અલ-કુરઆન

10

Yunus

سورة يونس


الٓرٰ ۟ تِلۡکَ اٰیٰتُ الۡکِتٰبِ الۡحَکِیۡمِ ﴿۱﴾

(૧) અલિફ લામ રા; આ આયતો હિકમતવાળી કિતાબની છે.

اَکَانَ لِلنَّاسِ عَجَبًا اَنۡ اَوۡحَیۡنَاۤ اِلٰی رَجُلٍ مِّنۡہُمۡ اَنۡ اَنۡذِرِ النَّاسَ وَ بَشِّرِ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنَّ لَہُمۡ قَدَمَ صِدۡقٍ عِنۡدَ رَبِّہِمۡ ؕؔ قَالَ الۡکٰفِرُوۡنَ اِنَّ ہٰذَا لَسٰحِرٌ مُّبِیۡنٌ ﴿۲﴾

(૨) શું તમને નવાઇ લાગે છે કે અમોએ તેઓમાંથી એક માણસ તરફ વહી મોકલી કે લોકોને (ગુનાહની સજાથી) ડરાવે અને તેઓમાંથી જેઓ ઇમાન લાવ્યા છે તેમને ખુશખબર આપે કે પરવરદિગાર પાસે તેમની આગળ મોકલાવેલ નેકી છે?! (પરંતુ) નાસ્તિકો કહે છે કે બેશક આ તો જાદુગર છે.

اِنَّ رَبَّکُمُ اللّٰہُ الَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ یُدَبِّرُ الۡاَمۡرَ ؕ مَا مِنۡ شَفِیۡعٍ اِلَّا مِنۡۢ بَعۡدِ اِذۡنِہٖ ؕ ذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمۡ فَاعۡبُدُوۡہُ ؕ اَفَلَا تَذَکَّرُوۡنَ ﴿۳﴾

(૩) બેશક તમારો પરવરદિગાર એ જ અલ્લાહ છે જેણે આકાશો તથા ઝમીનને છ દિવસમાં પેદા કર્યા પછી (કુદરતના) અર્શ પર રહી મામલાઓની તદબીર કરવા લાગ્યો; તેની રજા સિવાય કોઇ શફાઅત કરનાર નથી; એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો; શું આ તમારા ઘ્યાનમાં નથી આવતુ?!

اِلَیۡہِ مَرۡجِعُکُمۡ جَمِیۡعًا ؕ وَعۡدَ اللّٰہِ حَقًّا ؕ اِنَّہٗ یَبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ لِیَجۡزِیَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ بِالۡقِسۡطِ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا لَہُمۡ شَرَابٌ مِّنۡ حَمِیۡمٍ وَّ عَذَابٌ اَلِیۡمٌۢ بِمَا کَانُوۡا یَکۡفُرُوۡنَ ﴿۴﴾

(૪) તમો સર્વેનું પાછું ફરવું તેની જ તરફ છે; અલ્લાહનો વાયદો સાચો છે; બેશક તે જ ખિલ્કતની શરૂઆત કરે છે, પછી એ જ તેને પાછા ફેરવશે કે જેથી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેમને યોગ્ય બદલો આપે; અને નાસ્તિકોના નાસ્તિકપણાને કારણે તેઓ માટે ઉકળતું પીણુ અને દર્દનાક સજા છે.

ہُوَ الَّذِیۡ جَعَلَ الشَّمۡسَ ضِیَآءً وَّ الۡقَمَرَ نُوۡرًا وَّ قَدَّرَہٗ مَنَازِلَ لِتَعۡلَمُوۡا عَدَدَ السِّنِیۡنَ وَ الۡحِسَابَ ؕ مَا خَلَقَ اللّٰہُ ذٰلِکَ اِلَّا بِالۡحَقِّ ۚ یُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّعۡلَمُوۡنَ ﴿۵﴾

(૫) જેણે સૂરજને રોશન બનાવ્યો, અને ચાંદને નૂરાની બનાવ્યો, તથા તેની (વધઘટની) જગ્યાઓ નક્કી કરી, કે જેથી તમે વર્ષોની ગણતરી તથા હિસાબ જાણો; અલ્લાહે આ બધું પૈદા નથી કર્યુ પણ હક (યોગ્ય મકસદ) સાથે, જે લોકો જાણ(વા માંગ)નાર છે તેમના માટે તે નિશાનીઓને તફસીલ (વિસ્તાર)થી બયાન કરે છે.

اِنَّ فِی اخۡتِلَافِ الَّیۡلِ وَ النَّہَارِ وَ مَا خَلَقَ اللّٰہُ فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّتَّقُوۡنَ ﴿۶﴾

(૬) બેશક રાત તથા દિવસના આવક જાવકમાં અને આકાશો તથા ઝમીનમાં અલ્લાહે જે કાંઇ પૈદા કર્યું છે તે (બધી ગુમરાહીથી) બચનાર માટે નિશાનીઓ છે.

اِنَّ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا وَ رَضُوۡا بِالۡحَیٰوۃِ الدُّنۡیَا وَ اطۡمَاَنُّوۡا بِہَا وَ الَّذِیۡنَ ہُمۡ عَنۡ اٰیٰتِنَا غٰفِلُوۡنَ ۙ﴿۷﴾

(૭) બેશક તે લોકો કે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા અને દુનિયાના જીવનથી રાજી થઇ અને તેનાથી સંતુષ્ટ થઇ ગયા અને જેઓ અમારી આયતોથી ગાફેલ છે.

اُولٰٓئِکَ مَاۡوٰىہُمُ النَّارُ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۸﴾

(૮) તેઓના આમાલના કારણે તેઓનું ઠેકાણું જહન્નમ છે.

اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ یَہۡدِیۡہِمۡ رَبُّہُمۡ بِاِیۡمَانِہِمۡ ۚ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہِمُ الۡاَنۡہٰرُ فِیۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۹﴾

(૯) બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને તેમનો પરવરદિગાર તેમના ઇમાનની રોશનીમાં નેઅમતવાળી જન્નતો તરફ હિદાયત કરશે જેમાં (મહેલો) નીચેથી નહેરો વહેતી હશે.

10

دَعۡوٰىہُمۡ فِیۡہَا سُبۡحٰنَکَ اللّٰہُمَّ وَ تَحِیَّتُہُمۡ فِیۡہَا سَلٰمٌ ۚ وَ اٰخِرُ دَعۡوٰىہُمۡ اَنِ الۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ﴿٪۱۰﴾

(૧૦) તેમાં તેઓની દુઆ હશે "અય અલ્લાહ! તું પાક છો" અને તેઓના સ્વાગતના બોલ સલામ હશે અને તેઓનો છેલ્લો બોલ આ હશે કે દરેક હમ્દ દુનિયાઓના પાલનહાર માટે જ છે.

11

وَ لَوۡ یُعَجِّلُ اللّٰہُ لِلنَّاسِ الشَّرَّ اسۡتِعۡجَالَہُمۡ بِالۡخَیۡرِ لَقُضِیَ اِلَیۡہِمۡ اَجَلُہُمۡ ؕ فَنَذَرُ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا فِیۡ طُغۡیَانِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۱۱﴾

(૧૧) અને અગર અલ્લાહ માણસો માટે બૂરાઇમાં એટલી જ ઉતાવળ કરે જેટલી કે તેઓ ભલાઇ મેળવવામાં ઉતાવળ કરે છે તો તેમની ઉમ્રની મુદૃત પૂરી કરી દેવામાં આવી હોત; પણ અમે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓને તેઓની બદમાશીમાં (આંધળાઓની જેમ) ભટકતા મૂકી દઇએ છીએ.

12

وَ اِذَا مَسَّ الۡاِنۡسَانَ الضُّرُّ دَعَانَا لِجَنۡۢبِہٖۤ اَوۡ قَاعِدًا اَوۡ قَآئِمًا ۚ فَلَمَّا کَشَفۡنَا عَنۡہُ ضُرَّہٗ مَرَّ کَاَنۡ لَّمۡ یَدۡعُنَاۤ اِلٰی ضُرٍّ مَّسَّہٗ ؕ کَذٰلِکَ زُیِّنَ لِلۡمُسۡرِفِیۡنَ مَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۱۲﴾

(૧૨) જ્યારે ઈન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પડખાંભેર અથવા બેઠા બેઠા અથવા ઊભા ઊભા પોકારવા લાગે છે; પછી જ્યારે અમે તેની મુસીબત દૂર કરી દઇએ છીએ ત્યારે એવી રીતે પસાર થઇ જાય છે જાણે કે તેણે પોતાના પર પડેલી મુસીબત દૂર કરવા માટે અમને પોકાર્યા જ ન હોય; આવી જ રીતે ઇસરાફ કરનારાઓ માટે તેઓ જે અમલ કર્યા કરે છે તે સુશોભિત બનાવી દેવામાં આવ્યા છે.

13

وَ لَقَدۡ اَہۡلَکۡنَا الۡقُرُوۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَمَّا ظَلَمُوۡا ۙ وَ جَآءَتۡہُمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ وَ مَا کَانُوۡا لِیُؤۡمِنُوۡا ؕ کَذٰلِکَ نَجۡزِی الۡقَوۡمَ الۡمُجۡرِمِیۡنَ ﴿۱۳﴾

(૧૩) અને ખરેખર અમોએ તમારી પહેલા ઘણી કોમોનો નાશ કરી નાખ્યો કારણ કે તેમણે ઝુલ્મ કર્યો; જો કે તેમના રસૂલ તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા હતા, પરંતુ તેઓ ઇમાન જ ન લાવ્યા; ગુનેહગાર કોમને અમે આ જ પ્રમાણે બદલો આપીએે છીએ.

14

ثُمَّ جَعَلۡنٰکُمۡ خَلٰٓئِفَ فِی الۡاَرۡضِ مِنۡۢ بَعۡدِہِمۡ لِنَنۡظُرَ کَیۡفَ تَعۡمَلُوۡنَ ﴿۱۴﴾

(૧૪) પછી અમોએ તેમના બાદ ઝમીન ઉપર તમને તેઓના વારસદાર બનાવ્યા કે જેથી તમે કેવાં આમાલ કરો છો તે અમે જોઇએ!

15

وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیَاتُنَا بَیِّنٰتٍ ۙ قَالَ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا ائۡتِ بِقُرۡاٰنٍ غَیۡرِ ہٰذَاۤ اَوۡ بَدِّلۡہُ ؕ قُلۡ مَا یَکُوۡنُ لِیۡۤ اَنۡ اُبَدِّلَہٗ مِنۡ تِلۡقَآیِٔ نَفۡسِیۡ ۚ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا یُوۡحٰۤی اِلَیَّ ۚ اِنِّیۡۤ اَخَافُ اِنۡ عَصَیۡتُ رَبِّیۡ عَذَابَ یَوۡمٍ عَظِیۡمٍ ﴿۱۵﴾

(૧૫) અને જ્યારે તે લોકો પાસે અમારી વાઝેહ આયતો પઢવામાં આવે છે ત્યારે જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ નથી રાખતા તેઓ કહે છે કે આ સિવાય બીજું કુરઆન લઇ આવ અથવા આને બદલી નાખ; "તું કહે કે મને હક નથી કે હું તેને મારી મેળે બદલી નાખું, હું ફકત તેની જ પૈરવી કરૂં છું કે જે મારી તરફ વહી કરવામાં આવે છે, બેશક જો હું મારા પરવરદિગારની નાફરમાની કરૂં, મહાન દિવસના અઝાબથી ડરૂ છું."

16

قُلۡ لَّوۡ شَآءَ اللّٰہُ مَا تَلَوۡتُہٗ عَلَیۡکُمۡ وَ لَاۤ اَدۡرٰىکُمۡ بِہٖ ۫ۖ فَقَدۡ لَبِثۡتُ فِیۡکُمۡ عُمُرًا مِّنۡ قَبۡلِہٖ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۱۶﴾

(૧૬) તું કહે કે "અગર અલ્લાહ ચાહતે તો હું તમારા સામે તેની તિલાવત કરત નહી અને ન તમને તેની જાણકારી આપત, ખરેખર આ પહેલાં હું તમારી સાથે રહી જીવન વિતાવતો હતો (છતાંપણ કોઇ આયત લાવ્યો ન હતો) શું તમે વિચારતા નથી?!"

17

فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ کَذِبًا اَوۡ کَذَّبَ بِاٰیٰتِہٖ ؕ اِنَّہٗ لَا یُفۡلِحُ الۡمُجۡرِمُوۡنَ ﴿۱۷﴾

(૧૭) તો પછી એના કરતાં વધુ ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહની ખિલાફ જૂઠ ઘડી કાઢે અથવા તેની આયતોને જૂઠલાવે? બેશક તે મુજરીમો નજાત હાંસિલ કરનાર નથી.

18

وَ یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَضُرُّہُمۡ وَ لَا یَنۡفَعُہُمۡ وَ یَقُوۡلُوۡنَ ہٰۤؤُلَآءِ شُفَعَآؤُنَا عِنۡدَ اللّٰہِ ؕ قُلۡ اَتُنَبِّـُٔوۡنَ اللّٰہَ بِمَا لَا یَعۡلَمُ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الۡاَرۡضِ ؕ سُبۡحٰنَہٗ وَ تَعٰلٰی عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۱۸﴾

(૧૮) તેઓ અલ્લાહ સિવાય એવાની ઇબાદત કરે છે કે જે તેમને ન કંઇ નુકસાન પહોંચાડી શકે છે ન કંઇ ફાયદો પહોંચાડી શકે છે અને તેઓ કહે છે કે તે (ખોટા ખુદા)ઓ અલ્લાહ પાસે અમારી શફાઅત કરનારા છે. શું તમે (એવું ગુમાન કરો છો કે) અલ્લાહને આસમાનો અને ઝમીનની એ વાતો જણાવી દો કે જે તે (અલ્લાહ) જાણતો નથી. જે (વસ્તુઓ)ને તેઓ તેના શરીક બનાવે છે તેનાથી તે પાક અને મહાન છે.

19

وَ مَا کَانَ النَّاسُ اِلَّاۤ اُمَّۃً وَّاحِدَۃً فَاخۡتَلَفُوۡا ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَقُضِیَ بَیۡنَہُمۡ فِیۡمَا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۱۹﴾

(૧૯) (શરૂઆતમાં) લોકોની એક જ ઉમ્મત હતી, પછી (આપસમાં) મતભેદ કર્યો; અને અગર તારા પરવરદિગાર તરફથી (ગુનેહગારોને જલ્દી સજા ન કરવાનો) કલામ ન હોત તો જે બાબતમાં તેઓ મતભેદ કર્યા કરે છે તેમાં તેમની વચ્ચે ફેંસલો થઇ ચૂક્યો હોત.

20

وَ یَقُوۡلُوۡنَ لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡہِ اٰیَۃٌ مِّنۡ رَّبِّہٖ ۚ فَقُلۡ اِنَّمَا الۡغَیۡبُ لِلّٰہِ فَانۡتَظِرُوۡا ۚ اِنِّیۡ مَعَکُمۡ مِّنَ الۡمُنۡتَظِرِیۡنَ ﴿٪۲۰﴾

(૨૦) અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર (ઇચ્છા મુજબની) કોઇ નિશાની કેમ નાઝિલ થતી નથી? તો પછી (અય રસૂલ!) તું કહે કે ગૈબ અલ્લાહ માટે જ છે માટે તમે રાહ જૂઓ. બેશક હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું.

21

وَ اِذَاۤ اَذَقۡنَا النَّاسَ رَحۡمَۃً مِّنۡۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡہُمۡ اِذَا لَہُمۡ مَّکۡرٌ فِیۡۤ اٰیَاتِنَا ؕ قُلِ اللّٰہُ اَسۡرَعُ مَکۡرًا ؕ اِنَّ رُسُلَنَا یَکۡتُبُوۡنَ مَا تَمۡکُرُوۡنَ ﴿۲۱﴾

(૨૧) અને જ્યારે અમે લોકોને તેમના પર તકલીફ પડી ચૂક્યા બાદ (અમારી) રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેઓ તરત જ અમારી આયતોમાં મક્ર (અયોગ્ય અર્થઘટન) કરવા લાગે છે. (અય રસૂલ !) તું કહે કે મક્ર(નો જવાબ આપવા)માં અલ્લાહ સૌથી વધુ ઝડપી છે; બેશક અમારા મોકલેલ (ફરિશ્તાઓ) જે ફરેબ (ધોકો) તમે કરો છો તે લખતા જાય છે.

22

ہُوَ الَّذِیۡ یُسَیِّرُکُمۡ فِی الۡبَرِّ وَ الۡبَحۡرِ ؕ حَتّٰۤی اِذَا کُنۡتُمۡ فِی الۡفُلۡکِ ۚ وَ جَرَیۡنَ بِہِمۡ بِرِیۡحٍ طَیِّبَۃٍ وَّ فَرِحُوۡا بِہَا جَآءَتۡہَا رِیۡحٌ عَاصِفٌ وَّ جَآءَہُمُ الۡمَوۡجُ مِنۡ کُلِّ مَکَانٍ وَّ ظَنُّوۡۤا اَنَّہُمۡ اُحِیۡطَ بِہِمۡ ۙ دَعَوُا اللّٰہَ مُخۡلِصِیۡنَ لَہُ الدِّیۡنَ ۬ۚ لَئِنۡ اَنۡجَیۡتَنَا مِنۡ ہٰذِہٖ لَنَکُوۡنَنَّ مِنَ الشّٰکِرِیۡنَ ﴿۲۲﴾

(૨૨) જે તમને ખુશ્કી તથા દરિયામાં સૈર કરાવે છે; અહીં સુધી કે જ્યારે તમે વહાણોમાં સવાર હોવ ત્યારે સારી (અનુકૂળ) હવા તેઓને લઇને ચાલે છે, અને તેઓ આ બાબતથી ઘણાજ ખુશ થાય છે ત્યાં (અચાનક) એક સખત વાવાઝોડું આવે છે, અને દરેક દિશામાંથી તેમની ઉપર મોજાં આવી પડે છે, અને (તે વખતે) તેઓને ગુમાન થાય છે કે તેઓ મુકમ્મલ રીતે ઘેરાઇ ગયા છે, ત્યારે નિખાલસ દીનની સાથે અલ્લાહ પાસે દુઆ માંગે છે કે જો તું અમને આનાથી બચાવી લેશે તો અમે ખરેખર શુક્ર કરનારાઓમાંના થઇ જઇશું.

23

فَلَمَّاۤ اَنۡجٰہُمۡ اِذَا ہُمۡ یَبۡغُوۡنَ فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ ؕ یٰۤاَیُّہَا النَّاسُ اِنَّمَا بَغۡیُکُمۡ عَلٰۤی اَنۡفُسِکُمۡ ۙ مَّتَاعَ الۡحَیٰوۃِ الدُّنۡیَا ۫ ثُمَّ اِلَیۡنَا مَرۡجِعُکُمۡ فَنُنَبِّئُکُمۡ بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۲۳﴾

(૨૩) પછી જ્યારે તેમને બચાવી લે છે ત્યારે તેઓ ઝમીન ઉપર નાહક ઝુલ્મ કરવા લાગે છે; અય લોકો! તમારો ઝુલ્મ તમારા માટે નુકસાનકારક છે, (આ ફકત) દુનિયાની ઝિંદગીનો ફાયદો છે, પછી તમારૂં પાછું ફરવું અમારી તરફ છે અને તમે જે આમાલ કર્યા કરતા હતા તે અમે તમને જણાવી દઇશું.

24

اِنَّمَا مَثَلُ الۡحَیٰوۃِ الدُّنۡیَا کَمَآءٍ اَنۡزَلۡنٰہُ مِنَ السَّمَآءِ فَاخۡتَلَطَ بِہٖ نَبَاتُ الۡاَرۡضِ مِمَّا یَاۡکُلُ النَّاسُ وَ الۡاَنۡعَامُ ؕ حَتّٰۤی اِذَاۤ اَخَذَتِ الۡاَرۡضُ زُخۡرُفَہَا وَ ازَّیَّنَتۡ وَ ظَنَّ اَہۡلُہَاۤ اَنَّہُمۡ قٰدِرُوۡنَ عَلَیۡہَاۤ ۙ اَتٰہَاۤ اَمۡرُنَا لَیۡلًا اَوۡ نَہَارًا فَجَعَلۡنٰہَا حَصِیۡدًا کَاَنۡ لَّمۡ تَغۡنَ بِالۡاَمۡسِ ؕ کَذٰلِکَ نُفَصِّلُ الۡاٰیٰتِ لِقَوۡمٍ یَّتَفَکَّرُوۡنَ ﴿۲۴﴾

(૨૪) દુન્યવી જીવનની મિસાલ આસમાનથી નાઝિલ થયેલ પાણી જેવી છે જે ઇન્સાન અને જાનવરના ખોરાકની વનસ્પતિઓમાં ભળી જઇ (તેને પોષણ આપે છે) એટલે સુધી કે સુશોભિત થઇ ઝમીનને શણગારે છે અને તેના અહેલ (માલિકો) ગુમાન કરે છે કે પાક ઉપર તેઓનો જ કબજો છે (ત્યાં અચાનક) રાતે અથવા દિવસના અમારો હુકમ (અઝાબ) આવી પહોંચે છે પછી તે (પાક)ને એવી રીતે કાપી નાખીએ છીએ કે જાણે ગઇકાલે પાક હતો જ નહી. વિચાર કરનારા લોકો માટે અમારી આયતો આવી જ રીતે વિગતવાર બયાન કરીએ છીએ.

25

وَ اللّٰہُ یَدۡعُوۡۤا اِلٰی دَارِ السَّلٰمِ ؕ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ اِلٰی صِرَاطٍ مُّسۡتَقِیۡمٍ ﴿۲۵﴾

(૨૫) અને અલ્લાહ સલામતીના ઘર તરફ બોલાવે છે, અને જેને ચાહે (યોગ્ય સમજે) છે તેને સેરાતે મુસ્તકીમ (સીધી રાહ) તરફ હિદાયત કરે છે.

26

لِلَّذِیۡنَ اَحۡسَنُوا الۡحُسۡنٰی وَ زِیَادَۃٌ ؕ وَ لَا یَرۡہَقُ وُجُوۡہَہُمۡ قَتَرٌ وَّ لَا ذِلَّۃٌ ؕ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۶﴾

(૨૬) જે લોકોએ નેકી કરી તેમના માટે નેક બદલો છે, અને (તેમાં) વધારો પણ; તેમના ચહેરાઓ પર ન અંધકાર હશે ન ઝિલ્લત; તેઓ જન્નતવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

27

وَ الَّذِیۡنَ کَسَبُوا السَّیِّاٰتِ جَزَآءُ سَیِّئَۃٍۭ بِمِثۡلِہَا ۙ وَ تَرۡہَقُہُمۡ ذِلَّۃٌ ؕ مَا لَہُمۡ مِّنَ اللّٰہِ مِنۡ عَاصِمٍ ۚ کَاَنَّمَاۤ اُغۡشِیَتۡ وُجُوۡہُہُمۡ قِطَعًا مِّنَ الَّیۡلِ مُظۡلِمًا ؕ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۲۷﴾

(૨૭) અને જે લોકોએ બૂરા કામો કર્યા, તે બૂરાઇનો બદલો તેવો જ હશે, તેમના ચહેરા ઉપર ઝિલ્લત હશે; અલ્લાહથી તેમને બચાવનાર કોઇ ન હશે, જાણે કે તેમના ચહેરાઓ પર કાળી અંધારી રાતનો પરદો નાખી દેવામાં આવ્યો હશે; તેઓ જહન્નમવાસીઓ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

28

وَ یَوۡمَ نَحۡشُرُہُمۡ جَمِیۡعًا ثُمَّ نَقُوۡلُ لِلَّذِیۡنَ اَشۡرَکُوۡا مَکَانَکُمۡ اَنۡتُمۡ وَ شُرَکَآؤُکُمۡ ۚ فَزَیَّلۡنَا بَیۡنَہُمۡ وَ قَالَ شُرَکَآؤُہُمۡ مَّا کُنۡتُمۡ اِیَّانَا تَعۡبُدُوۡنَ ﴿۲۸﴾

(૨૮) અને તે દિવસે કે જ્યારે અમે તે બધાને ભેગા કરશું પછી જેઓ શિર્ક કરતા હતા તેમને કહીશું કે તમે તથા તમારા શરીકો પોત પોતાની જગ્યાએ રહો, પછી (હિસાબ માટે) અમે તેમની વચ્ચે જુદાઇ નાખશું, અને તેમના શરીકો (તેઓને) કહેશે કે તમે અમારી ઇબાદત કરતા ન હતા.

29

فَکَفٰی بِاللّٰہِ شَہِیۡدًۢا بَیۡنَنَا وَ بَیۡنَکُمۡ اِنۡ کُنَّا عَنۡ عِبَادَتِکُمۡ لَغٰفِلِیۡنَ ﴿۲۹﴾

(૨૯) બસ અમારી અને તમારી વચ્ચે અલ્લાહ ગવાહી માટે કાફી છે કે અમે તમારી ઇબાદતથી તદ્દન ગાફિલ હતા.

30

ہُنَالِکَ تَبۡلُوۡا کُلُّ نَفۡسٍ مَّاۤ اَسۡلَفَتۡ وَ رُدُّوۡۤا اِلَی اللّٰہِ مَوۡلٰىہُمُ الۡحَقِّ وَ ضَلَّ عَنۡہُمۡ مَّا کَانُوۡا یَفۡتَرُوۡنَ ﴿٪۳۰﴾

(૩૦) તે વખતે દરેક પોતાના અગાઉ અંજામ આપેલા આમાલ અજમાવશે અને તેઓને તેમના હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશે અને જે કાંઇ તેઓએ જૂઠા શરીકો બનાવ્યા હતા તે તેમનાથી દૂર થઇ જશે.

31

قُلۡ مَنۡ یَّرۡزُقُکُمۡ مِّنَ السَّمَآءِ وَ الۡاَرۡضِ اَمَّنۡ یَّمۡلِکُ السَّمۡعَ وَ الۡاَبۡصَارَ وَ مَنۡ یُّخۡرِجُ الۡحَیَّ مِنَ الۡمَیِّتِ وَ یُخۡرِجُ الۡمَیِّتَ مِنَ الۡحَیِّ وَ مَنۡ یُّدَبِّرُ الۡاَمۡرَ ؕ فَسَیَقُوۡلُوۡنَ اللّٰہُ ۚ فَقُلۡ اَفَلَا تَتَّقُوۡنَ ﴿۳۱﴾

(૩૧) તું કહે કે આસમાન અને ઝમીનમાંથી તમને રોઝી કોણ આપે છે; અથવા (તમારા) સાંભળવા કે જોવા ઉપર કોનો કાબૂ છે? અને કોણ છે કે જે નિર્જીવમાંથી સજીવને કાઢે છે સજીવમાંથી નિર્જીવને કાઢે છે? અને તે કોણ છે જે મામલાઓની તદબીર કરે છે? તો તેઓ કહેશે કે "અલ્લાહ"; માટે તું સવાલ કર શા માટે તમે (શિર્કથી) બચતા નથી?

32

فَذٰلِکُمُ اللّٰہُ رَبُّکُمُ الۡحَقُّ ۚ فَمَا ذَا بَعۡدَ الۡحَقِّ اِلَّا الضَّلٰلُ ۚۖ فَاَنّٰی تُصۡرَفُوۡنَ ﴿۳۲﴾

(૩૨) બસ એજ અલ્લાહ તમારો સાચો પરવરદિગાર છે; હક પછી ગુમરાહી સિવાય શું છે ? પછી શા માટે (હકથી) ફરી જાવ છો?

33

کَذٰلِکَ حَقَّتۡ کَلِمَتُ رَبِّکَ عَلَی الَّذِیۡنَ فَسَقُوۡۤا اَنَّہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۳۳﴾

(૩૩) આ રીતે તારા પરવરદિગારનો કોલ જે લોકો નાફરમાની કરે છે તેમની ખિલાફ સાબિત થઇ ગયો કે તેઓ હરગિઝ ઇમાન લાવશે નહી!

34

قُلۡ ہَلۡ مِنۡ شُرَکَآئِکُمۡ مَّنۡ یَّبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ ؕ قُلِ اللّٰہُ یَبۡدَؤُا الۡخَلۡقَ ثُمَّ یُعِیۡدُہٗ فَاَنّٰی تُؤۡفَکُوۡنَ ﴿۳۴﴾

(૩૪) તું કહે કે શું તમારા શરીકોમાંથી કોણ એવો છે કે જે ખિલ્કતની શરૂઆત કરે, પછી તેને પાછા પણ પલટાવે? (અને પછી) તું કહે કે અલ્લાહ જ ખિલ્કતની શરૂઆત કરે છે તથા તેને પાછા પલટાવે છે, પછી શા માટે તમે (હકથી) ફરી જાઓ છો?

35

قُلۡ ہَلۡ مِنۡ شُرَکَآئِکُمۡ مَّنۡ یَّہۡدِیۡۤ اِلَی الۡحَقِّ ؕ قُلِ اللّٰہُ یَہۡدِیۡ لِلۡحَقِّ ؕ اَفَمَنۡ یَّہۡدِیۡۤ اِلَی الۡحَقِّ اَحَقُّ اَنۡ یُّتَّبَعَ اَمَّنۡ لَّا یَہِدِّیۡۤ اِلَّاۤ اَنۡ یُّہۡدٰی ۚ فَمَا لَکُمۡ ۟ کَیۡفَ تَحۡکُمُوۡنَ ﴿۳۵﴾

(૩૫) તું કહે કે તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે હક તરફ હિદાયત કરે? તું કહે કે અલ્લાહ હક તરફ હિદાયત કરે છે. શું જે હક તરફ હિદાયત કરે તે તાબેદારી કરવાનો વધુ હકદાર છે ? અથવા જેની કોઇ હિદાયત ન કરે ત્યાં સુધી તેની હિદાયત ન થાય? તમને શું થઇ ગયું છે, કેવી રીતે ફેસલો કરો છો?

36

وَ مَا یَتَّبِعُ اَکۡثَرُہُمۡ اِلَّا ظَنًّا ؕ اِنَّ الظَّنَّ لَا یُغۡنِیۡ مِنَ الۡحَقِّ شَیۡئًا ؕ اِنَّ اللّٰہَ عَلِیۡمٌۢ بِمَا یَفۡعَلُوۡنَ ﴿۳۶﴾

(૩૬) અને તેઓમાંથી ઘણાખરા (નામુનાસિબ) ગુમાન સિવાયની તાબેદારી કરતા નથી; બેશક ગુમાન હકથી બેનિયાઝ કરી શકતુ નથી; ખરેખર જે પણ કાંઇ તેઓ કરે છે તેને અલ્લાહ જાણે છે.

37

وَ مَا کَانَ ہٰذَا الۡقُرۡاٰنُ اَنۡ یُّفۡتَرٰی مِنۡ دُوۡنِ اللّٰہِ وَ لٰکِنۡ تَصۡدِیۡقَ الَّذِیۡ بَیۡنَ یَدَیۡہِ وَ تَفۡصِیۡلَ الۡکِتٰبِ لَا رَیۡبَ فِیۡہِ مِنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۟۳۷﴾

(૩૭) અને એવું નથી કે આ કુરઆન અલ્લાહ સિવાય બીજો કોઇએ ઘડી કાઢેલ હોય બલ્કે તેમાં પહેલાની કિતાબોની સચ્ચાઇની સાબિતી અને તફસીલ છે, જેમાં કોઇ જાતનો શક નથી, કે જહાનોના પરવરદિગાર તરફથી છે.

38

اَمۡ یَقُوۡلُوۡنَ افۡتَرٰىہُ ؕ قُلۡ فَاۡتُوۡا بِسُوۡرَۃٍ مِّثۡلِہٖ وَ ادۡعُوۡا مَنِ اسۡتَطَعۡتُمۡ مِّنۡ دُوۡنِ اللّٰہِ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۳۸﴾

(૩૮) અથવા શું તેઓ એમ કહે છે કે તે (રસૂલ સ.અ.વ.)એ જૂઠી નિસ્બત આપી છે? તું કહે કે જો તમે સાચા હોવ તો અલ્લાહ સિવાય જેને બોલાવી શકતા હોવ તેમને (મદદ માટે) બોલાવીને આની જેવો એક સૂરો લાવો.

39

بَلۡ کَذَّبُوۡا بِمَا لَمۡ یُحِیۡطُوۡا بِعِلۡمِہٖ وَ لَمَّا یَاۡتِہِمۡ تَاۡوِیۡلُہٗ ؕ کَذٰلِکَ کَذَّبَ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الظّٰلِمِیۡنَ ﴿۳۹﴾

(૩૯) બલ્કે તેઓ પાસે જેનું મુકમ્મલ (સંપૂર્ણ) ઇલ્મ નથી અને જેની હકીકત રોશન નથી થઇ, તેને જૂઠલાવે છે, આવી રીતે તેઓની અગાઉના લોકોએ જૂઠલાવ્યું હતુ પછી જૂઓ ઝાલિમોનો અંજામ કેવો હતો!

40

وَ مِنۡہُمۡ مَّنۡ یُّؤۡمِنُ بِہٖ وَ مِنۡہُمۡ مَّنۡ لَّا یُؤۡمِنُ بِہٖ ؕ وَ رَبُّکَ اَعۡلَمُ بِالۡمُفۡسِدِیۡنَ ﴿٪۴۰﴾

(૪૦) અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખે છે અને તેઓમાંથી અમુક લોકો તેના પર ઇમાન રાખતા નથી; અને તારો પરવરદિગાર ફસાદ કરનારાઓને સારી રીતે જાણે છે.

41

وَ اِنۡ کَذَّبُوۡکَ فَقُلۡ لِّیۡ عَمَلِیۡ وَ لَکُمۡ عَمَلُکُمۡ ۚ اَنۡتُمۡ بَرِیۡٓـــُٔوۡنَ مِمَّاۤ اَعۡمَلُ وَ اَنَا بَرِیۡٓءٌ مِّمَّا تَعۡمَلُوۡنَ ﴿۴۱﴾

(૪૧) અને અગર તેઓ તને જૂઠલાવે તો તું કહે કે મારા અમલ મારા માટે અને તમારા અમલ તમારા માટે છે. હું જે કાંઇ કરૂ છુ તેનાથી તમે બેઝાર છો અને તમે જે કાંઇ કરો છો તેનાથી હુ બેઝાર છું.

42

وَ مِنۡہُمۡ مَّنۡ یَّسۡتَمِعُوۡنَ اِلَیۡکَ ؕ اَفَاَنۡتَ تُسۡمِعُ الصُّمَّ وَ لَوۡ کَانُوۡا لَا یَعۡقِلُوۡنَ ﴿۴۲﴾

(૪૨) અને તેઓમાંથી અમુક એવા છે કે જેઓ તારી તરફ (કાન દઇને) ઘ્યાનથી સાંભળે છે; પણ (તેઓ બહેરા છે) શું તું બહેરાઓને સંભળાવી શકે છો ભલે પછી તેઓ ન સમજે ?!

43

وَ مِنۡہُمۡ مَّنۡ یَّنۡظُرُ اِلَیۡکَ ؕ اَفَاَنۡتَ تَہۡدِی الۡعُمۡیَ وَ لَوۡ کَانُوۡا لَا یُبۡصِرُوۡنَ ﴿۴۳﴾

(૪૩) અને તેઓમાં અમુક એવા છે કે જે તારી તરફ ઘ્યાનથી જૂએ છે; (પણ તેઓ આંધળા છે) તો શું તું આંધળાઓને હિદાયત કરી શકે છે ભલે પછી તેઓ (હકીકત) જોતા ન હોય ?!

44

اِنَّ اللّٰہَ لَا یَظۡلِمُ النَّاسَ شَیۡئًا وَّ لٰکِنَّ النَّاسَ اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۴۴﴾

(૪૪) બેશક અલ્લાહ લોકો પર કાંઇ પણ ઝુલ્મ કરતો નથી પણ લોકો પોતે જ પોતાના નફસો પર ઝુલ્મ કરે છે.

45

وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ کَاَنۡ لَّمۡ یَلۡبَثُوۡۤا اِلَّا سَاعَۃً مِّنَ النَّہَارِ یَتَعَارَفُوۡنَ بَیۡنَہُمۡ ؕ قَدۡ خَسِرَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِلِقَآءِ اللّٰہِ وَ مَا کَانُوۡا مُہۡتَدِیۡنَ ﴿۴۵﴾

(૪૫) અને જે દિવસે તેઓને મહેશૂર કરવામાં આવશે ત્યારે એવું લાગશે કે જાણે તેઓ (દુનિયામાં) દિવસના એક કલાકથી વધુ રહ્યા નથી, તેઓ આપસમાં એક બીજાને ઓળખશે; જેઓ અલ્લાહની મુલાકાતને જૂઠલાવતા હતા તેઓ નુકસાનમાં રહ્યા, અને તેઓ હિદાયત ન પામ્યા.

46

وَ اِمَّا نُرِیَنَّکَ بَعۡضَ الَّذِیۡ نَعِدُہُمۡ اَوۡ نَتَوَفَّیَنَّکَ فَاِلَیۡنَا مَرۡجِعُہُمۡ ثُمَّ اللّٰہُ شَہِیۡدٌ عَلٰی مَا یَفۡعَلُوۡنَ ﴿۴۶﴾

(૪૬) અગર અમે તને જે (અઝાબ)નો વાયદો કર્યો છે તે (અઝાબ નાઝિલ) કરી દેખાડીએ અથવા (તે પહેલા) તને દુનિયાથી ઉઠાવી લઇએ તો પણ તેઓનું પાછું ફરવું અમારી જ તરફ છે અને તેઓ જે કાંઇ કરે છે તેનો અલ્લાહ ગવાહ છે.

47

وَ لِکُلِّ اُمَّۃٍ رَّسُوۡلٌ ۚ فَاِذَا جَآءَ رَسُوۡلُہُمۡ قُضِیَ بَیۡنَہُمۡ بِالۡقِسۡطِ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۴۷﴾

(૪૭) અને દરેક ઉમ્મત માટે એક રસૂલ છે, પછી જ્યારે તેમના રસૂલ આવશે ત્યારે તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે, અને તેમની સાથે ઝુલ્મ કરવામાં નહી આવે.

48

وَ یَقُوۡلُوۡنَ مَتٰی ہٰذَا الۡوَعۡدُ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۴۸﴾

(૪૮) અને તેઓ કહે છે કે અગર તમે સાચા હોવ તો (બતાવો) આ (અઝાબનો) વાયદો ક્્યારનો છે?

49

قُلۡ لَّاۤ اَمۡلِکُ لِنَفۡسِیۡ ضَرًّا وَّ لَا نَفۡعًا اِلَّا مَا شَآءَ اللّٰہُ ؕ لِکُلِّ اُمَّۃٍ اَجَلٌ ؕ اِذَا جَآءَ اَجَلُہُمۡ فَلَا یَسۡتَاۡخِرُوۡنَ سَاعَۃً وَّ لَا یَسۡتَقۡدِمُوۡنَ ﴿۴۹﴾

(૪૯) તું કહે કે હું મારા પોતાના માટે નફા નુકસાનનો માલિક નથી, સિવાય કે જે અલ્લાહ ચાહે; દરેક ઉમ્મત માટે એક સમય નક્કી થયેલ છે; જ્યારે તેમનો મુકર્રર કરેલો સમય આવી જશે ત્યારે તેમાં ઘડીભર પણ મોડું કે વહેલું થતુ નથી.

50

قُلۡ اَرَءَیۡتُمۡ اِنۡ اَتٰىکُمۡ عَذَابُہٗ بَیَاتًا اَوۡ نَہَارًا مَّاذَا یَسۡتَعۡجِلُ مِنۡہُ الۡمُجۡرِمُوۡنَ ﴿۵۰﴾

(૫૦) તું કહે કે જો તમે જોવ કે તેનો અઝાબ તમારા પર રાતે કે દિવસે આવી પડશે (ત્યારે કેવી રીતે બચી શકશો) પછી મુજરીમો તે (અઝાબ)ની શા માટે ઉતાવળ કરે છે?!

51

اَثُمَّ اِذَا مَا وَقَعَ اٰمَنۡتُمۡ بِہٖ ؕ آٰلۡـٰٔنَ وَ قَدۡ کُنۡتُمۡ بِہٖ تَسۡتَعۡجِلُوۡنَ ﴿۵۱﴾

(૫૧) અથવા શું જયારે તે (અઝાબ) આવી જશે, ત્યારે તમે ઇમાન લાવશો? (પછી તમને કહેવામાં આવશે) અત્યારે (ઇમાન લાવવાનો શું ફાયદો) જયારે કે (અગાઉ) તમે તે (અઝાબ)ની ઉતાવળ કરતા હતા!

52

ثُمَّ قِیۡلَ لِلَّذِیۡنَ ظَلَمُوۡا ذُوۡقُوۡا عَذَابَ الۡخُلۡدِ ۚ ہَلۡ تُجۡزَوۡنَ اِلَّا بِمَا کُنۡتُمۡ تَکۡسِبُوۡنَ ﴿۵۲﴾

(૫૨) પછી તે વખતે જેઓએ ઝુલ્મ કર્યો હશે તેમને કહેવામાં આવશે કે હંમેશનો અઝાબ ચાખો; શું તમે જે કાંઇ આમાલ કરતા હતા તે સિવાય તમને સજા આપવામાં આવે?!

53

وَ یَسۡتَنۡۢبِئُوۡنَکَ اَحَقٌّ ہُوَ ؕؔ قُلۡ اِیۡ وَ رَبِّیۡۤ اِنَّہٗ لَحَقٌّ ۚؕؔ وَ مَاۤ اَنۡتُمۡ بِمُعۡجِزِیۡنَ ﴿٪۵۳﴾

(૫૩) અને તેઓ તને પૂછે છે કે શું આ (અઝાબનો વાયદો) સાચો છે? તું કહે કે હા, મારા પરવરદિગારની કસમ! તે ખરેખર સાચો છે; અને તમે અલ્લાહને આજીઝ કરી નહિ શકો.

54

وَ لَوۡ اَنَّ لِکُلِّ نَفۡسٍ ظَلَمَتۡ مَا فِی الۡاَرۡضِ لَافۡتَدَتۡ بِہٖ ؕ وَ اَسَرُّوا النَّدَامَۃَ لَمَّا رَاَوُا الۡعَذَابَ ۚ وَ قُضِیَ بَیۡنَہُمۡ بِالۡقِسۡطِ وَ ہُمۡ لَا یُظۡلَمُوۡنَ ﴿۵۴﴾

(૫૪) અને અગર દરેક ઝાલિમ શખ્સ ઝમીનમાં જે કાંઇ છે (તેનો માલિક હોત તો) તે (અઝાબથી બચવા)ના બદલામાં આપી દેત; અને જે વખતે તેઓ અઝાબને સામે જોશે ત્યારે અફસોસને છુપાવશે, અને તેમની વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં આવશે નહિ.

55

اَلَاۤ اِنَّ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ اَلَاۤ اِنَّ وَعۡدَ اللّٰہِ حَقٌّ وَّ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۵۵﴾

(૫૫) જાણી લો કે! આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું છે (અને) જાણી લો કે બેશક અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા જાણતા નથી.

56

ہُوَ یُحۡیٖ وَ یُمِیۡتُ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۵۶﴾

(૫૬) તે જ જીવંત કરે છે અને મૌત આપે છે અને તેનીજ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.

57

یٰۤاَیُّہَا النَّاسُ قَدۡ جَآءَتۡکُمۡ مَّوۡعِظَۃٌ مِّنۡ رَّبِّکُمۡ وَ شِفَآءٌ لِّمَا فِی الصُّدُوۡرِ ۬ۙ وَ ہُدًی وَّ رَحۡمَۃٌ لِّلۡمُؤۡمِنِیۡنَ ﴿۵۷﴾

(૫૭) અય લોકો! તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી નસીહત આવી ચૂકી છે અને દિલોમાં જે કાંઇ (ખરાબી તથા બીમારી) છે તેની શફા; અને મોઅમીનો માટે હિદાયત તથા રહેમત છે.

58

قُلۡ بِفَضۡلِ اللّٰہِ وَ بِرَحۡمَتِہٖ فَبِذٰلِکَ فَلۡیَفۡرَحُوۡا ؕ ہُوَ خَیۡرٌ مِّمَّا یَجۡمَعُوۡنَ ﴿۵۸﴾

(૫૮) તું કહે કે (આ કુરઆન) અલ્લાહના ફઝલ તથા તેની રહેમતથી છે માટે તેઓએ તેનાથી ખુશ થવું જોઇએ કારણકે તેઓ જે કાંઇ ભેગું કરે છે તેનાથી તે ઘણું બહેતર છે.

59

قُلۡ اَرَءَیۡتُمۡ مَّاۤ اَنۡزَلَ اللّٰہُ لَکُمۡ مِّنۡ رِّزۡقٍ فَجَعَلۡتُمۡ مِّنۡہُ حَرَامًا وَّ حَلٰلًا ؕ قُلۡ آٰللّٰہُ اَذِنَ لَکُمۡ اَمۡ عَلَی اللّٰہِ تَفۡتَرُوۡنَ ﴿۵۹﴾

(૫૯) તું કહે કે જોવ કે અલ્લાહે જે કાંઇ રોઝી તમારા માટે નાઝિલ કરી છે, તેમાંથી અમુક (ચીઝો)ને હરામ કરો છો અને અમુક (ચીઝો)ને હલાલ કરો છો. કહે કે શું અલ્લાહે તેની તમને ઇજાઝત આપી છે અથવા તમે અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપો છો?

60

وَ مَا ظَنُّ الَّذِیۡنَ یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ یَوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِنَّ اللّٰہَ لَذُوۡ فَضۡلٍ عَلَی النَّاسِ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَشۡکُرُوۡنَ ﴿٪۶۰﴾

(૬૦) અને જે લોકો અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કયામતના દિવસ(ની સજા) બાબતે શું વિચારે છે? બેશક અલ્લાહ લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાખરા શુક્રગુઝાર નથી.

61

وَ مَا تَکُوۡنُ فِیۡ شَاۡنٍ وَّ مَا تَتۡلُوۡا مِنۡہُ مِنۡ قُرۡاٰنٍ وَّ لَا تَعۡمَلُوۡنَ مِنۡ عَمَلٍ اِلَّا کُنَّا عَلَیۡکُمۡ شُہُوۡدًا اِذۡ تُفِیۡضُوۡنَ فِیۡہِ ؕ وَ مَا یَعۡزُبُ عَنۡ رَّبِّکَ مِنۡ مِّثۡقَالِ ذَرَّۃٍ فِی الۡاَرۡضِ وَ لَا فِی السَّمَآءِ وَ لَاۤ اَصۡغَرَ مِنۡ ذٰلِکَ وَ لَاۤ اَکۡبَرَ اِلَّا فِیۡ کِتٰبٍ مُّبِیۡنٍ ﴿۶۱﴾

(૬૧) અને તમે (અય પયગંબર) કોઇપણ હાલતમાં નથી હોતા તથા કુરઆનના કોઇ પણ ભાગની તિલાવત નથી કરતા અને કોઇપણ અમલ અંજામ નથી આપતા સિવાય કે જેવા મશગૂલ થાવ અમે તેના ગવાહ હોય છીએ; અને તારા પરવરદિગારથી આસમાનમાં અને ઝમીન ઉપરની કાંઇ ચીઝ છુપી રહેતી નથી એટલે સુધી કે રજકણના વજન બરાબર તેના કરતા નાની કે મોટી, પરંતુ તે ખુલ્લી કિતાબ (લવ્હે મહેફૂઝ)માં હોય છે.

62

اَلَاۤ اِنَّ اَوۡلِیَآءَ اللّٰہِ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿ۚۖ۶۲﴾

(૬૨) જાણી લો કે અલ્લાહના વલીયોને ન કોઇ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે:

63

الَّذِیۡنَ اٰمَنُوۡا وَ کَانُوۡا یَتَّقُوۡنَ ﴿ؕ۶۳﴾

(૬૩) જેઓ ઇમાન લાવ્યા છે તથા (બદકામથી) બચતા રહ્યા છે.

64

لَہُمُ الۡبُشۡرٰی فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ فِی الۡاٰخِرَۃِ ؕ لَا تَبۡدِیۡلَ لِکَلِمٰتِ اللّٰہِ ؕ ذٰلِکَ ہُوَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿ؕ۶۴﴾

(૬૪) તેમના માટે દુનિયાના જીવનમાં અને આખેરતમાં ખુશખબર છે; અલ્લાહના કલેમાતમાં કોઇ ફેરબદલ નથી; એ જ અઝીમ કામ્યાબી છે.

65

وَ لَا یَحۡزُنۡکَ قَوۡلُہُمۡ ۘ اِنَّ الۡعِزَّۃَ لِلّٰہِ جَمِیۡعًا ؕ ہُوَ السَّمِیۡعُ الۡعَلِیۡمُ ﴿۶۵﴾

(૬૫) અને તેઓની વાત તને ગમગીન ન કરે, બેશક તમામ ઇઝઝત (એટલે કુદરત) અલ્લાહની જ છે; તે સાંભળનાર અને જોનાર છે.

66

اَلَاۤ اِنَّ لِلّٰہِ مَنۡ فِی السَّمٰوٰتِ وَ مَنۡ فِی الۡاَرۡضِ ؕ وَ مَا یَتَّبِعُ الَّذِیۡنَ یَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ شُرَکَآءَ ؕ اِنۡ یَّـتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ اِنۡ ہُمۡ اِلَّا یَخۡرُصُوۡنَ ﴿۶۶﴾

(૬૬) જાણી લો કે બેશક ! આકાશો તથા ઝમીનમાં જે કોઇ છે તે અલ્લાહ માટે છે; અને જેઓ અલ્લાહ સિવાય બીજાઓને શરીક તરીકે પુકારે છે તેઓ પોતાના ગુમાન સિવાય બીજા કોઇની તાબેદારી કરતા નથી તેઓ ફકત ખોટુ બોલે છે.

67

ہُوَ الَّذِیۡ جَعَلَ لَکُمُ الَّیۡلَ لِتَسۡکُنُوۡا فِیۡہِ وَ النَّہَارَ مُبۡصِرًا ؕ اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّقَوۡمٍ یَّسۡمَعُوۡنَ ﴿۶۷﴾

(૬૭) જેણે તમારા માટે રાત બનાવી છે જેથી તેમાં તમે આરામ કરો અને દિવસને રોશન બનાવ્યો છે (જેથી તેના કામમાં મશગૂલ થાવ) બેશક જે લોકો સાંભળે છે તેમના માટે આ (ગોઠવણી)માં નિશાનીઓ મોજૂદ છે.

68

قَالُوا اتَّخَذَ اللّٰہُ وَلَدًا سُبۡحٰنَہٗ ؕ ہُوَ الۡغَنِیُّ ؕ لَہٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ؕ اِنۡ عِنۡدَکُمۡ مِّنۡ سُلۡطٰنٍۭ بِہٰذَا ؕ اَتَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۶۸﴾

(૬૮) તેઓ કહે છે કે અલ્લાહે કોઇને ફરઝંદ (તરીકે) પસંદ કર્યો, તેની જાત (આવી ખામીઓથી) પાક છે; તે બેનિયાઝ છે; આકાશો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનું જ છે; તમારી પાસે આ વિશે કંઇ દલીલ છે કે શું જાણ્યા વગર અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો છો?

69

قُلۡ اِنَّ الَّذِیۡنَ یَفۡتَرُوۡنَ عَلَی اللّٰہِ الۡکَذِبَ لَا یُفۡلِحُوۡنَ ﴿ؕ۶۹﴾

(૬૯) તું કહે કે બેશક જેઓ અલ્લાહની તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામ્યાબ થશે નહિ.

70

مَتَاعٌ فِی الدُّنۡیَا ثُمَّ اِلَیۡنَا مَرۡجِعُہُمۡ ثُمَّ نُذِیۡقُہُمُ الۡعَذَابَ الشَّدِیۡدَ بِمَا کَانُوۡا یَکۡفُرُوۡنَ ﴿٪۷۰﴾

(૭૦) દુનિયામાં ફાયદો થોડોક છે, પછી તેમનું પાછા ફરવું અમારી જ તરફ થશે, પછી તેઓ જે કુફ્ર કરતા હતા તેના સખ્ત અઝાબની મજા ચખાડીશું.

71

وَ اتۡلُ عَلَیۡہِمۡ نَبَاَ نُوۡحٍ ۘ اِذۡ قَالَ لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنۡ کَانَ کَبُرَ عَلَیۡکُمۡ مَّقَامِیۡ وَ تَذۡکِیۡرِیۡ بِاٰیٰتِ اللّٰہِ فَعَلَی اللّٰہِ تَوَکَّلۡتُ فَاَجۡمِعُوۡۤا اَمۡرَکُمۡ وَ شُرَکَآءَکُمۡ ثُمَّ لَا یَکُنۡ اَمۡرُکُمۡ عَلَیۡکُمۡ غُمَّۃً ثُمَّ اقۡضُوۡۤا اِلَیَّ وَ لَا تُنۡظِرُوۡنِ ﴿۷۱﴾

(૭૧) અને (અય રસૂલ!) નૂહનો બનાવ સંભળાવ, જ્યારે તેણે પોતાની કોમને કહ્યું અય મારી કોમ! અગર મારો દરજ્જો અને મારૂં અલ્લાહની આયતોને સંભળાવવું તમને ભારે લાગતું હોય તો મારો આધાર ફકત અલ્લાહ ઉપર જ છે માટે તમે તમારી તાકત અને તમારા (બનાવેલા) શરીકોને જમા કરી લો (બધી બાજુ વિચારી લો જેથી) તમારાથી કોઇ બાબત છુપી ન રહે, પછી મારા વિશે ફેસલો કરો અને મને મોહલત ન આપજો.

72

فَاِنۡ تَوَلَّیۡتُمۡ فَمَا سَاَلۡتُکُمۡ مِّنۡ اَجۡرٍ ؕ اِنۡ اَجۡرِیَ اِلَّا عَلَی اللّٰہِ ۙوَ اُمِرۡتُ اَنۡ اَکُوۡنَ مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿۷۲﴾

(૭૨) પછી જો તમે ફરી જશો તો હું તમારી પાસે કાંઇ મહેનતાણું માંગતો નથી; મારૂં મહેનતાણું અલ્લાહ સિવાય કોઇના શિરે નથી, અને મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન (ફરમાબરદાર) થઇ જાઉં.

73

فَکَذَّبُوۡہُ فَنَجَّیۡنٰہُ وَ مَنۡ مَّعَہٗ فِی الۡفُلۡکِ وَ جَعَلۡنٰہُمۡ خَلٰٓئِفَ وَ اَغۡرَقۡنَا الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِنَا ۚ فَانۡظُرۡ کَیۡفَ کَانَ عَاقِبَۃُ الۡمُنۡذَرِیۡنَ ﴿۷۳﴾

(૭૩) પરંતુ તેમણે તે (હઝરત નૂહ અ.સ.)ને જૂઠલાવ્યો, જેથી અમોએ તેને તથા તેની સાથે જેઓ વહાણમાં હતા તેમને નજાત આપી અને તેમને ઝમીનના વારસદાર બનાવ્યા, અને જેઓએ અમારી આયતોને જૂઠલાવી તેઓને અમોએ ડૂબાડી દીધા, માટે જૂઓ કે જે લોકોને ડરાવવામાં આવ્યા હતા (અને ન માન્યા તો) તેમનો અંજામ કેવો આવ્યો ?

74

ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِہٖ رُسُلًا اِلٰی قَوۡمِہِمۡ فَجَآءُوۡہُمۡ بِالۡبَیِّنٰتِ فَمَا کَانُوۡا لِیُؤۡمِنُوۡا بِمَا کَذَّبُوۡا بِہٖ مِنۡ قَبۡلُ ؕ کَذٰلِکَ نَطۡبَعُ عَلٰی قُلُوۡبِ الۡمُعۡتَدِیۡنَ ﴿۷۴﴾

(૭૪) ત્યારબાદ અમોએ બીજા રસૂલોને તેમની કોમ તરફ મોકલ્યા, પછી તેઓ ખુલ્લી નિશાનીઓ લઇને તેમની પાસે આવ્યા, પરંતુ તેઓ અગાઉ (આલમે ઝરમાં) તેને જૂઠલાવી ચૂક્યા હતા માટે તેના ઉપર ઇમાન લાવ્યા નહિ આ રીતે હદબહાર જનાર લોકોના દિલો પર અમે મહોર મારી દઇએ છીએ.

75

ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِہِمۡ مُّوۡسٰی وَ ہٰرُوۡنَ اِلٰی فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہٖ بِاٰیٰتِنَا فَاسۡتَکۡبَرُوۡا وَ کَانُوۡا قَوۡمًا مُّجۡرِمِیۡنَ ﴿۷۵﴾

(૭૫) પછી તેમના બાદ અમોએ મૂસા તથા હારૂનને ફિરઔન તથા તેની કોમના આગેવાનો તરફ અમારી નિશાનીઓ સાથે મોકલ્યા, પરંતુ તેમણે તકબ્બૂર કર્યો અને તેઓ મુજરીમ લોકો હતા.

76

فَلَمَّا جَآءَہُمُ الۡحَقُّ مِنۡ عِنۡدِنَا قَالُوۡۤا اِنَّ ہٰذَا لَسِحۡرٌ مُّبِیۡنٌ ﴿۷۶﴾

(૭૬) અને જ્યારે અમારા તરફથી તેમની (હઝરત મૂસા અ.સ.ની) પાસે હક આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે બેશક આ ખુલ્લો જાદુ છે.

77

قَالَ مُوۡسٰۤی اَتَقُوۡلُوۡنَ لِلۡحَقِّ لَمَّا جَآءَکُمۡ ؕ اَسِحۡرٌ ہٰذَا ؕ وَ لَا یُفۡلِحُ السّٰحِرُوۡنَ ﴿۷۷﴾

(૭૭) મૂસાએ કહ્યું : શું તમો હકના બારામાં (આવુ) કહો છો જયારે કે હક તમારી પાસે આવી ચૂકયું છે શું આ જાદુ છે ? અને જાદુગરો સફળ થતા નથી.

78

قَالُوۡۤا اَجِئۡتَنَا لِتَلۡفِتَنَا عَمَّا وَجَدۡنَا عَلَیۡہِ اٰبَآءَنَا وَ تَکُوۡنَ لَکُمَا الۡکِبۡرِیَآءُ فِی الۡاَرۡضِ ؕ وَ مَا نَحۡنُ لَکُمَا بِمُؤۡمِنِیۡنَ ﴿۷۸﴾

(૭૮) તેમણે કહ્યું શું તું એ માટે અમારી પાસે આવ્યો કે અમોએ અમારા બાપદાદાઓને જે (રસ્તા) ઉપર પામ્યા હતા તેનાથી અમને ફેરવી નાખ અને તમને બંનેને ઝમીન ઉપર બુઝુર્ગી હાંસિલ થઇ જાય? અને અમે તમારા બંને ઉપર ઇમાન લાવશું નહિ.

79

وَ قَالَ فِرۡعَوۡنُ ائۡتُوۡنِیۡ بِکُلِّ سٰحِرٍ عَلِیۡمٍ ﴿۷۹﴾

(૭૯) અને ફિરઔને કહ્યું કે મારી પાસે તમામ હોશિયાર જાદુગરોને લઇ આવો.

80

فَلَمَّا جَآءَ السَّحَرَۃُ قَالَ لَہُمۡ مُّوۡسٰۤی اَلۡقُوۡا مَاۤ اَنۡتُمۡ مُّلۡقُوۡنَ ﴿۸۰﴾

(૮૦) પછી જ્યારે જાદુગરો આવી ગયા ત્યારે મૂસાએ તેમને કહ્યું કે તમારે જે કાંઇ (જાદુના દાવ) ફેંકવા હોય તે ફેંકો.

81

فَلَمَّاۤ اَلۡقَوۡا قَالَ مُوۡسٰی مَا جِئۡتُمۡ بِہِ ۙ السِّحۡرُ ؕ اِنَّ اللّٰہَ سَیُبۡطِلُہٗ ؕ اِنَّ اللّٰہَ لَا یُصۡلِحُ عَمَلَ الۡمُفۡسِدِیۡنَ ﴿۸۱﴾

(૮૧) જ્યારે તેઓ ફેંકી ચૂક્યા ત્યારે મૂસાએ કહ્યું, જે કાંઇ લાવ્યા છો તે ફકત જાદુ છે; બેશક અલ્લાહ તેને બાતિલ કરી દેશે; બેશક અલ્લાહ ફસાદ કરનારાઓના અમલને સહી થવા દેતો નથી.

82

وَ یُحِقُّ اللّٰہُ الۡحَقَّ بِکَلِمٰتِہٖ وَ لَوۡ کَرِہَ الۡمُجۡرِمُوۡنَ ﴿٪۸۲﴾

(૮૨) અને અલ્લાહ પોતાના કલેમાત વડે હકને હક પૂરવાર કરી દેખાડશે, પછી ભલેને મુજરીમોને ન ગમે!

83

فَمَاۤ اٰمَنَ لِمُوۡسٰۤی اِلَّا ذُرِّیَّۃٌ مِّنۡ قَوۡمِہٖ عَلٰی خَوۡفٍ مِّنۡ فِرۡعَوۡنَ وَ مَلَا۠ئِہِمۡ اَنۡ یَّفۡتِنَہُمۡ ؕ وَ اِنَّ فِرۡعَوۡنَ لَعَالٍ فِی الۡاَرۡضِ ۚ وَ اِنَّہٗ لَمِنَ الۡمُسۡرِفِیۡنَ ﴿۸۳﴾

(૮૩) (શરૂઆતમાં) મૂસા ઊપર તેની કોમના ફરઝંદો સિવાય બીજુ કોઇ ઇમાન નહોતુ લાવ્યુ એ પણ ફિરઔન અને તેની કોમના આગેવાનોના ડર સાથે કે તેઓને ઇજા પહોંચાડીને આજમાઇશ ન કરે કારણકે ફિરઔન મોટાઇ (સત્તા) ચાહનાર હતો અને હદ પાર કરી જનારાઓમાંથી હતો.

84

وَ قَالَ مُوۡسٰی یٰقَوۡمِ اِنۡ کُنۡتُمۡ اٰمَنۡتُمۡ بِاللّٰہِ فَعَلَیۡہِ تَوَکَّلُوۡۤا اِنۡ کُنۡتُمۡ مُّسۡلِمِیۡنَ ﴿۸۴﴾

(૮૪) અને મૂસાએ ફરમાવ્યું અય મારી કોમ! અગર તમે અલ્લાહ પર ઇમાન લાવ્યા છો અને ફરમાબરદાર છો તો તેના પર જ આધાર રાખો.

85

فَقَالُوۡا عَلَی اللّٰہِ تَوَکَّلۡنَا ۚ رَبَّنَا لَا تَجۡعَلۡنَا فِتۡنَۃً لِّلۡقَوۡمِ الظّٰلِمِیۡنَ ﴿ۙ۸۵﴾

(૮૫) તેમણે કહ્યું કે અમો અલ્લાહ પર આધાર રાખ્યો છે (માટે) અય અમારા પરવરદિગાર! અમને ઝાલિમ લોકો માટે આજમાઇશ(નું સાધન) ન બનાવ:

86

وَ نَجِّنَا بِرَحۡمَتِکَ مِنَ الۡقَوۡمِ الۡکٰفِرِیۡنَ ﴿۸۶﴾

(૮૬) અને અમને નાસ્તિક કોમ(ના શર)થી તારી રહેમત વડે નજાત આપ.

87

وَ اَوۡحَیۡنَاۤ اِلٰی مُوۡسٰی وَ اَخِیۡہِ اَنۡ تَبَوَّاٰ لِقَوۡمِکُمَا بِمِصۡرَ بُیُوۡتًا وَّ اجۡعَلُوۡا بُیُوۡتَکُمۡ قِبۡلَۃً وَّ اَقِیۡمُوا الصَّلٰوۃَ ؕ وَ بَشِّرِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۸۷﴾

(૮૭) અને અમોએ મૂસા તથા તેના ભાઇ તરફ વહી મોકલી કે તમે બન્ને તમારી કોમ માટે મિસરમાં થોડાક મકાનો બાંધો, અને તમારા મકાનોને જ કિબ્લા બનાવો તથા નમાઝને કાયમ કરો; અને મોઅમીનોને ખુશખબર આપો.

88

وَ قَالَ مُوۡسٰی رَبَّنَاۤ اِنَّکَ اٰتَیۡتَ فِرۡعَوۡنَ وَ مَلَاَہٗ زِیۡنَۃً وَّ اَمۡوَالًا فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۙ رَبَّنَا لِیُضِلُّوۡا عَنۡ سَبِیۡلِکَ ۚ رَبَّنَا اطۡمِسۡ عَلٰۤی اَمۡوَالِہِمۡ وَ اشۡدُدۡ عَلٰی قُلُوۡبِہِمۡ فَلَا یُؤۡمِنُوۡا حَتّٰی یَرَوُا الۡعَذَابَ الۡاَلِیۡمَ ﴿۸۸﴾

(૮૮) અને મૂસાએ કહ્યું કે અય અમારા પરવરદિગાર! બેશક તેં ફિરઔન તથા તેના સરદારોને દુન્યવી ઝિંદગીની ઝીનત (શોભા) અને માલૌ-દોલત અતા કરી છે; અય અમારા પરવરદિગાર! શું આ એટલા માટે (અતા કરી છે) કે (લોકોને) તારી રાહથી બેહકાવે? (માટે) અય અમારા પરવરદિગાર ! તેમના માલનો નાશ કરી નાખ અને તેમના દિલોને કઠણ કરી દે જેથી તેઓ ઇમાન ન લાવે એટલે સુધી કે દર્દનાક અઝાબને જોવે.

89

قَالَ قَدۡ اُجِیۡبَتۡ دَّعۡوَتُکُمَا فَاسۡتَقِیۡمَا وَ لَا تَتَّبِعٰٓنِّ سَبِیۡلَ الَّذِیۡنَ لَا یَعۡلَمُوۡنَ ﴿۸۹﴾

(૮૯) તેણે ફરમાવ્યું કે તમારા બન્નેની દુઆ કબૂલ કરી માટે તમે બન્ને તમારા રસ્તા પર કાયમ (અડગ) રહો અને હરગિઝ એવા લોકોના રસ્તાની તાબેદારી કરશો નહી જેઓ જાહીલ છે.

90

وَ جٰوَزۡنَا بِبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ الۡبَحۡرَ فَاَتۡبَعَہُمۡ فِرۡعَوۡنُ وَ جُنُوۡدُہٗ بَغۡیًا وَّ عَدۡوًا ؕ حَتّٰۤی اِذَاۤ اَدۡرَکَہُ الۡغَرَقُ ۙ قَالَ اٰمَنۡتُ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّا الَّذِیۡۤ اٰمَنَتۡ بِہٖ بَنُوۡۤا اِسۡرَآءِیۡلَ وَ اَنَا مِنَ الۡمُسۡلِمِیۡنَ ﴿۹۰﴾

(૯૦) અને અમોએ બની ઇસરાઇલને દરિયો પાર કરાવી દીધો પછી ફિરઔન તથા તેના લશ્કરોએ અત્યાચાર અને ઝુલ્મ કરવાના હેતુથી તેમનો પીછો કર્યો, એટલે સુધી કે તે ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો કે હું ઇમાન લાવ્યો કે કોઇ માઅબૂદ નથી સિવાય તેના કે જેના પર બની ઇસરાઇલ ઇમાન લાવ્યા છે અને હું ઇતાઅત ગુઝારોમાંથી છું.

91

آٰلۡـٰٔنَ وَ قَدۡ عَصَیۡتَ قَبۡلُ وَ کُنۡتَ مِنَ الۡمُفۡسِدِیۡنَ ﴿۹۱﴾

(૯૧) અત્યારે! અગાઉ તે નાફરમાની કરી અને તું ફસાદ કરનારાઓમાંથી હતો.

92

فَالۡیَوۡمَ نُنَجِّیۡکَ بِبَدَنِکَ لِتَکُوۡنَ لِمَنۡ خَلۡفَکَ اٰیَۃً ؕ وَ اِنَّ کَثِیۡرًا مِّنَ النَّاسِ عَنۡ اٰیٰتِنَا لَغٰفِلُوۡنَ ﴿٪۹۲﴾

(૯૨) પણ આજના દિવસે અમે ફકત તારા શરીરને પાણીથી છૂટકારો આપશું કે જેથી તે (શરીર) તારી પછીના લોકો માટે નિશાની બને; અને બેશક ! મોટા ભાગના લોકો અમારી આયતોથી ગાફેલ છે.

93

وَ لَقَدۡ بَوَّاۡنَا بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ مُبَوَّاَ صِدۡقٍ وَّ رَزَقۡنٰہُمۡ مِّنَ الطَّیِّبٰتِ ۚ فَمَا اخۡتَلَفُوۡا حَتّٰی جَآءَہُمُ الۡعِلۡمُ ؕ اِنَّ رَبَّکَ یَقۡضِیۡ بَیۡنَہُمۡ یَوۡمَ الۡقِیٰمَۃِ فِیۡمَا کَانُوۡا فِیۡہِ یَخۡتَلِفُوۡنَ ﴿۹۳﴾

(૯૩) અને ખરેખર અમે બની ઇસરાઇલને બહેતરીન મંઝીલ અતા કરી અને પાકીઝા વસ્તુઓમાંથી રોઝી આપી, પરંતુ તેઓએ ઇખ્તેલાફ ન કર્યો સિવાય કે ઇલ્મ આવી ગયા પછી. બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેમની વચ્ચે તે તમામ બાબતોનો ફેસલો કરી દેશે કે જેમાં તેઓ ઇખ્તેલાફ કરતા હતા.

94

فَاِنۡ کُنۡتَ فِیۡ شَکٍّ مِّمَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ فَسۡـَٔلِ الَّذِیۡنَ یَقۡرَءُوۡنَ الۡکِتٰبَ مِنۡ قَبۡلِکَ ۚ لَقَدۡ جَآءَکَ الۡحَقُّ مِنۡ رَّبِّکَ فَلَا تَکُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِیۡنَ ﴿ۙ۹۴﴾

(૯૪) પછી અમોએ તારી તરફ જે કાંઇ નાઝિલ કર્યુ છે તેમાં જો તને શક હોય તો જેઓ તારી પહેલા કિતાબ પઢતા હતા તેમને પૂછી જો; ખરેખર તારા પરવરદિગાર તરફથી તારી પાસે હક આવી ચૂક્યું છે, માટે તું શક કરનારાઓ-માંથી ન થજે.

95

وَ لَا تَکُوۡنَنَّ مِنَ الَّذِیۡنَ کَذَّبُوۡا بِاٰیٰتِ اللّٰہِ فَتَکُوۡنَ مِنَ الۡخٰسِرِیۡنَ ﴿۹۵﴾

(૯૫) અને તું એવા લોકોમાંથી ન થજે કે જેઓ અલ્લાહની આયતોને જૂઠલાવી, નહિતર તું પણ નુકસાન ભોગવનારાઓમાંથી થઇ જઇશ.

96

اِنَّ الَّذِیۡنَ حَقَّتۡ عَلَیۡہِمۡ کَلِمَتُ رَبِّکَ لَا یُؤۡمِنُوۡنَ ﴿ۙ۹۶﴾

(૯૬) બેશક તે લોકો કે જેમના પર તારા પરવરદિગારનો કલમો (અઝાબ) સાબિત થઇ ગયો છે તેઓ ઇમાન લાવશે નહિ.

97

وَ لَوۡ جَآءَتۡہُمۡ کُلُّ اٰیَۃٍ حَتّٰی یَرَوُا الۡعَذَابَ الۡاَلِیۡمَ ﴿۹۷﴾

(૯૭) ભલે પછી દરેક નિશાનીઓ તેમની પાસે આવી જાય એટલે સુધી કે તેઓ દર્દનાક અઝાબને નિહાળી લે. (ત્યાં સુધી ઇમાન લાવશે નહી)

98

فَلَوۡ لَا کَانَتۡ قَرۡیَۃٌ اٰمَنَتۡ فَنَفَعَہَاۤ اِیۡمَانُہَاۤ اِلَّا قَوۡمَ یُوۡنُسَ ؕ لَمَّاۤ اٰمَنُوۡا کَشَفۡنَا عَنۡہُمۡ عَذَابَ الۡخِزۡیِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ مَتَّعۡنٰہُمۡ اِلٰی حِیۡنٍ ﴿۹۸﴾

(૯૮) શા માટે કોઇ વસ્તી એવી નથી કે જે ઇમાન લાવે જેથી તેનું ઇમાન તેને કાંઇ ફાયદો આપે સિવાય યુનુસની કોમ; જ્યારે તેઓ ઇમાન લાવ્યા ત્યારે અમોએ દુનિયાની ઝિંદગીમાં ઝિલ્લતનો અઝાબ તેમના પરથી ટાળી દીધો અને એક મુદ્દત સુધી તેમને ફાયદો પહોંચાડ્યો.

99

وَ لَوۡ شَآءَ رَبُّکَ لَاٰمَنَ مَنۡ فِی الۡاَرۡضِ کُلُّہُمۡ جَمِیۡعًا ؕ اَفَاَنۡتَ تُکۡرِہُ النَّاسَ حَتّٰی یَکُوۡنُوۡا مُؤۡمِنِیۡنَ ﴿۹۹﴾

(૯૯) અને અગર તારો પરવરદિગાર ચાહતે તો ઝમીન ઉપરના તમામ લોકો (બળજબરીથી) ઇમાન લઇ આવતે; શું તું લોકોને મજબૂર કરીશ એટલે સુધી કે તેઓ ઇમાન લાવે?

100

وَ مَا کَانَ لِنَفۡسٍ اَنۡ تُؤۡمِنَ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ یَجۡعَلُ الرِّجۡسَ عَلَی الَّذِیۡنَ لَا یَعۡقِلُوۡنَ ﴿۱۰۰﴾

(૧૦૦) અને કોઇ પણ માટે શકય નથી કે અલ્લાહની રજા (અને તૌફીક) વગર ઈમાન લાવે અને (નાસ્તિકપણાની) ગંદકી તે લોકો ઉપર રાખી છે જેઓ વિચારતા નથી.

101

قُلِ انۡظُرُوۡا مَاذَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ وَ مَا تُغۡنِی الۡاٰیٰتُ وَ النُّذُرُ عَنۡ قَوۡمٍ لَّا یُؤۡمِنُوۡنَ ﴿۱۰۱﴾

(૧૦૧) તું કહે કે જૂઓ કંઇ ચીજ આસમાનો અને જમીનમાં છે! (પરંતુ) જે લોકો ઇમાન લાવનારા નથી તેમને આ નિશાનીઓ અને ડરાવવું કાંઇ ઉપયોગી નહી થાય.

102

فَہَلۡ یَنۡتَظِرُوۡنَ اِلَّا مِثۡلَ اَیَّامِ الَّذِیۡنَ خَلَوۡا مِنۡ قَبۡلِہِمۡ ؕ قُلۡ فَانۡتَظِرُوۡۤا اِنِّیۡ مَعَکُمۡ مِّنَ الۡمُنۡتَظِرِیۡنَ ﴿۱۰۲﴾

(૧૦૨) શું તેઓ અગાઉ થયેલા લોકો પર (અઝાબ)ના દિવસ જેવા દિવસનો ઇન્તેઝાર કરે છે? તું કહે કે તમે ઇન્તેઝાર કરો, હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

103

ثُمَّ نُنَجِّیۡ رُسُلَنَا وَ الَّذِیۡنَ اٰمَنُوۡا کَذٰلِکَ ۚ حَقًّا عَلَیۡنَا نُنۡجِ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۰۳﴾٪

(૧૦૩) પછી અઝાબ વખતે અમે અમારા રસૂલ તથા ઇમાન લાવનારાઓને બચાવીએ છીએ, આ જ રીતે, અમારા ઉપર હક છે કે અમે મોઅમીનોને નજાત આપીએ.

104

قُلۡ یٰۤاَیُّہَا النَّاسُ اِنۡ کُنۡتُمۡ فِیۡ شَکٍّ مِّنۡ دِیۡنِیۡ فَلَاۤ اَعۡبُدُ الَّذِیۡنَ تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ لٰکِنۡ اَعۡبُدُ اللّٰہَ الَّذِیۡ یَتَوَفّٰىکُمۡ ۚۖ وَ اُمِرۡتُ اَنۡ اَکُوۡنَ مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿۱۰۴﴾ۙ

(૧૦૪) તું કહે કે અય લોકો! અગર તમે મારા દીનના સબંધમાં શંકાશીલ છો તો (જાણી લો કે) તમે અલ્લાહ સિવાય જેની ઇબાદત કરો છો હું તેની ઇબાદત કરતો નથી પરંતુ હું અલ્લાહની ઇબાદત કરૂં છું કે જે તમને મૌત આપે છે, અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હું મોઅમીનોમાંથી થઇ જાઉં.

105

وَ اَنۡ اَقِمۡ وَجۡہَکَ لِلدِّیۡنِ حَنِیۡفًا ۚ وَ لَا تَکُوۡنَنَّ مِنَ الۡمُشۡرِکِیۡنَ ﴿۱۰۵﴾

(૧૦૫) અને તારૂ ઘ્યાન દીને હક તરફ રાખ, અને કયારેય મુશરિકોમાંથી થજે નહિ.

106

وَ لَا تَدۡعُ مِنۡ دُوۡنِ اللّٰہِ مَا لَا یَنۡفَعُکَ وَ لَا یَضُرُّکَ ۚ فَاِنۡ فَعَلۡتَ فَاِنَّکَ اِذًا مِّنَ الظّٰلِمِیۡنَ ﴿۱۰۶﴾

(૧૦૬) અને અલ્લાહના સિવાય બીજા કોઇને પોકારજે નહિ કે જે તને ફાયદો કે નુકસાન પહોંચાડતા નથી અને જો તુ આવુ કરીશ તો બેશક તું ઝાલિમોમાંથી થઇ જઇશ.

107

وَ اِنۡ یَّمۡسَسۡکَ اللّٰہُ بِضُرٍّ فَلَا کَاشِفَ لَہٗۤ اِلَّا ہُوَ ۚ وَ اِنۡ یُّرِدۡکَ بِخَیۡرٍ فَلَا رَآدَّ لِفَضۡلِہٖ ؕ یُصِیۡبُ بِہٖ مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ؕ وَ ہُوَ الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿۱۰۷﴾

(૧૦૭) અને અગર અલ્લાહ તને કાંઇ નુકસાન પહોંચાડે તો તેને દૂર કરનારો તેના સિવાય બીજો કોઇ નથી, અને જો તે તારા માટે કોઇ ભલાઇનો ઇરાદો કરે તો તેના ફઝલને પલટાવનાર પણ કોઇ નથી; તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને (ભલાઇ) પહોંચાડી દે છે; અને તે ગફુરૂર રહીમ છે.

108

قُلۡ یٰۤاَیُّہَا النَّاسُ قَدۡ جَآءَکُمُ الۡحَقُّ مِنۡ رَّبِّکُمۡ ۚ فَمَنِ اہۡتَدٰی فَاِنَّمَا یَہۡتَدِیۡ لِنَفۡسِہٖ ۚ وَ مَنۡ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیۡہَا ۚ وَ مَاۤ اَنَا عَلَیۡکُمۡ بِوَکِیۡلٍ ﴿۱۰۸﴾ؕ

(૧૦૮) તું કહે કે અય લોકો ! ખરેખર તમારા પરવરદિગાર તરફથી તમારી પાસે હક આવી ચૂક્યું છે, માટે જે શખ્સ હિદાયત હાંસિલ કરશે, તેના (ફાયદા) માટે હિદાયત પામશે, અને જે ગુમરાહ થશે, તેના (નુકસાન) માટે ગુમરાહ થશે; અને હું કાંઇ તમારો ઝિમ્મેદાર નથી.

109

وَ اتَّبِعۡ مَا یُوۡحٰۤی اِلَیۡکَ وَ اصۡبِرۡ حَتّٰی یَحۡکُمَ اللّٰہُ ۚۖ وَ ہُوَ خَیۡرُ الۡحٰکِمِیۡنَ ﴿۱۰۹﴾٪

(૧૦૯) અને જે વહી તારી તરફ મોકલવામાં આવે છે તેની જ તાબેદારી કર અને સબ્ર કર એટલે સુધી કે અલ્લાહ ફેસલો કરે અને તે બહેતરીન ફેસલો કરનાર છે.