Ya Seen
سورة يس
ءَاَتَّخِذُ مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً اِنۡ یُّرِدۡنِ الرَّحۡمٰنُ بِضُرٍّ لَّا تُغۡنِ عَنِّیۡ شَفَاعَتُہُمۡ شَیۡئًا وَّ لَا یُنۡقِذُوۡنِ ﴿ۚ۲۳﴾
(૨૩) શુ તેના બદલે બીજાને ઇબાદત માટે પસંદ કરૂ જો તે રહેમાન (અલ્લાહ) મને કંઇ નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરશે તો ન તેઓની શફાઅત મને કંઇપણ ફાયદો પહોંચાડશે અને ન મને (અઝાબથી) નજાત આપશે?!
سُبۡحٰنَ الَّذِیۡ خَلَقَ الۡاَزۡوَاجَ کُلَّہَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ وَ مِنۡ اَنۡفُسِہِمۡ وَ مِمَّا لَا یَعۡلَمُوۡنَ ﴿۳۶﴾
(૩૬) પાક છે (તે ખુદા કે) જેણે દરેક વસ્તુના જોડા પેદા કર્યા, કે જેને ઝમીન ઉગાડે છે અને તેમની (ઇન્સાનની) જાતમાંથી (જોડા પૈદા કર્યા) અને તે વસ્તુઓમાંથી કે જેનું તેમને ઇલ્મ નથી.
وَ اِذَا قِیۡلَ لَہُمۡ اَنۡفِقُوۡا مِمَّا رَزَقَکُمُ اللّٰہُ ۙ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا اَنُطۡعِمُ مَنۡ لَّوۡ یَشَآءُ اللّٰہُ اَطۡعَمَہٗۤ ٭ۖ اِنۡ اَنۡتُمۡ اِلَّا فِیۡ ضَلٰلٍ مُّبِیۡنٍ ﴿۴۷﴾
(૪૭) અને જયારે તેમને કહેવામાં આવે કે "અલ્લાહે જે કાંઇ તમને આપ્યું તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરો" ત્યારે નાસ્તિકો મોઅમીનોને કહે છે કે "શું અમે એવાને ખવડાવીએ કે જેને અગર અલ્લાહ ચાહતો હોતો પોતે જ ખવડાવતો હોત?! તમે લોકો ફકત ખુલ્લી ગુમરાહીમાં છો."