As-Saff
سورة الصف
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ لِمَ تُؤۡذُوۡنَنِیۡ وَ قَدۡ تَّعۡلَمُوۡنَ اَنِّیۡ رَسُوۡلُ اللّٰہِ اِلَیۡکُمۡ ؕ فَلَمَّا زَاغُوۡۤا اَزَاغَ اللّٰہُ قُلُوۡبَہُمۡ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الۡفٰسِقِیۡنَ ﴿۵﴾
(૫) અને (તે સમયને યાદ કર) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અય મારી કોમ ! શા માટે તમે મને ઇજા પહોંચાડો છો? જો કે તમે જાણો છો કે ખરેજ હું તમારી તરફ અલ્લાહનો મોકલેલો રસૂલ છું?! પછી જ્યારે તેઓ (ઇતાઅતથી) ફરી ગયા ત્યારે અલ્લાહે તેઓના દિલોને (હકથી) ફેરવી નાખ્યા; અને અલ્લાહ ફાસિક કોમની હિદાયત નથી કરતો!
وَ اِذۡ قَالَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اِنِّیۡ رَسُوۡلُ اللّٰہِ اِلَیۡکُمۡ مُّصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیَّ مِنَ التَّوۡرٰىۃِ وَ مُبَشِّرًۢا بِرَسُوۡلٍ یَّاۡتِیۡ مِنۡۢ بَعۡدِی اسۡمُہٗۤ اَحۡمَدُ ؕ فَلَمَّا جَآءَہُمۡ بِالۡبَیِّنٰتِ قَالُوۡا ہٰذَا سِحۡرٌ مُّبِیۡنٌ ﴿۶﴾
(૬) અને (તે સમયને યાદ કર) જ્યારે ઇસા ઇબ્ને મરિયમે કહ્યું કે અય બની ઇસરાઇલ! બેશક હું તમારી તરફ અલ્લાહનો રસૂલ છું એવી હાલતમાં કે મારી અગાઉ આવેલ કિતાબ (તોરેત)ની સચ્ચાઇને ટેકો આપુ છું, અને એવા એક રસૂલની ખુશખબર આપનારો છું કે જે મારી પછી આવશે, જેનું નામ અહમદ છે! પછી જ્યારે તે તેમની પાસે ખુલ્લી દલીલો (મોઅજિઝા) લઇને આવ્યો ત્યારે લોકોએ કહ્યું કે આ ખુલ્લો જાદુ છે.
وَ مَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰی عَلَی اللّٰہِ الۡکَذِبَ وَ ہُوَ یُدۡعٰۤی اِلَی الۡاِسۡلَامِ ؕ وَ اللّٰہُ لَا یَہۡدِی الۡقَوۡمَ الظّٰلِمِیۡنَ ﴿۷﴾
(૭) અને તેના કરતા મોટો ઝાલિમ કોણ છે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે એવી હાલતમાં કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવતો હોય?! અને અલ્લાહ ઝાલિમ કોમની હિદાયત નથી કરતો!
تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ وَ رَسُوۡلِہٖ وَ تُجَاہِدُوۡنَ فِیۡ سَبِیۡلِ اللّٰہِ بِاَمۡوَالِکُمۡ وَ اَنۡفُسِکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ اِنۡ کُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿ۙ۱۱﴾
(૧૧) તમે અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન લાવો, અને અલ્લાહની રાહમાં તમારા માલ અને જાન સાથે જેહાદ કરો; અગર તમે જાણો તો (દરેક ચીઝ કરતા) આ તમારા માટે બહેતર છે!
یَغۡفِرۡ لَکُمۡ ذُنُوۡبَکُمۡ وَ یُدۡخِلۡکُمۡ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ وَ مَسٰکِنَ طَیِّبَۃً فِیۡ جَنّٰتِ عَدۡنٍ ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿ۙ۱۲﴾
(૧૨) (જો એમ કરશો તો) તમારા ગુનાહોને માફ કરશે અને તમને તે જન્નતોમાં દાખલ કરશે કે જેની નીચે નહેરો વહે છે અને હંમેશા બાકી રહેવાવાળી જન્નતમાં પાકીઝા મકાનોમાં જગ્યા આપશે અને આ મોટી કામ્યાબી છે :
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا کُوۡنُوۡۤا اَنۡصَارَ اللّٰہِ کَمَا قَالَ عِیۡسَی ابۡنُ مَرۡیَمَ لِلۡحَوَارِیّٖنَ مَنۡ اَنۡصَارِیۡۤ اِلَی اللّٰہِ ؕ قَالَ الۡحَوَارِیُّوۡنَ نَحۡنُ اَنۡصَارُ اللّٰہِ فَاٰمَنَتۡ طَّآئِفَۃٌ مِّنۡۢ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ وَ کَفَرَتۡ طَّآئِفَۃٌ ۚ فَاَیَّدۡنَا الَّذِیۡنَ اٰمَنُوۡا عَلٰی عَدُوِّہِمۡ فَاَصۡبَحُوۡا ظٰہِرِیۡنَ ﴿٪۱۴﴾
(૧૪) અય ઇમાન લાવનારાઓ! તમે અલ્લાહના મદદગાર બનો, જેમકે ઇસા ઇબ્ને મરિયમે હવારીઓને કહ્યુ કે કોણ અલ્લાહની રાહમાં મારા મદદગારો છે? ત્યારે હવારીઓએ કહ્યું કે અમે અલ્લાહના મદદગારો છીએ. આ સમયે બની ઇસરાઇલમાંથી એક એક ગિરોહ ઇમાન લાવ્યો અને બીજો ગિરોહ નાસ્તિક થયો અને અમોએ ઇમાન લાવનારની તેમના દુશ્મનોના મુકાબલામાં મદદ કરી પરિણામે તેઓ ગાલિબ થયા.