અલ-કુરઆન

99

Al-Zalzala

سورة الزلزلة


اِذَا زُلۡزِلَتِ الۡاَرۡضُ زِلۡزَالَہَا ۙ﴿۱﴾

(૧) જ્યારે ઝમીન સખ્ત રીતે ધ્રુજી ઊઠશે:


Read Tafsir

وَ اَخۡرَجَتِ الۡاَرۡضُ اَثۡقَالَہَا ۙ﴿۲﴾

(૨) અને પોતાનો ભાર બહાર કાઢશે:

وَ قَالَ الۡاِنۡسَانُ مَا لَہَا ۚ﴿۳﴾

(૩) અને ઈન્સાન કહેશે કે તે (ઝમીન)ને શું થઇ ગયું છે ? (કે આ રીતે ધ્રુજે છે)


Read Tafsir

یَوۡمَئِذٍ تُحَدِّثُ اَخۡبَارَہَا ۙ﴿۴﴾

(૪) તે દિવસે ઝમીન પોતાની ખબરો બયાન કરશે:

بِاَنَّ رَبَّکَ اَوۡحٰی لَہَا ؕ﴿۵﴾

(૫) કારણ કે તારા પરવરદિગારે તેને વહી કરેલ છે!

یَوۡمَئِذٍ یَّصۡدُرُ النَّاسُ اَشۡتَاتًا ۬ۙ لِّیُرَوۡا اَعۡمَالَہُمۡ ؕ﴿۶﴾

(૬) તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે!

فَمَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ خَیۡرًا یَّرَہٗ ؕ﴿۷﴾

(૭) પછી જે શખ્સે રજકણ બરાબર નેકી કરશે તેને તે નિહાળશે.

وَ مَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ شَرًّا یَّرَہٗ ٪﴿۸﴾

(૮) અને જેણે રજકણ બરાબર બદી કરશે તેને પણ તે નિહાળશે.


Read Tafsir