Az-Zukhruf
سورة الزخرف
لِتَسۡتَوٗا عَلٰی ظُہُوۡرِہٖ ثُمَّ تَذۡکُرُوۡا نِعۡمَۃَ رَبِّکُمۡ اِذَا اسۡتَوَیۡتُمۡ عَلَیۡہِ وَ تَقُوۡلُوۡا سُبۡحٰنَ الَّذِیۡ سَخَّرَ لَنَا ہٰذَا وَ مَا کُنَّا لَہٗ مُقۡرِنِیۡنَ ﴿ۙ۱۳﴾
(૧૩) જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસો, પછી જયારે તમે તેના ઉપર બરાબર બેસી જાવ ત્યારે તમારા પરવરદિગારની નેઅમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે આ સવારીને અમારા તાબે કરી નહિતર અમે તેને કાબૂમાં લાવી શકતે નહિં :
وَ جَعَلُوا الۡمَلٰٓئِکَۃَ الَّذِیۡنَ ہُمۡ عِبٰدُ الرَّحۡمٰنِ اِنَاثًا ؕ اَشَہِدُوۡا خَلۡقَہُمۡ ؕ سَتُکۡتَبُ شَہَادَتُہُمۡ وَ یُسۡـَٔلُوۡنَ ﴿۱۹﴾
(૧૯) અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને માદા માની લીધા; શું તેમની ખિલ્કત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને (તેના વિશે) સવાલ કરવામાં આવશે.
وَ کَذٰلِکَ مَاۤ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ فِیۡ قَرۡیَۃٍ مِّنۡ نَّذِیۡرٍ اِلَّا قَالَ مُتۡرَفُوۡہَاۤ ۙ اِنَّا وَجَدۡنَاۤ اٰبَآءَنَا عَلٰۤی اُمَّۃٍ وَّ اِنَّا عَلٰۤی اٰثٰرِہِمۡ مُّقۡتَدُوۡنَ ﴿۲۳﴾
(૨૩) અને આ રીતે અમોએ તારી અગાઉ કોઇ વસ્તીમાં પયગંબર નથી મોકલ્યા સિવાય કે તે (વસ્તી)ના મોજમસ્તીમાં ભાન ભૂલેલાઓએ કહ્યું કે અમોએ અમારા બાપદાદાઓને (જે) દીન ઉપર જોયા છે અને અમે (તે દીન પર) તેમના નકશે કદમની પેરવી કરીએ છીએ.
قٰلَ اَوَ لَوۡ جِئۡتُکُمۡ بِاَہۡدٰی مِمَّا وَجَدۡتُّمۡ عَلَیۡہِ اٰبَآءَکُمۡ ؕ قَالُوۡۤا اِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۲۴﴾
(૨૪) (નબીએ) કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઇ આવું કે જેના પર તમોએ તમારા બાપદાદાને જોયા છે (છતાં નહી માનો) તેઓએ કહ્યું અમે તમારા પયગામને માનનારા નથી.
اَہُمۡ یَقۡسِمُوۡنَ رَحۡمَتَ رَبِّکَ ؕ نَحۡنُ قَسَمۡنَا بَیۡنَہُمۡ مَّعِیۡشَتَہُمۡ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا وَ رَفَعۡنَا بَعۡضَہُمۡ فَوۡقَ بَعۡضٍ دَرَجٰتٍ لِّیَتَّخِذَ بَعۡضُہُمۡ بَعۡضًا سُخۡرِیًّا ؕ وَ رَحۡمَتُ رَبِّکَ خَیۡرٌ مِّمَّا یَجۡمَعُوۡنَ ﴿۳۲﴾
(૩૨) શું તેઓ તારા પરવરદિગારની રહેમતને વહેંચી રહ્યા છે? અમોએ દુનિયાના જીવનમાં તેમની વચ્ચે જીવનસામગ્રી વહેંચી દીધી, અને તેઓમાંના અમુકના દરજ્જાઓ બીજા અમુકના દરજ્જાઓ કરતા બુલંદ રાખ્યા કે જેથી એક બીજાને તાબે કરી શકે, અને તારા પરવરદિગારની રહેમત જે કાંઇ તેઓ ભેગુ કરે છે તેના કરતા બહેતર છે.
وَ لَوۡ لَاۤ اَنۡ یَّکُوۡنَ النَّاسُ اُمَّۃً وَّاحِدَۃً لَّجَعَلۡنَا لِمَنۡ یَّکۡفُرُ بِالرَّحۡمٰنِ لِبُیُوۡتِہِمۡ سُقُفًا مِّنۡ فِضَّۃٍ وَّ مَعَارِجَ عَلَیۡہَا یَظۡہَرُوۡنَ ﴿ۙ۳۳﴾
(૩૩) અને જો (નાસ્તિકો માટે વધારે નેઅમતના કારણે) લોકો (ગુમરાહી ઉપર) એક મત ન થઇ જાત તો રહમાન પ્રત્યે નાસ્તિક થનારના ઘરોના છાપરા અને સીડીઓ કે જેના ઉપર તેઓ ચઢે છે, ચાંદીના બનાવી દેતે :
وَ لَمَّا جَآءَ عِیۡسٰی بِالۡبَیِّنٰتِ قَالَ قَدۡ جِئۡتُکُمۡ بِالۡحِکۡمَۃِ وَ لِاُبَیِّنَ لَکُمۡ بَعۡضَ الَّذِیۡ تَخۡتَلِفُوۡنَ فِیۡہِ ۚ فَاتَّقُوا اللّٰہَ وَ اَطِیۡعُوۡنِ ﴿۶۳﴾
(૬૩) અને જયારે ઇસા તેમની પાસે રોશન દલીલો લઇને આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એ માટે કે અમુક બાબતો રોશન કરી દઉં, જેમાં તમે ઇખ્તેલાફ રાખો છે, માટે અલ્લાહથી ડરો અને મારી પેરવી કરો.
یُطَافُ عَلَیۡہِمۡ بِصِحَافٍ مِّنۡ ذَہَبٍ وَّ اَکۡوَابٍ ۚ وَ فِیۡہَا مَا تَشۡتَہِیۡہِ الۡاَنۡفُسُ وَ تَلَذُّ الۡاَعۡیُنُ ۚ وَ اَنۡتُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿ۚ۷۱﴾
(૭૧) તેમની આસપાસ સોનાના વાસણો અને (પાક શરાબના) જામ ફેરવવામાં આવશે અને ત્યાં તેમના માટે તે વસ્તુઓ છે જે તેમના દિલ ચાહે, અને આંખો જેનાથી લઝ્ઝત હાંસિલ કરે અને તમે તેમાં હંમેશા રહેશો.
وَ تَبٰرَکَ الَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا ۚ وَ عِنۡدَہٗ عِلۡمُ السَّاعَۃِ ۚ وَ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۸۵﴾
(૮૫) અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકૂમત -આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે- તેની ઉપર છે અને (કયામતની) ઘડીનુ ઇલ્મ તેની જ પાસે છે; અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે.