.

33

وَ لَا تَقۡتُلُوا النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ ؕ وَ مَنۡ قُتِلَ مَظۡلُوۡمًا فَقَدۡ جَعَلۡنَا لِوَلِیِّہٖ سُلۡطٰنًا فَلَا یُسۡرِفۡ فِّی الۡقَتۡلِ ؕ اِنَّہٗ کَانَ مَنۡصُوۡرًا ﴿۳۳﴾

(૩૩) અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય; અને જે કોઇ મઝલૂમ કત્લ થાય તો અમે તેના વલીને (ઇન્તેકામ લેવાનો) ઇખ્તેયાર આપ્યો, પણ તે કત્લમાં હદ બહાર જાય નહિ; કારણકે તેની મદદ કરવામાં આવી છે.

34

وَ لَا تَقۡرَبُوۡا مَالَ الۡیَتِیۡمِ اِلَّا بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ حَتّٰی یَبۡلُغَ اَشُدَّہٗ ۪ وَ اَوۡفُوۡا بِالۡعَہۡدِ ۚ اِنَّ الۡعَہۡدَ کَانَ مَسۡـُٔوۡلًا ﴿۳۴﴾

(૩૪) અને યતીમના માલ પાસે ભલાઇ સિવાય જાઓ નહિ, જ્યાં સુધી કે તે પરિપકવ ન થઇ જાય; અને આપેલો વાયદો પૂરો કરો, બેશક (દરેક) વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે.

35

وَ اَوۡفُوا الۡکَیۡلَ اِذَا کِلۡتُمۡ وَ زِنُوۡا بِالۡقِسۡطَاسِ الۡمُسۡتَقِیۡمِ ؕ ذٰلِکَ خَیۡرٌ وَّ اَحۡسَنُ تَاۡوِیۡلًا ﴿۳۵﴾

(૩૫) અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરૂં આપો તથા સહી ત્રાજવાં વડે જોખો; તે સારૂં છે અને તેનો અંજામ બહેતર છે.

36

وَ لَا تَقۡفُ مَا لَیۡسَ لَکَ بِہٖ عِلۡمٌ ؕ اِنَّ السَّمۡعَ وَ الۡبَصَرَ وَ الۡفُؤَادَ کُلُّ اُولٰٓئِکَ کَانَ عَنۡہُ مَسۡـُٔوۡلًا ﴿۳۶﴾

(૩૬) અને જે વાતની તને જાણ ન હોય તેનુ અનુસરણ ન કર; બેશક કાન તથા આંખ તથા દિલ દરેકને સવાલ કરવામાં આવશે.

37

وَ لَا تَمۡشِ فِی الۡاَرۡضِ مَرَحًا ۚ اِنَّکَ لَنۡ تَخۡرِقَ الۡاَرۡضَ وَ لَنۡ تَبۡلُغَ الۡجِبَالَ طُوۡلًا ﴿۳۷﴾

(૩૭) અને ઝમીન પર અકડીને ન ચાલ, બેશક તું ન ઝમીનને ફાડી શકીશ અને ન સર ઉઠાવીને પહાડોની ઊંચાઇએ પહોંચીશ.

38

کُلُّ ذٰلِکَ کَانَ سَیِّئُہٗ عِنۡدَ رَبِّکَ مَکۡرُوۡہًا ﴿۳۸﴾

(૩૮) આ દરેક વાતની બૂરાઇ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે.

39

ذٰلِکَ مِمَّاۤ اَوۡحٰۤی اِلَیۡکَ رَبُّکَ مِنَ الۡحِکۡمَۃِ ؕ وَ لَا تَجۡعَلۡ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ فَتُلۡقٰی فِیۡ جَہَنَّمَ مَلُوۡمًا مَّدۡحُوۡرًا ﴿۳۹﴾

(૩૯) જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી, તેમાંથી આ છે: અને તું અલ્લાહની સાથે બીજો માઅબૂદ બનાવ નહિં, (જો એમ કરીશ) તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ.

40

اَفَاَصۡفٰىکُمۡ رَبُّکُمۡ بِالۡبَنِیۡنَ وَ اتَّخَذَ مِنَ الۡمَلٰٓئِکَۃِ اِنَاثًا ؕ اِنَّکُمۡ لَتَقُوۡلُوۡنَ قَوۡلًا عَظِیۡمًا ﴿٪۴۰﴾

(૪૦) શું ફરઝંદોને તમારા પરવરદિગારે તમારા માટે ચૂંટી કાઢ્યા અને પોતાના માટે ફરિશ્તાઓમાંથી દુખ્તરો પસંદ કરી? ખરેજ તમે મોટા બોલ બોલો છો.

41

وَ لَقَدۡ صَرَّفۡنَا فِیۡ ہٰذَا الۡقُرۡاٰنِ لِیَذَّکَّرُوۡا ؕ وَ مَا یَزِیۡدُہُمۡ اِلَّا نُفُوۡرًا ﴿۴۱﴾

(૪૧) અને ખરેખર અમોએ આ કુરઆનમાં જુદી-જુદી રીતે બયાન કર્યુ કે જેથી તેઓ ઇબ્રત મેળવે, પરંતુ તેઓની નફરત સિવાય કાંઇ વધતુ નથી.

42

قُلۡ لَّوۡ کَانَ مَعَہٗۤ اٰلِـہَۃٌ کَمَا یَقُوۡلُوۡنَ اِذًا لَّابۡتَغَوۡا اِلٰی ذِی الۡعَرۡشِ سَبِیۡلًا ﴿۴۲﴾

(૪૨) તું કહે : અગર તેની સાથે બીજા પણ માઅબૂદો હોત જેમ તેઓ કહે છે, તો આવી હાલતમાં તેઓ અર્શના માલિક સુધી પહોંચી જવાનો રસ્તો શોધવાની કોશિશ કરત.

43

سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یَقُوۡلُوۡنَ عُلُوًّا کَبِیۡرًا ﴿۴۳﴾

(૪૩) જે કાંઇ તેઓ કહે છે તેનાથી તેની જાત પાક અને ઘણી બુલંદ છે.

44

تُسَبِّحُ لَہُ السَّمٰوٰتُ السَّبۡعُ وَ الۡاَرۡضُ وَ مَنۡ فِیۡہِنَّ ؕ وَ اِنۡ مِّنۡ شَیۡءٍ اِلَّا یُسَبِّحُ بِحَمۡدِہٖ وَ لٰکِنۡ لَّا تَفۡقَہُوۡنَ تَسۡبِیۡحَہُمۡ ؕ اِنَّہٗ کَانَ حَلِیۡمًا غَفُوۡرًا ﴿۴۴﴾

(૪૪) સાતેય આસમાનો અને ઝમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસ્બીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણ અને તસ્બીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસ્બીહને સમજતા નથી; બેશક તે ખૂબ જ સહનશીલ, ક્ષમાવાન છે.

45

وَ اِذَا قَرَاۡتَ الۡقُرۡاٰنَ جَعَلۡنَا بَیۡنَکَ وَ بَیۡنَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ حِجَابًا مَّسۡتُوۡرًا ﴿ۙ۴۵﴾

(૪૫) અને જ્યારે તું કુરઆન પઢે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા, ન દેખાય તેવો પડદો રાખી દઇએ છીએ:

46

وَّ جَعَلۡنَا عَلٰی قُلُوۡبِہِمۡ اَکِنَّۃً اَنۡ یَّفۡقَہُوۡہُ وَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرًا ؕ وَ اِذَا ذَکَرۡتَ رَبَّکَ فِی الۡقُرۡاٰنِ وَحۡدَہٗ وَلَّوۡا عَلٰۤی اَدۡبَارِہِمۡ نُفُوۡرًا ﴿۴۶﴾

(૪૬) અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા, જેથી તેઓ તેને સમજી ન શકે; અને જયારે તું કુરઆનમાં તારા પરવરદિગારની તોહીદનો ઝિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે.

47

نَحۡنُ اَعۡلَمُ بِمَا یَسۡتَمِعُوۡنَ بِہٖۤ اِذۡ یَسۡتَمِعُوۡنَ اِلَیۡکَ وَ اِذۡ ہُمۡ نَجۡوٰۤی اِذۡ یَقُوۡلُ الظّٰلِمُوۡنَ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا رَجُلًا مَّسۡحُوۡرًا ﴿۴۷﴾

(૪૭) અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરી સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે! તેમજ જ્યારે તેઓ ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે : તમે જાદુ થયેલ ઇન્સાન સિવાય બીજા કોઇને અનુસરતા નથી.

48

اُنۡظُرۡ کَیۡفَ ضَرَبُوۡا لَکَ الۡاَمۡثَالَ فَضَلُّوۡا فَلَا یَسۡتَطِیۡعُوۡنَ سَبِیۡلًا ﴿۴۸﴾

(૪૮) જૂઓ, તેઓ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરી! જેના પરિણામે તેઓ ગુમરાહ થયા અને (હકનો) રસ્તો મેળવી શકતા નથી.

49

وَ قَالُوۡۤاءَ اِذَا کُنَّا عِظَامًا وَّ رُفَاتًاءَ اِنَّا لَمَبۡعُوۡثُوۡنَ خَلۡقًا جَدِیۡدًا ﴿۴۹﴾

(૪૯) અને તેઓએ કહ્યુ કે જ્યારે અમે હાડકાં અને માટી થઇ જઇશું ત્યારે શું ખરેજ અમને ફરી જીવંત કરીને ઉઠાડવામાં આવશે ?

50

قُلۡ کُوۡنُوۡا حِجَارَۃً اَوۡ حَدِیۡدًا ﴿ۙ۵۰﴾

(૫૦) તું કહે કે તમે પત્થર બની જાઓ અથવા લોખંડ:

51

اَوۡ خَلۡقًا مِّمَّا یَکۡبُرُ فِیۡ صُدُوۡرِکُمۡ ۚ فَسَیَقُوۡلُوۡنَ مَنۡ یُّعِیۡدُنَا ؕ قُلِ الَّذِیۡ فَطَرَکُمۡ اَوَّلَ مَرَّۃٍ ۚ فَسَیُنۡغِضُوۡنَ اِلَیۡکَ رُءُوۡسَہُمۡ وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہُوَ ؕ قُلۡ عَسٰۤی اَنۡ یَّکُوۡنَ قَرِیۡبًا ﴿۵۱﴾

(૫૧) અથવા કોઇ બીજી મખ્લૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય, પછી તેઓ જલ્દી એમ કહેશે કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પૈદા કર્યા, પછી તેઓ (નવાઇ સાથે) માથુ તમારી તરફ જૂકાવશે અને કહેશે, એ કયારે થશે ? તું કહે કે કદાચને તે નજીક હોય.

52

یَوۡمَ یَدۡعُوۡکُمۡ فَتَسۡتَجِیۡبُوۡنَ بِحَمۡدِہٖ وَ تَظُنُّوۡنَ اِنۡ لَّبِثۡتُمۡ اِلَّا قَلِیۡلًا ﴿٪۵۲﴾

(૫૨) જે દિવસે તે તમને બોલાવશે પછી તમે તેના વખાણ કરતા કરતા જવાબ આપશો અને તમે એમ સમજશો કે ફકત થોડા સમય માટે તમે તે (બરઝખ)માં રહ્યા.

53

وَ قُلۡ لِّعِبَادِیۡ یَقُوۡلُوا الَّتِیۡ ہِیَ اَحۡسَنُ ؕ اِنَّ الشَّیۡطٰنَ یَنۡزَغُ بَیۡنَہُمۡ ؕ اِنَّ الشَّیۡطٰنَ کَانَ لِلۡاِنۡسَانِ عَدُوًّا مُّبِیۡنًا ﴿۵۳﴾

(૫૩) અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય કારણકે શૈતાન તેમની વચ્ચે અણબનાવ પેદા કરે છે; બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે.

54

رَبُّکُمۡ اَعۡلَمُ بِکُمۡ ؕ اِنۡ یَّشَاۡ یَرۡحَمۡکُمۡ اَوۡ اِنۡ یَّشَاۡ یُعَذِّبۡکُمۡ ؕ وَ مَاۤ اَرۡسَلۡنٰکَ عَلَیۡہِمۡ وَکِیۡلًا ﴿۵۴﴾

(૫૪) તમારો પરવરદિગાર તમારાથી વધારે જાણકાર છે; અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે; અને અમોએ તને તેમનો નિગેહબાન બનાવીને મોકલ્યો નથી.

55

وَ رَبُّکَ اَعۡلَمُ بِمَنۡ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ لَقَدۡ فَضَّلۡنَا بَعۡضَ النَّبِیّٖنَ عَلٰی بَعۡضٍ وَّ اٰتَیۡنَا دَاوٗدَ زَبُوۡرًا ﴿۵۵﴾

(૫૫) અને આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે; અને ખરેજ અમોએ અમુક નબીઓને અમુક પર ફઝીલત આપી અને અમોએ દાવૂદને ઝબૂર અતા કરી.

56

قُلِ ادۡعُوا الَّذِیۡنَ زَعَمۡتُمۡ مِّنۡ دُوۡنِہٖ فَلَا یَمۡلِکُوۡنَ کَشۡفَ الضُّرِّ عَنۡکُمۡ وَ لَا تَحۡوِیۡلًا ﴿۵۶﴾

(૫૬) તું કહે કે અલ્લાહ સિવાય જે(ના માઅબૂદ હોવા)નુ ગુમાન કરો છો તેમને પોકારો! તેઓ તમારી મુસીબત ટાળવાની કે તેમાં ફેરફાર કરવાની કુદરત નથી રાખતા.

57

اُولٰٓئِکَ الَّذِیۡنَ یَدۡعُوۡنَ یَبۡتَغُوۡنَ اِلٰی رَبِّہِمُ الۡوَسِیۡلَۃَ اَیُّہُمۡ اَقۡرَبُ وَ یَرۡجُوۡنَ رَحۡمَتَہٗ وَ یَخَافُوۡنَ عَذَابَہٗ ؕ اِنَّ عَذَابَ رَبِّکَ کَانَ مَحۡذُوۡرًا ﴿۵۷﴾

(૫૭) તેઓ જે (માઅબૂદો)ને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો શોધે છે, એવો વસીલો કે જે વધુ નઝદીક હોય, અને તે (અલ્લાહ)ની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે કારણકે તારા પરવરદિગારનો અઝાબ ચેતવા જેવો છે.

58

وَ اِنۡ مِّنۡ قَرۡیَۃٍ اِلَّا نَحۡنُ مُہۡلِکُوۡہَا قَبۡلَ یَوۡمِ الۡقِیٰمَۃِ اَوۡ مُعَذِّبُوۡہَا عَذَابًا شَدِیۡدًا ؕ کَانَ ذٰلِکَ فِی الۡکِتٰبِ مَسۡطُوۡرًا ﴿۵۸﴾

(૫૮) અને એક પણ વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલા હલાક કરીશું અથવા (જો તે નાફરમાન હોય તો) તેને સખ્ત અઝાબ આપીશું; આ (ઇલાહી) કિતાબમાં લખી દેવામાં આવ્યુ છે.

59

وَ مَا مَنَعَنَاۤ اَنۡ نُّرۡسِلَ بِالۡاٰیٰتِ اِلَّاۤ اَنۡ کَذَّبَ بِہَا الۡاَوَّلُوۡنَ ؕ وَ اٰتَیۡنَا ثَمُوۡدَ النَّاقَۃَ مُبۡصِرَۃً فَظَلَمُوۡا بِہَا ؕ وَ مَا نُرۡسِلُ بِالۡاٰیٰتِ اِلَّا تَخۡوِیۡفًا ﴿۵۹﴾

(૫૯) અને અમને નિશાનીઓ મોકલવામાં કાંઇ અડચણ નથી સિવાય કે અગાઉના લોકોએ (માંગણી મુજબની નિશાની આપવા છતાં) તેને જૂઠલાવી, જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાનીરૂપે ઊંટણી આપી, પણ તેઓએ તેની ઉપર ઝુલ્મ કર્યો, અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે.

60

وَ اِذۡ قُلۡنَا لَکَ اِنَّ رَبَّکَ اَحَاطَ بِالنَّاسِ ؕ وَ مَا جَعَلۡنَا الرُّءۡیَا الَّتِیۡۤ اَرَیۡنٰکَ اِلَّا فِتۡنَۃً لِّلنَّاسِ وَ الشَّجَرَۃَ الۡمَلۡعُوۡنَۃَ فِی الۡقُرۡاٰنِ ؕ وَ نُخَوِّفُہُمۡ ۙ فَمَا یَزِیۡدُہُمۡ اِلَّا طُغۡیَانًا کَبِیۡرًا ﴿٪۶۰﴾

(૬૦) અને જ્યારે અમોએ તને કહ્યુ હતું કે બેશક તારા પરવરદિગાર (ના ઇલ્મ)એ લોકોને ઘેરેલ છે અમારૂ તમને સ્વપ્ન દેખાડવું અને કુરઆનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઇશ માટે હતુ અમે તેઓને ચેતવીએ છીએ પરંતુ તેઓમાં સખ્ત સરકશી સિવાય કંઇપણ વધારો થતો નથી.

61

وَ اِذۡ قُلۡنَا لِلۡمَلٰٓئِکَۃِ اسۡجُدُوۡا لِاٰدَمَ فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ قَالَ ءَاَسۡجُدُ لِمَنۡ خَلَقۡتَ طِیۡنًا ﴿ۚ۶۱﴾

(૬૧) અને જયારે અમોએ ફરિશ્તાઓને કહ્યું: તમે આદમને સજદો કરો ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું : શું હું તેને સજદો કરૂં કે જેને તે માટીથી પૈદા કર્યો છે?

62

قَالَ اَرَءَیۡتَکَ ہٰذَا الَّذِیۡ کَرَّمۡتَ عَلَیَّ ۫ لَئِنۡ اَخَّرۡتَنِ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ لَاَحۡتَنِکَنَّ ذُرِّیَّتَہٗۤ اِلَّا قَلِیۡلًا ﴿۶۲﴾

(૬૨) તેણે કહ્યું : શું આને તે મારા ઉપર ફઝીલત આપી છે ? અગર તું મને કયામત સુધીની મોહલત આપ તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધાને જડમૂળથી ઉખેડી નાખીશ.

63

قَالَ اذۡہَبۡ فَمَنۡ تَبِعَکَ مِنۡہُمۡ فَاِنَّ جَہَنَّمَ جَزَآؤُکُمۡ جَزَآءً مَّوۡفُوۡرًا ﴿۶۳﴾

(૬૩) તેણે કહ્યું : જા (દૂર થા), પછી તેઓમાંથી જે કોઇ તારી તાબેદારી કરશે, ખરેખર તમો સર્વેનો સંપૂર્ણ બદલો જહન્નમ હશે.

64

وَ اسۡتَفۡزِزۡ مَنِ اسۡتَطَعۡتَ مِنۡہُمۡ بِصَوۡتِکَ وَ اَجۡلِبۡ عَلَیۡہِمۡ بِخَیۡلِکَ وَ رَجِلِکَ وَ شَارِکۡہُمۡ فِی الۡاَمۡوَالِ وَ الۡاَوۡلَادِ وَ عِدۡہُمۡ ؕ وَ مَا یَعِدُہُمُ الشَّیۡطٰنُ اِلَّا غُرُوۡرًا ﴿۶۴﴾

(૬૪) અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને (ચાલકોને) તેઓ ઉપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઇ જા અને તેમનાથી વાયદા કર; જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કાંઇ વાયદો કરશે નહિ.

65

اِنَّ عِبَادِیۡ لَیۡسَ لَکَ عَلَیۡہِمۡ سُلۡطٰنٌ ؕ وَ کَفٰی بِرَبِّکَ وَکِیۡلًا ﴿۶۵﴾

(૬૫) બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કાંઇ કાબૂ નથી; અને તારો પરવરદિગાર મુહાફીઝ તરીકે કાફી છે.

66

رَبُّکُمُ الَّذِیۡ یُزۡجِیۡ لَکُمُ الۡفُلۡکَ فِی الۡبَحۡرِ لِتَبۡتَغُوۡا مِنۡ فَضۡلِہٖ ؕ اِنَّہٗ کَانَ بِکُمۡ رَحِیۡمًا ﴿۶۶﴾

(૬૬) તમારો પરવરદિગાર એ જ છે કે જે તમારા માટે દરિયામાં કશ્તી ચલાવે છે કે જેથી તમે તેના ફઝલને તલાશ કરો; બેશક તે તમારા માટે મહેરબાન છે.

67

وَ اِذَا مَسَّکُمُ الضُّرُّ فِی الۡبَحۡرِ ضَلَّ مَنۡ تَدۡعُوۡنَ اِلَّاۤ اِیَّاہُ ۚ فَلَمَّا نَجّٰىکُمۡ اِلَی الۡبَرِّ اَعۡرَضۡتُمۡ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ کَفُوۡرًا ﴿۶۷﴾

(૬૭) અને જ્યારે તમારા પર દરિયામાં કોઇ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પોકારતા હતા તે સર્વે ગૂમ થઇ જાય છે, પછી જ્યારે તે તમને બચાવીને ઝમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોંઢું ફેરવી લો છો; અને ઇન્સાન ઘણો જ નાશુક્રો છે.

68

اَفَاَمِنۡتُمۡ اَنۡ یَّخۡسِفَ بِکُمۡ جَانِبَ الۡبَرِّ اَوۡ یُرۡسِلَ عَلَیۡکُمۡ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوۡا لَکُمۡ وَکِیۡلًا ﴿ۙ۶۸﴾

(૬૮) શું તમે તે (વાત)થી સલામત થઇ ગયા કે ઝમીનમાં તમને ધસાવી દે અથવા તમારા પર પથ્થરોનો વરસાદ મોકલે પછી તમે કોઇને પણ તમારો બચાવનાર નહિ પામો?

69

اَمۡ اَمِنۡتُمۡ اَنۡ یُّعِیۡدَکُمۡ فِیۡہِ تَارَۃً اُخۡرٰی فَیُرۡسِلَ عَلَیۡکُمۡ قَاصِفًا مِّنَ الرِّیۡحِ فَیُغۡرِقَکُمۡ بِمَا کَفَرۡتُمۡ ۙ ثُمَّ لَا تَجِدُوۡا لَکُمۡ عَلَیۡنَا بِہٖ تَبِیۡعًا ﴿۶۹﴾

(૬૯) અથવા તમે તે (વાત)થી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઇ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે અને જે નેઅમતોની તમે નાશુક્રી કરી તે બદલ તમને ડુબાડી દે? ત્યારે તમે તેના સંબંધમાં અમારી વિરૂઘ્ધ કોઇને મદદગાર પામશો નહી.

70

وَ لَقَدۡ کَرَّمۡنَا بَنِیۡۤ اٰدَمَ وَ حَمَلۡنٰہُمۡ فِی الۡبَرِّ وَ الۡبَحۡرِ وَ رَزَقۡنٰہُمۡ مِّنَ الطَّیِّبٰتِ وَ فَضَّلۡنٰہُمۡ عَلٰی کَثِیۡرٍ مِّمَّنۡ خَلَقۡنَا تَفۡضِیۡلًا ﴿٪۷۰﴾

(૭૦) અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી અને ઝમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી અને અમારી ઘણી બધી મખ્લૂક ઉપર તેમને ફઝીલત આપી.

71

یَوۡمَ نَدۡعُوۡا کُلَّ اُنَاسٍۭ بِاِمَامِہِمۡ ۚ فَمَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِیَمِیۡنِہٖ فَاُولٰٓئِکَ یَقۡرَءُوۡنَ کِتٰبَہُمۡ وَ لَا یُظۡلَمُوۡنَ فَتِیۡلًا ﴿۷۱﴾

(૭૧) જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામએ આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના નામએ આમાલનામાને વાંચશે અને ખજૂરીના વાળ બરાબર પણ તેમની સાથે ઝુલ્મ કરવામાં આવશે નહિં.

72

وَ مَنۡ کَانَ فِیۡ ہٰذِہٖۤ اَعۡمٰی فَہُوَ فِی الۡاٰخِرَۃِ اَعۡمٰی وَ اَضَلُّ سَبِیۡلًا ﴿۷۲﴾

(૭૨) અને જે કોઇ આ (દુનિયા)માં (હક જોવાથી) આંધળો રહ્યો, તે આખેરતમાં પણ આંધળો રહેશે અને (હકના) રસ્તાથી ભટકી ગયેલ રહેશે.

73

وَ اِنۡ کَادُوۡا لَیَفۡتِنُوۡنَکَ عَنِ الَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ لِتَفۡتَرِیَ عَلَیۡنَا غَیۡرَہٗ ٭ۖ وَ اِذًا لَّاتَّخَذُوۡکَ خَلِیۡلًا ﴿۷۳﴾

(૭૩) અને બેશક નજદીક હતુ કે જે કાંઇ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે જેથી તુ તે (વહી) સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ અને ત્યારે તને દોસ્ત બનાવી લે.

74

وَ لَوۡ لَاۤ اَنۡ ثَبَّتۡنٰکَ لَقَدۡ کِدۡتَّ تَرۡکَنُ اِلَیۡہِمۡ شَیۡئًا قَلِیۡلًا ﴿٭ۙ۷۴﴾

(૭૪) અને જો અમોએ તને સાબિત કદમ રાખ્યો ન હોત તો તું થોડે અંશે તેમના તરફ ઢળી જાત:

75

اِذًا لَّاَذَقۡنٰکَ ضِعۡفَ الۡحَیٰوۃِ وَ ضِعۡفَ الۡمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَکَ عَلَیۡنَا نَصِیۡرًا ﴿۷۵﴾

(૭૫) અગર એમ થયું હોત, તો ખરેજ અમે તને દુનિયાની ઝિંદગીમાં (મુશરિકો કરતા) બમણી સજા ચખાડતે અને મૌત પછી પણ બમણી (સજા) ચખાડતે, પછી તું અમારી સામે કોઇને પણ મદદગાર પામત નહિં.

76

وَ اِنۡ کَادُوۡا لَیَسۡتَفِزُّوۡنَکَ مِنَ الۡاَرۡضِ لِیُخۡرِجُوۡکَ مِنۡہَا وَ اِذًا لَّا یَلۡبَثُوۡنَ خِلٰفَکَ اِلَّا قَلِیۡلًا ﴿۷۶﴾

(૭૬) નજદીક હતુ કે તને આ ઝમીન (મક્કા)માં ડગમગાવી મૂકે જેથી તને કાઢી મૂકી જો કે તેઓ તારા પછી થોડાક સમય સિવાય ટકશે નહી.

77

سُنَّۃَ مَنۡ قَدۡ اَرۡسَلۡنَا قَبۡلَکَ مِنۡ رُّسُلِنَا وَ لَا تَجِدُ لِسُنَّتِنَا تَحۡوِیۡلًا ﴿٪۷۷﴾

(૭૭) તમારી અગાઉ જે અમોએ રસૂલોને મોકલ્યા હતા તેમના માટે અમારી આ જ સુન્નત હતી, અને અમારી સુન્નતમાં તું કોઇ ફેરફાર નહિં જૂએ.

78

اَقِمِ الصَّلٰوۃَ لِدُلُوۡکِ الشَّمۡسِ اِلٰی غَسَقِ الَّیۡلِ وَ قُرۡاٰنَ الۡفَجۡرِ ؕ اِنَّ قُرۡاٰنَ الۡفَجۡرِ کَانَ مَشۡہُوۡدًا ﴿۷۸﴾

(૭૮) સૂરજના ઢળવાથી (મઘ્યાહનથી) લઇને રાતના અંધકાર સુધી નમાઝને કાયમ કરો, અને સવારના પણ, બેશક સવારના (તિલાવતે) કુરઆનની ગવાહી આપવામાં આવે છે.

79

وَ مِنَ الَّیۡلِ فَتَہَجَّدۡ بِہٖ نَافِلَۃً لَّکَ ٭ۖ عَسٰۤی اَنۡ یَّبۡعَثَکَ رَبُّکَ مَقَامًا مَّحۡمُوۡدًا ﴿۷۹﴾

(૭૯) અને રાતના એક ભાગમાં (ઇબાદત માટે) જાગ, આ (ઇબાદત) તારા માટે નાફેલા છે, ઉમ્મીદ છે કે તારો પરવરદિગાર તને મકામે મહેમૂદ (ઇઝઝતવાળા દરજજે) પહોંચાડે.

80

وَ قُلۡ رَّبِّ اَدۡخِلۡنِیۡ مُدۡخَلَ صِدۡقٍ وَّ اَخۡرِجۡنِیۡ مُخۡرَجَ صِدۡقٍ وَّ اجۡعَلۡ لِّیۡ مِنۡ لَّدُنۡکَ سُلۡطٰنًا نَّصِیۡرًا ﴿۸۰﴾

(૮૦) અને કહે : અય મારા પરવરદિગાર મને (દરેક કામમાં) સચ્ચાઇની સાથે દાખલ કર, અને સચ્ચાઇની સાથે બહાર કાઢ, અને મને તારા પાસેથી મદદ કરનારી તાકત આપ.

81

وَ قُلۡ جَآءَ الۡحَقُّ وَ زَہَقَ الۡبَاطِلُ ؕ اِنَّ الۡبَاطِلَ کَانَ زَہُوۡقًا ﴿۸۱﴾

(૮૧) અને કહે : હક આવી ચૂક્યું અને બાતિલ નાબૂદ થયું; બેશક બાતિલ નાબૂદ થનાર જ છે.

82

وَ نُنَزِّلُ مِنَ الۡقُرۡاٰنِ مَا ہُوَ شِفَآءٌ وَّ رَحۡمَۃٌ لِّلۡمُؤۡمِنِیۡنَ ۙ وَ لَا یَزِیۡدُ الظّٰلِمِیۡنَ اِلَّا خَسَارًا ﴿۸۲﴾

(૮૨) અને કુરઆનમાંથી જે મોઅમીનો માટે શફા અને રહેમત છે તેને નાઝિલ કરીએ છીએ, અને ઝાલિમો માટે નુકસાન સિવાય કાંઇ વધારો થતો નથી.

83

وَ اِذَاۤ اَنۡعَمۡنَا عَلَی الۡاِنۡسَانِ اَعۡرَضَ وَ نَاٰ بِجَانِبِہٖ ۚ وَ اِذَا مَسَّہُ الشَّرُّ کَانَ یَــُٔوۡسًا ﴿۸۳﴾

(૮૩) અને જ્યારે અમે ઇન્સાનને કોઇ નેઅમત અતા કરીએ છીએ ત્યારે તે (હકથી) મોઢુ ફેરવીને ઘમંડની હાલતમાં દૂર થઇ જાય છે, અને જ્યારે તેને કોઇ બદી પહોંચે છે ત્યારે નિરાશ થઇ જાય છે.

84

قُلۡ کُلٌّ یَّعۡمَلُ عَلٰی شَاکِلَتِہٖ ؕ فَرَبُّکُمۡ اَعۡلَمُ بِمَنۡ ہُوَ اَہۡدٰی سَبِیۡلًا ﴿٪۸۴﴾

(૮૪) તું કહે : દરેક શખ્સ પોતાની રીતે અમલ કરે છે; અને તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે વધારે હિદાયત આપનાર રસ્તા પર કોણ છે.

85

وَ یَسۡـَٔلُوۡنَکَ عَنِ الرُّوۡحِ ؕ قُلِ الرُّوۡحُ مِنۡ اَمۡرِ رَبِّیۡ وَ مَاۤ اُوۡتِیۡتُمۡ مِّنَ الۡعِلۡمِ اِلَّا قَلِیۡلًا ﴿۸۵﴾

(૮૫) અને લોકો તને રૂહ સંબંધી સવાલ કરે છે; તું કહે કે રૂહ મારા પરવરદિગારના હુકમોમાંથી છે અને તમને થોડા ઇલ્મ સિવાય કંઇ આપવામાં નથી આવ્યું.

86

وَ لَئِنۡ شِئۡنَا لَنَذۡہَبَنَّ بِالَّذِیۡۤ اَوۡحَیۡنَاۤ اِلَیۡکَ ثُمَّ لَا تَجِدُ لَکَ بِہٖ عَلَیۡنَا وَکِیۡلًا ﴿ۙ۸۶﴾

(૮૬) અને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને પરત લઈ લઈએ. પછી અમારી ખિલાફ કોઇ મુહાફીઝ નહિં મળે:

87

اِلَّا رَحۡمَۃً مِّنۡ رَّبِّکَ ؕ اِنَّ فَضۡلَہٗ کَانَ عَلَیۡکَ کَبِیۡرًا ﴿۸۷﴾

(૮૭) સિવાય કે તારા પરવરદિગારની રહેમત; ખરેખર તેનો ફઝલ તારા ઉપર મોટો છે.

88

قُلۡ لَّئِنِ اجۡتَمَعَتِ الۡاِنۡسُ وَ الۡجِنُّ عَلٰۤی اَنۡ یَّاۡتُوۡا بِمِثۡلِ ہٰذَا الۡقُرۡاٰنِ لَا یَاۡتُوۡنَ بِمِثۡلِہٖ وَ لَوۡ کَانَ بَعۡضُہُمۡ لِبَعۡضٍ ظَہِیۡرًا ﴿۸۸﴾

(૮૮) તું કહે કે અગર ઇન્સાનો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઇ જાય કે આ કુરઆનના જેવું (બીજું) બનાવી લાવે (તો પણ) તેના જેવું લાવી શકશે નહિ (પછી) ભલેને તેઓ એક બીજાના મદદગાર બની જાય.

89

وَ لَقَدۡ صَرَّفۡنَا لِلنَّاسِ فِیۡ ہٰذَا الۡقُرۡاٰنِ مِنۡ کُلِّ مَثَلٍ ۫ فَاَبٰۤی اَکۡثَرُ النَّاسِ اِلَّا کُفُوۡرًا ﴿۸۹﴾

(૮૯) અને ખરેજ અમોએ આ કુરઆનમાં લોકો માટે દરેક જાતના દાખલા બયાન કર્યા, પરંતુ વધુ પડતા લોકો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો અસ્વીકાર કરે છે.

90

وَ قَالُوۡا لَنۡ نُّؤۡمِنَ لَکَ حَتّٰی تَفۡجُرَ لَنَا مِنَ الۡاَرۡضِ یَنۡۢبُوۡعًا ﴿ۙ۹۰﴾

(૯૦) અને તેઓ કહ્યુ કે અમે તારા પર હરગિઝ ઇમાન નહિં લાવીએ,જ્યાં સુધી કે તું અમારા માટે ઝમીનમાંથી એક ઝરણું વહેતું કરે:

91

اَوۡ تَکُوۡنَ لَکَ جَنَّۃٌ مِّنۡ نَّخِیۡلٍ وَّ عِنَبٍ فَتُفَجِّرَ الۡاَنۡہٰرَ خِلٰلَہَا تَفۡجِیۡرًا ﴿ۙ۹۱﴾

(૯૧) અથવા તારી પાસે ખજૂરો અને દ્રાક્ષોની વાડી હોય, જેની વચ્ચે તું નદીઓ વહેવડાવી દે:

92

اَوۡ تُسۡقِطَ السَّمَآءَ کَمَا زَعَمۡتَ عَلَیۡنَا کِسَفًا اَوۡ تَاۡتِیَ بِاللّٰہِ وَ الۡمَلٰٓئِکَۃِ قَبِیۡلًا ﴿ۙ۹۲﴾

(૯૨) અથવા જેવી રીતે તુ ગુમાન કરે છો તેવી રીતે આસમાનને ટુકડે ટુકડા કરી અમારા ઉપર તોડી પાડ અથવા અલ્લાહને તથા તેના ફરિશ્તાઓને (અમારી) રૂબરૂ લાવી ઊભા કરી દે:

93

اَوۡ یَکُوۡنَ لَکَ بَیۡتٌ مِّنۡ زُخۡرُفٍ اَوۡ تَرۡقٰی فِی السَّمَآءِ ؕ وَ لَنۡ نُّؤۡمِنَ لِرُقِیِّکَ حَتّٰی تُنَزِّلَ عَلَیۡنَا کِتٰبًا نَّقۡرَؤُہٗ ؕ قُلۡ سُبۡحَانَ رَبِّیۡ ہَلۡ کُنۡتُ اِلَّا بَشَرًا رَّسُوۡلًا ﴿٪۹۳﴾

(૯૩) અથવા તારા માટે એક સોનાનો મહેલ હોય અથવા તું આસમાનમાં ચઢી જાય; અને અમે તારા ચઢી જવા છતાંય ઇમાન નહિ લાવીએ જ્યાં સુધી કે અમારા પર એક એવુ લખાણ નાઝિલ કરે કે જેને અમે વાંચીએ; તું કહે કે મારો પરવરદિગાર પાક છે, શું હું એક પયગામ પહોંચાડનાર ઇન્સાન સિવાય કાંઇ છું?

94

وَ مَا مَنَعَ النَّاسَ اَنۡ یُّؤۡمِنُوۡۤا اِذۡ جَآءَہُمُ الۡہُدٰۤی اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اَبَعَثَ اللّٰہُ بَشَرًا رَّسُوۡلًا ﴿۹۴﴾

(૯૪) લોકો પાસે હિદાયત આવી ગયા બાદ, ઇમાન લાવવાથી રોકયા નથી, સિવાય કે આ કહ્યુ શું અલ્લાહે એક ઇન્સાનને રસૂલ તરીકે મોકલ્યો છે?

95

قُلۡ لَّوۡ کَانَ فِی الۡاَرۡضِ مَلٰٓئِکَۃٌ یَّمۡشُوۡنَ مُطۡمَئِنِّیۡنَ لَنَزَّلۡنَا عَلَیۡہِمۡ مِّنَ السَّمَآءِ مَلَکًا رَّسُوۡلًا ﴿۹۵﴾

(૯૫) તું કહે કે અગર આ ઝમીન પર ફરિશ્તાઓ આરામથી ચાલતા હોત તો જરૂર અમે આસમાન પરથી એક ફરિશ્તાને રસૂલ તરીકે મોકલતે.

96

قُلۡ کَفٰی بِاللّٰہِ شَہِیۡدًۢا بَیۡنِیۡ وَ بَیۡنَکُمۡ ؕ اِنَّہٗ کَانَ بِعِبَادِہٖ خَبِیۡرًۢا بَصِیۡرًا ﴿۹۶﴾

(૯૬) તું કહે : મારી અને તમારી વચ્ચે અલ્લાહનું ગવાહ હોવુ બસ છે, કારણકે તે પોતાના બંદાઓની હાલતને જાણનાર (તથા) જોનાર છે.

97

وَ مَنۡ یَّہۡدِ اللّٰہُ فَہُوَ الۡمُہۡتَدِ ۚ وَ مَنۡ یُّضۡلِلۡ فَلَنۡ تَجِدَ لَہُمۡ اَوۡلِیَآءَ مِنۡ دُوۡنِہٖ ؕ وَ نَحۡشُرُہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ عَلٰی وُجُوۡہِہِمۡ عُمۡیًا وَّ بُکۡمًا وَّ صُمًّا ؕ مَاۡوٰىہُمۡ جَہَنَّمُ ؕ کُلَّمَا خَبَتۡ زِدۡنٰہُمۡ سَعِیۡرًا ﴿۹۷﴾

(૯૭) અને જેની અલ્લાહ હિદાયત કરે છે, તે હિદાયત પામેલ છે, અને જેને તે ગુમરાહ કરી દે છે, પછી તેમના માટે તેના સિવાય તું બીજા કોઇને તેઓના સરપરસ્ત પામીશ નહિ; અને કયામતના દિવસે અમે તેમને ઊંધા મોઢે મહેશૂર કરીશું એવી હાલતમાં કે તેઓ આંધળા, મૂંગા અને બહેરા હશે; તેમનું ઠેકાણું જહન્નમ છે. જયારે તે (જહન્નમની આગ) ખામોશ થશે, ત્યારે અમે તેની જ્વાળાઓ વધારી દઇશુ.

98

ذٰلِکَ جَزَآؤُہُمۡ بِاَنَّہُمۡ کَفَرُوۡا بِاٰیٰتِنَا وَ قَالُوۡۤاءَ اِذَا کُنَّا عِظَامًا وَّ رُفَاتًاءَ اِنَّا لَمَبۡعُوۡثُوۡنَ خَلۡقًا جَدِیۡدًا ﴿۹۸﴾

(૯૮) તેઓની આ સજા છે અમારી આયતોને જૂઠલાવવાના કારણે અને કહ્યું કે શું જયારે અમે હાડકાં અને સડેલી માટી બની જઇશું ત્યારે અમને ફરીથી જીવંત કરીને ઉઠાડવામાં આવશે?

99

اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ قَادِرٌ عَلٰۤی اَنۡ یَّخۡلُقَ مِثۡلَہُمۡ وَ جَعَلَ لَہُمۡ اَجَلًا لَّا رَیۡبَ فِیۡہِ ؕ فَاَبَی الظّٰلِمُوۡنَ اِلَّا کُفُوۡرًا ﴿۹۹﴾

(૯૯) શું તેઓ નથી જોયુ કે બેશક અલ્લાહ કે જેણે આકાશો તથા ઝમીનને પૈદા કર્યા, તેમના જેવા જ બીજા (ઝમીન આસમાન) પણ પૈદા કરવાની કુદરત ધરાવે છે ? અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી જેમાં કોઇ પ્રકારની શંકા નથી; છતાંય આ ઝાલિમો નાસ્તિકપણા સિવાય (દરેક ચીઝ)નો ઇન્કાર કરે છે.

100

قُلۡ لَّوۡ اَنۡتُمۡ تَمۡلِکُوۡنَ خَزَآئِنَ رَحۡمَۃِ رَبِّیۡۤ اِذًا لَّاَمۡسَکۡتُمۡ خَشۡیَۃَ الۡاِنۡفَاقِ ؕ وَ کَانَ الۡاِنۡسَانُ قَتُوۡرًا ﴿۱۰۰﴾٪

(૧૦૦) તું કહે: અગર તમે મારા પરવરદિગારની રહેમતના ખજાનાઓનો ઇખ્તેયાર રાખતા હોત તો તે હાલતમાં પણ ખર્ચાઇ જવાના ડરથી તમે (ખર્ચ કરવાથી) પરહેજ કરતે; અને ઇન્સાન છે જ કંજૂસ.

101

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسٰی تِسۡعَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ فَسۡـَٔلۡ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اِذۡ جَآءَہُمۡ فَقَالَ لَہٗ فِرۡعَوۡنُ اِنِّیۡ لَاَظُنُّکَ یٰمُوۡسٰی مَسۡحُوۡرًا ﴿۱۰۱﴾

(૧૦૧) અને ખરેજ અમોએ મૂસાને નવ ખુલ્લી નિશાનીઓ આપી હતી, માટે બની ઇસરાઇલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે ફિરઔને તેને કહ્યું કે અય મૂસા ! ખરેજ હું એમ ગુમાન કરૂ છું કે તારા પર જાદુ કરવામાં આવેલ છે.

102

قَالَ لَقَدۡ عَلِمۡتَ مَاۤ اَنۡزَلَ ہٰۤؤُلَآءِ اِلَّا رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ بَصَآئِرَ ۚ وَ اِنِّیۡ لَاَظُنُّکَ یٰفِرۡعَوۡنُ مَثۡبُوۡرًا ﴿۱۰۲﴾

(૧૦૨) તેણે (મૂસા અ.સ.એ) ફરમાવ્યું : તુ જાણે છો કે આ (હકની) સમજણ આપનાર (નિશાનીઓ) આસમાનો અને ઝમીનોના પરવરદિગાર સિવાય બીજા કોઇએ નાઝિલ નથી કરી અને અય ફિરઔન! હુ તને હલાક થઇ ગયેલ જાણું છું.

103

فَاَرَادَ اَنۡ یَّسۡتَفِزَّہُمۡ مِّنَ الۡاَرۡضِ فَاَغۡرَقۡنٰہُ وَ مَنۡ مَّعَہٗ جَمِیۡعًا ﴿۱۰۳﴾ۙ

(૧૦૩) પછી તેણે (ફિરઔને) તેમને જમીનમાંથી ઉખાડી ફેંકવાનો ઇરાદો કર્યો, પરંતુ અમોએ તે (ફિરઓન)ને તથા તેના બધા સાથીઓને ડૂબાડી દીધા:

104

وَّ قُلۡنَا مِنۡۢ بَعۡدِہٖ لِبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اسۡکُنُوا الۡاَرۡضَ فَاِذَا جَآءَ وَعۡدُ الۡاٰخِرَۃِ جِئۡنَا بِکُمۡ لَفِیۡفًا ﴿۱۰۴﴾ؕ

(૧૦૪) અને ત્યારબાદ બની ઇસરાઇલને અમોએ કહ્યું કે તમે આ ઝમીનમાં રહો પછી જ્યારે આખેરતના વાયદાનો સમય આવશે ત્યારે અમે તમો સર્વેને ભેગા કરીને લાવશું.

105

وَ بِالۡحَقِّ اَنۡزَلۡنٰہُ وَ بِالۡحَقِّ نَزَلَ ؕ وَ مَاۤ اَرۡسَلۡنٰکَ اِلَّا مُبَشِّرًا وَّ نَذِیۡرًا ﴿۱۰۵﴾ۘ

(૧૦૫) અને અમોએ તેને હકની સાથે નાઝિલ કર્યુ અને તે હક સાથે નાઝિલ થયું; અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે ખુશખબરી આપનાર અને ડરાવનાર.

106

وَ قُرۡاٰنًا فَرَقۡنٰہُ لِتَقۡرَاَہٗ عَلَی النَّاسِ عَلٰی مُکۡثٍ وَّ نَزَّلۡنٰہُ تَنۡزِیۡلًا ﴿۱۰۶﴾

(૧૦૬) અને કુરઆન કે જેને અમોએ અલગ અલગ હિસ્સાઓમાં (નાઝિલ) કર્યુ. જેથી તું લોકો ઉપર થોભી-થોભીને પઢ અને અમે કુરઆનને ધીરે ધીરે નાઝિલ કર્યુ.

107

قُلۡ اٰمِنُوۡا بِہٖۤ اَوۡ لَا تُؤۡمِنُوۡا ؕ اِنَّ الَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ مِنۡ قَبۡلِہٖۤ اِذَا یُتۡلٰی عَلَیۡہِمۡ یَخِرُّوۡنَ لِلۡاَذۡقَانِ سُجَّدًا ﴿۱۰۷﴾ۙ

(૧૦૭) તું કહે : તમે તેના પર ઇમાન લાવો યા ન લાવો; બેશક જેમને આના પહેલાં ઇલ્મ આપવામાં આવેલ છે જ્યારે તેઓ ઉપર પઢવામાં આવે છે ત્યારે તેઓ સિજદા કરતા જમીન પર પડી જાય છે:

108

وَّ یَقُوۡلُوۡنَ سُبۡحٰنَ رَبِّنَاۤ اِنۡ کَانَ وَعۡدُ رَبِّنَا لَمَفۡعُوۡلًا ﴿۱۰۸﴾

(૧૦૮) અને તેઓ કહે છે : અમારો પરવરદિગાર પાક છે! ખરેજ અમારા પરવરદિગારનો વાયદો પૂરો થવાનો જ છે.

109

وَ یَخِرُّوۡنَ لِلۡاَذۡقَانِ یَبۡکُوۡنَ وَ یَزِیۡدُہُمۡ خُشُوۡعًا ﴿۱۰۹﴾ٛ

(૧૦૯) અને તેઓ સિજદામાં પડી જાય છે, રડે છે અને તેમની નમ્રતામાં વધારો કરે છે.

110

قُلِ ادۡعُوا اللّٰہَ اَوِ ادۡعُوا الرَّحۡمٰنَ ؕ اَیًّامَّا تَدۡعُوۡا فَلَہُ الۡاَسۡمَآءُ الۡحُسۡنٰی ۚ وَ لَا تَجۡہَرۡ بِصَلَاتِکَ وَ لَا تُخَافِتۡ بِہَا وَ ابۡتَغِ بَیۡنَ ذٰلِکَ سَبِیۡلًا ﴿۱۱۰﴾

(૧૧૦) તું કહે : અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કહીને પોકારો; જે નામથી પણ પોકારો નેક નામો તેના જ છે, અને તું તારી નમાઝ ન એકદમ ઊંચા અવાજમાં પઢ અને ન એકદમ ધીમા અવાજમાં (પઢ). બલ્કે તે બન્ને વચ્ચેનો રસ્તો ઇખ્તેયાર કર.

111

وَ قُلِ الۡحَمۡدُ لِلّٰہِ الَّذِیۡ لَمۡ یَتَّخِذۡ وَلَدًا وَّ لَمۡ یَکُنۡ لَّہٗ شَرِیۡکٌ فِی الۡمُلۡکِ وَ لَمۡ یَکُنۡ لَّہٗ وَلِیٌّ مِّنَ الذُّلِّ وَ کَبِّرۡہُ تَکۡبِیۡرًا ﴿۱۱۱﴾٪

(૧૧૧) અને કહે : તમામ વખાણ અલ્લાહને માટે જ છે, જેણે ન કોઇને ફરઝંદ બનાવી લીધો છે અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે, અને એવું નથી કે કમજોરી (દૂર કરવા) માટે મદદગાર(ની જરૂરત) હોય અને તેને બહુજ મહાન જાણો.