Taha
سورة طه
اِذۡ رَاٰ نَارًا فَقَالَ لِاَہۡلِہِ امۡکُثُوۡۤا اِنِّیۡۤ اٰنَسۡتُ نَارًا لَّعَلِّیۡۤ اٰتِیۡکُمۡ مِّنۡہَا بِقَبَسٍ اَوۡ اَجِدُ عَلَی النَّارِ ہُدًی ﴿۱۰﴾
(૧૦) જયારે તેણે એક આગ જોઇ ત્યારે પોતાના ખાનદાનને કહ્યું : થોભો, ખરેખર મેં એક આગ જોઇ. કદાચને હું તેમાંથી તમારા માટે જ્વાળા લઇ આવું, અથવા તે આગ વડે હું રસ્તો મેળવું.
اَنِ اقۡذِفِیۡہِ فِی التَّابُوۡتِ فَاقۡذِفِیۡہِ فِی الۡیَمِّ فَلۡیُلۡقِہِ الۡیَمُّ بِالسَّاحِلِ یَاۡخُذۡہُ عَدُوٌّ لِّیۡ وَ عَدُوٌّ لَّہٗ ؕ وَ اَلۡقَیۡتُ عَلَیۡکَ مَحَبَّۃً مِّنِّیۡ ۬ۚ وَ لِتُصۡنَعَ عَلٰی عَیۡنِیۡ ﴿ۘ۳۹﴾
(૩૯) કે "તેને એક પેટીમાં મૂકે, અને તે પેટીને દરિયામાં નાખી દે, જેથી દરિયો તેને કિનારે નાખી દે અને મારો તથા તેનો દુશ્મન તેને ઊંચકી લે;" અને મેં (તેના દિલમાં) મારા તરફથી તારી ઉપર મોહબ્બત રાખી, જેથી તારી પરવરિશ મારી નજર સામે થાય.
اِذۡ تَمۡشِیۡۤ اُخۡتُکَ فَتَقُوۡلُ ہَلۡ اَدُلُّکُمۡ عَلٰی مَنۡ یَّکۡفُلُہٗ ؕ فَرَجَعۡنٰکَ اِلٰۤی اُمِّکَ کَیۡ تَقَرَّ عَیۡنُہَا وَ لَا تَحۡزَنَ ۬ؕ وَ قَتَلۡتَ نَفۡسًا فَنَجَّیۡنٰکَ مِنَ الۡغَمِّ وَ فَتَنّٰکَ فُتُوۡنًا ۬۟ فَلَبِثۡتَ سِنِیۡنَ فِیۡۤ اَہۡلِ مَدۡیَنَ ۬ۙ ثُمَّ جِئۡتَ عَلٰی قَدَرٍ یّٰمُوۡسٰی ﴿۴۰﴾
(૪૦) જ્યારે તારી બહેને ચાલતાં ચાલતાં કહ્યું: શું હું તમને એક એવાને દેખાડુ કે જે તેને ઉછેરે? પછી અમોએ તને તારી વાલેદા પાસે પાછો પહોંચાડ્યો કે જેથી તેની આંખો ઠંડી થાય અને તેણી ગમગીન ન થાય; અને તેં એક શખ્સને મારી નાખ્યો, પછી અમોએ તને દુ:ખમાંથી છૂટકારો આપ્યો અને વિવિધ રીતે તને અજમાવ્યો, પછી વર્ષો સુધી તું મદયનવાળાઓમાં રહ્યો; પછી અય મૂસા! અમોએ મુકદ્દર કર્યા મુજબ તું અહીં આવી પહોંચ્યો.
فَاۡتِیٰہُ فَقُوۡلَاۤ اِنَّا رَسُوۡلَا رَبِّکَ فَاَرۡسِلۡ مَعَنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ ۬ۙ وَ لَا تُعَذِّبۡہُمۡ ؕ قَدۡ جِئۡنٰکَ بِاٰیَۃٍ مِّنۡ رَّبِّکَ ؕ وَ السَّلٰمُ عَلٰی مَنِ اتَّبَعَ الۡہُدٰی ﴿۴۷﴾
(૪૭) તેથી તમે બન્ને તેની પાસે જાઓ અને કહો : બેશક અમે બન્ને તારા પરવરદિગારના રસૂલ છીએ, માટે તું બની ઇસરાઇલને અમારી સાથે મોકલ, અને તેમને સતાવ નહિ, અને બેશક અમે તારા પરવરદિગાર તરફથી નિશાની લાવ્યા છીએ; અને સલામતી તેના ઉપર છે કે જે હિદાયતની તાબેદારી કરે.
الَّذِیۡ جَعَلَ لَکُمُ الۡاَرۡضَ مَہۡدًا وَّ سَلَکَ لَکُمۡ فِیۡہَا سُبُلًا وَّ اَنۡزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؕ فَاَخۡرَجۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡ نَّبَاتٍ شَتّٰی ﴿۵۳﴾
(૫૩) જેણે ઝમીનને તમારા માટે આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તા બનાવ્યા, અને આસમાનથી પાણી વરસાવ્યુ, પછી અમોએ તેના વડે અલગ અલગ વનસ્પતિઓેના જોડા ખલ્ક કર્યા.
فَلَنَاۡتِیَنَّکَ بِسِحۡرٍ مِّثۡلِہٖ فَاجۡعَلۡ بَیۡنَنَا وَ بَیۡنَکَ مَوۡعِدًا لَّا نُخۡلِفُہٗ نَحۡنُ وَ لَاۤ اَنۡتَ مَکَانًا سُوًی ﴿۵۸﴾
(૫૮) તો પછી અમે પણ તારા મુકાબલામાં એવો જ જાદુ લાવીશું, માટે તારા અને અમારા વચ્ચે સરખા અંતરે આવેલા ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે મુલાકાતનો વાયદો કરીએ જે ન અમે ભંગ કરીશુ ન તુ (ભંગ કરીશ).
وَ اَلۡقِ مَا فِیۡ یَمِیۡنِکَ تَلۡقَفۡ مَا صَنَعُوۡا ؕ اِنَّمَا صَنَعُوۡا کَیۡدُ سٰحِرٍ ؕ وَ لَا یُفۡلِحُ السَّاحِرُ حَیۡثُ اَتٰی ﴿۶۹﴾
(૬૯) અને તારા જમણા હાથમાં જે છે તેને ઝમીન પર નાખી દે કે જેથી તેમણે જે કાંઇ બનાવ્યું છે તેને ગળી જશે, તેઓએ જે બનાવ્યું છે તે જાદુગરોનો ફરેબ છે, અને જાદુગર ગમે ત્યાં જાય તેઓ સફળ થશે નહિં.
قَالَ اٰمَنۡتُمۡ لَہٗ قَبۡلَ اَنۡ اٰذَنَ لَکُمۡ ؕ اِنَّہٗ لَکَبِیۡرُکُمُ الَّذِیۡ عَلَّمَکُمُ السِّحۡرَ ۚ فَلَاُقَطِّعَنَّ اَیۡدِیَکُمۡ وَ اَرۡجُلَکُمۡ مِّنۡ خِلَافٍ وَّ لَاُصَلِّبَنَّکُمۡ فِیۡ جُذُوۡعِ النَّخۡلِ ۫ وَ لَتَعۡلَمُنَّ اَیُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّ اَبۡقٰی ﴿۷۱﴾
(૭૧) (ફિરઔને) કહ્યું, હું તમને રજા આપું તે પહેલાં જ તમે તેના પર ઇમાન લઇ આવ્યા? બેશક એ જ તમારા બધાનો બુઝુર્ગ છે કે જેણે તમને જાદુ શીખવ્યો છે, તેથી હું ખરેજ તમારા ઉલ્ટા સુલ્ટા હાથ અને પગ કાપી નાખીશ અને તમને ખજૂરના વૃક્ષના થડો ઉપર ફાંસીએ ચઢાવીશ, અને તમે ચોકકસ જાણી લેશો કે અમારામાંથી કોણી સજા વધારે સખત અને બાકી રહેનાર છે.
قَالُوۡا لَنۡ نُّؤۡثِرَکَ عَلٰی مَا جَآءَنَا مِنَ الۡبَیِّنٰتِ وَ الَّذِیۡ فَطَرَنَا فَاقۡضِ مَاۤ اَنۡتَ قَاضٍ ؕ اِنَّمَا تَقۡضِیۡ ہٰذِہِ الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ؕ۷۲﴾
(૭૨) તેઓ (જાદુગરોએ) કહ્યું : જે ખુલ્લી દલીલો (મોઅજિઝા) અમારી સામે આવી, તેના મુકાબલામાં અને જેણે અમને પેદા કર્યા, તેની ઉપર અમે તને અગ્રતા નથી આપતા માટે તારે જે કાંઇ ફેસલો કરવાનો હોય તે કરી લે, તું માત્ર આ દુનિયાના જીવનના બારામાં હુકમ આપી શકે છો.
اِنَّـاۤ اٰمَنَّا بِرَبِّنَا لِیَغۡفِرَ لَنَا خَطٰیٰنَا وَ مَاۤ اَکۡرَہۡتَنَا عَلَیۡہِ مِنَ السِّحۡرِ ؕ وَ اللّٰہُ خَیۡرٌ وَّ اَبۡقٰی ﴿۷۳﴾
(૭૩) ખરેખર અમે અમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યા કે જેથી તે અમારા ગુનાહોને તથા જે જાદુ કરવાની તેં અમને ફરજ પાડી હતી તેને માફ કરી દે, અને અલ્લાહ બેહતર અને બાકી રહેનારો છે.
وَ لَقَدۡ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰۤی ۬ۙ اَنۡ اَسۡرِ بِعِبَادِیۡ فَاضۡرِبۡ لَہُمۡ طَرِیۡقًا فِی الۡبَحۡرِ یَبَسًا ۙ لَّا تَخٰفُ دَرَکًا وَّ لَا تَخۡشٰی ﴿۷۷﴾
(૭૭) અને અમોએ મૂસાને વહી કરી : મારા બંદાઓ (બની ઇસરાઇલ)ને રાતના સમયે સાથે લઇ જા, પછી તેમના માટે દરિયામાં સૂકો રસ્તો ખોલ કે પકડાઇ જવાનો કે ડૂબી જવાનો ડર ન રાખ.
یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ قَدۡ اَنۡجَیۡنٰکُمۡ مِّنۡ عَدُوِّکُمۡ وَ وٰعَدۡنٰکُمۡ جَانِبَ الطُّوۡرِ الۡاَیۡمَنَ وَ نَزَّلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ﴿۸۰﴾
(૮૦) અય બની ઇસરાઇલ ! બેશક અમોએ તમારા દુશ્મનોથી તમને છુટકારો આપ્યો, અને તૂરના પહાડની જમણી બાજુએ તમારી સાથે વાયદો કર્યો, અને તમારા પર મન્ના તથા સલ્વા નાઝિલ કર્યા.
کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ وَ لَا تَطۡغَوۡا فِیۡہِ فَیَحِلَّ عَلَیۡکُمۡ غَضَبِیۡ ۚ وَ مَنۡ یَّحۡلِلۡ عَلَیۡہِ غَضَبِیۡ فَقَدۡ ہَوٰی ﴿۸۱﴾
(૮૧) અમોએ તમને જે કાંઇ પાકીઝા રોઝી આપેલ છે તેમાંથી ખાઓ, અને તેના બારામાં સરકશી કરો નહિં કે તમારા ઉપર મારો ગઝબ ઉતરશે અને જેના પર મારો ગઝબ ઉતરશે તે બેશક (હલાકતમાં) પડી જશે.
فَرَجَعَ مُوۡسٰۤی اِلٰی قَوۡمِہٖ غَضۡبَانَ اَسِفًا ۬ۚ قَالَ یٰقَوۡمِ اَلَمۡ یَعِدۡکُمۡ رَبُّکُمۡ وَعۡدًا حَسَنًا ۬ؕ اَفَطَالَ عَلَیۡکُمُ الۡعَہۡدُ اَمۡ اَرَدۡتُّمۡ اَنۡ یَّحِلَّ عَلَیۡکُمۡ غَضَبٌ مِّنۡ رَّبِّکُمۡ فَاَخۡلَفۡتُمۡ مَّوۡعِدِیۡ ﴿۸۶﴾
(૮૬) આથી મૂસા ગઝબનાક થઇ અફસોસ કરતા પોતાની કોમ તરફ પાછા આવ્યા, (અને) કહ્યું: અય મારી કોમ! શું તમારા પરવરદિગારે તમારાથી સારો (નેક) વાયદો કર્યો ન હતો ? શું વાયદાની મુદ્દત તમારા માટે લાંબી થઇ પડી હતી, અથવા તમોએ એવું ચાહ્યું કે તમારા પર તમારા પરવરદિગારનો ગઝબ ઉતરે માટે તમોએ મારી સાથેના વાયદાને તોડી નાખ્યો?!
قَالُوۡا مَاۤ اَخۡلَفۡنَا مَوۡعِدَکَ بِمَلۡکِنَا وَ لٰکِنَّا حُمِّلۡنَاۤ اَوۡزَارًا مِّنۡ زِیۡنَۃِ الۡقَوۡمِ فَقَذَفۡنٰہَا فَکَذٰلِکَ اَلۡقَی السَّامِرِیُّ ﴿ۙ۸۷﴾
(૮૭) તેઓએ કહ્યું : અમોએ તારા સાથે કરેલો વાયદો અમારી મેળે નથી તોડયો, પરંતુ અમારા ઉપર કૌમના ઘરેણાનો વજન હતો પછી અમોએ તેને આગમાં નાખી દીધા, અને આ રીતે સામરીએ (પોતાના ઘરેણા) નાખ્યા.
وَ لَقَدۡ قَالَ لَہُمۡ ہٰرُوۡنُ مِنۡ قَبۡلُ یٰقَوۡمِ اِنَّمَا فُتِنۡتُمۡ بِہٖ ۚ وَ اِنَّ رَبَّکُمُ الرَّحۡمٰنُ فَاتَّبِعُوۡنِیۡ وَ اَطِیۡعُوۡۤا اَمۡرِیۡ ﴿۹۰﴾
(૯૦) અને ખરેખર હારૂને તેમને અગાઉ જ કહી દીધું હતું : અય મારી કોમ! આના વડે ફકત તમારી અજમાઇશ કરવામાં આવી છે, અને બેશક તમારો પરવરદિગાર રહેમાન (ખુદા) છે, માટે તમે મારી તાબેદારી કરો અને મારી ઇતાઅત કરો.
قَالَ یَبۡنَؤُمَّ لَا تَاۡخُذۡ بِلِحۡیَتِیۡ وَ لَا بِرَاۡسِیۡ ۚ اِنِّیۡ خَشِیۡتُ اَنۡ تَقُوۡلَ فَرَّقۡتَ بَیۡنَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ وَ لَمۡ تَرۡقُبۡ قَوۡلِیۡ ﴿۹۴﴾
(૯૪) તેણે કહ્યું : અય મારા માજાયા ! તું મને દાઢી અને માથા વડે પકડ નહી. મને ડર હતો કે તું એમ ન કહે કે તેં બની ઇસરાઇલમાં કેમ ભાગલા કરી નાખ્યા અને મારી ભલામણનું ઘ્યાન ન રાખ્યુ.
قَالَ بَصُرۡتُ بِمَا لَمۡ یَبۡصُرُوۡا بِہٖ فَقَبَضۡتُ قَبۡضَۃً مِّنۡ اَثَرِ الرَّسُوۡلِ فَنَبَذۡتُہَا وَ کَذٰلِکَ سَوَّلَتۡ لِیۡ نَفۡسِیۡ ﴿۹۶﴾
(૯૬) કહ્યુ મેં એવી ચીજ જોઇ જે તેઓએ ન જોઇ, (અલ્લાહના) મોકલેલાના અસરનો એક હિસ્સો લીધો પછી તે (મૂર્તિ)માં નાખી દીધો મારા મનની ઇચ્છાએ આ રીતે મારી નજરમાં સુશોભિત બનાવી દેખાડ્યું.
قَالَ فَاذۡہَبۡ فَاِنَّ لَکَ فِی الۡحَیٰوۃِ اَنۡ تَقُوۡلَ لَا مِسَاسَ ۪ وَ اِنَّ لَکَ مَوۡعِدًا لَّنۡ تُخۡلَفَہٗ ۚ وَ انۡظُرۡ اِلٰۤی اِلٰـہِکَ الَّذِیۡ ظَلۡتَ عَلَیۡہِ عَاکِفًا ؕ لَنُحَرِّقَنَّہٗ ثُمَّ لَنَنۡسِفَنَّہٗ فِی الۡیَمِّ نَسۡفًا ﴿۹۷﴾
(૯૭) તેણે કહ્યું : ચાલ્યો જા, તારા માટે આ (સજા) છે કે તું જયાં સુધી દુનિયામાં જીવીશ ત્યાં સુધી કહીશ કે મારો સંપર્ક ન કરો અને તારા માટે વાયદા ખિલાફી ન થાય એવો (અઝાબનો) વાયદો છે અને જો, તુ હંમેશા જેની ઇબાદત માટે રોકાયેલો રહેતો તેને હું જરૂર બાળીને દરિયામાં વેરવિખેર કરી નાખીશ.
وَ کَذٰلِکَ اَنۡزَلۡنٰہُ قُرۡاٰنًا عَرَبِیًّا وَّ صَرَّفۡنَا فِیۡہِ مِنَ الۡوَعِیۡدِ لَعَلَّہُمۡ یَتَّقُوۡنَ اَوۡ یُحۡدِثُ لَہُمۡ ذِکۡرًا ﴿۱۱۳﴾
(૧૧૩) અને આ પ્રમાણે અમોએ કુરઆનને અરબી ભાષામાં નાઝિલ કર્યુ, અને તેમાં જુદા જુદા પ્રકરના અઝાબથી ચેતવ્યા કે જેથી તેઓ (નાફરમાની કરવાથી) બચે, અથવા તેમનુ ઘ્યાન દોરાય.
فَتَعٰلَی اللّٰہُ الۡمَلِکُ الۡحَقُّ ۚ وَ لَا تَعۡجَلۡ بِالۡقُرۡاٰنِ مِنۡ قَبۡلِ اَنۡ یُّقۡضٰۤی اِلَیۡکَ وَحۡیُہٗ ۫ وَ قُلۡ رَّبِّ زِدۡنِیۡ عِلۡمًا ﴿۱۱۴﴾
(૧૧૪) હકીકી બાદશાહ અલ્લાહનો બુલંદ મરતબો છે (અય પયગંબર તિલાવતે) કુરઆન બાબતે ઉતાવળ ન કર જ્યાં સુધી તેની વહી તારા ઉપર પૂરી ન થાય અને કહે : અય મારા પરવરદિગાર મારા ઇલ્મમાં વધારો કર.
فَاَکَلَا مِنۡہَا فَبَدَتۡ لَہُمَا سَوۡاٰتُہُمَا وَ طَفِقَا یَخۡصِفٰنِ عَلَیۡہِمَا مِنۡ وَّرَقِ الۡجَنَّۃِ ۫ وَ عَصٰۤی اٰدَمُ رَبَّہٗ فَغَوٰی ﴿۱۲۱﴾۪ۖ
(૧૨૧) પછી તેઓ બન્નેએ તેમાંથી ખાઇ લીધું, જેથી તેમની શર્મગાહ તેમના પર જાહેર થઇ ગઇ, અને તેઓ બન્ને જન્નતના પાંદડાં વડે પોતાના શરીર ઢાંકવા લાગ્યા, અને આદમે પોતાના પરવરદિગારની નસીહત પર અમલ કર્યો નહી (તર્કે અવલા કર્યુ), તેથી તેનું જીવન રાહતથી મહેરૂમ થયું.
قَالَ اہۡبِطَا مِنۡہَا جَمِیۡعًۢا بَعۡضُکُمۡ لِبَعۡضٍ عَدُوٌّ ۚ فَاِمَّا یَاۡتِیَنَّکُمۡ مِّنِّیۡ ہُدًی ۬ۙ فَمَنِ اتَّبَعَ ہُدَایَ فَلَا یَضِلُّ وَ لَا یَشۡقٰی ﴿۱۲۳﴾
(૧૨૩) તેણે કહ્યુ બંને ઊતરી જાવ એવી હાલતમાં કે તમારામાંથી અમુક અમુકના દુશ્મન થશે પછી મારા તરફથી હિદાયત તમારી પાસે જરૂર આવશે, જે મારી હિદાયતની તાબેદારી કરશે, તે ગુમરાહ અને દુ:ખી નહિ થાય.
اَفَلَمۡ یَہۡدِ لَہُمۡ کَمۡ اَہۡلَکۡنَا قَبۡلَہُمۡ مِّنَ الۡقُرُوۡنِ یَمۡشُوۡنَ فِیۡ مَسٰکِنِہِمۡ ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّاُولِی النُّہٰی ﴿۱۲۸﴾٪
(૧૨૮) શું આ વાત તેમની હિદાયત નથી કરતી કે તેમની અગાઉ અમોએ કેટલીએ પેઢીઓનો નાશ કરી નાખ્યો કે જેમના મકાનોમાં તેઓ ચાલે છે? બેશક અક્કલમંદો માટે તેમાં નિશાનીઓ છે.
فَاصۡبِرۡ عَلٰی مَا یَقُوۡلُوۡنَ وَ سَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ قَبۡلَ طُلُوۡعِ الشَّمۡسِ وَ قَبۡلَ غُرُوۡبِہَا ۚ وَ مِنۡ اٰنَآیِٔ الَّیۡلِ فَسَبِّحۡ وَ اَطۡرَافَ النَّہَارِ لَعَلَّکَ تَرۡضٰی ﴿۱۳۰﴾
(૧૩૦) માટે તેઓ (નાસ્તિકો) જે કાંઇ કહે છે તેના પર સબ્ર કરો, અને સૂરજ ઊગવા અને આથમવા પહેલાં તારા પરવરદિગારની તસ્બીહ અને વખાણ કરતા રહો, તથા રાતની ઘડીઓમાં અને દિવસના ભાગોમાં પણ તસ્બીહ કરો કદાચને તું ખુશ થઇ જા.
وَ لَا تَمُدَّنَّ عَیۡنَیۡکَ اِلٰی مَا مَتَّعۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡہُمۡ زَہۡرَۃَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۬ۙ لِنَفۡتِنَہُمۡ فِیۡہِ ؕ وَ رِزۡقُ رَبِّکَ خَیۡرٌ وَّ اَبۡقٰی ﴿۱۳۱﴾
(૧૩૧) અને અમોએ તેમનામાંથી અમુક લોકોને જે ચીજોથી માલામાલ કર્યા તેની તરફ આંખ ઊંચકીને ન જો, આ દુનિયાના જીવનની રોનક છે જેથી તેમાં તેઓને અજમાવીએ, અને તારા પરવરદિગારની રોઝી બહેતર અને બાકી રહેનાર છે.
وَ اۡمُرۡ اَہۡلَکَ بِالصَّلٰوۃِ وَ اصۡطَبِرۡ عَلَیۡہَا ؕ لَا نَسۡـَٔلُکَ رِزۡقًا ؕ نَحۡنُ نَرۡزُقُکَ ؕ وَ الۡعَاقِبَۃُ لِلتَّقۡوٰی ﴿۱۳۲﴾
(૧૩૨) અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર અને તેના પર સબ્ર કર; અમે તારી પાસે રોઝી નથી માંગતા, અમે તો ખુદ તને રોઝી આપીએ છીએ; અને (નેક) આકેબત (અંજામ) પરહેઝગારો માટે છે.
وَ لَوۡ اَنَّـاۤ اَہۡلَکۡنٰہُمۡ بِعَذَابٍ مِّنۡ قَبۡلِہٖ لَقَالُوۡا رَبَّنَا لَوۡ لَاۤ اَرۡسَلۡتَ اِلَیۡنَا رَسُوۡلًا فَنَتَّبِعَ اٰیٰتِکَ مِنۡ قَبۡلِ اَنۡ نَّذِلَّ وَ نَخۡزٰی ﴿۱۳۴﴾
(૧૩૪) અને જો અમો તેઓને (રસૂલના આવવા) અગાઉ નાશ કરી નાખતે તો તેઓ કહેતે કે અય અમારા પરવરદિગાર ! તેં અમારી પાસે રસૂલને કેમ ન મોકલ્યા કે જેથી અમે ઝલીલ અને રૂસવા થવા પહેલાં તારી નિશાનીઓની પૈરવી કરતે.