Muhammad
سورة محمد
وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اٰمَنُوۡا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّ ہُوَ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ۙ کَفَّرَ عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ وَ اَصۡلَحَ بَالَہُمۡ ﴿۲﴾
(૨) અને જેઓ ઇમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તથા જે કાંઇ મોહમ્મદ (સ.અ.વ.)ની ઉપર નાઝિલ કરવામાં આવ્યુ છે તે હક છે તેઓના રબ તરફથી તેના ઉપર ઇમાન લાવ્યા, તેમના ગુનાહો ઢાંકી દેશે અને તેમની હાલત સુધારશે.
ذٰلِکَ بِاَنَّ الَّذِیۡنَ کَفَرُوا اتَّبَعُوا الۡبَاطِلَ وَ اَنَّ الَّذِیۡنَ اٰمَنُوا اتَّبَعُوا الۡحَقَّ مِنۡ رَّبِّہِمۡ ؕ کَذٰلِکَ یَضۡرِبُ اللّٰہُ لِلنَّاسِ اَمۡثَالَہُمۡ ﴿۳﴾
(૩) આ એ માટે કે નાસ્તિકોએ બાતિલની તાબેદારી કરી, અને મોમીનોએ તેમના પરવરદિગાર તરફથી આવનાર હકની પેરવી કરી; અને અલ્લાહ આ રીતે લોકો માટે મિસાલ પેશ કરે છે!
فَاِذَا لَقِیۡتُمُ الَّذِیۡنَ کَفَرُوۡا فَضَرۡبَ الرِّقَابِ ؕ حَتّٰۤی اِذَاۤ اَثۡخَنۡتُمُوۡہُمۡ فَشُدُّوا الۡوَثَاقَ ٭ۙ فَاِمَّا مَنًّۢا بَعۡدُ وَ اِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الۡحَرۡبُ اَوۡزَارَہَا ۬ۚ۟ۛ ذٰؔلِکَ ؕۛ وَ لَوۡ یَشَآءُ اللّٰہُ لَانۡتَصَرَ مِنۡہُمۡ وَ لٰکِنۡ لِّیَبۡلُوَا۠ بَعۡضَکُمۡ بِبَعۡضٍ ؕ وَ الَّذِیۡنَ قُتِلُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَلَنۡ یُّضِلَّ اَعۡمَالَہُمۡ ﴿۴﴾
(૪) પછી જયારે નાસ્તિકો સાથે તમારો મુકાબલો થાય ત્યારે તેમની ગરદનો કાપી નાખો, (આ શરૂ રાખો) જેથી તેઓ ભાંગી પડે ત્યારે તેઓને બાંધી લો, ત્યારબાદ તેમના ઉપર એહસાન કરીને છોડી દો અથવા ફિદીયો (દંડની રકમ) લઇને છોડી દો, ત્યાં સુધી કે જંગમાં પોતાના હથિયાર મૂકી દે (લડાઇ ખત્મ થઇ જાય), આ (એટલા માટે) કે અગર અલ્લાહ ચાહત તો તે પોતેજ તેઓને સજા આપેત, પરંતુ એકબીજા થકી અજમાવવા ચાહે છે, અને જેઓ તેની રાહમાં કત્લ થયેલ છે અલ્લાહ તેમના આમાલ બરબાદ થવા દેતો નથી.
اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ دَمَّرَ اللّٰہُ عَلَیۡہِمۡ ۫ وَ لِلۡکٰفِرِیۡنَ اَمۡثَالُہَا ﴿۱۰﴾
(૧૦) શું તે લોકો ઝમીનમાં હર્યા ફર્યા નથી કે જોવે કે તેમની અગાઉના લોકોનો અંજામ કેવો હતો ? અલ્લાહે તેમને હલાક કર્યા અને નાસ્તિકો માટે એવી જ સજા છે.
اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا یَتَمَتَّعُوۡنَ وَ یَاۡکُلُوۡنَ کَمَا تَاۡکُلُ الۡاَنۡعَامُ وَ النَّارُ مَثۡوًی لَّہُمۡ ﴿۱۲﴾
(૧૨) બેશક જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે કે જેની હેઠળ નદીઓ વહે છે એવી હાલતમાં કે નાસ્તિકો (દુન્યવી જીવનથી) ફાયદો ઉપાડે છે. તથા જાનવરોની જેમ ખાય છે અને તેમનું ઠેકાણું જહન્નમ છે!
مَثَلُ الۡجَنَّۃِ الَّتِیۡ وُعِدَ الۡمُتَّقُوۡنَ ؕ فِیۡہَاۤ اَنۡہٰرٌ مِّنۡ مَّآءٍ غَیۡرِ اٰسِنٍ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ لَّبَنٍ لَّمۡ یَتَغَیَّرۡ طَعۡمُہٗ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ خَمۡرٍ لَّذَّۃٍ لِّلشّٰرِبِیۡنَ ۬ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ عَسَلٍ مُّصَفًّی ؕ وَ لَہُمۡ فِیۡہَا مِنۡ کُلِّ الثَّمَرٰتِ وَ مَغۡفِرَۃٌ مِّنۡ رَّبِّہِمۡ ؕ کَمَنۡ ہُوَ خَالِدٌ فِی النَّارِ وَ سُقُوۡا مَآءً حَمِیۡمًا فَقَطَّعَ اَمۡعَآءَہُمۡ ﴿۱۵﴾
(૧૫) જેનો પરહેઝગારો સાથે વાયદો કરવામાં આવ્યો છે તે જન્નત એવી છે કે જેમાં એવી નહેરો છે જેનું પાણી ગંધાતુ નથી, એવી દૂધની નહેરો છે જેનો સ્વાદ બદલાતો નથી, એવી શરાબની નહેરો છે જે પીવાવાળાને લઝ્ઝત આપે છે અને ચોખ્ખા અને સારા મધની નહેરો છે તેમજ તેઓ માટે તેમાં દરેક પ્રકારના ફળો છે અને તેમના પરવરદિગાર તરફથી મગફેરત છે, શું આ પરહેઝગાર લોકો તેના જેવા છે જેઓ હંમેશા જહન્નમમાં છે ? અને જેમને ગરમ પાણી પીવડાવવામાં આવે કે જે તેઓના આંતરડાને ટુકડે ટુકડા કરી નાખે!
وَ مِنۡہُمۡ مَّنۡ یَّسۡتَمِعُ اِلَیۡکَ ۚ حَتّٰۤی اِذَا خَرَجُوۡا مِنۡ عِنۡدِکَ قَالُوۡا لِلَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ مَاذَا قَالَ اٰنِفًا ۟ اُولٰٓئِکَ الَّذِیۡنَ طَبَعَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ ﴿۱۶﴾
(૧૬) અને તેઓમાંથી કેટલાક એવા છે જે તારી વાતને ઘ્યાનથી સાંભળે છે અને પછી તારી પાસેથી બહાર નીકળે ત્યારે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેમને સવાલ કરે છે કે હમણાં તેણે શું કહ્યું?! આ એ લોકો છે કે જેમના દિલો પર અલ્લાહે મહોર મારી દીધી છે, તથા તેઓ પોતાની ખ્વાહીશાતોની પેરવી કરી છે.
فَہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا السَّاعَۃَ اَنۡ تَاۡتِیَہُمۡ بَغۡتَۃً ۚ فَقَدۡ جَآءَ اَشۡرَاطُہَا ۚ فَاَنّٰی لَہُمۡ اِذَا جَآءَتۡہُمۡ ذِکۡرٰىہُمۡ ﴿۱۸﴾
(૧૮) શું તેઓ આ સિવાય રાહ જોવે છે કે (કયામતની) ઘડી ઓચિંતી તેમની પાસે આવી જાય? (ત્યારે ઇમાન લાવે) એવી હાલતમાં કે તેની નિશાનીઓ આવી ચૂકી છે, અને જ્યારે તે આવી જશે ત્યારે તેઓને નસીહત હાંસિલ કરવાથી કાંઇ ફાયદો નહિં થાય.
فَاعۡلَمۡ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّا اللّٰہُ وَ اسۡتَغۡفِرۡ لِذَنۡۢبِکَ وَ لِلۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مُتَقَلَّبَکُمۡ وَ مَثۡوٰىکُمۡ ﴿٪۱۹﴾
(૧૯) માટે જાણી લો કે અલ્લાહના સિવાય કોઇ માઅબૂદ નથી, અને તું તારા માટે અને ઇમાનદાર મર્દો તથા ઔરતો માટે ઇસ્તિગફાર કર, અલ્લાહ તમારા હરવા ફરવા અને રહેવાની જગ્યાને જાણે છે!
وَ یَقُوۡلُ الَّذِیۡنَ اٰمَنُوۡا لَوۡ لَا نُزِّلَتۡ سُوۡرَۃٌ ۚ فَاِذَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ مُّحۡکَمَۃٌ وَّ ذُکِرَ فِیۡہَا الۡقِتَالُ ۙ رَاَیۡتَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ یَّنۡظُرُوۡنَ اِلَیۡکَ نَظَرَ الۡمَغۡشِیِّ عَلَیۡہِ مِنَ الۡمَوۡتِ ؕ فَاَوۡلٰی لَہُمۡ ﴿ۚ۲۰﴾
(૨૦) અને મોમીનો કહે છે શા માટે (જેહાદ માટે) કોઇ સૂરો નાઝિલ થતો નથી? પરંતુ જ્યારે સૂરો સ્પષ્ટ નાઝિલ થાય છે જેમા જેહાદની વાત હોય છે ત્યારે જેમના દિલમાં બીમારી છે તે (મુનાફીકો)ને તુ જોઇશ કે તારી તરફ એવી રીતે જોવે છે જાણે તેમના ઉપર મોતની બેહોશી છવાઇ ગઇ હોય, માટે કેવુ સારૂં છે કે તેઓ મરે!
ذٰلِکَ بِاَنَّہُمۡ قَالُوۡا لِلَّذِیۡنَ کَرِہُوۡا مَا نَزَّلَ اللّٰہُ سَنُطِیۡعُکُمۡ فِیۡ بَعۡضِ الۡاَمۡرِ ۚۖ وَ اللّٰہُ یَعۡلَمُ اِسۡرَارَہُمۡ ﴿۲۶﴾
(૨૬) આ એ માટે કે જેઓને અલ્લાહ તરફથી નાઝિલ કરેલી વાતો નાપસંદ છે તેઓએ કહ્યું કે અમો અમુક બાબતોમાં તમારી ઇતાઅત કરીએ? એવી હાલતમાં કે અલ્લાહ તેમના ભેદોની વાતોને જાણે છે.
وَ لَوۡ نَشَآءُ لَاَرَیۡنٰکَہُمۡ فَلَعَرَفۡتَہُمۡ بِسِیۡمٰہُمۡ ؕ وَ لَتَعۡرِفَنَّہُمۡ فِیۡ لَحۡنِ الۡقَوۡلِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ اَعۡمَالَکُمۡ ﴿۳۰﴾
(૩૦) અને અગર અમે ચાહતા તો તેમને દેખાડી દેતા, જેથી તમે તેઓને ચહેરાની નિશાનીઓથી ઓળખી જાવ જો કે તેમની વાતચીતની છટાથી તેમને જરૂર ઓળખી જાશો; અને અલ્લાહ તમારા આમાલને જાણે છે!
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ شَآقُّوا الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡہُدٰی ۙ لَنۡ یَّضُرُّوا اللّٰہَ شَیۡئًا ؕ وَ سَیُحۡبِطُ اَعۡمَالَہُمۡ ﴿۳۲﴾
(૩૨) બેશક જેઓએ નાસ્તિક થયા તથા (લોકોને) અલ્લાહના રસ્તાથી અટકાવ્યા, તથા હિદાયત વાઝેહ થઇ જવા બાદ રસૂલની મુખાલેફત કરી, હરગિઝ તેઓ અલ્લાહને કંઇ નુકસાન નહીં પહોંચાડે અને અલ્લાહ ટૂંક સમયમાં તેમના આમાલ નાબૂદ કરી નાખશે!
فَلَا تَہِنُوۡا وَ تَدۡعُوۡۤا اِلَی السَّلۡمِ ٭ۖ وَ اَنۡتُمُ الۡاَعۡلَوۡنَ ٭ۖ وَ اللّٰہُ مَعَکُمۡ وَ لَنۡ یَّتِرَکُمۡ اَعۡمَالَکُمۡ ﴿۳۵﴾
(૩૫) માટે તમે હિંમત ન હારો, અને (દુશ્મનને અપમાનવાળી) સુલેહની દાવત ન આપો, એવી હાલતમાં કે તમે સરબુલંદ છો અને અલ્લાહ તમારી સાથે છે. તે કયારેય તમારા આમાલ(ના સવાબ)ને ઘટાડશે નહિં!
ہٰۤاَنۡتُمۡ ہٰۤؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنۡفِقُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۚ فَمِنۡکُمۡ مَّنۡ یَّبۡخَلُ ۚ وَ مَنۡ یَّبۡخَلۡ فَاِنَّمَا یَبۡخَلُ عَنۡ نَّفۡسِہٖ ؕ وَ اللّٰہُ الۡغَنِیُّ وَ اَنۡتُمُ الۡفُقَرَآءُ ۚ وَ اِنۡ تَتَوَلَّوۡا یَسۡتَبۡدِلۡ قَوۡمًا غَیۡرَکُمۡ ۙ ثُمَّ لَا یَکُوۡنُوۡۤا اَمۡثَالَکُمۡ ﴿٪۳۸﴾
(૩૮) (હા) તમે તે જ લોકો છો જેને અલ્લાહની રાહમાં ઇન્ફાક (ખર્ચ) કરવા માટે બોલાવવામાં આવે છે, તમારામાંથી અમુક કંજૂસાઇ કરે છે, અને જે કોઇ કંજૂસાઇ કરે છે તે પોતાની જાત માટે જ કંજૂસાઇ કરે છે, અને અલ્લાહ બેનિયાઝ છે, અને તમે મોહતાજ છો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા બદલે બીજી કોમને લઇ આવશે, જે(ના લોકો) તમારા જેવા નહિં હોય.