Al-Furqan
سورة الفرقان
ۣالَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لَمۡ یَتَّخِذۡ وَلَدًا وَّ لَمۡ یَکُنۡ لَّہٗ شَرِیۡکٌ فِی الۡمُلۡکِ وَ خَلَقَ کُلَّ شَیۡءٍ فَقَدَّرَہٗ تَقۡدِیۡرًا ﴿۲﴾
(૨) જેના માટે આસમાનો તથા ઝમીનની સલ્તનત છે અને જેણે ન કોઇને પોતાનો ફરઝંદ પસંદ કર્યો અને ન સલ્તનતમાં તેનો કોઇ શરીક છે અને તેણે દરેક વસ્તુને ખલ્ક કરી અને દરેક વસ્તુનો યોગ્ય અંદાજ કર્યો.
وَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً لَّا یَخۡلُقُوۡنَ شَیۡئًا وَّ ہُمۡ یُخۡلَقُوۡنَ وَ لَا یَمۡلِکُوۡنَ لِاَنۡفُسِہِمۡ ضَرًّا وَّ لَا نَفۡعًا وَّ لَا یَمۡلِکُوۡنَ مَوۡتًا وَّ لَا حَیٰوۃً وَّ لَا نُشُوۡرًا ﴿۳﴾
(૩) અને તેઓએ અલ્લાહને છોડીને તેના સિવાય બીજા માઅબૂદો પસંદ કર્યા કે જેઓ કંઇપણ વસ્તુ પૈદા કરતા નથી, બલ્કે તેઓને પૈદા કરવામાં આવ્યા છે, અને પોતાના ફાયદા કે નુકસાનની સત્તા ધરાવતા નથી તેમજ ન મોતની સત્તા રાખે છે અને ન જીવનની અને ન મુર્દાને સજીવન કરવાની.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اِفۡکُۨ افۡتَرٰىہُ وَ اَعَانَہٗ عَلَیۡہِ قَوۡمٌ اٰخَرُوۡنَ ۚۛ فَقَدۡ جَآءُوۡ ظُلۡمًا وَّ زُوۡرًا ۚ﴿ۛ۴﴾
(૪) અને જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ કહ્યુ કે આ (કુરઆન) જૂઠાણા સિવાય કાંઇ જ નથી કે જે તેણે ઘડી કાઢયું છે અને બીજી કોમે તેની તેમાં મદદ કરી છે, (આવી વાત કરીને) તમે ઝુલ્મ અને જૂઠનો ગુનાહ અંજામ આપ્યો છે.
وَ قَالُوۡا مَالِ ہٰذَا الرَّسُوۡلِ یَاۡکُلُ الطَّعَامَ وَ یَمۡشِیۡ فِی الۡاَسۡوَاقِ ؕ لَوۡ لَاۤ اُنۡزِلَ اِلَیۡہِ مَلَکٌ فَیَکُوۡنَ مَعَہٗ نَذِیۡرًا ۙ﴿۷﴾
(૭) અને તેઓ કહ્યુ કે શા માટે આ રસૂલ ખાય છે અને બજારોમાં હરેફરે છે? અને શા માટે તેની પર કોઇ ફરિશ્તાને નાઝિલ કરવામાં નથી આવતો કે જે તેની સાથે લોકોને ડરાવે?
اَوۡ یُلۡقٰۤی اِلَیۡہِ کَنۡزٌ اَوۡ تَکُوۡنُ لَہٗ جَنَّۃٌ یَّاۡکُلُ مِنۡہَا ؕ وَ قَالَ الظّٰلِمُوۡنَ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا رَجُلًا مَّسۡحُوۡرًا ﴿۸﴾
(૮) અથવા તેના માટે કોઇ ખજાનો ઉતારવામાં આવે અથવા કોઇ બગીચો હોય કે જેમાંથી તે ખાય; અને ઝાલિમોએ કહ્યુ કે તમે માત્ર એક જાદુમાં સપડાએલા માણસની તાબેદારી કરી રહ્યા છો.
تَبٰرَکَ الَّذِیۡۤ اِنۡ شَآءَ جَعَلَ لَکَ خَیۡرًا مِّنۡ ذٰلِکَ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۙ وَ یَجۡعَلۡ لَّکَ قُصُوۡرًا ﴿۱۰﴾
(૧૦) બરકતવાળી છે તેની જાત કે અગર તે ચાહે તો તારા માટે એના કરતાંય બહેતર વસ્તુઓ તને અતા કરે, (એટલે કે) એવા બગીચા કે જેની હેઠળ નદીઓ વહે છે, અને તારા માટે મહેલો અતા કરે.
وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ وَ مَا یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ فَیَقُوۡلُ ءَاَنۡتُمۡ اَضۡلَلۡتُمۡ عِبَادِیۡ ہٰۤؤُلَآءِ اَمۡ ہُمۡ ضَلُّوا السَّبِیۡلَ ﴿ؕ۱۷﴾
(૧૭) અને તે દિવસે અલ્લાહ તેઓ (મુશરીકો)ને અને તેઓના (ખોટા) ખુદાઓને કે જેમની તેઓ અલ્લાહને મૂકી ઇબાદત કરતા હતા, તેઓ સૌને મહેશૂર કરશે અને કહેશે કે શું તમોએ મારા બંદાઓને ગુમરાહ કર્યા હતા અથવા તેઓ પોતે ભટકી ગયા હતા?
قَالُوۡا سُبۡحٰنَکَ مَا کَانَ یَنۡۢبَغِیۡ لَنَاۤ اَنۡ نَّتَّخِذَ مِنۡ دُوۡنِکَ مِنۡ اَوۡلِیَآءَ وَ لٰکِنۡ مَّتَّعۡتَہُمۡ وَ اٰبَآءَہُمۡ حَتّٰی نَسُوا الذِّکۡرَ ۚ وَ کَانُوۡا قَوۡمًۢا بُوۡرًا ﴿۱۸﴾
(૧૮) ત્યારે તેઓ કહેશે કે તારી જાત પાક છે અને અમોને કોઇ હક નથી કે અમો તારા સિવાય બીજા કોઇને અમારો વલી બનાવીએ, પરંતુ હકીકત એ છે કે તે તેમને તથા તેમના બાપદાદાઓને (દુન્યવી નેઅમતોની) સગવડતા આપી, તેથી તેઓ તારી યાદથી ગાફિલ થઇ ગયા અને હલાક થનાર કોમ બની ગઇ.
فَقَدۡ کَذَّبُوۡکُمۡ بِمَا تَقُوۡلُوۡنَ ۙ فَمَا تَسۡتَطِیۡعُوۡنَ صَرۡفًا وَّ لَا نَصۡرًا ۚ وَ مَنۡ یَّظۡلِمۡ مِّنۡکُمۡ نُذِقۡہُ عَذَابًا کَبِیۡرًا ﴿۱۹﴾
(૧૯) જે કાંઇ તમે કહો છો તે બાબતે તમને (તમારા માઅબૂદોએ) જૂઠલાવ્યા હવે ન તમે અઝાબને ટાળી શકશો અને ન મદદ માંગી શકશો, અને તમારામાંથી જે ઝુલ્મ કરશે તેને અમે સખ્ત અઝાબની મજા ચખાડીશું.
وَ مَاۤ اَرۡسَلۡنَا قَبۡلَکَ مِنَ الۡمُرۡسَلِیۡنَ اِلَّاۤ اِنَّہُمۡ لَیَاۡکُلُوۡنَ الطَّعَامَ وَ یَمۡشُوۡنَ فِی الۡاَسۡوَاقِ ؕ وَ جَعَلۡنَا بَعۡضَکُمۡ لِبَعۡضٍ فِتۡنَۃً ؕ اَتَصۡبِرُوۡنَ ۚ وَ کَانَ رَبُّکَ بَصِیۡرًا ﴿٪۲۰﴾
(૨૦) અને અમોએ તારી પહેલાં કોઇપણ રસૂલને મોકલ્યા નથી સિવાય કે તેઓ ખાતા હતા અને બજારોમાં હરતા ફરતા હતા; અને અમોએ તમારામાંથી અમુકોને અમુકો માટે અજમાઇશના ઝરીયા બનાવ્યા છે; તો શું તમે સબર કરી શકશો જયારે કે તારો પરવરદિગાર હર હંમેશ દેખનારો છે.
وَ قَالَ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡنَا الۡمَلٰٓئِکَۃُ اَوۡ نَرٰی رَبَّنَا ؕ لَقَدِ اسۡتَکۡبَرُوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ وَ عَتَوۡ عُتُوًّا کَبِیۡرًا ﴿۲۱﴾
(૨૧) અને જેઓ અમારી મુલાકાતની ઉમ્મીદ રાખતા નથી તેઓ કહે છે કે અમારા પર ફરિશ્તા કેમ નાઝિલ કરવામાં આવ્યા નથી ? અથવા અમે અમારા ખુદાને કેમ જોતા નથી ?! ખરેજ તેઓ મગરૂર બની ગયા અને હદ ઉપરાંતની સરકશી કરી!
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ لَا نُزِّلَ عَلَیۡہِ الۡقُرۡاٰنُ جُمۡلَۃً وَّاحِدَۃً ۚۛ کَذٰلِکَ ۚۛ لِنُثَبِّتَ بِہٖ فُؤَادَکَ وَ رَتَّلۡنٰہُ تَرۡتِیۡلًا ﴿۳۲﴾
(૩૨) અને નાસ્તિકોએ કહ્યુ કે તેના ઉપર આખું કુરઆન એકી સાથે કેમ નાઝિલ કરવામાં ન આવ્યું? આ એ માટે કે અમે તે થકી તારા દિલને મજબૂત કરીએ અને અમોએ તેને ધીરે ધીરે નાઝિલ કર્યુ.
وَ قَوۡمَ نُوۡحٍ لَّمَّا کَذَّبُوا الرُّسُلَ اَغۡرَقۡنٰہُمۡ وَ جَعَلۡنٰہُمۡ لِلنَّاسِ اٰیَۃً ؕ وَ اَعۡتَدۡنَا لِلظّٰلِمِیۡنَ عَذَابًا اَلِیۡمًا ﴿ۚۖ۳۷﴾
(૩૭) અને નૂહની કોમે જ્યારે રસૂલોને જૂઠલાવ્યા ત્યારે અમોએ તેમને ડૂબાડી દીધા અને તે કોમને લોકો માટે એક નિશાની (નસીહત) બનાવી; અને અમોએ ઝાલિમો માટે દર્દનાક અઝાબ તૈયાર કરેલ છે.
وَ لَقَدۡ اَتَوۡا عَلَی الۡقَرۡیَۃِ الَّتِیۡۤ اُمۡطِرَتۡ مَطَرَ السَّوۡءِ ؕ اَفَلَمۡ یَکُوۡنُوۡا یَرَوۡنَہَا ۚ بَلۡ کَانُوۡا لَا یَرۡجُوۡنَ نُشُوۡرًا ﴿۴۰﴾
(૪૦) અને ખરેખર તેઓ તે વસ્તી તરફ આવ્યા જેના ઉપર ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો, શું તેઓ જોતા નથી? (કે ઇબ્રત હાંસિલ કરે) પરંતુ હકીકત એ છે કે તેઓ ફરીથી જીવંત થવાની ઉમ્મીદ રાખતા નથી.
اِنۡ کَادَ لَیُضِلُّنَا عَنۡ اٰلِہَتِنَا لَوۡ لَاۤ اَنۡ صَبَرۡنَا عَلَیۡہَا ؕ وَ سَوۡفَ یَعۡلَمُوۡنَ حِیۡنَ یَرَوۡنَ الۡعَذَابَ مَنۡ اَضَلُّ سَبِیۡلًا ﴿۴۲﴾
(૪૨) નજીક હતું કે જો આપણે આપણા ખુદાઓ(ની ઇબાદત) પર સાબિત કદમ ન રહેત તો તે (રસૂલ) આપણે તેનાથી ફેરવી નાખેત અને તેઓ નજીકમાં જાણી લેશે જયારે તેઓ અઝાબ નિહાળશે, કે વધારે ભટકી ગયેલા કોણ છે!
وَ ہُوَ الَّذِیۡ مَرَجَ الۡبَحۡرَیۡنِ ہٰذَا عَذۡبٌ فُرَاتٌ وَّ ہٰذَا مِلۡحٌ اُجَاجٌ ۚ وَ جَعَلَ بَیۡنَہُمَا بَرۡزَخًا وَّ حِجۡرًا مَّحۡجُوۡرًا ﴿۵۳﴾
(૫૩) અને જેણે બે દરિયાને પાસે રાખ્યા છે. આ(નુ પાણી) મીઠું અને મનગમતુ છે, અને તે(નુ પાણી) ખારૂં અને કડવું છે; અને તે બંનેની વચ્ચે એક રૂકાવટ રાખી જેથી (બંને) ભળી ન જાય.
ۣالَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ۚۛ اَلرَّحۡمٰنُ فَسۡـَٔلۡ بِہٖ خَبِیۡرًا ﴿۵۹﴾
(૫૯) તેણે આસમાનો અને ઝમીન તથા તેની વચ્ચે જે કાંઇ છે તેને છ દિવસમાં પૈદા કર્યા, ત્યારબાદ અર્શ ઉપર પોતાનો ઇકતેદાર કાયમ કર્યો, તે રહેમાન છે, તેને સવાલ કર કે તે જાણકાર છે.
وَ اِذَا قِیۡلَ لَہُمُ اسۡجُدُوۡا لِلرَّحۡمٰنِ قَالُوۡا وَ مَا الرَّحۡمٰنُ ٭ اَنَسۡجُدُ لِمَا تَاۡمُرُنَا وَ زَادَہُمۡ نُفُوۡرًا ﴿٪ٛ۶۰﴾
(૬૦) અને જયારે તેમને કહેવામાં આવે છે કે રહેમાનને સજદો કરો ત્યારે તેઓ કહે છે કે આ રહેમાન શું છે? શું અમે તેને સજદો કરીએ કે જેના વિશે તું અમને હુકમ આપે? અને (આ રીતે) તેઓની નફરતમાં ઔર વધારો થાય છે.
وَ الَّذِیۡنَ لَا یَدۡعُوۡنَ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ وَ لَا یَقۡتُلُوۡنَ النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ وَ لَا یَزۡنُوۡنَ ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ یَلۡقَ اَثَامًا ﴿ۙ۶۸﴾
(૬૮) અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને પોકારતા નથી, તથા અલ્લાહે મોહતરમ ઠેરવેલ જીવને યોગ્ય કારણ વગર કત્લ કરતા નથી અને ઝીના પણ નથી કરતા અને જે કોઇ એવું કામ કરશે તો તે તે(ગુનાહ)ની સજા ભોગવશે;